By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    24 hours ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    1 day ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    2 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    2 days ago
    4-5 વર્ષમાં માણસ કરતાં પણ વધુ બુદ્ધિશાળી બની જશે AI : મસ્ક
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NCERTના અભ્યાસક્રમમાં 1975-1977 ઈમરજન્સી પ્રકરણ સામેલ:ધોરણ 9માં ભણાવવામાં આવશે
    22 hours ago
    કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ તૂટ્યો, 5નાં મોત
    2 days ago
    MPના CM મોહન યાદવની ભયાનક ભ્રષ્ટાચારલીલા !
    2 days ago
    મુંબઇમાં એક રાતમાં 10 ઇંચ વરસાદ : આજે પણ રેડ એલર્ટ
    2 days ago
    ફૂલ લીધા, ભેટ્યા, ડાન્સ કર્યો…પછી શાતિર સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધક્કો મારી દીધો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    20 hours ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    3 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    20 hours ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    7 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    22 hours ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    20 hours ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    20 hours ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    22 hours ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    24 hours ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ન્યાયના અધિપતિ તથા કર્મફળદાતા શનિદેવનો મહિમા અપરંપાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ન્યાયના અધિપતિ તથા કર્મફળદાતા શનિદેવનો મહિમા અપરંપાર
Author

ન્યાયના અધિપતિ તથા કર્મફળદાતા શનિદેવનો મહિમા અપરંપાર

Khaskhabar Editor
Last updated: 2024/06/05 at 5:10 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

 રાજેશ ત્રિવેદી

જય જય શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ, કરહું કૃપા હે રવિ તનય રાખહું જન કી લાજ

- Advertisement -

વૈશાખ માસના કૃષ્ણપક્ષની અમાસ એટલે નવગ્રહોમાં સર્વથી શ્રેષ્ઠ તથા ન્યાયનું પદ પ્રાપ્ત કરનાર શનિદેવની શનિજયંતિનો દિવસ તરીકે ઓળખાય છે, એમ પણ માનવામાં આવે છે કે લોકોના તેમના સારા કે ખરાબ કર્મનું ફળ શનિદેવ જ પ્રદાન કરે છે, આ શનિદેવ જો કુંડળીમાં સારા સ્થાન પર બિરાજમાન હોય તો મનુષ્યને ઉત્તમમાં ઉત્તમ ફળ પ્રદાન કરે છે અને ઓછા સમયમાં સફળતા આપી મનુષ્યની તમામ મનોકામના પૂર્ણ કરે છે. પિતા સૂર્યદેવના તેમજ છાયા માતાના પુત્ર એટલે શનિદેવનો જન્મ વૈશાખમાસની અમાસના દિવસે થયો હતો અને બાળપણથી જ શનિદેવ ભગવાન કૃષ્ણના પરમ ઉપાસક હતા, દેવાધિદેવ મહાદેવના તપ દ્વારા શનિદેવને નવગ્રહોમાં સૌથી શ્રેષ્ઠ ઉપાધિ તેમજ લોકોને તેમના કર્મ અનુસાર ફળ આપવા માટે ન્યાયના પદનું વરદાન પ્રાપ્ત થયું છે તેથી આજે પણ શનિદેવને આપણે કર્મફળદાતા શનિ તરીકે ઓળખીએ છીએ ઉપરાંતમાં આ શનિઅમાસના દિવસે શું કરવાથી પિતૃદેવો સાથે શનિદેવનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે, આ દિવસે પિતૃઓના આત્માની શાંતિ માટે બ્રાહ્મણો પાસે શ્રાદ્ધ વિધાન કર્મ, તર્પણ તેમજ પિંડદાનની વિધિ કરાવવી, જો કુંડળીમાં કાલસર્પ દોષપણ બનતો હોય તો આ દિવસે તેમનું પૂજન પણ બ્રાહ્મણો પાસે કરાવવાથી કાલસર્પદોષ દુર થાય છે તથા મનુષ્યના જીવનમાં નકારાત્મકમાંથી સકારાત્મક પરિણામ આપે છે અને વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરે છે સાથો સાથ આ દિવસે અડદ અથવા કાળી અડદની દાળનું દાન જો કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે, ઉપરાંતમાં હનુમાનજીની પૂજા કરી ચમેલીનું તેલ, સિંદુર, લાડવા તથા શ્રીફળ એટલે નારિયેળ ચડાવી બજરંગબાણ તથા શનિસ્તોત્ર-શનિચાલીસાનો પાઠ કરવાથી શનિદેવ વિશેષ પ્રસન્ન થાય છે.

