By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    4 days ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    6 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    7 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતે દાળ-કઠોળ પાર 30% ‘ટેરિફ’ ઝીંકતા અમેરિકાના વેપારીઓમાં રોષનો માહોલ
    2 days ago
    ભારતીય રેલ્વે દ્વારા ઐતિહાસિક અપગ્રેડની યોજના, જાણો વધુ
    2 days ago
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    3 days ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    3 days ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    3 days ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    4 days ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    1 week ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    1 week ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    4 days ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    1 month ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાજ નવલકથા કે ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઇની ધાર્મિક લાગણી દુભાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મહારાજ નવલકથા કે ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઇની ધાર્મિક લાગણી દુભાય
Author

મહારાજ નવલકથા કે ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઇની ધાર્મિક લાગણી દુભાય

Khaskhabar Editor
Last updated: 2024/06/18 at 5:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

સૌરભ શાહ

‘મહારાજ’ના લેખક સૌરભ શાહનો આંખ ઉઘાડતો લેખ…

- Advertisement -

‘મહારાજ’ ફિલ્મનો વિવાદ સાવ નિરર્થક

કરસનદાસે જે કંઇ કર્યું તેનાથી વૈષ્ણવ સંપ્રદાયને લાભ થયો

જદુનાથ મહારાજના દુરાચારો પર પ્રકાશ ફેંકવાનો મતલબ એ નથી કે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય બદનામ થઇ જાય

- Advertisement -

જો બદી દૂર ના થઈ હોત તો છેલ્લાં દોઢસો વર્ષમાં  આવેલી અનેક નવી પેઢીના યુવાનો સંપ્રદાયથી વિમુખ થઈ ગયા હોત, સંપ્રદાય વધુ ને વધુ સંકોચાતો જતો હોત…

‘મહારાજ’ નામની ગુજરાતી સાહિત્યમાં બહુ પોંખાયેલી, વડીલ સાહિત્યકારો-વાચકોનો આદર પામેલી અવોર્ડવિનિંગ નવલકથાનો નાયક કરસનદાસ મૂળજી છે. ‘મહારાજ’ નવલકથા પરથી ભારતના ટોચના પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા બનેલી હિંદી ફિલ્મ ‘મહારાજ’નો હીરો પણ કરસનદાસ મૂળજી છે. કરસનદાસ પત્રકાર-લેખક હતા. 1860-62ના ગાળામાં એમની ઉંમર 28-30 વર્ષની હતી. કરસનદાસ ગુજરાતી હતા, જેમના નિકટના મિત્રવર્તુળમાં કવિ નર્મદ, શેઠ ગોકુળદાસ તેજપાલ, ડો. ભાઉ દાજી વગેરે હતા. કરસનદાસ વૈષ્ણવ હતા. શ્રીજીબાવામાં પાકી શ્રદ્ધા હતી એમને.
આજની તારીખે હું આંખ બંધ કરીને જ્યારે જ્યારે મારા ઈષ્ટદેવનું સ્મરણ કરું છું ત્યારે મારી સામે શ્રીજીબાવાની મનોહર છબિ દેખાય છે. મન:ચક્ષુથી મારા આરાધ્યદેવનાં દર્શન કરીને હું એમની આગળ મારી તમામ સંકટની પળો કે ઉત્સવની ઘડીઓ શેર કરીને સંવાદ સાધતો હોઉં છું. મારી દરેક પ્રાર્થનાનો ઉત્તર મારા ઈષ્ટદેવે મને આપ્યો છે. મારા સારા-માઠા સમયમાં મારા પ્રભુજી સતત મારી સાથે રહ્યા છે. એનું કારણ એ કે હું હંમેશાં ‘શ્રી કૃષ્ણ: શરણં મમ:’નું રટણ કરીને એમના શરણે રહ્યો છું.

