ગુર્જર સુતાર જ્ઞાતીનું ભવ્ય આયોજન
રાજકોટ જીમખાના ક્લબ ક્રિકેટ ગ્રાઉંડ ખાતે તા.4 થી 11 દરમિયાન યોજાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાકાળ દરમિયાન દરેક વ્યક્તિ અનેક મુશ્કેલીઓથી પસાર થયો છે. જેમાં રમતવીરોની રમત પણ બાકાત નથી. આવી જ લોકપ્રિય રમત એટલે ક્રિકેટ. સૌરાષ્ટ્ર અને રાજકોટ શહેરે ભારતીય પ્રથમ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નામી અનામી ઘણા ખેલાડીઓ આપેલા છે. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. 04-05-2022 થી તા. 11-05-2022 દરમિયાન પ્રથમ રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેંટ વિશ્ર્વકર્મા કપ 2022નું ભવ્ય આયોજન રાજકોટ શહેરના રાજકોટ જીમખાના ક્રિકેટ ગ્રાઉન્ડ શાસ્ત્રી મેદાનમાં ધમાકેદાર રીતે કરવામાં આવ્યું છે. આ ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજનમાં ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસિકભાઈ બદ્રકિયા અને રાજકોટ શહેરમાં ગુર્જર સુતાર જ્ઞાતિ માટે છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી આવી ક્રિકેટ ટુર્નામન્ટનું આયોજન કરતાં જયંતિભાઈ તલસાણીયા, વિનયભાઈ તલસાણીયા તેમજ પ્રજેશભાઈ છનીયારા અને કાર્યકરો સાથે મળીને જહેમત ઉઠાવી રહ્યા છે.
આ ટુર્નામેન્ટનું ઉદઘાટન તા. 04-05-2022ને બુધવારના સાંજે 7 કલાકે કર્ણાટકના પૂર્વ રાજયપાલ માન. વજુભાઈ વાળા સાહેબ અને તેમની સાથે ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટ શહેરના મેયર ડો. પ્રદીપભાઇ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી અને અગ્રણી ઉદ્યોગપતિ અમુભાઈ ભારદીયા દ્વારા કરવામાં આવનાર છે. આ ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, રાજ્યકક્ષાના મંત્રી જગદીશભાઈ પંચાલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, મનન હોસ્પિટલ રાજકોટના ખ્યાતનામ ડો. નિતિનભાઈ લાલ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના પૂર્વા ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ મહાનગર પાલિકાના સ્ટે. કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, બક્ષિપંચ મોરચો ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સભ્ય દિલિપભાઈ પટેલ, રાજકોટ મહાનગર પાલિકાના દંડક સુરન્દ્રસિંહ વાળા, નેતા શાસકપક્ષના વિનુભાઈ ઘવા, ચેમ્બર્સ ઓફ કોમર્સ રાજકોટના પ્રમુખ વી.પી. વૈષ્ણવ,અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા, અનિરુદ્ધસિંહ જાડેજા નાના મવા, જ્યોતિ ઈગઈના મેં. ડાયરેક્ટર પરાક્રમસિંહ જાડેજા, કમળ સિમેન્ટ સિક્કા જામનગરના એમ.ડી અને ઈઊઘ રાજીવ નાંબિયાર, કમળ સિમેન્ટ રાજકોટના સેલ્સ એન્ડ માર્કેટિંગ જનરલ મેનેજર સ્નેહલભાઈ રાવલ, રાજકોટ જીમખાના ક્લબના સેક્રેટરી હરિશચંદ્રસિંહ જાડેજા અને હાર્ડવેર ખજાનાના શંકરભાઇ ખાસ ઉપસ્થિત રહેનાર છે. આ ઉપરાંત ગુર્જર સુતાર સમાજના ઉદ્યોગપતિ, જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ, પ્રમુખ, મંત્રી, અધ્યક્ષ તેમજ બહાર ગામની સંસ્થાના હોદેદારો પણ ઉપસ્થિત રહેનાર છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ શહેર ઉપરાંત, અમદાવાદ જામનગર, મોરબી, પોરબંદર, જુનાગઢ, વડોદરા, સુરત અને મુંબઈ શહેરથી ક્રિકેટ ટીમો ભાગ લેવા માટે આવનાર છે. આ ટુર્નામેંટમાં કુલ 34 ટીમો ભાગ લેનાર છે. આ ટુર્નામેંટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમો મુજબ રમાડવામાં આવનાર છે. આ ટુર્નામેંટ નોકઆઉટના ધોરણે રમાડવાનું નક્કી કરવામાં આવેલ છે. તમામ ટીમો વચ્ચે તા. 04-05-2022 થી તા. 09-04-2022 દરમિયાન લીગ મેચ અને ક્વાટર ફાઇનલ રમાડવામાં આવશે. અને તા. 10-05-2022 બે સેમી ફાઇનલ અને તા.11-05-2022 ના રોજ ફાઇનલ મેચ રમાડવામાં આવશે. સાથે સાથે દરરોજ મેચ રમનાર ટિમ માટે ભોજન અને બહાર ગામની ટીમો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
