By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    5 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    6 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    6 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    6 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    6 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    6 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    6 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    7 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    6 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    1 week ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    1 week ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    1 week ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    6 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    1 week ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    1 week ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    2 weeks ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    7 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    7 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 week ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    2 weeks ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાજ નવલકથા કે ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઇની ધાર્મિક લાગણી દુભાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મહારાજ નવલકથા કે ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઇની ધાર્મિક લાગણી દુભાય
Author

મહારાજ નવલકથા કે ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઇની ધાર્મિક લાગણી દુભાય

Khaskhabar Editor
Last updated: 2024/06/18 at 5:46 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

સૌરભ શાહ

‘મહારાજ’ના લેખક સૌરભ શાહનો આંખ ઉઘાડતો લેખ…

- Advertisement -

‘મહારાજ’ ફિલ્મનો વિવાદ સાવ નિરર્થક

કરસનદાસે જે કંઇ કર્યું તેનાથી વૈષ્ણવ સંપ્રદાયને લાભ થયો

જદુનાથ મહારાજના દુરાચારો પર પ્રકાશ ફેંકવાનો મતલબ એ નથી કે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય બદનામ થઇ જાય

- Advertisement -

જો બદી દૂર ના થઈ હોત તો છેલ્લાં દોઢસો વર્ષમાં  આવેલી અનેક નવી પેઢીના યુવાનો સંપ્રદાયથી વિમુખ થઈ ગયા હોત, સંપ્રદાય વધુ ને વધુ સંકોચાતો જતો હોત…

‘મહારાજ’ નામની ગુજરાતી સાહિત્યમાં બહુ પોંખાયેલી, વડીલ સાહિત્યકારો-વાચકોનો આદર પામેલી અવોર્ડવિનિંગ નવલકથાનો નાયક કરસનદાસ મૂળજી છે. ‘મહારાજ’ નવલકથા પરથી ભારતના ટોચના પ્રોડક્શન હાઉસ યશરાજ ફિલ્મ્સ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા બનેલી હિંદી ફિલ્મ ‘મહારાજ’નો હીરો પણ કરસનદાસ મૂળજી છે. કરસનદાસ પત્રકાર-લેખક હતા. 1860-62ના ગાળામાં એમની ઉંમર 28-30 વર્ષની હતી. કરસનદાસ ગુજરાતી હતા, જેમના નિકટના મિત્રવર્તુળમાં કવિ નર્મદ, શેઠ ગોકુળદાસ તેજપાલ, ડો. ભાઉ દાજી વગેરે હતા. કરસનદાસ વૈષ્ણવ હતા. શ્રીજીબાવામાં પાકી શ્રદ્ધા હતી એમને.
આજની તારીખે હું આંખ બંધ કરીને જ્યારે જ્યારે મારા ઈષ્ટદેવનું સ્મરણ કરું છું ત્યારે મારી સામે શ્રીજીબાવાની મનોહર છબિ દેખાય છે. મન:ચક્ષુથી મારા આરાધ્યદેવનાં દર્શન કરીને હું એમની આગળ મારી તમામ સંકટની પળો કે ઉત્સવની ઘડીઓ શેર કરીને સંવાદ સાધતો હોઉં છું. મારી દરેક પ્રાર્થનાનો ઉત્તર મારા ઈષ્ટદેવે મને આપ્યો છે. મારા સારા-માઠા સમયમાં મારા પ્રભુજી સતત મારી સાથે રહ્યા છે. એનું કારણ એ કે હું હંમેશાં ‘શ્રી કૃષ્ણ: શરણં મમ:’નું રટણ કરીને એમના શરણે રહ્યો છું.

શ્રીનાથદ્વારાના ભવ્ય મંદિરે હું નાનપણથી જતો આવ્યો છું. ગયા વર્ષે મારી વર્ષગાંઠના દિવસે મિત્રોની મહેફિલમાં સામેલ થવાને બદલે શ્રીજીબાવાનાં દર્શન કરવા નીકળી પડેલો. સાતેય સમાનાં સન્મુખ દર્શન કરવાનો લ્હાવો મળ્યો. શયનનાં દર્શન બંધ હતાં. દરેક વખતે બીજા દર્શનાર્થીઓને પ્રવેશ મળે તે પહેલાં કોઈ ઉચાટ વિના શાંતિથી શ્રીનાથજીનાં ચરણમાં દૃષ્ટિ રાખીને એમની સાથે નિરવ સંવાદ કરી શક્યો. શ્રીનાથદ્વારાનું વાતાવરણ મને ગમે છે. વારંવાર ત્યાં જવાનું મન થાય છે. આજે પણ એ મંદિરમાં મારો તથા મારા પરિવારનો એટલો જ આદર-સત્કાર થાય છે, જેટલો ‘મહારાજ’ લખ્યા પહેલાં થતો હતો. મુંબઈની હવેલીમાં પણ મારાં માન-પાન અકબંધ છે. મુંબઈની એક હવેલીમાં મેં શ્રીજીબાવાનાં ચરણોમાં બેસીને શ્રીમદ્ ભગવદ્ ગીતા પર વ્યાખ્યાન આપ્યું છે.

