By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    1 hour ago
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    23 hours ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    2 days ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    2 days ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    38 minutes ago
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    23 hours ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    23 hours ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    23 hours ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    1 day ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    6 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    7 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    5 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    24 minutes ago
    અનોખો વિરોધ : રાજકોટના કોંગી કોર્પોરેટરે પાવડા – તગારા લઈને આજી નદીની સફાઈ કરી
    1 hour ago
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    23 hours ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    2 days ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….
Author

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

Khaskhabar Editor
Last updated: 2025/05/10 at 5:05 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

ધ્રુવા ઉનડકટ

10 મે, 1857 બ્રિટિશ સરકારની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટેની પ્રથમ ચળવળ હતી : આ સંગ્રામમાં માત્ર ભારતીય હિન્દૂ સિપાહીઓ જ નહીં પરંતુ મુસ્લિમ લડવૈયાઓ, સામાન્ય નાગરિકજનો, વેપારીઓ, મહિલાઓ પણ જોડાયા હતા

- Advertisement -

જે ઇતિહાસને વાગોળતા રહે છે, તે શ્રેષ્ઠ ભવિષ્ય પામે છે. જૂની-પૂરાણી પારંપારિક કથાઓના સ્મરણને કારણે આપણે ઘણીવાર અમુક પ્રકારની ભૂલો કરતાં અટકી જઈએ છીએ. અન્યના અનુભવો પરથી આપણને જ્ઞાન મળી રહે છે. શરત એટલી રહે છે કે આપણા દેશમાં, સમાજમાં અગાઉ બનેલ ઘટનાઓ જાણવી ને સમજવી પડે. હવે આજના જમાનામાં તો કોઈકને પાંચ વર્ષ પહેલાનો કંઈક સવાલ પૂછીએ તો જવાબ આવે, ’ભાઈ, કાલે શું જમ્યો એ પણ યાદ નહીં, તું આવા સવાલો ક્યાં કરે છે’? પણ પારકી પંચાતો કરો એટલે બધું આવડે ને બધું ફાવે. આવા લોકો માટે આજનો દિવસ શું કામ ખાસ છે તે જાણવું જોઈએ કેમકે તે જાણ્યા બાદ હાલ દેશને જે હાલાકીઓનો સામનો કરવો પડે છે તેના વિશે પણ ખ્યાલ આવશે. આ સિવાયના લોકો કે જેઓ ઇતિહાસમાં રુચિ ધરાવે છે તેમને પણ રસપ્રદ લાગે તેવી વાત છે! આજથી ઠીક 168 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશનાં મેરઠ શહેરમાં સ્વતંત્રતાના આગની ચિંગારી ઉઠી હતી. તે સમયે અંગ્રેજો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓની ગુલામીની જૂતી નીચે ભારતનો 2/3 ભાગ કચડાઈ જતો હતો. લોકો રોષે તો ભરાયા હતા પણ ઝેર માની ગળે પી જતા. અંગ્રેજોના આગમનથી આપણી ખેતી, આર્થિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા બધું જ ખોરવાઈ ગયું હતું. તેના મનફાવે એવા કાયદાઓ આપણે જોયા જ છે. તેની લેપ્સની નીતિ પ્રમાણે જો કોઈ રાજા પુત્ર વારસદાર છોડ્યા વગર મૃત્યુ પામે તો તે શાસકની રાજ્યભૂમિ કંપનીને પધરાવવી પડતી. બ્રિટિશ અને ભારતીય સૈનિકો વચ્ચે પણ ભેદભાવો રાખવામાં આવતા ને આવી તો અનેક અન્યાયી કામગીરીઓ ભારત અને ભારતવાસી વિરુદ્ધ ચાલતી જ રહેતી.

આ પરિસ્થિતિમાં 10 મે 1857ના દિવસે સાંજે પાંચ વાગ્યે મેરઠ બજારના ગિરિજાઘરના ઘંટ સાથે ગોળીબારીનાં પણ પડઘા ગૂંજ્યા. ભારતીય સૈનિકોએ બળવો શરૂ કર્યો. અંગ્રેજ સેના જ નહીં પરંતુ જે વિદેશી સામે આવે તેને ઠાર કરવામાં આવતા. એવું તે થયું શું કે આપણા ભારતીય સેનાની અને નાગરિકો એકજૂટ થઇ, પોતાનો જીવ હથેળીમાં લઈ અંગ્રેજો સામે લડયા? હજુ થોડા સમય પાછળ જઈએ એટલે 26 ફેબ્રુઆરી, 1857ના રોજ, અંગ્રેજોએ બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં એક નવા પ્રકારનો કારતૂસ દાખલ કર્યો હતો જે ગાય અને ડુક્કરની ચરબીવાળા કાગળમાં લપેટાયેલો હતો. આ કારતૂસને મોં થી ફાડીને ખોલવું પડે તેમ હતું. પરંતુ આનાથી કંપનીના ભારતીય મુસ્લિમ અને હિન્દુ સૈનિકો બંનેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. ભારતીય સૈનિકોએ આવા કારતુસના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો. તેના પરિણામે 85 સૈનિકોને જેલમાં નાખવામાં આવ્યા. મંગલ પાંડેએ પણ કોલકત્તાના બૈરકપુર પરેડ ગ્રાઉન્ડ પર આ બાબતે વિદ્રોહ કર્યો હતો પરંતુ તેમની આ પ્રતિક્રિયા વિરુદ્ધ 8 એપ્રિલ 1857ના રોજ સજારૂપે ફાંસી આપવામાં આવી હતી. અંગ્રેજોની આવી દાદાગીરી વિરુદ્ધ કાવતરું ઘડી તેમનો સફાયો કરવાનું દરેક ભારતીયને લાગ્યું. જેના પરિણામે 10 મે,1857ના દિવસના ઇતિહાસમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સર્જાયો. બંદી બનેલા 85 સૈનિકોને ધનસિંહ ગુર્જરના નેતૃત્વમાં મેરઠની જેલ પર હુમલો કરી છોડવામાં આવ્યા.

