IMFથી ફંડ મળતાં પાકિસ્તાને કહ્યું, ભારતની યોજના નિષ્ફળ ગઈ
ભારતે શોરકોટમાં રફીકી એરબેઝ, ચકવાલમાં મુરીદ એરબેઝ અને રાવલપિંડીમાં ચકલાલા કેન્ટ પર હુમલો કર્યો: પાકિસ્તાન
- Advertisement -
શાહબાઝ આજે રાષ્ટ્રને સંબોધન કરશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10
પાકિસ્તાની સેનાએ 10 ભારતીય સ્થળ પર મોટા હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. આમાં પંજાબમાં બ્રહ્મોસ મિસાઇલ સ્ટોરેજ ફેસિલિટી, ઉરી સપ્લાય ડેપો, રાજસ્થાનમાં સુરતગઢ એરફિલ્ડ, આદમપુરમાં જ-400 સિસ્ટમ, દેહરંગ્યારી અને પઠાણકોટ એરફિલ્ડમાં આર્ટિલરી પોઝિશનનો સમાવેશ થાય છે.
- Advertisement -
અગાઉ પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતે શોરકોટમાં તેના રફીકી એરબેઝ, ચકવાલમાં મુરીદ એરબેઝ અને રાવલપિંડીમાં ચકલાલા કેન્ટ પર મોટો હુમલો કર્યો છે. પાકિસ્તાન આર્મી ચીફ મુનીરનું ઘર પણ ચકલાલા કેન્ટથી માત્ર 10 કિમી દૂર છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ ચૌધરીએ સ્વીકાર્યું છે કે તેઓ કેટલીક ભારતીય મિસાઇલોને રોકી શક્યા નથી. તેણે એમ પણ કહ્યું કે મોટાભાગના હુમલાઓને પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા અટકાવવામાં આવ્યા હતા. એ જ સમયે પીએમ શરીફે ઈંખઋ તરફથી મળેલા 20 હજાર કરોડ રૂપિયાના ફંડ પર કહ્યું હતું કે ભારતે એને રોકવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તેમની યોજના નિષ્ફળ ગઈ. ગઈકાલ રાતથી પીઓકેમાં ભારતીય ગોળીબારમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાનમાં પીઓકે સરકારના પ્રવક્તા મઝહર હુસૈન શાહે અલ જઝીરાને આ માહિતી આપી હતી. શાહે જણાવ્યું હતું કે મૃતકોમાં 10 વર્ષથી ઓછી ઉંમરનો બાળક પણ શામેલ છે. તેમણે કહ્યું કે 50 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.
ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે પીએમ શાહબાઝ શરીફે રાષ્ટ્રને સંબોધન કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, તેઓ આજે સાંજે ટીવી પર રાષ્ટ્રને સંબોધિત કરશે. સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઙઈઇ) અનુસાર, પ્રેસિડેન્ટસ ટ્રોફી ગ્રેડ, રિજનલ ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ચેલેન્જ કપ અને ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ અંડર-19 ઘઉઈં ટુર્નામેન્ટ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. બોર્ડે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એકવાર પરિસ્થિતિ સુધરશે, તો આ ટુર્નામેન્ટ્સ ત્યાંથી ફરી શરૂ કરવામાં આવશે જ્યાંથી તેમને રોકવામાં આવ્યા હતા. ભારત સાથે વધતા તણાવ વચ્ચે, વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે મુખ્ય રાજકીય નેતાઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને તેમને લશ્કરી કાર્યવાહી અંગે માહિતી આપી. પ્રધાનમંત્રીએ તમામ રાજકીય પક્ષોને ભારત વિરુદ્ધ એક થવા હાકલ કરી. પાકિસ્તાનના નાયબ વિદેશ પ્રધાન ઇશાક ડારે આજે કહ્યું હતું કે યુદ્ધમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગની શક્યતા ખૂબ જ ઓછી છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પરમાણુ હુમલાનો વિકલ્પ અસ્તિત્વમાં છે, પરંતુ આપણે તેના વિશે વાત ન કરવી જોઈએ. તણાવ એટલો બધો વધી જાય કે તેનો ઉપયોગ કરવો પડે તેવી શક્યતા ઓછી છે. તેમણે એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે પાકિસ્તાન સરકાર નેશનલ કમાન્ડ ઓથોરિટી (ગઈઅ)ની બેઠકનું આયોજન કરી રહી છે, જે પરમાણુ હુમલો કરવાનો આદેશ આપે છે. તેમણે કહ્યું કે ન તો તેની બેઠક થઈ છે અને ન તો આગળ કોઈ યોજના છે. શનિવારે સવારે સમાચાર આવ્યા કે પીએમએ ગઈઅની બેઠક બોલાવી છે.
બલૂચ આર્મીએ કહ્યું- પાક.માં 39 સ્થળે હુમલા કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનમાં 39 સ્થળોએ હુમલો કર્યો છે. આ ઉપરાંત, અન્ય સ્થળોએ હુમલાઓ હજુ પણ ચાલુ છે. ઇકઅના પ્રવક્તા બાલી જિયાંદ બલોચે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ દાવો કર્યો છે. BLA મુજબ, તેણે ઘણા પોલીસ સ્ટેશનો પર કબજો જમાવી લીધો છે. અનેક હાઇવે પર નાકાબંધી કરવામાં આવી છે અને બાતમીદારોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાની સુરક્ષા દળો અને કાફલાઓ પર પણ હુમલા કરવામાં આવ્યા છે.