By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન ફફડ્યું
    1 day ago
    અમેરિકા ભારત-પાકિસ્તાન વિવાદમાં હસ્તક્ષેપ કરશે નહીં: જેડી વાન્સ
    1 day ago
    પાકિસ્તાનની પરિસ્થિતિ લથડી: દેશમાં ઇંધણના ફાંફાં
    1 day ago
    જો ભારત હુમલા બંધ કરે તો તેમનો દેશ તણાવ ઓછો કરવા અંગે વિચાર કરશે: પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડાર
    1 day ago
    પાકિસ્તાનના પીએમઓએ જણાવ્યું કે IMF એ 1 બિલિયન ડોલરની લોન મંજૂર કરી છે
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના દરેક હુમલાને કરાયા નિષ્ફળ
    1 day ago
    ભારત-પાક તણાવ વચ્ચે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ
    1 day ago
    DGCAનો મુસાફરી સુરક્ષા અંગે મહત્વનો નિર્ણય: 32 એરપોર્ટ 15 મે સુધી બંધ
    1 day ago
    સુરક્ષાના કારણોસર મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં નારિયેળ, માળા, પ્રસાદ પર પ્રતિબંધ
    1 day ago
    Operation Sindoor :દેશની સેનાએ 26 સ્થળોએ પાકિસ્તાને કરેલા ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ પ્રવાસ પર જસપ્રીત બુમરાહને ભારતની ટેસ્ટ ટીમનું નેતૃત્વ કરવું જોઈએ: અનિલ કુંબલે
    1 day ago
    “ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા”: IPL 2025 ટુર્નામેન્ટ અનિશ્ચિત સમય માટે સ્થગિત
    2 days ago
    રોહિતએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લીધું
    3 days ago
    IPL-2025: મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
    3 days ago
    ગુજરાત ટાઇટન્સએ આપી MIને ટક્કર, સીઝનની આઠમી જીત હાંસિલ કરી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વર્ષ 1994માં કાશ્મીરમાં મારા પિતા પણ શહીદ થયા હતા: નિમરત કૌર
    3 days ago
    મેટ ગાલાના ગ્લેમર પાછળ છુપાયેલ છે કેટલાય કડક નિયમો!
    4 days ago
    પવનદીપ અકસ્માત બાદ ICUમાં દાખલ: શરીરમાં ઘણા ફ્રેક્ચર છે
    5 days ago
    કિયારા અડવાણીનો મેટ ગાલામાં ડેબ્યૂ, માતૃત્વનું પ્રતીક; અન્ય બૉલીવુડ સ્ટાર્સ પણ શાનદાર લૂકમાં ચમક્યાં
    5 days ago
    અજયની ‘રેઇડ-2’ બોક્સ ઓફિસ પર છવાઇ, જાણો 2 દિવસમાં કમાણીનો આંકડો કયા પહોંચ્યો?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કૈલાસ માનસરોવર યાત્રા: કેટલો ખર્ચ થશે અને પાત્રતાના માપદંડ શું છે?
    5 days ago
    બાબા બર્ફાનીની પહેલી ઝલક સામે આવી, આ દિવસથી શરૂ થશે અમરનાથ યાત્રા, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવશે
    5 days ago
    કેદારનાથધામના કપાટ ખૂલ્યા: ભક્તોમાં હર્ષોલ્લાસનો માહોલ
    1 week ago
    ગુડ ફ્રાઈડે શા માટે ઉજવાવામાં આવે છે ? તેનો ભગવાન ઈસુ ખ્રિસ્ત સાથે શો સબંધ છે ચાલો જાણીએ  
    3 weeks ago
    આ કારણથી અખાત્રીજના દિવસે પણ સોનું ખરીદવામાં આવે છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 days ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    3 weeks ago
    જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
    3 weeks ago
    મહારાજ કેમ સ્ત્રીઓથી દૂર રહે છે?
    4 weeks ago
    ‘આ સહજાનંદ સ્વામીમાં સર્વે અવતારો સમાયેલા છે, તેઓ અવતારના પણ અવતારી અને સર્વના કારણ છે’
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સખીઓના સામયિકો: પ્રિયંવદા અને સુંદરી સુબોધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સખીઓના સામયિકો: પ્રિયંવદા અને સુંદરી સુબોધ
AuthorBhavy Raval

સખીઓના સામયિકો: પ્રિયંવદા અને સુંદરી સુબોધ

Khaskhabar Editor
Last updated: 2022/07/16 at 6:38 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