શ્રીનાથદ્વારાના ભવ્ય મંદિરે હું નાનપણથી જતો આવ્યો છું. ગયા વર્ષે મારી વર્ષગાંઠના દિવસે મિત્રોની મહેફિલમાં સામેલ થવાને બદલે શ્રીજીબાવાનાં દર્શન કરવા નીકળી પડેલો. સાતેય સમાનાં સન્મુખ દર્શન કરવાનો લ્હાવો મળ્યો. શયનનાં દર્શન બંધ હતાં. દરેક વખતે બીજા દર્શનાર્થીઓને પ્રવેશ મળે તે પહેલાં કોઈ ઉચાટ વિના શાંતિથી શ્રીનાથજીનાં ચરણમાં દૃષ્ટિ રાખીને એમની સાથે નિરવ સંવાદ કરી શક્યો. શ્રીનાથદ્વારાનું વાતાવરણ મને ગમે છે. વારંવાર ત્યાં જવાનું મન થાય છે. આજે પણ એ મંદિરમાં મારો તથા મારા પરિવારનો એટલો જ આદર-સત્કાર થાય છે, જેટલો ‘મહારાજ’ લખ્યા પહેલાં થતો હતો. મુંબઈની હવેલીમાં પણ મારાં માન-પાન અકબંધ છે. મુંબઈની એક હવેલીમાં મેં શ્રીજીબાવાનાં ચરણોમાં બેસીને શ્રીમદ્ ભગવદ્ ગીતા પર વ્યાખ્યાન આપ્યું છે.

વૈષ્ણવ સંપ્રદાયમાં મારી અને મારા જેવા લાખો પુષ્ટિમાર્ગીઓની આસ્થા કરસનદાસ મૂળજીને કારણે ટકી છે, વધી છે. 1862માં કરસનદાસે ‘મહારાજ લાયબેલ કેસ’ લડીને તે જમાનામાં જદુનાથ મહારાજનાં કુકર્મોને ખુલ્લાં પાડીને એ બદીને દૂર ના કરી હોત તો કદાચ હજુય એ દુરાચાર ચલણમાં હોત. જો એવું થયું હોત તો 28 વર્ષના સૌરભ શાહે અને સૌરભ જેવા બીજા લાખો વૈષ્ણવ યુવાનોએ પોતાની આસપાસની મા-બહેન-દીકરીઓને ધર્મના નામે ચાલતા પાખંડનો ભોગ બનતાં જોઈ હોત અને વૈષ્ણવ સંપ્રદાયથી સૌ અળગા થઈ ગયા હોત.

પણ કરસનદાસ મૂળજીને કારણે એ ખરાબી હટી ગઈ. મેં અને મારા જેવા લાખો વૈષ્ણવોએ સ્વચ્છ, સંસ્કારી સંપ્રદાયની રીતરસમો જોઈ અને અમારી આસ્થા વધી, અમે સંપ્રદાયની વધુ નિકટ આવ્યા, મારા જેવા લાખો વૈષ્ણવોએ સંપ્રદાયની દરેક પ્રકારની સમૃદ્ધિ વધારી, સંપ્રદાયનું ગૌરવ વધાર્યું.
કરસનદાસ મૂળજીનો કે 1862માં મુંબઈની તે વખતની સુપ્રીમ કોર્ટનો કે પછી તેના પર આધારિત મારી નવલકથા ‘મહારાજ’ કે આ નવલકથા પર આધારિત હિંદી ફિલ્મનો વિરોધ કરવાને બદલે સમજુ વૈષ્ણવોએ એનું સમર્થન કરવું જોઈએ. જેઓ ગેરસમજણને કારણે (કે અન્ય કોઈ પણ કારણે) વિરોધ કરે છે એમને સમજાવવું જોઈએ કે કરસનદાસે જે કાર્ય કર્યું તેનાથી વૈષ્ણવ સંપ્રદાયને લાભ થયો છે, બદી દૂર થઈ જવાથી વધુ ને વધુ લોકો વૈષ્ણવ સંપ્રદાયનો આદર કરતા થયા છે. વૈષ્ણવ સંપ્રદાય ફૂલ્યો-ફાલ્યો છે. જો બદી દૂર ના થઈ હોત તો છેલ્લાં દોઢસો વર્ષમાં આવેલી અનેક નવી પેઢીના યુવાનો સંપ્રદાયથી વિમુખ થઈ ગયા હોત, સંપ્રદાય વધુ ને વધુ સંકોચાતો જતો હોત. અગ્રણીઓએ શાંત ચિત્તે આ વાત સમજવી જોઈએ અને ધીરજપૂર્વક બીજાઓને સમજાવવી જોઈએ.

