By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    6 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    7 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    4 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    4 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    4 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    4 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    6 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    6 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    6 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    7 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    7 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાજ નવલકથા કે ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઇની ધાર્મિક લાગણી દુભાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મહારાજ નવલકથા કે ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઇની ધાર્મિક લાગણી દુભાય
Author

મહારાજ નવલકથા કે ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઇની ધાર્મિક લાગણી દુભાય

Khaskhabar Editor
Last updated: 2024/06/18 at 5:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

સૌરભ શાહ

‘મહારાજ’ના લેખક સૌરભ શાહનો આંખ ઉઘાડતો લેખ…

- Advertisement -

‘મહારાજ’ ફિલ્મનો વિવાદ સાવ નિરર્થક

કરસનદાસે જે કંઇ કર્યું તેનાથી વૈષ્ણવ સંપ્રદાયને લાભ થયો

જદુનાથ મહારાજના દુરાચારો પર પ્રકાશ ફેંકવાનો મતલબ એ નથી કે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય બદનામ થઇ જાય

- Advertisement -

જો બદી દૂર ના થઈ હોત તો છેલ્લાં દોઢસો વર્ષમાં  આવેલી અનેક નવી પેઢીના યુવાનો સંપ્રદાયથી વિમુખ થઈ ગયા હોત, સંપ્રદાય વધુ ને વધુ સંકોચાતો જતો હોત…

‘મહારાજ’ નામની ગુજરાતી સાહિત્યમાં બહુ પોંખાયેલી, વડીલ સાહિત્યકારો-વાચકોનો આદર પામેલી અવોર્ડવિનિંગ નવલકથાનો નાયક કરસનદાસ મૂળજી છે. ‘મહારાજ’ નવલકથા પરથી ભારતના ટોચના પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા બનેલી હિંદી ફિલ્મ ‘મહારાજ’નો હીરો પણ કરસનદાસ મૂળજી છે. કરસનદાસ પત્રકાર-લેખક હતા. 1860-62ના ગાળામાં એમની ઉંમર 28-30 વર્ષની હતી. કરસનદાસ ગુજરાતી હતા, જેમના નિકટના મિત્રવર્તુળમાં કવિ નર્મદ, શેઠ ગોકુળદાસ તેજપાલ, ડો. ભાઉ દાજી વગેરે હતા. કરસનદાસ વૈષ્ણવ હતા. શ્રીજીબાવામાં પાકી શ્રદ્ધા હતી એમને.
આજની તારીખે હું આંખ બંધ કરીને જ્યારે જ્યારે મારા ઈષ્ટદેવનું સ્મરણ કરું છું ત્યારે મારી સામે શ્રીજીબાવાની મનોહર છબિ દેખાય છે. મન:ચક્ષુથી મારા આરાધ્યદેવનાં દર્શન કરીને હું એમની આગળ મારી તમામ સંકટની પળો કે ઉત્સવની ઘડીઓ શેર કરીને સંવાદ સાધતો હોઉં છું. મારી દરેક પ્રાર્થનાનો ઉત્તર મારા ઈષ્ટદેવે મને આપ્યો છે. મારા સારા-માઠા સમયમાં મારા પ્રભુજી સતત મારી સાથે રહ્યા છે. એનું કારણ એ કે હું હંમેશાં ‘શ્રી કૃષ્ણ: શરણં મમ:’નું રટણ કરીને એમના શરણે રહ્યો છું.

શ્રીનાથદ્વારાના ભવ્ય મંદિરે હું નાનપણથી જતો આવ્યો છું. ગયા વર્ષે મારી વર્ષગાંઠના દિવસે મિત્રોની મહેફિલમાં સામેલ થવાને બદલે શ્રીજીબાવાનાં દર્શન કરવા નીકળી પડેલો. સાતેય સમાનાં સન્મુખ દર્શન કરવાનો લ્હાવો મળ્યો. શયનનાં દર્શન બંધ હતાં. દરેક વખતે બીજા દર્શનાર્થીઓને પ્રવેશ મળે તે પહેલાં કોઈ ઉચાટ વિના શાંતિથી શ્રીનાથજીનાં ચરણમાં દૃષ્ટિ રાખીને એમની સાથે નિરવ સંવાદ કરી શક્યો. શ્રીનાથદ્વારાનું વાતાવરણ મને ગમે છે. વારંવાર ત્યાં જવાનું મન થાય છે. આજે પણ એ મંદિરમાં મારો તથા મારા પરિવારનો એટલો જ આદર-સત્કાર થાય છે, જેટલો ‘મહારાજ’ લખ્યા પહેલાં થતો હતો. મુંબઈની હવેલીમાં પણ મારાં માન-પાન અકબંધ છે. મુંબઈની એક હવેલીમાં મેં શ્રીજીબાવાનાં ચરણોમાં બેસીને શ્રીમદ્ ભગવદ્ ગીતા પર વ્યાખ્યાન આપ્યું છે.