વૈશાખ માસની અમાસના દિવસે શનિદેવને રાજી કરવા કયા કયા ઉપાયો કરવા? શું ચડાવવું? કઈ રીતે પુજન કરવું તો આ દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો પહેરી શનિદેવના મંદિરે જવું, સાથોસાથ સરસવનું તેલ, કાળાતલ, અડદ, કાળું પીસ(વસ્ત્ર), આંકડાની માળા, રૂ ની વાટ, નાનું કોડિયું સાથે લઇ જવું. આ બધી વસ્તુ શનિદેવને ઉપરમુજબ મંત્ર બોલી ભાવપૂર્વક અર્પણ કરવી. પીપળાના ઝાડને પાણી રેડવું કેમ કે શનિદેવનું એક નામ પિપ્પલાશ્રય પણ છે, રૂની વાટ સાથે તેલનો દીવો કોડિયામાં પીપળાના ઝાડ નીચે પ્રગટાવવાથી કોઈપણ પ્રકારનો શનિદોષ કે પિતૃદોષ હોય તો તે દુર થાય છે. શનિદેવના દસનામનું સ્મરણ માત્રથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે કયા છે આ નામ તો શ્રી કોણસ્થ, પિંગલ, બભુ, કૃષ્ણ, રોંદ્રાંતક, યમ, સૌરી, શનૈશ્વર, મંદ, પિપ્પલાશ્રય, આમ નામ સ્મરણ દ્વારા શનિદેવ રાજી થાય છે. પ્રત્યેક મનુષ્યને શનિદેવની અંતરદશા, મહાદશા તેમજ સાડાસાતી ચાલતી હોય તે સમય દરમ્યાન શનિદેવના બીજમંત્ર ૐ શન્નો દેવી રભિષ્ટય આપો ભવન્તુપ્રીતયે, શં યોર ભિસ્ત્રવન્તુ ન: શં નમ:, ૐ શં શનૈશ્ચરાય નમ: નામના બીજમંત્રની સાધના કરવી તેમજ શનિદેવના 23000 જાપ થઇ શકે તો કરવાથી જીવનમાં આવેલ દરેક મુશ્કેલીઓનો સામે રક્ષણ પ્રાપ્ત કરવાની ક્ષમતા મળે છે તથા ધંધા તથા નોકરી પ્રગતીમાં રુકાવટ તથા બાધા બનતુ પરિબળ દુર થાય છે.

નવગ્રહોમાં શનિદેવને ન્યાયના અધિપતિ તેમજ કર્મફળના દાતા તરીકે ઓળખવામાં આવે છે.કર્મફળ દાતા એટલા માટે કે શનિદેવનો ન્યાય એમ કહે છે જયારે મનુષ્ય અવતાર મળ્યો છે ત્યારે તમારો સમય સારો હોય ત્યારે થોડો પણ રૂપિયો દાન, પુણ્ય કે ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરવો જોઈએ. સારા સમય દરમ્યાન કોઈ એવા સારા કર્મ નથી કર્યા માટે એની પ્રતીતિ કરાવા અર્થે શનિદેવ એ પ્રકારની પીડા આપી યોગ્ય ન્યાય આપે છે અને તે મનુષ્યને સુવર્ણસમાન એકદમ ચળકાટ ભર્યો તથા નિખાલસ હૃદયવાળો બનાવી જીવનનું તમામ સુખ આપે છે. શનિદેવની ઉપાસના કરવાથી ગૃહકલેશનો નાશ થાય છે.

- Advertisement -

ઉપરાંતમાં આ પવિત્ર દિવસે શનિ દેવના શુભ ફળ પ્રાપ્ત કરવા માટે કીડીને કીડીયારુ પૂરવું, માછલીને ખવડાવવું,ગૌ માતાને ઘાસચારો કરવો, પક્ષીઓને ચણ નાખવી, શ્વાનને રોટલી આપવાથી શનિદેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે, સાથોસાથ શનિદેવની કૃપા કાયમ ચાલુ રહે એ માટે સાચું બોલવું અને સારા કાર્યો કરવા, ગરીબ અને નબળા લોકોની મદદ કરી તેમને ભોજન કરાવવું, પર સ્ત્રી પર નજર ણ કરવી, વૃક્ષ વાવી તેનો ઉછેર કરી પક્ષીઓ પ્રત્યે સહાનુભુતિ રાખવી તેમજ કાળા કુતરાને રોટલી ખવડાવવાથી શનિદેવની કૃપા તથા આશીર્વાદ કાયમ વરસતા રહે છે અને વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી પ્રગતિમય બનતો રહે છે.

You Might Also Like

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

સૌથી ઉત્તમ કોણ ?

ગીતાનો દિવ્ય સંદેશ અને પરમ સત્ય

TAGGED: lord of justice, Lord Shani, unparalleled
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુનભાઈની 1,16,808 મતની ઐતિહાસિક સરસાઈ સાથે જીત
Next Article ભચાઉ પાસે અકસ્માતમાં દેરડીના પાટીદાર પરિવારનો ભોગ: 6ના મોત: 3ને ઈજા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો
સ્વ. ગજેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલાના નિધનથી સમાજે ગુમાવ્યા આદર્શ માર્ગદર્શક
લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?