ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેના દ્વારા પહલગામ હુમલાનો બદલો લીધા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. એવામાં બીજી બાજુ ભારતમાં સૌથી વધારે પ્રસિદ્ધ એવી IPL-2025નું શરૂ છે. એવામાં હવે IPLને લઈને મોટા સમચાર સામે આવ્યા છે, જેમાં મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સમાચારના એક દિવસ પહેલાં બુધવારે (7 મે) નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે મુંબઈ-પંજાબની મેચ
- Advertisement -
મુંબઈ અને પંજાબ વચ્ચેની 11 તારીખની મેચ હવે ધર્મશાલાની બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલાં ધર્મશાલાને બદલે મુંબઈમાં રમાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે. રંજાહે ન્યૂટ્રલ સ્થળની માંગ કરતા હવે આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
બોમ્બથી ઉડાડવાની મળી ધમકી
નોંધનીય છે કે, બુધવારે (7 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેલ મળ્યાનો અહેવાલ સામે આવ્યો હતો. પાકિસ્તાનના નામથી GCAને ઇમેલ મળતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ટીમ, બોમ્બ સ્ક્વૉડ અને ડોગ સ્ક્વૉડ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરાયું હોવાનું ડીસીપીએ જણાવ્યું હતું.
- Advertisement -
સિનિયર IPS અધિકારીએ જણાવ્યું હતું કે, ઇમેલમાં માત્ર એક લાઇન લખવામાં આવ્યો છે. જેમાં ‘We Will Blast Your Studium’ એટલું જ લખ્યું છે. એવામાં IPLની મેચના આયોજનના કારણે ઇમેલની ગંભીરતાથી લઇને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હાલની પરિસ્થિતિને જોતાં આ ધમકીભર્યા ઇમેલને હળવાશ લઈ શકાય નહી.