By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    8 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    9 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    1 day ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    8 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    8 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    1 day ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    1 day ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમિલનાડુ, ભાજપ અને રાજનીતિના રંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > તમિલનાડુ, ભાજપ અને રાજનીતિના રંગ
Hemadri Acharya Dave

તમિલનાડુ, ભાજપ અને રાજનીતિના રંગ

Khaskhabar Editor
Last updated: 2024/04/20 at 4:26 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

ભાજપનો આશાસ્પદ ચહેરો અન્નામલાઈ કોણ છે કે જેના વખાણ કરતા મોદી ધરાતા નથી

DMK અને AIADMKનર્વસ છે તો રાજ્યમાં પોતાના મૂળિયા જમાવી રહેલી કોંગ્રેસ પાર્ટીની હાલત પણ એવી જ છે

- Advertisement -

મોદીના વિશ્વાસુ અન્નામલાઇ વિશે રોચક વાતો…

તમિલનાડુ, લોકસભા બેઠકોની સંખ્યાની દ્રષ્ટિએ દક્ષિણ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. રાજ્યનું રાજકારણ છેલ્લા 57 વર્ષથી (વર્ષ 1967) દ્રવિડિયન પક્ષોની આસપાસ ફરતું રહ્યું છે. તમિલનાડુમાં ઘણા પક્ષો બન્યા અને તૂટી પડ્યા, પરંતુ રાજ્યની રાજનીતિની ધરી પહેલા સંયુક્ત દ્રવિડ મુનેત્ર કઝગમ અને પછી (DMK)-AIADMK (AIADMK) રહી. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) પણ અત્યાર સુધી તમિલનાડુમાં આ પ્રાદેશિક ક્ષત્રપ પર નિર્ભર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ આ વખતે 400 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું છે ત્યારે તેની નજર દક્ષિણ, ખાસ કરીને તમિલનાડુ પર છે. તામિલનાડુ ભાજપ માટે કેટલું મહત્વનું છે એ વાતનો અંદાજ તેના પરથી આવે કે મોદી પાછલા દસ અઠવાડિયામાં સાત વાર આ ક્ષેત્રની મુલાકાત/યાત્રા/રેલી કરી ચુક્યા છે. તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકો છે.

2019ની ચૂંટણીમાં જ્યાં ભાજપે માત્ર 5 ઉમેદવાર ઉતાર્યા હતાં અને પાંચેપાંચ હાર્યા હતાં ત્યાં 2024માં ભાજપે 23 સીટ પર પોતાના ઉમેદવાર અને બાકીની બેઠક પર એનડીએના ઉમેદવારોને ઉતાર્યા છે. રાજ્યની આ તમામ બેઠકો પર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થયું હતું. એમ.કે સ્ટાલિનની આગેવાની હેઠળના ઉખઊં, જે આ દક્ષિણ રાજ્યમાં સત્તામાં છે, જે લોકસભા બેઠકોની દ્રષ્ટિએ સૌથી મોટી છે પાર્ટી છે(ઇન્ડિયા બ્લોક). તમિલનાડુ એ રાજ્યોમાંનું એક છે જ્યાંથી ઇન્ડિયા બ્લોક મહત્તમ બેઠકોની અપેક્ષા રાખે છે. પરંતુ આ વખતે તેમના માટે ફુલગુલાબી ચિત્ર નથી રહ્યું. રાજ્યના ડીએમકેની આગેવાની હેઠળના આ શાસક ગઠબંધનને હવે અઈંઅઉખઊં તેમજ ભાજપના નેતૃત્વહેઠળના ગઉઅ તરફથી મજબૂત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા વખતની કારમી હાર છતાં લોકસભાની ચૂંટણીમાં હવે ભાજપને લઈને પણ ચર્ચા છે.

- Advertisement -

કોઈમ્બતુરની રાજનીતિ
ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે ખાસ, પરંતુ જટિલ સંબંધ ધરાવતો કોઈમ્બતુર પરંપરાગત ડાબેરી ગઢ રહ્યો છે.1998માં અહીં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની હત્યાનો પ્રયાસ પણ થયો હતો. 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસમાં તેમની ભૂમિકા બદલ બદલો લેવા માટે ભારતના તત્કાલિન નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને અલ ઉમ્મા ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા કથિત રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા. 14 ફેબ્રુઆરી, 1998 ના રોજ, કોઈમ્બતુરમાં 11 સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં 58 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને સેંકડો ઘાયલ થયા. આ બોમ્બ બીજેપી નેતા લાલકૃષ્ણ અડવાણીને નિશાન બનાવવા માટે પ્લાન્ટ કરવામાં આવ્યા હતા, જેઓ આ શહેરમાં તેમના ચૂંટણી પ્રચારમાં હતા. જો કે આ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો પછી, ભાજપે 1998 અને 1999ની ચૂંટણીમાં કોઈમ્બતુરની બેઠક જીતી હતી. અલબત્ત, કોઇમ્બતુર તમિલનાડુના પ્રથમ મતદારક્ષેત્રોમાંથી એક હતું જેણે ભાજપના કોઈ સભ્યને લોકસભામાં મોકલ્યા હોય. ઉપર કહ્યું તેમ, અહીં રાજકારણમાં ધર્મનું બહુ ઓછું આકર્ષણ છે. ત્યાં ભાજપે તમિલનાડુમાં હિંદુ મતદારોને આકર્ષવા માટે કોઈમ્બતુર વિસ્ફોટોના ઉલ્લેખને પ્રચાર મુદ્દો બનાવ્યો.