મેરઠ બાદ તો સેનાએ દિલ્હી, લખનઉ, આગરા, કાનપુર, કોલકત્તા પર ચડાઈ કરી. આ બળવો આગની જેમ ફેલાતો રહ્યો ને અંગ્રેજ સેના તેની ઝપેટમાં આવતી ગઈ. આ બ્રિટિશ સરકારની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટેની પ્રથમ ચળવળ હતી. જો કે આ સંગ્રામમાં માત્ર ભારતીય હિન્દૂ સિપાહીઓ જ નહીં પરંતુ મુસ્લિમ લડવૈયાઓ, સામાન્ય નાગરિકજનો, વેપારીઓ, મહિલાઓ પણ જોડાયા હતા. 1857નો સ્વાતંત્ર સંગ્રામ ભારતીય એકતા અને વીરતાનું પ્રતિક છે. હવે આપણે 10 મે, 2025 એટલે કે આજના સમયને જોઈએ તો ભારત દેશની ત્યારની અને આજની પરિસ્થિતિમાં સામ્યતાઓ જોવા મળે છે. એવું પ્રતીત થાય છે કે ભૂતકાળની ઘટનાઓ ફરી ભારતની ભૂમિ પર જન્મી છે અને આપણે તે કથામાં જીવીએ છીએ. ફર્ક તો બસ એટલો જ છે કે તે સમયે રાજાશાહી હતી, અત્યારે લોકશાહી. એ સમયે હિન્દૂ-મુસ્લિમ ધર્મ સાથે મળીને લડ્યા હતા અને આજે સામસામે લડે છે. તે વખતની જેમ આજના સમયે પણ હથિયારો ઉપાડવા જરૂરી છે જ, પછી ભલેને સામાજિક, ધાર્મિક કે ભૌગોલિક સંબંધો બદલાયા હોય! આપણા કૃષ્ણકાળના મૂલ્યો અને સિદ્ધાંતો તો હજુ જીવંત છે જ. અંગ્રેજોના સમયમાં હતા અને ભવિષ્યમાં પણ રહેવાના જ છે માટે જ તે સનાતન સત્ય છે. કૃષ્ણએ પણ શાંતિ મંત્રણાઓ કર્યા બાદ અને એ મંત્રણાઓની નિષ્ફ્ળતા બાદ જ યુદ્ધને છેલ્લા ઉપાય તરીકે પસંદ કર્યું. સીધા હથિયારો તેમણે પણ નથી ઉઠાવ્યા. પરંતુ જયારે દુશ્મન એવી હિંમત દાખવે કે આપણા ધર્મને આંચ આવે ત્યારે તેને યુદ્ધનો શંખનાદ સાંભળવો જ પડે. અન્ય ધર્મના નામ પર ચાલતો આતંકવાદ નામનો કીડો જો આપણા દેશ અને ધર્મને ખાઈ જતો હોય તો તેનો નાશ કરવો જ પડે. આજે પણ ભારત માતા પાસે અનેક મંગલ પાંડે છે જે દેશ અને દેશવાસીઓની સુરક્ષા ખાતર તેમનું જીવન હોમી દેવા તૈયાર છે. અત્યારે તો ભારતીય સરકાર, સેના અને જનતા આ નાપાક હરકતો કરતા નાપાક દેશ સામે લડી લેવાના ફૂલ ફોર્મમાં છે. આગે આગે ગોરખ (મોદી સાહેબ) જાને!!

- Advertisement -

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

TAGGED: war
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગરમાં ડ્રોન ઉડાડવા, ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ
Next Article થાનગઢના તરણેતર ગામે ગેરકાયદે કોલસાની ખાણો હજુય યથાવત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ ‘ખાખીની માનવતા’ સેવા કેન્દ્રનું લોકાર્પણ
ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?