સ્ત્રીબોધ બાદના લોકપ્રિય મહિલા સામયિક પ્રિયંવદા અને સુંદરી સુબોધ હતા

સ્ત્રીને બાળઉછેર કરવાનો હોવાથી શરીરવિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન આપતી વિશેષ લેખમાળા બે વર્ષ સુધી પ્રિયંવદામાં છપાઈ હતી

- Advertisement -

1822માં ગુજરાતી પત્રકારત્વ શરૂ થયાના થોડા જ વર્ષોમાં પત્રો, ચોપાનીયાઓ, અખબારો, સામયિકોની સાથે સખીઓ માટેના ખાસ સામયિકોનો પણ પ્રારંભ થયો હતો. ગુજરાતી ભાષાનું અને ભારતનું પ્રથમ સ્ત્રી સામયિક 1857માં સ્ત્રીબોધ પારસીઓ દ્વારા પ્રગટ થવાનું શરૂ થયું તો અન્ય એક પારસી બાવા ઓરાબજી મંચેરજી ભગોરિયાએ 1867માં સ્ત્રી દીપક નામનું મહિલા વિષયક સામયિક શરૂ કરેલું હતું. 1882માં ખેડાના વતની તુલસીબાઈ દ્વારા સ્ત્રી સદબોધરત્ન શરૂ થયું હતું. સ્ત્રી સદબોધરત્ન મહિલાઓ માટે મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલું પહેલું સામયિક ગણવામાં આવે છે, તેનું લવાજમ આઠ આના (પચાસ પૈસા) હતું. આ ઉપરાંત સ્ત્રી હિતોપદેશ, વનિતા, વિજ્ઞાન, ગુલશન, ગુણસુંદરી, સ્ત્રીજીવન, સ્ત્રીમિત્ર વગેરે ગુજરાતી પત્રકારત્વના શરૂઆતના સમયગળાના મહિલા વિષયક સામયિકો હતા. આ પૈકી અમદાવાદથી શરૂ થયેલા બે સખીઓ માટેના માસિક પ્રિયંવદા અને સુંદરી સુબોધનો વિશેષ ઉલ્લેખ જરૂરી બની જાય છે. સુંદરી સુબોધ સમાજ સુધારણા, સ્ત્રી ઉન્નતી, શિક્ષિત સ્ત્રીઓને લખવાની તક મળે એવા ત્રણ ઉદ્દેશોથી શરૂ થયું હતું. જ્યારે સ્ત્રીઓના પ્રશ્નોની ચર્ચા કરતું અને સ્ત્રી જાગૃતિ માટેના પ્રયત્નો કરતું સ્ત્રીબોધ પછી બીજું સામયિક પ્રિયંવદા શરૂ થયું હતું.

પ્રિયંવદા : મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ નારીશિક્ષણના ઉદ્દેશથી ઓગષ્ટ, 1885માં પ્રિયંવદા માસિક શરૂ કરેલું હતું. પ્રિયંવદાનું વાર્ષિક લવાજમ એક રૂપિયો હતું. એના પ્રથમ અંકના પ્રથમ પાના પર સામયિકનો ઉદ્દેશ સ્પષ્ટ રીતે સમજાવતાં લખ્યું છે કે, પ્રિયંવદા પોતાની પ્રિય વદવાની રીતિથી સર્વને રંજન કરશે. પણ પોતાની સખીઓના તરફ તેની દૃષ્ટિ વિશેષ રહેશે ખરી. તેમનાં કલ્યાણમાં, તેમનાં હૃદય સમજવામાં, તેમને સમજાવવામાં મુખ્ય પ્રયત્ન કરવો એ પોતાનો ધર્મ માનશે ખરી. આ રીતે પ્રિયંવદા પોતાના ઉદ્દેશ મુજબ સ્ત્રી સાહિત્ય, મહિલા કેળવણી, ઔરત આરોગ્ય, વનિતાવિજ્ઞાન, નારીના પ્રશ્નો વગેરે વૈવિધ્યસભર લેખો વાંચકોને પીરસતું હતું. આ ઉપરાંત કાવ્યો, બાળઉછેર અને શરીરવિદ્યા ઉપરના લખાણો આ સામયિકના મહત્વના વિષયો રહેતા હતા. સ્ત્રીને બાળઉછેર કરવાનો હોવાથી શરીરવિજ્ઞાનનું સામાન્ય જ્ઞાન આપતી વિશેષ લેખમાળા બે વર્ષ સુધી પ્રિયંવદામાં છપાઈ હતી. પ્રિયંવદાનો નફો આવે તે લોકહિતાર્થે વાપરવો તેવી પ્રતિજ્ઞા લેનારા મણિલાલ દ્વિવેદી દરેક નવા વર્ષના પ્રારંભે પત્રની નીતિ, લેખયોજના, સામયિકની વર્ષ દરમિયાન કામગીરીની સમીક્ષા વગેરે વર્ષારંભે શીર્ષકથી તંત્રીનોંધમાં લખતા હતા. મણિલાલ ત્રિવેદી દ્વારા પ્રિયંવદામાં ગુલાબસિંહ નામની અનુવાદિત નવલકથા હપ્તાવાર પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ સામયિકના પાંચમા અંકથી નવલરામે શરૂ કરેલી ગ્રંથ સમીક્ષાની શ્રેણી પણ પ્રિયંવદાની આગવી ઓળખ બની ગઈ હતી. પ્રિયંવદામાં આર્ય કુટુંબની બાળાને ઉદ્દેશીને લેખ લખવામાં આવતા હતા.