કોઈમ્બતુરની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 વર્ષ પહેલાં બોમ્બ વિસ્ફોટોમાં માર્યા ગયેલા 58 લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત યુપીના કામદારોનો મુદ્દો તો ખરો જ. આ ઉપરાંત આ વખતે તમિલનાડુમાં, ભાજપ ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ તેમજ કાચથીવુ ટાપુનો મુદ્દો ઉઠાવીને ડીએમકેની આગેવાની હેઠળના ગઠબંધનને ઘેરી રહી છે. ઉધયનિધિ સ્ટાલિનના સનાતન અંગેના વિવાદાસ્પદ નિવેદનની સાથે સાથે વડાપ્રધાન મોદી સહિતના મોટા નેતાઓની વિશાળ રેલીઓ સાથે, ભાજપને પણ દ્રવિડ રાજનીતિની મજબૂત જમીન પર કમળ ખીલવાની અપેક્ષા વધી ગઈ છે. તમિલનાડુમાં ભાજપ અત્યાર સુધી ચૂંટણીમાં વધુ ફાયદો મેળવી શકી નથી. અહીંનું રાજકારણ દ્રવિડિયન અને તમિલ રાષ્ટ્રવાદ સાથે વધુ સંકળાયેલું છે. તામિલનાડુ, એક એવું રાજ્ય કે જ્યાં એક રાજ્ય જ્યાં અન્ય એક પરિબળ જે કોઈમ્બતુરમાં ભાજપની તરફેણમાં છે તે મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય સ્થળાંતર કામદારો છે. વાસ્તવમાં, કોઈમ્બતુરમાં મોટો કાપડ ઉદ્યોગ છે અને અહીં ઉત્તર ભારતીયો કામ કરે છે. એ સંજોગોમાં કોઈમ્બતુર લોકસભા સીટ માટે ભાજપ દ્વારા અન્નામલાઈની પસંદગી રસપ્રદ અને મહત્વપૂર્ણ છે.

તામિલનાડુ ભાજપ માટે કેટલું મહત્વનું છે એ વાતનો અંદાજ તેના પરથી આવે કે મોદી પાછલા દસ અઠવાડિયામાં સાત વાર આ ક્ષેત્રની મુલાકાત/યાત્રા/રેલી કરી ચુક્યા છે

અન્નામલાઈની પસંદગી
કર્ણાટક કેડરના આઈપીએસ અધિકારી અન્નામલાઈએ 2019માં ભારતીય પોલીસ સેવામાંથી રાજીનામું આપ્યું હતું અને 2020માં ભાજપમાં જોડાયા હતા. અને તેના એક જ વર્ષ બાદ તેમને તમિલનાડુ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 37 વર્ષની હતી. તેઓ ભાજપના સૌથી યુવા રાજ્ય અધ્યક્ષ છે. લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, અન્નામલાઈએ ’એન મન, એન મક્કલ’ પદયાત્રા કાઢી હતી. જેમાં તમિલનાડુના તમામ 234 વિધાનસભા મતવિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. પદયાત્રાને ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી અને ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેના સમાપન સમારોહમાં હાજરી આપી હતી.

વિશ્લેષકોનું કહેવું છે કે આ પદયાત્રા ખૂબ અસરકારક નીવડશે. ઉમેદવારી જાહેર કર્યા બાદ. અન્નામલાઈ જનમાનસમાં જગ્યા કરી એ આરોપણ કરવામાં સક્ષમ નીવડશે કે રાજ્યને વિકાસ તરફ લઈ જાય એવા પરિવર્તનની તમિલનાડુને જરુર છે. વિશ્લેષકો ઉપરાંત ભાજપને પણ એ જ આશા છે કે આત્મવિશ્વાસુ અને ગતિશીલ વક્તા કે. અન્નામલાઈ યુવાનોને આકર્ષશે અને તમિલનાડુમાં પાર્ટીને નવી ઊંચાઈઓ પર લઈ જશે.તમિલનાડુના બીજેપી અધ્યક્ષ અન્નામલાઈએ પૂર્વ સીએમ કે કામરાજના નામે નદીઓની સફાઈ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ફૂડ વાન સુવિધાનું વચન આપ્યું છે. ખૂબ જ મક્કમતાથી પ્રભાવી રીતે અન્નમલાઈ તમિલનાડુની સત્તા પર સવાલ ઉઠાવવા અને તેને અસરકારક બને એ રીતે વિરોધ પક્ષની ભૂમિકાનું નેતૃત્વ કરી રહ્યા છે.