વૈષ્ણવ સંપ્રદાયમાં મારી અને મારા જેવા લાખો પુષ્ટિમાર્ગીઓની આસ્થા કરસનદાસ મૂળજીને કારણે ટકી છે, વધી છે. 1862માં કરસનદાસે ‘મહારાજ લાયબેલ કેસ’ લડીને તે જમાનામાં જદુનાથ મહારાજનાં કુકર્મોને ખુલ્લાં પાડીને એ બદીને દૂર ના કરી હોત તો કદાચ હજુય એ દુરાચાર ચલણમાં હોત. જો એવું થયું હોત તો 28 વર્ષના સૌરભ શાહે અને સૌરભ જેવા બીજા લાખો વૈષ્ણવ યુવાનોએ પોતાની આસપાસની મા-બહેન-દીકરીઓને ધર્મના નામે ચાલતા પાખંડનો ભોગ બનતાં જોઈ હોત અને વૈષ્ણવ સંપ્રદાયથી સૌ અળગા થઈ ગયા હોત.

પણ કરસનદાસ મૂળજીને કારણે એ ખરાબી હટી ગઈ. મેં અને મારા જેવા લાખો વૈષ્ણવોએ સ્વચ્છ, સંસ્કારી સંપ્રદાયની રીતરસમો જોઈ અને અમારી આસ્થા વધી, અમે સંપ્રદાયની વધુ નિકટ આવ્યા, મારા જેવા લાખો વૈષ્ણવોએ સંપ્રદાયની દરેક પ્રકારની સમૃદ્ધિ વધારી, સંપ્રદાયનું ગૌરવ વધાર્યું.
કરસનદાસ મૂળજીનો કે 1862માં મુંબઈની તે વખતની સુપ્રીમ કોર્ટનો કે પછી તેના પર આધારિત મારી નવલકથા ‘મહારાજ’ કે આ નવલકથા પર આધારિત હિંદી ફિલ્મનો વિરોધ કરવાને બદલે સમજુ વૈષ્ણવોએ એનું સમર્થન કરવું જોઈએ. જેઓ ગેરસમજણને કારણે (કે અન્ય કોઈ પણ કારણે) વિરોધ કરે છે એમને સમજાવવું જોઈએ કે કરસનદાસે જે કાર્ય કર્યું તેનાથી વૈષ્ણવ સંપ્રદાયને લાભ થયો છે, બદી દૂર થઈ જવાથી વધુ ને વધુ લોકો વૈષ્ણવ સંપ્રદાયનો આદર કરતા થયા છે. વૈષ્ણવ સંપ્રદાય ફૂલ્યો-ફાલ્યો છે. જો બદી દૂર ના થઈ હોત તો છેલ્લાં દોઢસો વર્ષમાં આવેલી અનેક નવી પેઢીના યુવાનો સંપ્રદાયથી વિમુખ થઈ ગયા હોત, સંપ્રદાય વધુ ને વધુ સંકોચાતો જતો હોત. અગ્રણીઓએ શાંત ચિત્તે આ વાત સમજવી જોઈએ અને ધીરજપૂર્વક બીજાઓને સમજાવવી જોઈએ.

