પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ
પ્રસ્થાન:
મૈને યે ભી સોચા હૈ અક્સર,
તું ભી મૈં ભી સભી હૈ શિશે,
ખુદ હી કો હમ સભી મેં દેખેે
-ઈર્શાદ કામિલ
- Advertisement -
સત્ય એક જ છે, અનન્ય છે એ માન્યું પણ વાસ્તવિકતા અલગ અલગ હોઈ શકે છે. મને જે લાગતું હોય એ મારી વાસ્તવિકતા છે તમને જે લાગતું હોય એ તમારી વાસ્તવિકતા છે. રિયાલિટીના ઘણા વર્ઝનસ છે અને એ વર્ઝન એ એને દેખાય છે જે તેમાં વિશ્વાસ કરે છે. સત્ય સર્વાંગ સંપૂર્ણ હોય છે. વાસ્તવિકતા આપણને આપણી ક્ષમતા મુજબ ભાસે છે. કોઈ વ્યક્તિ પહાડ પર બેસીને તળેટીમાં નજર કરે તો તેને તે આખું હરિયાળુ મેદાન દેખાય છે તો તે મેદાન સત્ય છે જ્યારે કોઈ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ત્યાં આવીને ફોટા પાડે છે એક ફોટામાંથી હરણની પાછળ ચિતો દોડતો જોવા મળે છે તો એ વાસ્તવિકતા છે તેમાં ચિતો વિલન પુરવાર થાય છે તો હરણ વિક્ટીમ પણ હકીકત માં એવું પણ બને કે તે ચિત્તાની પાછળ શિકારી તેની ખાલ ઉધેડવા દોડતો હોય તો?! વાસ્તવિકતા 180ઓ નો વળાંક લે છે. એવું પણ હોય કે શિકારી નો છોકરો ભૂખ્યો હોય એને શિકારી પાસે છેલ્લા ઘણા મહિનાથી કોઈ કામ ના હોય અને આ ચિત્તો તેના માટે આશાનું છેલ્લું કિરણ હોય તો? શિકારી વિલન છે કે એનટી હીરો છે? મૂલ્યો સંસ્કાર જેવું હોય છે કે આ બધા માત્ર આપણા ઉઘાડા જંગલી સ્વભાવને ટાંકવા માટેના વસ્ત્રો છે? મારી વાસ્તવિકતા મને એ બતાવે છે જેમાં મને વિશ્વાસ છે અને વાસ્તવિકતા અનુભવથી ઘડાય છે તો અનુભવ પાછો દ્રષ્ટિ કોણ થી ઘડાય છે જે વળી પાછા થયેલા અનુભવમાંથી પરિણમેલો હોય છે.
મૂળ વાત સત્ય અને વાસ્તવિકતાની હતી ભલે આપણે બધા એવું માનતા હોય અને શીખવતા હોય કે કોઈપણ વ્યક્તિને તેની પરિસ્થિતિથી તેના દ્રષ્ટિકોણથી સમજવી જોઈએ પણ હકીકતમાં સાવ એવું કરવા જઈએ તો આપણી પાસે આપણું શું રહે? બધા લોકોને તેમના દ્રષ્ટિકોણથી સમજવા જશો તો આપણી ક્રિયાઓ વિચારો ફ્રીઝ થઈ જશે. હિન્દી મૂવી નો ડાયલોગ છે ને,” સોચ જબ બહુત ગહેરી હોતી હૈ તો ફેસલે કમજોર હો જાતે હૈ.” બધા લોકો તેમના દ્રષ્ટિકોણથી સમજવાને લાયક પણ નથી હોતા. આપણી વાસ્તવિકતા નું વર્ઝન આપણે જાતે બનાવવું પડે છે કારણ કે જીવન આપણું છે જેમ આપ મૂઆ વિના સ્વર્ગે જવાતું નથી તેમ બીજાના વિચારોથી જીવન જીવાતું નથી. તમારા વિચાર તમારી વાસ્તવિકતા બીજાને ગમે એટલી વાહિયાત લાગે પણ તમે તેમાં વિશ્વાસ રાખો તો તેનું વજન પડે છે. તમે જેમાં વિશ્વાસ રાખો છો તે વસ્તુને તમારો વિશ્વાસ, પ્રેમ અફેકશન મહાન બનાવે છે બાકી નાઈલ નદીનો મગરમચ્છ પણ ઈંડામાંથી નીકળે ત્યારે છીપકલી જેવડો હોય છે. જેટલો ભરોસો વધુ તેટલી અસરકારકતા વધુ. યાદ આવે છે કે ભગવદ ગીતામાં કહેલું છે કે બધા ધર્મો છોડીને તું મારી એકની શરણમાં આવ? તો તેનો અર્થ શું થાય છે? આ લેખનું શીર્ષક પણ શું છે જે શંકા કરે છે તે વિનાશ પામે છે! આવું જ કાઉન્ટર લોજીક હું શંકા માટે પણ આપી શકું કે શંકા કરવાથી જ વાસ્તવિક જીવનની ખબર પડે છે, શંકા આપણને જાગૃત બનાવે છે વગેરે વગેરે… હું કહેવા શું માગું છું? કહેવાનું માત્ર એટલું જ કે બંનેની જરૂર છે પણ ક્યારે અને ક્યાંય અનુભવનો વિષય છે અંતે તો સારું-ખરાબ, પાપ-પુણ્ય ધર્મ- અધર્મ એ બધા રંગો છે જે ચિત્રને ઉઠાવ આપે છે. તમે શું પસંદ કરશો એ તમારી દુનિયા બનાવશે. સત્ય તો સર્વાંગ, સંપૂર્ણ છે પણ તેને પચાવવાની આપણી ક્ષમતા કેટલી? સત્ય સૂર્ય જેવું છે આંખો બંધ કરી લેવાથી સૂર્ય ગાયબ નહીં થઈ જાય. સૂર્ય સામે ખુલ્લી આંખે જોશો તો આંધળા થઈ જશો. બધાના દ્રષ્ટિકોણને તપાસવા સમજવા જશો તો જડ થઈ જશો એ રીતે આપણા બધાની અંદર એક “હેમલેટ” રહેલો છે. જ્ઞાન ભેગુ અજ્ઞાન પણ જરૂરી છે અને અંતે તો બોસ મજા આવવી જોઈએ! એ તો કોઈ પાગલખાનામાં દર્દીને 24 એ કલાક આવતી હોય તો એને સફળ ગણવાનો?! જંગલમાં કોઈ વૃક્ષની ડાળ પર બેઠેલો વાંદરો સુખી છે કારણ કે તેને ખબર જ નથી કે દુ:ખ શું અને સુખ શું. તો જીવનની સાર્થકતા શેમાં એ કહેવાવાળો હું કોણ?એ તમારે નક્કી કરવાનું.
પૂર્ણાહુતિ:
શક પે યકીન લેકિન યકીન પે હૈ શક મુઝે
– હૈદર મૂવી