વૈષ્ણવ સંપ્રદાયમાં મારી અને મારા જેવા લાખો પુષ્ટિમાર્ગીઓની આસ્થા કરસનદાસ મૂળજીને કારણે ટકી છે, વધી છે. 1862માં કરસનદાસે ‘મહારાજ લાયબેલ કેસ’ લડીને તે જમાનામાં જદુનાથ મહારાજનાં કુકર્મોને ખુલ્લાં પાડીને એ બદીને દૂર ના કરી હોત તો કદાચ હજુય એ દુરાચાર ચલણમાં હોત. જો એવું થયું હોત તો 28 વર્ષના સૌરભ શાહે અને સૌરભ જેવા બીજા લાખો વૈષ્ણવ યુવાનોએ પોતાની આસપાસની મા-બહેન-દીકરીઓને ધર્મના નામે ચાલતા પાખંડનો ભોગ બનતાં જોઈ હોત અને વૈષ્ણવ સંપ્રદાયથી સૌ અળગા થઈ ગયા હોત.

પણ કરસનદાસ મૂળજીને કારણે એ ખરાબી હટી ગઈ. મેં અને મારા જેવા લાખો વૈષ્ણવોએ સ્વચ્છ, સંસ્કારી સંપ્રદાયની રીતરસમો જોઈ અને અમારી આસ્થા વધી, અમે સંપ્રદાયની વધુ નિકટ આવ્યા, મારા જેવા લાખો વૈષ્ણવોએ સંપ્રદાયની દરેક પ્રકારની સમૃદ્ધિ વધારી, સંપ્રદાયનું ગૌરવ વધાર્યું.
કરસનદાસ મૂળજીનો કે 1862માં મુંબઈની તે વખતની સુપ્રીમ કોર્ટનો કે પછી તેના પર આધારિત મારી નવલકથા ‘મહારાજ’ કે આ નવલકથા પર આધારિત હિંદી ફિલ્મનો વિરોધ કરવાને બદલે સમજુ વૈષ્ણવોએ એનું સમર્થન કરવું જોઈએ. જેઓ ગેરસમજણને કારણે (કે અન્ય કોઈ પણ કારણે) વિરોધ કરે છે એમને સમજાવવું જોઈએ કે કરસનદાસે જે કાર્ય કર્યું તેનાથી વૈષ્ણવ સંપ્રદાયને લાભ થયો છે, બદી દૂર થઈ જવાથી વધુ ને વધુ લોકો વૈષ્ણવ સંપ્રદાયનો આદર કરતા થયા છે. વૈષ્ણવ સંપ્રદાય ફૂલ્યો-ફાલ્યો છે. જો બદી દૂર ના થઈ હોત તો છેલ્લાં દોઢસો વર્ષમાં આવેલી અનેક નવી પેઢીના યુવાનો સંપ્રદાયથી વિમુખ થઈ ગયા હોત, સંપ્રદાય વધુ ને વધુ સંકોચાતો જતો હોત. અગ્રણીઓએ શાંત ચિત્તે આ વાત સમજવી જોઈએ અને ધીરજપૂર્વક બીજાઓને સમજાવવી જોઈએ.

