મોર્નિંગ મંત્રના મંચ પરથી આ મહિનાના પ્રારંભમાં જ મેં લખ્યું હતું કે મહિનાનો અંત ભાગ મનુષ્યો પર ભારે રહેશે. આજે એ દિવસ આવી ગયો છે. આજે શનિવાર છે, આજે અમાવાસ્યા છે, આજે શનિદેવ મીન રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિની સાડાસાતી પનોતી આજથી તેના અંતિમ તબક્કામાં પ્રવેશ કરશે. લોકોમાં અત્યંત ભય પ્રસરેલો છે. ગઈ કાલે મોડી રાત સુધી ગ્રુપના સભ્યોના, ખાસ તો બહેનોના મેસેજીસ્ અને ફોન્સ્ આવતા રહ્યા. શું થશે? શનિદેવના કોપમાંથી બચવા માટે શું કરવું? આ પ્રશ્ર્નો બધાના મુખે હતા. એક વિદ્વાન જાણકારે શું કરવું અને શું ન કરવું એ વિશેની પોસ્ટ ફરતી કરી છે જે તમારા સુધી પણ પહોંચી ગઈ હશે.
અંગત રીતે હું માનું છું કે શનિદેવનો મંત્ર-જાપ કરવો, જીવનને વધારે ને વધારે સાત્ત્વિક બનાવી રાખવું, સદ્વિચાર અને સદ્પ્રવૃત્તિ ચાલુ રાખવી. અન્નદાન, વસ્ત્રદાન અને વિચારદાન કરવું, કોઈનું ખરાબ ઇચ્છવું પણ નહીં. વિશેષ તો સતત મંત્ર-જાપ ચાલુ રાખવો. કોઈ નવું કે ખોટું સાહસ કરતાં પહેલાં સમયને લક્ષમાં રાખીને અટકી જવું. મારી કુંભ રાશિ માટે આવનારો સમય અત્યંત ખરાબ છે એવું જ્યોતિષ શાસ્ત્ર કહે છે. હું ચિંતિત છું પણ ડરતો નથી. શનિદેવની આરાધના કરીશ. વધુ સદાચારી બનવાનો પ્રયત્ન કરીશ. મંત્ર-જાપ તો સતત, અવિરત ચાલતો જ હોય છે. જે થવાનું છે તે થઈને જ રહેશે. આમ પણ જીવનમાં આટલું બધું સુખ મળ્યું છે તો થોડુંક દુ:ખ પણ મળે. જે કંઈ આફત કે દુ:ખ આવે તેને પરમાત્માનો પ્રસાદ સમજીને સ્વીકારી લઈશ. સંસ્કૃતમાં કહ્યું છે, ધરુમટવ્રળણર્ળૈ દ્યળફળરુઞ લમૃઠ્ઠ ધમાધ્ટ અર્થાત ભવિષ્યના બારણાં બધા સ્થળોએ ઉપસ્થિત હોય છે. તમે ગમે તે દિશામાં જાઓ પણ એ જ દ્વારમાંથી પસાર થવાનું છે. જે થવાનું છે તે થશે જ.