ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ વધતાં IPL 2025 અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાનના લશ્કરી યુદ્ધને કારણે વધતી સુરક્ષા ચિંતાઓ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ સ્થગિત કરવામાં આવી છે, BCCI સૂત્રોએ શુક્રવારે જાહેર કર્યું છે. ધર્મશાલામાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મૅચને સલામતીના મુદ્દાઓને કારણે રદ કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેલાડીઓની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા
- Advertisement -
પઠાણકોટથી 100 કિલોમીટરથી ઓછા અંતરે સ્થિત આ સ્થળ, જ્યાં હવાઈ હુમલાની ચેતવણી આપવામાં આવી હતી, તે વધતા તણાવનું કેન્દ્ર બની ગયું છે, કારણોસર BCCI ટુર્નામેન્ટના ભાવિ અંગે તાત્કાલિક ચર્ચા કરવા માટે મજબૂર બન્યું છે. “અમે IPL અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ખેલાડીઓની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેથી અમે હાલ માટે ટુર્નામેન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ટુર્નામેન્ટ ક્યારે ફરી શરૂ થઈ શકે છે તે અમે પછીથી નક્કી કરીશું. હાલમાં, રાષ્ટ્રીય હિત ખૂબ જ મહત્વપૂર્ણ છે,” BCCIના સૂત્રોએ જણાવ્યું.
ધર્મશાલામાં રમાતી મૅચ રોકવામાં આવી
ધર્મશાલામાં મેચ, જે વરસાદને કારણે નિર્ધારિત સમય કરતાં મોડી શરૂ થઈ હતી, સ્ટેડિયમમાં ફ્લડલાઇટ્સ બંધ થઈ જતાં અચાનક રોકી દેવામાં આવી હતી. શરૂઆતમાં ટેકનિકલ ખામી હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે ખેલાડીઓ અને અધિકારીઓને હવાઈ હુમલાની ચેતવણીઓથી ઉદ્ભવતા સુરક્ષા જોખમોની જાણ કરવામાં આવી ત્યારે પરિસ્થિતિ ઝડપથી વણસી ગઈ. મૅચને 10.1 ઓવર બાદ બંધ કરવામાં આવી હતી. સૌ દર્શકોને સલામત રીતે સ્ટેડિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા અને ખેલાડીઓને તેમના હોટલ પરત મોકલવામાં આવ્યા. એક ખેલાડીએ એમ પણ કહ્યું કે બંને ટીમોમાં “ગભરાટ” છે અને વિદેશી ખેલાડીઓ ખાસ કરીને તેમની સલામતી માટે ચિંતિત છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે તેમના ખેલાડીઓએ પણ તેમની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ઘરે પાછા ફરવા માટે તૈયાર છે.