By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    9 hours ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    1 day ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    1 day ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    1 day ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    TDS રિટર્ન ફાઈલ કરવું હવે સરળ
    7 hours ago
    યુદ્ધનો અંત નજીક!
    7 hours ago
    બિહારના ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપના મુખ્યમંત્રી
    7 hours ago
    યુદ્ધને કારણે સંકટમાં ફસાયેલી એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, 4000 કરોડના લોન પેકેજની ઓફર
    8 hours ago
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    7 hours ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    9 hours ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    1 day ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    1 day ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    9 hours ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    5 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    6 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….
Author

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

Khaskhabar Editor
Last updated: 2025/05/10 at 5:05 PM
Khaskhabar Editor 11 months ago
Share
6 Min Read
SHARE

ધ્રુવા ઉનડકટ

10 મે, 1857 બ્રિટિશ સરકારની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટેની પ્રથમ ચળવળ હતી : આ સંગ્રામમાં માત્ર ભારતીય હિન્દૂ સિપાહીઓ જ નહીં પરંતુ મુસ્લિમ લડવૈયાઓ, સામાન્ય નાગરિકજનો, વેપારીઓ, મહિલાઓ પણ જોડાયા હતા

- Advertisement -

જે ઇતિહાસને વાગોળતા રહે છે, તે શ્રેષ્ઠ ભવિષ્ય પામે છે. જૂની-પૂરાણી પારંપારિક કથાઓના સ્મરણને કારણે આપણે ઘણીવાર અમુક પ્રકારની ભૂલો કરતાં અટકી જઈએ છીએ. અન્યના અનુભવો પરથી આપણને જ્ઞાન મળી રહે છે. શરત એટલી રહે છે કે આપણા દેશમાં, સમાજમાં અગાઉ બનેલ ઘટનાઓ જાણવી ને સમજવી પડે. હવે આજના જમાનામાં તો કોઈકને પાંચ વર્ષ પહેલાનો કંઈક સવાલ પૂછીએ તો જવાબ આવે, ’ભાઈ, કાલે શું જમ્યો એ પણ યાદ નહીં, તું આવા સવાલો ક્યાં કરે છે’? પણ પારકી પંચાતો કરો એટલે બધું આવડે ને બધું ફાવે. આવા લોકો માટે આજનો દિવસ શું કામ ખાસ છે તે જાણવું જોઈએ કેમકે તે જાણ્યા બાદ હાલ દેશને જે હાલાકીઓનો સામનો કરવો પડે છે તેના વિશે પણ ખ્યાલ આવશે. આ સિવાયના લોકો કે જેઓ ઇતિહાસમાં રુચિ ધરાવે છે તેમને પણ રસપ્રદ લાગે તેવી વાત છે! આજથી ઠીક 168 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશનાં મેરઠ શહેરમાં સ્વતંત્રતાના આગની ચિંગારી ઉઠી હતી. તે સમયે અંગ્રેજો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓની ગુલામીની જૂતી નીચે ભારતનો 2/3 ભાગ કચડાઈ જતો હતો. લોકો રોષે તો ભરાયા હતા પણ ઝેર માની ગળે પી જતા. અંગ્રેજોના આગમનથી આપણી ખેતી, આર્થિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા બધું જ ખોરવાઈ ગયું હતું. તેના મનફાવે એવા કાયદાઓ આપણે જોયા જ છે. તેની લેપ્સની નીતિ પ્રમાણે જો કોઈ રાજા પુત્ર વારસદાર છોડ્યા વગર મૃત્યુ પામે તો તે શાસકની રાજ્યભૂમિ કંપનીને પધરાવવી પડતી. બ્રિટિશ અને ભારતીય સૈનિકો વચ્ચે પણ ભેદભાવો રાખવામાં આવતા ને આવી તો અનેક અન્યાયી કામગીરીઓ ભારત અને ભારતવાસી વિરુદ્ધ ચાલતી જ રહેતી.

આ પરિસ્થિતિમાં 10 મે 1857ના દિવસે સાંજે પાંચ વાગ્યે મેરઠ બજારના ગિરિજાઘરના ઘંટ સાથે ગોળીબારીનાં પણ પડઘા ગૂંજ્યા. ભારતીય સૈનિકોએ બળવો શરૂ કર્યો. અંગ્રેજ સેના જ નહીં પરંતુ જે વિદેશી સામે આવે તેને ઠાર કરવામાં આવતા. એવું તે થયું શું કે આપણા ભારતીય સેનાની અને નાગરિકો એકજૂટ થઇ, પોતાનો જીવ હથેળીમાં લઈ અંગ્રેજો સામે લડયા? હજુ થોડા સમય પાછળ જઈએ એટલે 26 ફેબ્રુઆરી, 1857ના રોજ, અંગ્રેજોએ બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં એક નવા પ્રકારનો કારતૂસ દાખલ કર્યો હતો જે ગાય અને ડુક્કરની ચરબીવાળા કાગળમાં લપેટાયેલો હતો. આ કારતૂસને મોં થી ફાડીને ખોલવું પડે તેમ હતું. પરંતુ આનાથી કંપનીના ભારતીય મુસ્લિમ અને હિન્દુ સૈનિકો બંનેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. ભારતીય સૈનિકોએ આવા કારતુસના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો. તેના પરિણામે 85 સૈનિકોને જેલમાં નાખવામાં આવ્યા. મંગલ પાંડેએ પણ કોલકત્તાના બૈરકપુર પરેડ ગ્રાઉન્ડ પર આ બાબતે વિદ્રોહ કર્યો હતો પરંતુ તેમની આ પ્રતિક્રિયા વિરુદ્ધ 8 એપ્રિલ 1857ના રોજ સજારૂપે ફાંસી આપવામાં આવી હતી. અંગ્રેજોની આવી દાદાગીરી વિરુદ્ધ કાવતરું ઘડી તેમનો સફાયો કરવાનું દરેક ભારતીયને લાગ્યું. જેના પરિણામે 10 મે,1857ના દિવસના ઇતિહાસમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સર્જાયો. બંદી બનેલા 85 સૈનિકોને ધનસિંહ ગુર્જરના નેતૃત્વમાં મેરઠની જેલ પર હુમલો કરી છોડવામાં આવ્યા.