1862ના કેસનો ચુકાદો ગુજરાતીમાં પણ નેટ પર ઉપલબ્ધ છે. તેના પર આધારિત મારી નવલકથા અમેઝોન પર છે. જેની ક્ધિડલ એડિશન પણ છે. આ કેસમાં કે આ નવલકથામાં કે આ ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઈની ધાર્મિક લાગણી દુભાય. વૈષ્ણવ સંપ્રદાય, સનાતન પરંપરા કે હિંદુ ધર્મ માટેની આસ્થા ઘટે નહીં પણ વધે એવી વાતો એમાં છે. જદુનાથ મહારાજના દુરાચારો પર પ્રકાશ ફેંકવાનો મતલબ એ નથી કે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય એને કારણે બદનામ થઈ જાય. કોઈ શિક્ષક પોતાની વિદ્યાર્થીની પર બળાત્કાર કરતાં પકડાય તો એમાં તમામ શિક્ષકોનું નીચાજોણું નથી થતું. નીચાજોણું ત્યારે થાય છે જ્યારે બાકીના નિર્દોષ શિક્ષકો પેલા બળાત્કારી શિક્ષકનો બચાવ કરવા મેદાનમાં ઉતરી પડે.

જેઓ ડાયાબીટીસના દર્દી ના હોય તેઓને પણ ખબર છે કે જો બેદરકાર રહ્યા તો આ રોગ એટલો વકરશે કે શરીરના કોઈ એક અંગમાં, ખાસ કરીને પગમાં, સડો પેદા થવા માંડશે. જો પગની ટચલી આંગળીએ આ સડો જન્મ્યો અને તેનું ગેંગરિન થઈ ગયું તો એ આંગળી કાપવી પડે. અન્યથા એ ઝેર સમગ્ર શરીરમાં પ્રસરી જાય. કરસનદાસ મૂળજીએ શરીર આખાને આ ઝેરથી બચાવવા ગેંગરિનવાળી આંગળી પર શસ્ત્રક્રિયા કરીને દૂર કરી તે બદલ આપણે એમના આભારી છીએ.

કેરીની વખારમાં એક સડેલી કેરીને જો સમયસર દૂર કરવામાં ના આવે તો થોડા જ વખતમાં આખી વખાર ગંધાતી થઈ જાય.
મારી આ વાત મેં વિગતે ‘મહારાજ’ નવલકથાની પ્રસ્તાવના ‘મેકિંગ ઓફ મહારાજ’માં સમજાવી છે. 28 ઓગસ્ટ 2013ની જન્માષ્ટમીના રોજ લખાયેલી એ પ્રસ્તાવના વાંચ્યા પછી જ તમે નવલકથાના વાંચનમાં આગળ વધો એવો મારો આગ્રહ છે.

આજે 18મી જૂન છે. ગુજરાત હાઈકોર્ટમાં ફિલ્મને લગતા કેસમાં આજે બપોરે બે વાગે સુનાવણી થવાની છે. તમે આ વાંચતા હશો ત્યારે નામદાર અદાલતે પોતાનો મત જાહેર કરી દીધો હશે. નવલકથાનું પહેલું પ્રકરણ 22 એપ્રિલ 1862ના રોજ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો હતો તેની આગલી રાતથી શરૂ થાય છે. કરસનદાસનું મનોમંથન આરંભના ફકરાઓમાં છે. આ પહેલું પ્રકરણ 1997ની સાલમાં મેં લખ્યું ત્યારે મને ખબર નહોતી કે 2024ની 18મી જૂને મારા માટે એ જ પરિસ્થિતિ ઊભી થવાની છે.

મારી વાત હું અહીં અટકાવું છું, પૂરી નથી કરતો. હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થાય એ વખતે જો કોઈ વિગતો કે ખૂટતી માહિતીની જરૂર હશે તો મને ફોન દ્વારા જાણ કરવામાં આવશે માટે મારે બે વાગ્યા પછી અન્ય કોઈ કામમાં વ્યસ્ત ન રહેવું એવું મને અમારી લીગલ ટીમ વતી કહેવામાં આવ્યું છે.

આજે બસ આટલું જ.
જયશ્રી કૃષ્ણ.

You Might Also Like

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

TAGGED: Maharaj, religious sentiments, Saurabh Shah
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાની ચર્ચા વચ્ચે ગૌતમ ગંભીર અમિત શાહને મળ્યા
Next Article મેકિંગ ઑફ ‘મહારાજ’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Shailesh Sagpariya

વાણી અને વર્તન દ્વારા પરિચય

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?