- Advertisement -

સુંદરી સુબોધમાં રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓના યોગદાન વિશેના લેખ પણ આવતા હતા, એના દરેક અંકમાં કાવ્યકુંજ અને વાર્તાલહરી એમ ગદ્ય અને પદ્ય બંને પ્રકારનું સાહિત્ય પ્રસિદ્ધ થતું હતું

આજે દુનિયાભરમાં ચર્ચાઈ રહેલી મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો, આજથી એક-દોઢ સદી અગાઉ ગુજરાતી સ્ત્રી સામયિકોમાં લખાઈ ચૂકી છે!

લેખની નીચે લેખકનું નામ મૂકવાની પ્રણાલી પ્રિયવંદામાં જોવા મળતી નથી. મણિલાલ ત્રિવેદીએ પોતે ન લખ્યા હોય એવા લેખમાં ’મળેલું’ એવો ઉલ્લેખ જોવા મળે છે. આ સામયિકની ભાષા પાંડિત્યસભર હતી અને મોટાભાગના લેખનમાં તળપદા શબ્દો અને રૂઢિપ્રયોગોનો બોહળો ઉપયોગ નજરે પડે છે.

આમ છતાં મણિલાલ ત્રિવેદી પ્રિયવંદાનો વિશાળ વાંચકવર્ગ ઉભો કરવામાં સફળ રહ્યા હતા. પ્રિયવંદા સામયિકના પાંચ વર્ષના અનુભવ બાદ મણિલાલ ત્રિવેદીને સમજાયું હતું કે, માત્ર સ્ત્રી વિષયની ચર્ચા કરતું સામયિક ચલાવવું દુષ્કર છે, એ એકાકી બની જાય છે અને મર્યાદિત વિષય હોવાના કારણે જોઈએ એટલા વાંચકો મળતા નથી. અંતે કેવળ સ્ત્રીવર્ગને ઉદ્દેશીને આ સામયિક નહીં ચાલે તેની ખાતરી થતાં એમણે 1885માં શરૂ કરેલું પ્રિયવંદા પાંચ વર્ષ ચલાવી 1890માં બંધ કર્યું અને તેનું ફલક વિસ્તારીને સુદર્શન શરૂ કર્યું હતું.