મેરઠ બાદ તો સેનાએ દિલ્હી, લખનઉ, આગરા, કાનપુર, કોલકત્તા પર ચડાઈ કરી. આ બળવો આગની જેમ ફેલાતો રહ્યો ને અંગ્રેજ સેના તેની ઝપેટમાં આવતી ગઈ. આ બ્રિટિશ સરકારની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટેની પ્રથમ ચળવળ હતી. જો કે આ સંગ્રામમાં માત્ર ભારતીય હિન્દૂ સિપાહીઓ જ નહીં પરંતુ મુસ્લિમ લડવૈયાઓ, સામાન્ય નાગરિકજનો, વેપારીઓ, મહિલાઓ પણ જોડાયા હતા. 1857નો સ્વાતંત્ર સંગ્રામ ભારતીય એકતા અને વીરતાનું પ્રતિક છે. હવે આપણે 10 મે, 2025 એટલે કે આજના સમયને જોઈએ તો ભારત દેશની ત્યારની અને આજની પરિસ્થિતિમાં સામ્યતાઓ જોવા મળે છે. એવું પ્રતીત થાય છે કે ભૂતકાળની ઘટનાઓ ફરી ભારતની ભૂમિ પર જન્મી છે અને આપણે તે કથામાં જીવીએ છીએ. ફર્ક તો બસ એટલો જ છે કે તે સમયે રાજાશાહી હતી, અત્યારે લોકશાહી. એ સમયે હિન્દૂ-મુસ્લિમ ધર્મ સાથે મળીને લડ્યા હતા અને આજે સામસામે લડે છે. તે વખતની જેમ આજના સમયે પણ હથિયારો ઉપાડવા જરૂરી છે જ, પછી ભલેને સામાજિક, ધાર્મિક કે ભૌગોલિક સંબંધો બદલાયા હોય! આપણા કૃષ્ણકાળના મૂલ્યો અને સિદ્ધાંતો તો હજુ જીવંત છે જ. અંગ્રેજોના સમયમાં હતા અને ભવિષ્યમાં પણ રહેવાના જ છે માટે જ તે સનાતન સત્ય છે. કૃષ્ણએ પણ શાંતિ મંત્રણાઓ કર્યા બાદ અને એ મંત્રણાઓની નિષ્ફ્ળતા બાદ જ યુદ્ધને છેલ્લા ઉપાય તરીકે પસંદ કર્યું. સીધા હથિયારો તેમણે પણ નથી ઉઠાવ્યા. પરંતુ જયારે દુશ્મન એવી હિંમત દાખવે કે આપણા ધર્મને આંચ આવે ત્યારે તેને યુદ્ધનો શંખનાદ સાંભળવો જ પડે. અન્ય ધર્મના નામ પર ચાલતો આતંકવાદ નામનો કીડો જો આપણા દેશ અને ધર્મને ખાઈ જતો હોય તો તેનો નાશ કરવો જ પડે. આજે પણ ભારત માતા પાસે અનેક મંગલ પાંડે છે જે દેશ અને દેશવાસીઓની સુરક્ષા ખાતર તેમનું જીવન હોમી દેવા તૈયાર છે. અત્યારે તો ભારતીય સરકાર, સેના અને જનતા આ નાપાક હરકતો કરતા નાપાક દેશ સામે લડી લેવાના ફૂલ ફોર્મમાં છે. આગે આગે ગોરખ (મોદી સાહેબ) જાને!!

- Advertisement -

You Might Also Like

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

TAGGED: war
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગરમાં ડ્રોન ઉડાડવા, ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ
Next Article થાનગઢના તરણેતર ગામે ગેરકાયદે કોલસાની ખાણો હજુય યથાવત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળના વડોદરા ડોડીયા ગામે સિંહ બેલડીના ધામા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
પાટડીના સેડલા ગામે વિદેશી દારૂ સહિત રૂ. 1.01 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
જૂનાગઢ સ્થાનિક સ્વરાજ્યની પંચાયતોની ચૂંટણીમાં બળવાખોરો કિંગ મેકર સાબિત થશે
AAPના ઉમેદવાર નીલેશ માલમના ગોડાઉનમાંથી ઈંગ્લિશ દારૂ ઝડપાયો
ભાવનગર: ગોળીબાર હનુમાન મંદિર ખાતે બ્રહ્મલીન મદનમોહનદાસ બાપુનો ‘રામાર્ચન મહાયજ્ઞ’ સંપન્ન
પુજિત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા વિજયભાઈની પુણ્યતિથિ નિમિત્તે સેવા યજ્ઞ: 108 દર્દીઓને વિનામૂલ્યે શ્રવણયંત્ર અપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?