- Advertisement -
રાજકોટના જીમખાનામાં વર્ષો બાદ રાત્રી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઇ રહ્યું છે. આ સ્થળ શહેરની વચ્ચે આવેલ હોઈ સમાજ ઉપરાંત શહેરના ક્રિકેટ પ્રેમીઓ મેચની મજા માણી શકશે. સમાજ દ્વારા અલગ અલગ શહેરોમાં થતા રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ આયોજન સૌથી મોટું છે, અને રોકડ ઇનામો પણ સૌથી વધુ અને સૌથી મોટી રકમના છે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન મેદાનમાં મેચ જોવા માટે આવેલા દર્શકો લાઈવ સ્કોર મોટા ટીવી સ્ક્રીન પર નિહાળી શકશે. સમગ્ર ટુર્નામેંટનું આયોજન એક પરિવારિક માહોલમાં ભવ્ય રીતે કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટનાં ગ્રાઉન્ડમાં પ્રવેશ શાસ્ત્રી મેદાનની પાસે આવેલા એવરેસ્ટ બિલ્ડીંગની સામેના ગેઇટ પરથી મેળવી શકાશે. જ્ઞાતિજનોને આ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા માટે સહ પરિવાર મિત્ર મંડળ સાથે પધારવા ગુર્જર સુતાર જ્ઞાતિ હાર્દિક નિમંત્રણ પાઠવે છે.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાના રણજી અને અન્ય ટ્રોફી રમી ચૂકેલા ખેલાડીઓ રાજકોટ તથા અન્ય શહેરોમાંથી અનિલભાઈ ઠકરાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, રાકેશભાઈ ધ્રુવ, ખોડુભા જાડેજા, અતુલભાઈ કારીયા, સુધીરભાઈ તન્ના, રવિન્દ્રભાઈ આચાર્ય, કમલેશભાઈ આર. મકવાણા, ગુણવંતસિંહ જાડેજા, હિતેશભાઈ કાંજીયા, જશવંતભાઈ બકરાણીયા તેમજ મહિલા ખેલાડી નંદિતાબેન કે. અઢીયા અને કિંજલબેન આર. અંબાસણાની પ્રેરક ઉપસ્થિતિથી પ્રોત્સાહન પૂરું પાડશે.
ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમને ટ્રોફી, ઉપરાંત ફાઇનલ વિજેતા ટીમને રૂ. 51000/-, ફાઇનલ રનર્સઅપ ટીમને રૂ. 21000/, મેન ઓફ ધ સીરિઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડર ખેલાડી દરેકને રૂ. 5000/- રોકડ પુરષ્કાર આપવામાં આવશે.
આ ટુર્નામેન્ટ માટેની ગ્રાઉન્ડ કમિટી જયંતિભાઈ તલસાણીયા, વિનયભાઈ તલસાણીયા, પ્રજેશભાઈ છનીયારા, અરવિંદભાઈ ત્રેટીયા, ઉમેશભાઈ તલસાણીયા, હર્ષદભાઈ બકરાણીયા, હાર્દિકભાઈ વડગામા, મીતેશભાઇ ધ્રાંગધરિયા, પ્રકાશભાઈ દુદકીયા, કેતનભાઈ મહિધરિયા, ધવલભાઈ બકરાણીયા, નીતિનભાઈ બદ્રકીયા વિગેરે સાથે મળીને જહેમત ઉઠાવી રહ્યા છે.
આ માટેની તમામ પૂર્વ તૈયારી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનાં પ્રમુખ રસિકભાઈ ડી. બદ્રકીયાના માર્ગદર્શન હેઠળ કાન્તીભાઈ પી. તલસાણીયા (ઉપપ્રમુખ), પ્રદિપભાઇ કે. કરગથરા (મંત્રી), અરવિંદભાઈ બી. ત્રેટીયા (ખજાનચી), ગોરધનભાઈ પી. ચાપાનેરા (સહમંત્રી) તેમજ (અધ્યક્ષ) મુકેશભાઇ આર. વડગામા, (ઉપાધ્યક્ષ) જગદીશભાઈ સોંડાગર, (ટ્રસ્ટી) દિનેશભાઇ એન. ખંભાયતા, વિનયભાઈ એમ. તલસાણીયા, મુકેશભાઇ કે. ભાડેશીયા તથા કારોબારી સભ્યો હર્ષદભાઈ આર. બકરાણીયા, કિશોરભાઈ એમ. અંબાસણા, દિલીપભાઈ બી. પંચાસરા, શાંતિલાલ ડી. સાંકડેચા, મીતેશભાઇ એસ. ધ્રાગધારિયા, હરિભાઈ કે. સીનરોજા, જનકભાઈ એન. વડગામા, કિશોરભાઇ આર. બોરણીયા, કેતનભાઈ એમ. મહિધરિયા,ઘનશ્યામભાઈ જે. દુદકીયા અને જ્ઞાતિનાં અન્ય કાર્યકર્તાઓ કરી રહ્યા છે. આવો આપણે સૌ એક બનીએ, નેક બનીએ અને ભારતીય સંસ્કૃતીને ઉજાગર કરીએ.