સુંદરી સુબોધ : રામમોહનરાય જસવંતરાય દેસાઈના તંત્રીપદે સપ્ટેમ્બર 1904માં સુંદરી સુબોધ માસિક શરૂ થયેલું હતું. આ સામયિક અમદાવાદના બંધુસમાજનું મુખપત્ર હતું. સ્ત્રીસમાજની નિરાશાજનક અને અજ્ઞાનભરી સ્થિતિને સુધારવાના લક્ષ્યાંકથી બંધુસમાજે સુંદરી સુબોધ શરૂ કર્યું હતું. સુંદરી સુબોધનું વાર્ષિક લવાજમ 3 રૂપિયા અને 8 પૈસા હતું. સુંદરી સુબોધ સામયિકના પ્રથમ પૃષ્ઠ ઉપર સ્ત્રી ઉન્નતિ માટેના સાહસિક ગોવર્ધન ત્રિપાઠીના વિચારો ઘણા વર્ષો સુધી પ્રસિદ્ધ થતા રહ્યા હતા. સુંદરી સુબોધમાં સ્ત્રીઓને અનુકૂળ આનંદદાયક, સદબોધક વાચનસામગ્રી પ્રકાશિત કરવામાં આવતી હતી. આ સામયિકની વિશિષ્ટ વાત એ હતી કે, તેમાં સ્ત્રીઓને લેખ, કાવ્ય અને અનુભવ લખી મોકલવાની અપીલ કરવામાં આવતી હતી. આ સાથે જ જુદીજુદી લેખન સ્પર્ધા દ્વારા સ્ત્રીઓને લખવા માટે પ્રેરણાદાયી વાતાવરણ ઊભું કરવામાં આવતું હતું. મહિલા વાંચકો પણ સુંદરી સુબોધમાં પોતાના લખાણ મોકલતી હતી, અનેક સ્ત્રીઓનાં લખાણો આ સામયિકમાં આવતા હતા. વિનોદિની – નીલકંઠ, શારદાબહેન મહેતા અને કૃષ્ણાગૌરી રાવલ સુંદરી સુબોધમાં લખતા હતા. સુંદરી સુબોધમાં આવેલા વિજયાલક્ષ્મી ત્રિવેદીનો મનુષ્યજીવનની સફળતા પરનો લેખ મોહનદાસ ગાંધીને એટલો બધો ગમ્યો કે તેમણે એ લેખ ઈન્ડિયન ઓપિનિયનમાં પ્રસિદ્ધ કર્યો હતો.

સ્ત્રીબોધ અને પ્રિયંવદાના લખાણો ઉપદેશાત્મક વિશેષ હતા જ્યારે સુંદરી સુબોધમાં સ્ત્રીઓએ લખેલાં સર્જનાત્મક લખાણો વિશેષ હતા. સુંદરી સુબોધમાં રાજકીય ક્ષેત્રે સ્ત્રીઓના યોગદાન વિશેના લેખ પણ આવતા હતા. એના દરેક અંકમાં કાવ્યકુંજ અને વાર્તાલહરી એમ ગદ્ય અને પદ્ય બંને પ્રકારનું સાહિત્ય પ્રસિદ્ધ થતું હતું. આ સિવાય પાકકલા, ગૃહસુશોભન તેમજ સમયતરંગ નામના વિભાગમાં તે સમયે ગુજરાતમાં બનતી તાજેતરની ઘટનાઓ વિષયક જાણકારી આપવામાં આવતી હતી. સ્ત્રીઓની ઉન્નતિ અને કુટુંબ કલ્યાણની ભાવનાને દર્શાવતું સુંદરી સુબોધ સામયિક ઉચ્ચવર્ગીય કુટુંબની બહેનોમાં પ્રિય હતું. ગુજરાતના શહેરો ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં આવેલા પુસ્તકાલયો અને ક્ધયાશાળાઓમાં સુંદરી સુબોધના અંકો તો મંગાવવામાં આવતા જ પરંતુ વિદેશમાં વસતા ગુજરાતી વાંચકો પણ આ સામયિકના દરેક અંક મંગાવતા હતા. આ સામયિકમાં પ્રકાશિત થતી જાહેરખબરોમાં શબ્દકોષ (ગુજરાતી અને અંગ્રેજી) જેવા વિવિધ પુસ્તકોની ખરીદી પર સુંદરી સુબોધના વાંચકોને વળતર મળતું હતું. સ્ત્રી અને બાળકોની દવા, ખિસ્સામાં રાખવાલાયક વોચ, તિજોરી, પુસ્તકો વગેરેની જાહેરખબર સુંદરી સુબોધમાં આવતી હતી.

