જાણો ક્યા એરપોર્ટ બંધ રહેશે ?
ડીજીસીએએ શનિવારે વહેલી સવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે 15 મેના રોજ સવારે 5.29 વાગ્યા સુધી 32 એરપોર્ટ અસ્થાયી રૂપે સિવિલ ફ્લાઇટ કામગીરી માટે બંધ રહેશે. તેમાં આ એરપોર્ટનો સમાવેશ થાય છેઃ અધમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડોન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કંડલા, કાંગડા (ગગ્ગલ), કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી (લેહ), પોરબંદર, રાજકોટ, (હીરાસર), સરસવા, સિમલા, શ્રીનગર, થોઈસ અને ઉત્તરલાઈ.
- Advertisement -
“એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને સંબંધિત ઉડ્ડયન સત્તાએ એરમેનને (NOTAMs- નોટિસ ટુ એરમેન) નોટિસની શ્રેણી જારી કરી છે જેમાં 9 મે, 2025 થી 14 મે, 2025 (જે 15 મે, 2025 ના રોજ સવારે 5.29 વાગ્યા સુધી) 32 એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરીને કામચલાઉ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ સમયગાળા દરમિયાન આ એરપોર્ટ પરની તમામ નાગરિકોની ઉડાન પ્રવૃત્તિઓ સ્થગિત રહેશે,” ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના નિવેદનમાં જણાવાયું છે. AAI એ દિલ્હી અને મુંબઈ ફ્લાઇટ ઇન્ફર્મેશન રિજિયન્સ (FIRs) માં એર ટ્રાફિક સર્વિસ (ATS) રૂટના 25 સેગમેન્ટના કામચલાઉ બંધને પણ લંબાવ્યું છે. “NOTAM G0555/25 (જે G0525/25 ને બદલે છે) મુજબ, 15 મેના રોજ સવારે 5.29 વાગ્યા સુધી 25 રૂટ સેગમેન્ટ જમીનના સ્તરથી અમર્યાદિત ઊંચાઈ સુધી અનુપલબ્ધ રહેશે,” તે જણાવે છે.
મુસાફરોની સુરક્ષા અંગે નિર્ણય
- Advertisement -
ભારત સરકાર દ્વારા આ નિર્ણય પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નિવેદનો મુજબ ડ્રોન હુમલાઓ હવાઈ મુસાફરી લોકો માટે ખતરારૂપ છે. પાકિસ્તાનની સરહદ અને નિયંત્રણ રેખા (LoC) પર 26 સ્થળોએ શંકાસ્પદ ડ્રોન પ્રવૃત્તિ જોવા મળી છે જેમાંથી કેટલાક સ્થળોએ દારૂગોળો અને તોપમારા હોવાની શંકા છે. હાલ અસરગ્રસ્ત એરપોર્ટ પરના એર ટ્રાફિક કંટ્રોલર્સ અને ગ્રાઉન્ડ સ્ટાફને હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હજુ પણ વધુ સુરક્ષાલક્ષી ચુસ્ત પગલાંઓ ભરવાની પૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે.