અમે સ્પષ્ટ લખીએ છીએ કે, કોણ સાચું- કોણ ખોટું. પછી એ મુદ્દો સ્થાનિક હોય કે જંતરમંતરના નકલી જેન-ઝીનો હોય. અમે અહીં દરેક વ્યક્તિને ખુશ કરવા નથી બેઠાં, અમે અધમ લોકોની ઉંઘ બગાડવા ઉજાગરા કરીએ છીએ.
અમારે બધાની પ્રસન્નતા, વાહ-વાહ અને ઠાલી દોસ્તી ખપતી નથી.
બપોરે ચાર વાગ્યા હોય અને કોઇ નિયમિત વાચકનાં મોબાઈલ સુધી જો ‘ખાસ-ખબર’ ન પહોંચ્યું હોય તો તરત જ અમારા બધાનાં મોબાઈલમાં વ્હોટ્સઍપ્પ મેસેજ ચાલું થઈ જાય છે : ‘આજે છાપું મોડું છે? કેમ હજુ આવ્યું નથી?’
કહેવાની જરૂર નથી કે, આજે લાખ્ખો વાચકો માટે ‘ખાસ-ખબર’ એક વ્યસન બની ગયું છે. એક પ્રકારનું ઍડિકશન. અને આપણાં આ અખબારની લત ધરાવતાં લોકો ફક્ત રાજકોટ- સૌરાષ્ટ્રમાં જ નથી, સમગ્ર ગુજરાતમાં,
ભારતભરમાં વસતા ગુજરાતીઓ, અમેરિકા, યુનાઈટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપનાં દેશોમાં વસતા અનેક ગુજરાતીઓ છે.
- Advertisement -
આજે ‘ખાસ-ખબર’નો સાતમો જન્મદિવસ છે ત્યારે આવા દરેક વાચકોને સલામ. અમે તો પરંપરાગત અખબારની વ્યાખ્યામાં ક્યાંય ફિટ બેસતાં નથી. અમારા એકથી ત્રણ નંબરના પેજ પર ક્યારેક મારો લેખ પણ હોય છે. કોઈ
ન્યૂઝપેપર ક્યારે પ્રથમ પાને માત્ર લેખ આપે છે? અમારા સિવાય કોઈ નહીં. કોણ કવાર્ટર પેજના મેટર માટે પોણા પેજનો આકર્ષક લે-આઉટ કરે છે? કોણ કૌભાંડિયાઓની પાછળ આદુ ખાઈને ત્યાં સુધી પડી જાય છે જ્યાં સુધી
જે-તે સમસ્યાનો ઉકેલ ન આવી જાય.
અમે કશુંક અલગ કરીએ છીએ તેનું લેશમાત્ર ગુમાન નથી. આ અમારી પોલિસી માત્ર છે. અમારા મતે ન્યૂઝનું મહત્વ હરગીઝ ઓછું નથી પરંતુ વ્યૂઝનો મહિમા પણ અદકેરો છે. ન્યૂઝ બન્યાને પાંચમી મિનિટે લોકોના મોબાઈલમાં
બ્રેકિંગ ન્યૂઝ ટપકે છે. સમસ્યા એ છે કે, ન્યૂઝ પાછળના ન્યૂઝ અને ‘અંદર કી બાત’ કહેવાય તેવી ઈન્ફોર્મેશન ભાગ્યે જ લખાતી હોય છે. અમારો પ્રયત્ન એ લખવાનો હોય છે. આજે જ્યારે સમાચાર કરતાં ઝડપનું અને સત્ય કરતાં
સનસનાટીનું મહત્ત્વ વધી ગયું છે ત્યારે માત્ર સમાચારથી ચાલે તેવું નથી.
‘ખાસ-ખબર’ માને છે કે, પત્રકારનું કામ માત્ર સત્તાને સવાલો કરવાનું નથી અને ફક્ત વિરોધના ઘોંઘાટ કરવાનું પણ નથી. પત્રકારત્વનું પ્રથમ અને અંતિમ કર્તવ્ય વાચકોની પડખે ઉભા રહેવાનું છે. અમે ખરા અર્થમાં તટસ્થ
છીએ કારણ કે, અમે સારા-નરસાનો અને સાચા-ખોટાનો ભેદ જાણીએ છીએ અને એ ધ્યાને રાખીને સ્ટેન્ડ લઈએ છીએ. ‘રામજીભાઈ પણ થોડાં સાચા અને શામજીભાઈ પણ ખોટાં નથી, રામજીભાઈનો થોડો વાંક છે અને
શામજીભાઈ પણ નિર્દોષ નથી…’ આવી કમેન્ટમાં અમને રસ નથી. અમે સ્પષ્ટ લખીએ છીએ કે, કોણ સાચું- કોણ ખોટું. પછી એ મુદ્દો સ્થાનિક હોય કે જંતરમંતરના નકલી જેન-ઝીનો હોય. અમે અહીં દરેક વ્યક્તિને ખુશ કરવા
નથી બેઠાં, અમે અધમ લોકોની ઉંઘ બગાડવા ઉજાગરા કરીએ છીએ. અમારે બધાની પ્રસન્નતા, વાહ-વાહ અને ઠાલી દોસ્તી ખપતી નથી.
- Advertisement -
રસાળ શૈલી અને અત્યંત આકર્ષક લે-આઉટ્સ અમારા USP છે અને એ માટેની સર્વશ્રેષ્ઠ ટીમ અમારી પાસે છે. ‘ખાસ-ખબર’એ આજ લગી અનેક કૌભાંડો ઉઘાડાં કર્યાં છે, હાર્ડહિટિંગ પત્રકારત્વનો એક આખો નવો જ રસ્તો અમે શરૂ
કર્યો છે અને એ જ માર્ગ પર આગળ પણ વધી રહ્યાં છીએ. કોઈની પણ શેહશરમ નહીં રાખવાની અમારી
પોલિસીને લીધે વાચકોના હૃદયમાં અમે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે અને આ સ્થાન પ્રતિદિન મજબૂત થતું જાય છે.
કિન્નર આચાર્ય
તંત્રી