19મી-20મી સદીમાં સમાજ સુધારણા અને સ્વતંત્રતા મેળવવાના પત્રકારત્વની સાથે સ્ત્રી સ્થિતિ સુધારણા તથા સ્ત્રી સ્વતંત્રતા અપાવવાનું પત્રકારત્વ પણ ગુજરાતી ભાષામાં સક્રિયપણે થઈ રહ્યું હતું. જેણે ગુજરાતી સમાજમાં સ્ત્રીઓના સ્થાન, સન્માન, શિક્ષણ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય, સંબંધ વગેરે બાબતોમાં અવાજ ઉઠાવ્યો અને મહિલાઓને સૌના સમાન અધિકાર અપાવ્યા હતા. આજે એકવીસમી સદીમાં મહિલા સશક્તિકરણની જે મોટીમોટી વાતો ચર્ચાઈ રહી છે તે આજથી એક-દોઢ સદી પહેલાં જ ગુજરાતી સ્ત્રી સામયિકોમાં લખાઈ ચૂકી છે. સ્ત્રીબોધ બાદ પ્રિયવંદા અને સુંદરી સુબોધ સામયિકોએ તત્કાલીન ગુજરાતી સમાજમાં સ્ત્રી સશક્તિકરણનું જે કાર્ય કર્યું હતું તે વર્તમાન સમયમાં કોઈ સામયિક કરી રહ્યું હોય તેવી જાણ નથી. જે-તે સમયે સ્ત્રીઓની પ્રગતિના ઉદ્દેશથી શરૂ થયેલા બહેનોના સામયિક, સ્ત્રીઓને પુરુષ સમકક્ષ બનાવવા હેતુથી શરૂ થયેલા નારીઓના સામયિક કે પછી પુરુષ દ્વારા સ્ત્રીઓના ઉત્કૃષ માટે શરૂ કરાયેલા સખીઓના સામયિક વગેરે તમામ મહિલાઓ અને મહિલાઓ માટેના સામયિકોનું ગુજરાતી પત્રકારત્વમાં વિશિષ્ટ પ્રદાન છે. ગુજરાતી સામયિકોમાં સ્ત્રી વિષયક સામયિકો સૌથી વધુ વંચાતા – વહેચાતા આવ્યા છે. સખીઓના સામયિક વાંચવાં કોન ન ગમે? અને તેમાં દર્શાવેલા વિચારો કેટલાને અપનાવવા ગમે?

વધારો : સ્ત્રીજીવનનાં વિવિધ પાસાંઓને ઉજાગર કરતું સામયિક સ્ત્રીજીવન મનુભાઈ જોધાણીએ શરૂ કર્યું હતું. મનુભાઈ જોધાણી સ્ત્રીબોધ સામયિકના સંપાદક પણ હતા. મનુભાઈ જોધાનીના સામયિક સ્ત્રીજીવનમાં ધૂમકેતુ, મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, ધીરજલાલ શાહ જેવા પ્રતિષ્ઠિત લેખકો-પત્રકારો લખતા હતા. સ્ત્રીજીવન સામયિક નવા લેખક અને લેખિકાઓને લખવા માટે પ્રોત્સાહન આપતું હતું. સ્ત્રીજીવન સામયિકે ઘણી મહિલાઓને લખતી કરી દીધી હતી. આ સામયિકમાં મુખ્યત્વે વાર્તાઓ, લઘુકથાઓ, કાવ્યો, જોડકણાં, વાનગી, સ્વાસ્થ્ય, સૌંદર્ય સંબંધી લેખો અને પુસ્તક પરિચય આવતા હતા. મહિલા વિષયક સામયિક હોય સ્ત્રીજીવનમાં સ્ત્રીજગતના સમાચાર પર વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. સ્ત્રીજીવન સામયિકને જાહેરખબરોથી આર્થિક ટેકો મળી રહેતો હતો. સ્ત્રીજીવનના ઘણા વિશેષાંકો પ્રગટ થયા છે જેની વાંચનસામગ્રી આજની તારીખમાં પણ તરોતાજા છે.

You Might Also Like

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

હડતાળ

ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી

કાયદાકીય માહિતી મેળવો પછી જ જાવ…

संशयात्मा विनश्यति

TAGGED: JOURNALISM, MAGAZIN, women
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ ગોન ગેમ: રમાઇ ગયેલી રમત
Next Article સસ્પેન્શન, ટ્રાન્સફર અને ઈન્કવાયરી એ પ્રજાની મજાક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

તાલાલા શહેરમાંથી મંજૂરી વગર રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
संशयात्मा विनश्यति
લગ્નની લાલચ અને પુત્રીને પિતાનું નામ અપાવવાનું કહી વારંવાર આચર્યું દુષ્કર્મ
જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષા કંટ્રોલરૂમ કાર્યરત
જૈન વિઝનનું દેશભક્તિ દર્શાવતુ પગલું: સોમવારથી રોજ રક્તદાન કેમ્પ આયોજન
માંગરોળ બંદર દરિયા કાંઠે મરિન ટાસ્ક ફોર્સના કમાન્ડો તૈનાત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Kinnar Acharya

હડતાળ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?