આની અસર એ પડી કે વડાપ્રધાન મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષજેપી નડ્ડાનો ફેવરિટ બન્યા છે. જે તેમના માટે પુરસ્કાર છે કે જે વિસ્તારો શાસક ડીએમકેનો ગઢ માનવામાં આવે છે તે કોઈમ્બતુર લોકસભા મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર તરીકે 39 વર્ષીય અન્નામલાઈ ચૂંટણીમાં ઉતાર્યા. જે રીતે અન્નામલાઈ છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ કૌભાંડના કાગળો, વીડિયો અને ઓડિયોને સાર્વજનિક કરી રહ્યા છે, જેનાથી તેનું કદ વધી રહ્યું છે.કાચાથીવુ ટાપુનો મામલો પણ આમાંનો છે, મુખ્ય છે. દરમિયાન, તેમની ચૂંટણી તાકાત સાબિત કરવા માટે શાસક ડીએમકેએ તેના સાથી પક્ષોને બેઠકો આપવાનો નિર્ણય બદલ્યો અને તેના બદલે કોઈમ્બતુરથી પોતાનો ઉમેદવાર ઉભા રાખવાનું નક્કી કરેલું. પૂર્વ મેયર પી ગણપતિ રાજકુમાર ડીએમકેમાટે ઉમેદવાર છે. 2019માં ડીએમકેના સાથી સીપીઆઈએમનો આ સીટ પર વિજય થયો હતો.તમિલનાડુની કોઈમ્બતુર લોકસભા સીટ દરેક માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે તેનું મુખ્ય કારણ એ કે તમિલનાડુ ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈએ અહીંથી ઉમેદવારી નોંધાવી છે.

તમિલનાડુની રાજકીય જંગની રૂપરેખા જોતા સ્પષ્ટ થાય છે કે તમિલનાડુની તમામ પાર્ટીઓ પોતાના ક્ષેત્ર પૂરતું કામ કરીને મત માંગવાનું કામ કરે છે, પરંતુ જમીની સત્ય બહુ ઓછા લોકો પાસે છે. પરંતુ ભાજપે તમિલનાડુમાં પોતાના મૂળિયા જમાવવાનું શરૂ કર્યું ત્યારથી જ આ સ્પષ્ટ થઈ ગયું કે તેની પાસે મતદારને અકર્ષવાની ખાસ નીતિ અને વિશેષ વ્યક્તિ છે. ખાસ કરીને કે. અન્નામલાઈના નેતૃત્વ પછી ભાજપ માટે એક ઓળખ બનવા લાગી છે. જ્યારથી અન્નામલાઈએ તમિલનાડુ ભાજપની કમાન સંભાળી છે, ત્યારથી તેમણે તેમની કાર્યશૈલીથી તમિલનાડુ ભાજપની નવી છબી બનાવી છે. મોદી જેના વખાણ કરતા થાકતા નથી એ અન્નામલાઈને લઈને વિરોધ પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને ડીએમકે અને એઆઈએડીએમકે નર્વસ છે તો રાજ્યમાં પોતાના મૂળિયા જમાવી રહેલી કોંગ્રેસ પાર્ટીની હાલત પણ એવી જ છે. પીએમ નરેન્દ્ર મોદીએ તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈના વખાણ કર્યા છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અન્નામલાઈના નેતૃત્વમાં બીજેપીનું જનસમર્થન વધી રહ્યું છે, તો તેમણે તેમના પ્રિય નેતાના ઘણા ગુણો જણાવ્યા. એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે અન્નામલાઇ રાજ્યના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. તેઓ ઈંઙજની નોકરી છોડીને રાજકારણમાં જોડાયા. જો અન્નામલાઈ કંઈક હાંસલ કરવા માંગતા હોત તો તેઓ ડીએમકે અને એઆઈએડીએમકેમાં જોડાયા હોત પરંતુ તેઓ દેશના કલ્યાણ માટે ભાજપમાં જોડાયા છે. અને છેલ્લે છેલ્લે, અન્નામલાઈની ટીમના જણાવ્યા અનુસાર, 2019માં કોઈમ્બતુરમાં કુલ 63.8 ટકા મતદાન થયું છે જે ગત વખત કરતાં લગભગ 7 ટકા વધુ મતદાન થયું છે. બીજેપી નેતાની ટીમનું કહેવું છે કે આ વધેલું મતદાન ભાજપની તરફેણમાં છે.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

TAGGED: BJP, coimbatore, POLITICS, Tamil Nadu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગલકા: સ્વાસ્થ્યનો ખજાનો અને અનેક બીમારીનું ઔષધ
Next Article તું ઈશ્વરની લગોલગ છે, સમીક્ષા શું વધું કરવી?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?