કચ્છમાં આદિપુર અને અબડાસાના ધ્રૂફી ગામમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
‘ઓપરેશન સિંદુર’ પછી ઘેરા બની રહેલા તનાવની અસર કચ્છ સરહદે જોવા મળી રહી છે. પાકિસ્તાને નાપાક હરકતો શરૂ કરીને કચ્છ સરહદ ઉપર ડ્રોન હુમલા શરૂ કર્યા છે. આદિપુર તથા અબડાસાના ધ્રૂફી ગામમાં ડ્રોન તોડી પડાયું છે. લોકોને ધરમાં રહેવા અને અફવા પર ધ્યાન ન આપવા અપીલ કરવામાં આવી છે. હુમલા અગાઉ જાસુસી માટે ગુરૂવારે રાત્રે પણ કચ્છ સરહદે પાકિસ્તાને ડ્રોન ઉડાડ્યા હતા. જો કે, સતર્ક એવી ભારતીય સેનાએ ત્રણ ડ્રોન તોડી પાડ્યા હતા. પાકિસ્તાને બે ડ્રોન પરત લઈ જવાની ફરજ પડી હતી. પાકિસ્તાનની હરકતથી સતર્ક ભારતીય વાયુ સેનાના સર્વેલન્સ વિમાનોથી કચ્છનું આકાશ ગાજતું રહ્યું હતું.
અમૃતસરમાં ડ્રોન-વિસ્ફોટક વડે નિષ્ફળ હુમલા, ભારતનો સજ્જડ જવાબ
પાકિસ્તાનમાં ભારતની સેનાએ તબાહી મચાવ્યા બાદ વિફરેલા પાકિસ્તાને પણ ભારતના સરહદી રાજ્યોમાં આડેધડ હુમલાઓ કરવાનું શરૂ કરી દીધું છે ત્યારે ભારતીય સૈન્ય દ્વારા તેનો સજ્જડ જવાબ આપવામાં આવી રહ્યો છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પશ્ર્ચિમ સરહદે પાકિસ્તાને રાતભર હુમલા કર્યા હતા. અમૃતસરના ખાસા કેન્ટ ખાતે સવારે 5 વાગ્યાની આસપાસ પાકિસ્તાની ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો હતો જેને ભારતીય સૈન્ય દ્વારા નિષ્ફળ બનાવી દેવાયો હતો અને તોડી પાડવામાં આવ્યું હતું. જેની તસવીરો પણ શેર કરવામાં આવી હતી.
- Advertisement -
ભારતે પાકિસ્તાનનાં 8 સૈન્ય ઠેકાણાં પર હુમલો કર્યો
સિયાલકોટમાં આતંકી લોન્ચ પેડ નષ્ટ, PM મોદીએ ગજઅ ડોભાલ અને સેના પ્રમુખો સાથે બેઠક કરી
શુક્રવારે રાત્રે પાકિસ્તાનના હુમલાનો જવાબ ભારતે તેનાં આઠ લશ્ર્કરી ઠેકાણાં પર હુમલો કરીને આપ્યો. આમાં પાકિસ્તાની એરબેઝ અને શસ્ત્રોના ડેપોનો સમાવેશ થાય છે. કર્નલ સોફિયા કુરેશીએ શનિવારે રક્ષા મંત્રાલય અને વિદેશ મંત્રાલયની પ્રેસ-કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. અગાઉ ઇજઋએ એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના સિયાલકોટના લુનીમાં આતંકવાદી લોન્ચપેડનો નાશ કરવામાં આવ્યો છે. શુક્રવારે સાંજે 7.47થી 10.57 વાગ્યાની વચ્ચે પાકિસ્તાને જમ્મુ-કાશ્ર્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતનાં 26 શહેરોમાં 550થી વધુ ડ્રોન ફાયર કર્યા. આ હુમલાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. શનિવારે સવારે પાકિસ્તાને ફરી એકવાર જમ્મુ-કાશ્ર્મીર, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાત પર હુમલો કર્યો. આ ગોળીબારમાં રાજૌરીના એક વહીવટી અધિકારી સહિત પાંચ લોકો માર્યા ગયા હતા. જમ્મુ શહેરમાં પણ હવાઈ હુમલા ચાલુ છે. ઘણી ઇમારતોને નુકસાન થયું છે. સેનાએ ઓપરેશન સિંદૂરનો એક નવો વીડિયો જાહેર કર્યો છે. સેનાએ કહ્યું કે 8-9 મેની રાત્રે, જમ્મુ-કાશ્ર્મીર અને પંજાબના અનેક શહેરોમાં ડ્રોન હુમલાના જવાબમાં, અમે આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કર્યો. કજ્ઞઈ નજીક બનેલા આ લોન્ચ પેડ્સ ભારતીય નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલાના આયોજન અને અમલીકરણ માટેનું કેન્દ્ર હતા. લશ્ર્કરી કાર્યવાહીથી આતંકવાદી માળખાને મોટો ફટકો પડ્યો છે.