1862ના કેસનો ચુકાદો ગુજરાતીમાં પણ નેટ પર ઉપલબ્ધ છે. તેના પર આધારિત મારી નવલકથા અમેઝોન પર છે. જેની ક્ધિડલ એડિશન પણ છે. આ કેસમાં કે આ નવલકથામાં કે આ ફિલ્મમાં એવું કશું જ નથી, જેનાથી કોઈની ધાર્મિક લાગણી દુભાય. વૈષ્ણવ સંપ્રદાય, સનાતન પરંપરા કે હિંદુ ધર્મ માટેની આસ્થા ઘટે નહીં પણ વધે એવી વાતો એમાં છે. જદુનાથ મહારાજના દુરાચારો પર પ્રકાશ ફેંકવાનો મતલબ એ નથી કે સમગ્ર વૈષ્ણવ સંપ્રદાય એને કારણે બદનામ થઈ જાય. કોઈ શિક્ષક પોતાની વિદ્યાર્થીની પર બળાત્કાર કરતાં પકડાય તો એમાં તમામ શિક્ષકોનું નીચાજોણું નથી થતું. નીચાજોણું ત્યારે થાય છે જ્યારે બાકીના નિર્દોષ શિક્ષકો પેલા બળાત્કારી શિક્ષકનો બચાવ કરવા મેદાનમાં ઉતરી પડે.

જેઓ ડાયાબીટીસના દર્દી ના હોય તેઓને પણ ખબર છે કે જો બેદરકાર રહ્યા તો આ રોગ એટલો વકરશે કે શરીરના કોઈ એક અંગમાં, ખાસ કરીને પગમાં, સડો પેદા થવા માંડશે. જો પગની ટચલી આંગળીએ આ સડો જન્મ્યો અને તેનું ગેંગરિન થઈ ગયું તો એ આંગળી કાપવી પડે. અન્યથા એ ઝેર સમગ્ર શરીરમાં પ્રસરી જાય. કરસનદાસ મૂળજીએ શરીર આખાને આ ઝેરથી બચાવવા ગેંગરિનવાળી આંગળી પર શસ્ત્રક્રિયા કરીને દૂર કરી તે બદલ આપણે એમના આભારી છીએ.

કેરીની વખારમાં એક સડેલી કેરીને જો સમયસર દૂર કરવામાં ના આવે તો થોડા જ વખતમાં આખી વખાર ગંધાતી થઈ જાય.
મારી આ વાત મેં વિગતે ‘મહારાજ’ નવલકથાની પ્રસ્તાવના ‘મેકિંગ ઓફ મહારાજ’માં સમજાવી છે. 28 ઓગસ્ટ 2013ની જન્માષ્ટમીના રોજ લખાયેલી એ પ્રસ્તાવના વાંચ્યા પછી જ તમે નવલકથાના વાંચનમાં આગળ વધો એવો મારો આગ્રહ છે.

આજે 18મી જૂન છે. ગુજરાત હાઈકોર્ટમાં ફિલ્મને લગતા કેસમાં આજે બપોરે બે વાગે સુનાવણી થવાની છે. તમે આ વાંચતા હશો ત્યારે નામદાર અદાલતે પોતાનો મત જાહેર કરી દીધો હશે. નવલકથાનું પહેલું પ્રકરણ 22 એપ્રિલ 1862ના રોજ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવવાનો હતો તેની આગલી રાતથી શરૂ થાય છે. કરસનદાસનું મનોમંથન આરંભના ફકરાઓમાં છે. આ પહેલું પ્રકરણ 1997ની સાલમાં મેં લખ્યું ત્યારે મને ખબર નહોતી કે 2024ની 18મી જૂને મારા માટે એ જ પરિસ્થિતિ ઊભી થવાની છે.

મારી વાત હું અહીં અટકાવું છું, પૂરી નથી કરતો. હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થાય એ વખતે જો કોઈ વિગતો કે ખૂટતી માહિતીની જરૂર હશે તો મને ફોન દ્વારા જાણ કરવામાં આવશે માટે મારે બે વાગ્યા પછી અન્ય કોઈ કામમાં વ્યસ્ત ન રહેવું એવું મને અમારી લીગલ ટીમ વતી કહેવામાં આવ્યું છે.

આજે બસ આટલું જ.
જયશ્રી કૃષ્ણ.

You Might Also Like

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

સોનું, ચાંદી અને અમેરિકા

અબજોના અબજો ગેલન આલ્કોહોલ ભરેલું વાદળું

TAGGED: Maharaj, religious sentiments, Saurabh Shah
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવાની ચર્ચા વચ્ચે ગૌતમ ગંભીર અમિત શાહને મળ્યા
Next Article મેકિંગ ઑફ ‘મહારાજ’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Hemadri Acharya Dave

ગુજરાતનું નવું મંત્રીમંડળ: નવા ચહેરા, નવા સંકેત અને આગામી રાજકીય દિશા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?