1862ના કેસનો ચુકાદો ગુજરાતીમાં પણ નેટ પર ઉપલબ્ધ છે. તેના પર આધારિત મારી નવલકથા અમેઝોન પર છે. જેની ક્ધિડલ એડિશન પણ છે. આ કેસમાં કે આ નવલકથામાં કે આ ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઈની ધાર્મિક લાગણી દુભાય. વૈષ્ણવ સંપ્રદાય, સનાતન પરંપરા કે હિંદુ ધર્મ માટેની આસ્થા ઘટે નહીં પણ વધે એવી વાતો એમાં છે. જદુનાથ મહારાજના દુરાચારો પર પ્રકાશ ફેંકવાનો મતલબ એ નથી કે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય એને કારણે બદનામ થઈ જાય. કોઈ શિક્ષક પોતાની વિદ્યાર્થીની પર બળાત્કાર કરતાં પકડાય તો એમાં તમામ શિક્ષકોનું નીચાજોણું નથી થતું. નીચાજોણું ત્યારે થાય છે જ્યારે બાકીના નિર્દોષ શિક્ષકો પેલા બળાત્કારી શિક્ષકનો બચાવ કરવા મેદાનમાં ઉતરી પડે.

જેઓ ડાયાબીટીસના દર્દી ના હોય તેઓને પણ ખબર છે કે જો બેદરકાર રહ્યા તો આ રોગ એટલો વકરશે કે શરીરના કોઈ એક અંગમાં, ખાસ કરીને પગમાં, સડો પેદા થવા માંડશે. જો પગની ટચલી આંગળીએ આ સડો જન્મ્યો અને તેનું ગેંગરિન થઈ ગયું તો એ આંગળી કાપવી પડે. અન્યથા એ ઝેર સમગ્ર શરીરમાં પ્રસરી જાય. કરસનદાસ મૂળજીએ શરીર આખાને આ ઝેરથી બચાવવા ગેંગરિનવાળી આંગળી પર શસ્ત્રક્રિયા કરીને દૂર કરી તે બદલ આપણે એમના આભારી છીએ.

કેરીની વખારમાં એક સડેલી કેરીને જો સમયસર દૂર કરવામાં ના આવે તો થોડા જ વખતમાં આખી વખાર ગંધાતી થઈ જાય.
મારી આ વાત મેં વિગતે ‘મહારાજ’ નવલકથાની પ્રસ્તાવના ‘મેકિંગ ઓફ મહારાજ’માં સમજાવી છે. 28 ઓગસ્ટ 2013ની જન્માષ્ટમીના રોજ લખાયેલી એ પ્રસ્તાવના વાંચ્યા પછી જ તમે નવલકથાના વાંચનમાં આગળ વધો એવો મારો આગ્રહ છે.

આજે 18મી જૂન છે. ગુજરાત હાઈકોર્ટમાં ફિલ્મને લગતા કેસમાં આજે બપોરે બે વાગે સુનાવણી થવાની છે. તમે આ વાંચતા હશો ત્યારે નામદાર અદાલતે પોતાનો મત જાહેર કરી દીધો હશે. નવલકથાનું પહેલું પ્રકરણ 22 એપ્રિલ 1862ના રોજ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો હતો તેની આગલી રાતથી શરૂ થાય છે. કરસનદાસનું મનોમંથન આરંભના ફકરાઓમાં છે. આ પહેલું પ્રકરણ 1997ની સાલમાં મેં લખ્યું ત્યારે મને ખબર નહોતી કે 2024ની 18મી જૂને મારા માટે એ જ પરિસ્થિતિ ઊભી થવાની છે.

મારી વાત હું અહીં અટકાવું છું, પૂરી નથી કરતો. હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થાય એ વખતે જો કોઈ વિગતો કે ખૂટતી માહિતીની જરૂર હશે તો મને ફોન દ્વારા જાણ કરવામાં આવશે માટે મારે બે વાગ્યા પછી અન્ય કોઈ કામમાં વ્યસ્ત ન રહેવું એવું મને અમારી લીગલ ટીમ વતી કહેવામાં આવ્યું છે.

આજે બસ આટલું જ.
જયશ્રી કૃષ્ણ.

You Might Also Like

વાત હનુમાનજી અને જટાયુજીની

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું

આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને

TAGGED: Maharaj, religious sentiments, Saurabh Shah
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાની ચર્ચા વચ્ચે ગૌતમ ગંભીર અમિત શાહને મળ્યા
Next Article મેકિંગ ઑફ ‘મહારાજ’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..
એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!
સ્વાભિમાન પર્વ : કરોડો લોકોની શ્રદ્ધાના ઊમટતાં પૂર, આ બધું વ્યર્થ નથી જવાનું
આપણે પરણ્યા છીએ ચાર રાણીઓને
માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વાત હનુમાનજી અને જટાયુજીની

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

નીંદ ચૂરાઈ તેરી કીસને ઓ સનમ..

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

એક ઔષધ એક સુગંધ, તાંત્રિક દ્રવ્ય ઔદ્યોગિક પ્રોડક્ટ!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?