પાકિસ્તાને ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું કે પાકિસ્તાને જમ્મુમાં આપશંભૂ મંદિર જેવા પૂજા સ્થળોને નિશાન બનાવીને દુશ્ર્મનાવટનો પુરાવો દર્શાવ્યો છે. રાત્રે અનેક સશસ્ત્ર ડ્રોન છોડવામાં આવ્યા. આનાથી રહેણાંક અને ધાર્મિક સ્થળો માટે ખતરો ઉભો થયો. ભારતીય સશસ્ત્ર દળો રાષ્ટ્રની સાર્વભૌમત્વની રક્ષા માટે સતર્ક અને મક્કમ છે.
પાકિસ્તાન દ્વારા સ્કૂલ-હોસ્પિટલ પર હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે ફાઇટર જેટથી જવાબ આપ્યો
જમ્મુ-કાશ્ર્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે નિર્દોષોના મોતનો બદલો લેવા માટે ’ઓપરેશન સિંદૂર’ હેઠળ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં અને ઙજ્ઞઊંના 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તા સેના તરફથી સતત ભારતીય સરહદી વિસ્તારો પર હુમલો કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર’ હજુ કાર્યરત છે. એવામાં આજે વિદેશ મંત્રાલય દ્વારા સંરક્ષ મંત્રાલયે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા સતત આંતરરાષ્ટ્રીય સરહદ તથા નિયંત્રણ રેખા પર હુમલાના પ્રયાસ કરાઈ રહ્યા છે. પાકિસ્તાન પેસેન્જર્સ પ્લેનને ઢાલ બનાવી રહ્યું છે જેથી ભારત જવાબી કાર્યવાહી ન કરી શકે. આ પ્રેસ બ્રીફિંગમાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરી, જનરલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર જનરલ વ્યોમિકા સિંહ સંપૂર્ણ માહિતી આપવા માટે મીડિયા સમક્ષ હાજર થયા હતા. જેમાં સોફિયા કુરેશીએ જણાવ્યું કે, છેલ્લાં ઘણાં સમયથી પાકિસ્તાન તરફથી પશ્ર્ચિમી વિસ્તારમાં આક્રમક સૈન્ય ગતિવિધિ કરવામાં આવી છે. જેમાં ભારતીય સૈન્ય માળખાને ડ્રોન, ફાઇટર જેટ અને લોન્ગ રેન્જ હથિયારો સહિતના હથિયારોથી નિશાના બનાવવામાં આવ્યા છે. આ સિવાય કજ્ઞઈ અને આંતરરાષ્ટ્રીય સરહદથી 26થી વધુ જગ્યાએ ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભારતીય સેના દ્વારા મોટાભાગના પ્રયાસોને નિષ્ફળ કરવામાં આવ્યા છે. તેમ છતાં વાયુસેના સ્ટેશનો ઉધનપુર, પઠાણકોટ, આદમપુર, ભુજ, ભટિન્ડા સ્ટેશનના ઉપકરણને નુકસાન થયું છે. પાકિસ્તાને રાત્રિના 1:40 વાગ્યે મિસાઇલનો ઉપયોગ કરીને પંજાબના એરબેઝ સ્ટેશન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા નિંદનીય રીતે શ્રીનગર, ઉધમપુર અને અવંતિપુરમાં વાયુસેના અડ્ડા પર હોસ્પિટલ અને સ્કૂલ પરિસરને નિશાના બનાવાયા છે. પાક.ની સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવાની પ્રવૃત્તિ સામે આવી છે.