પાકિસ્તાન દ્વારા તબીબી કેન્દ્રો અને શાળા પરિસરને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા
ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સતત ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. 7 મેથી પાકિસ્તાન સતત ભારત પર ડ્રોન હુમલા કરી રહ્યું છે પરંતુ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ ડ્રોન હુમલાઓને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા છે. શુક્રવારે રાત્રે ભારતે શ્રીનગર એરપોર્ટ સહિત દેશના ઉત્તર અને પશ્ચિમમાં 26 સ્થળોએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા. પાકિસ્તાને સતત ત્રીજી રાત્રે ભારતના અનેક શહેરોને નિશાન બનાવ્યા. આ વખતે ઉત્તર કાશ્મીરના બારામુલ્લાથી ગુજરાતના ભૂજ સુધીના વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ બધાની વચ્ચે હવે સંરક્ષણ મંત્રાલયે પરિસ્થિતિ અંગે વિદેશ મંત્રાલય સાથે બ્રીફિંગ કરી માહિતી આપી છે.
- Advertisement -
પાકિસ્તાન સાથે વધતા સંઘર્ષ બાદ વિદેશ અને સંરક્ષણ મંત્રાલયો દ્વારા સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું કે, પાકિસ્તાન દ્વારા 26 થી વધુ સ્થળોએ હુમલા કરવામાં આવ્યા છે. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી મોરચા પર આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી. ફાઇટર વિમાનોનો ઉપયોગ કર્યો.
પાકિસ્તાને આ સ્થળોએ શાળાઓને નિશાન બનાવી
કર્નલ સોફિયા કુરેશીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉધમપુર, ભૂજ, ભટિંડા, પઠાણકોટ સહિત 5 સ્થળોએ સાધનોને નુકસાન થયું હતું. શ્રીનગર, અવંતિપુરમાં મેડિકલ કોમ્પ્લેક્સ અને સ્કૂલને નિશાન બનાવવામાં આવી હતી.
- Advertisement -
કર્નલ સોફિયાએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું ?
પાકિસ્તાને ફાઈટર જેટથી અમારા પર હુમલો કર્યો, ભારતે દુનિયા સમક્ષ સત્ય જાહેર કર્યું. કર્નલ સોફિયાએ પાકિસ્તાનની નાપાક પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાને ભારત પર ગોળીબાર કર્યો. અમે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહ્યા છીએ. પાકિસ્તાન નાગરિક વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે અને તેમના આડમાં લાહોરથી હુમલાઓ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાને ફાઇટર પ્લેનથી હુમલો કર્યો હતો. યુએવી અને ફાઇટર જેટથી હુમલો. વિદેશ સચિવે કહ્યું કે આ પાકિસ્તાની પ્રવૃત્તિઓ છે જે ઉશ્કેરણીજનક છે.
પાકિસ્તાને મેડિકલ સેન્ટર અને શાળા પરિસરને નિશાન બનાવ્યું: કર્નલ સોફિયા કુરેશી
ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ સંબંધિત અપડેટ્સ આપ્યા. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા તબીબી કેન્દ્રો અને શાળા પરિસરને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું, પાકિસ્તાને નાગરિક વિમાનની આડમાં હવાઈ માર્ગોનો દુરુપયોગ કર્યો. તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા (LoC) પર ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો. કુપવાડા, બારામુલ્લા, પૂંચ, રાજૌરીમાં હળવા હથિયારોથી ગોળીબાર ચાલુ રહ્યો. ભારતીય સેનાએ આનો પોતાની રીતે જવાબ આપ્યો. અત્યાર સુધીની બધી કાર્યવાહીનો જવાબ આપવામાં આવ્યો છે.
કર્નલ સોફિયા કુરેશી કહ્યું કે, પાકિસ્તાની સેના પશ્ચિમી સરહદો પર સતત હુમલો કરી રહી છે. તેણે ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવા માટે ડ્રોન, લાંબા અંતરના શસ્ત્રો, ગોળા-બારણા અને ફાઇટર જેટનો ઉપયોગ કર્યો છે. ભારતે ઘણા જોખમોને નિષ્ફળ બનાવ્યા, પરંતુ પાકિસ્તાને 26 થી વધુ સ્થળોએ હવાઈ માર્ગે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. તેમણે ઉધમપુર, ભૂજ, પઠાણકોટ, ભટિંડામાં વાયુસેનાના ઠેકાણાઓ પર અમારા સાધનો અને કર્મચારીઓને નુકસાન પહોંચાડ્યું. તેમણે પંજાબમાં વાયુસેનાના ઠેકાણાને નિશાન બનાવવા માટે સવારે 1:40 વાગ્યે હાઇ-સ્પીડ મિસાઇલોનો ઉપયોગ કર્યો. તેમણે આરોગ્ય સુવિધાઓ અને શાળાઓ પર પણ હુમલો કર્યો.
સેનાની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ
ભારતે પાકિસ્તાની સેનાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.
ભારતીય સશસ્ત્ર દળો પુનરોચ્ચાર કરે છે કે, તેઓ તણાવમાં વધારો ઇચ્છતા નથી.
બ્રીફિંગમાં LoC પર પાકિસ્તાનની સંપત્તિના વિનાશના વીડિયો બતાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાને નાગરિક વિસ્તારો અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે.
26 સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાંથી મોટાભાગના નિષ્ફળ રહ્યા હતા.
ભારતે પાકિસ્તાનની અંદર ચોક્કસ હુમલા કર્યા.
ભારતે આ હુમલાઓ દરમિયાન ઓછામાં ઓછું કોલેટરલ નુકસાન સુનિશ્ચિત કર્યું છે.
LOC પર પણ હવાઈ ઘૂસણખોરી કરવામાં આવી હતી.
પાકિસ્તાની સેના આગળના વિસ્તારમાં પોતાના સૈનિકોને ખસેડી રહી છે.
ભારતીય એરબેઝ સલામત અને સુરક્ષિત છે.
પાકિસ્તાન જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે : વિક્રમ મિશ્રી
વિક્રમ મિશ્રીએ કહ્યું,”છેલ્લા 2-3 દિવસમાં પાકિસ્તાનની પ્રવૃત્તિઓને ઉશ્કેરણીજનક માનવામાં આવી રહી છે, જેના જવાબમાં ભારત જવાબદારીપૂર્વક જવાબ આપી રહ્યું છે. ભારતમાં તેની પ્રવૃત્તિઓ વિશે પાકિસ્તાનના દાવા જૂઠાણા, ખોટી માહિતી અને પ્રચાર પર આધારિત છે.