ઈ-મેમોની પેન્ડીંગ ઉઘરાણીની પોલીસની દાદાગીરી સામે કોર્ટની લગામ
યુવા લોયર્સ એસો. ઈ-મેમાના પ્રશ્નને મક્કમતાથી પ્રજા વતી કાનુની લડતમાં આગળ વધી રહેલ છે
- Advertisement -
અદાલતમાં કોર્ટ કાર્યવાહી પેન્ડીંગ હોવા છતાં ગેરકાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહેલ હતી, જેની સામે કોર્ટ દ્વારા મહત્ત્વપૂર્ણ હુકમ
6 માસમાં કોર્ટમાં ગઈ કેસ દાખલ ન થાય તો ઈ-મેમો કાયદાના પ્રસ્થાપીત સિદ્ધાંતો મુજબ રદ ગણાય- યુવા લોયર્સ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
છેલ્લાં ઘણાં સમયથી રાજકોટ અને ગુજરાતની પ્રજા છેલ્લાં ઘણાં સમયથી રાજમાર્ગો પર સી.સી. ટી.વી. કેમેરાઓ લગાડવામાં આવેલ છે તે કેમેરાઓનો ઉપયોગ વાહનચાલકો- પ્રજાજનો વિરૂદ્ધ કરવામાં આવી રહેલ છે. ખરી હકીકતે સીસી ટીવી કેમેરાઓ નાખવાનો ઉદ્દેશ લોકોના જાન-માલના રક્ષણ કરવા માટે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દબાણો અટકાવવા માટે હતો પરંતુ આ સીસી ટીવી કેમેરાઓનો ઉપયોગ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોને હેરાન-પરેશાન કરી અને ખૂબ જ મોટા સમાધાન શુલ્કના નામે મેમો આપીને ટ્રાફીક પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા બંધારણીય અધિકારોનો ભંગ થાય તેવી અન્યાયી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
યુવા લોયર્સ એસો. ઈ-મેમો સંદર્ભે ઘણાં સમયથી કાનુની લડત આપી રહેલ છે, જે મુજબ રાજકોટના યુવા લોયર્સના ક્ધવીનર હેમાંશુ પારેખ તથા ક્ષત્રિય આગેવાન એડવોકેટ ગીરીરાજસિંહ જાડેજા દ્વારા પોતાને મળેલ અલગ-અલગ ઈ-મેમો (ટ્રાફીક વાયોલેશન નોટીસ) રદ કરવા માટે રાજકોટની નામદાર અદાલતમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જેમાં નામદાર અદાલતે ફરિયાદ રજિસ્ટરે લઈ (1) કમિશનર ઓફ પોલીસ રાજકોટ, (2) આસિસ્ટંટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફીક), (3) કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરના જવાબદાર અધિકારીઓને નોટીસ કરી અદાલતમાં જવાબ રજૂ રાખવા માટે જણાવેલ હતું. જેમાં એસીપી ટ્રાફીક દ્વારા અદાલતમાં હાજર થઈ સરકારી વકીલ મારફત જવાબ રજૂ રાખવામાં આવ્યો હતો.
જેમાં ફોજદારી ફરિયાદમાં ફરિયાદી વકીલો દ્વારા ઈ-મેમો (નોટીસ)ને કોર્ટ નોટીસ (એન.સી.) ગણી કાર્યવાહી કરવા એક અરજી રજૂ રાખેલ હતી જે અરજીના અનુસંધાને અદાલતમાં રજૂઆત અને કાયદાકીય દલીલો કરવામાં આવેલ હતી. જેમાં અદાલત દ્વારા હુકમ કરવામાં આવેલ છે કે જેટલા અનડીસ્પોઝ ઈ-ચલણ છે તે સીઆરપીસીની 6 માસની લીમીટેશન મુજબના નામદાર અદાલતમાં એન.સી. તરીકે રજૂ કરવા. તેવો હુકમ કરેલ છે અને જે અંગે દરરોજ કાર્યવાહી નામદાર કોર્ટમાં ચાલશે અને આ હુકમની જાણ અદાલત દ્વારા પોલીસ કમિશનર, એસીપી (ટ્રાફીક) અને કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરને પણ કરવામાં આવેલ છે.
અદાલતમાં ઈ-મેમો એન.સી. તરીકે રજૂ થતાં અદાલત દ્વારા જે તે વ્યક્તિને અદાલત સમક્ષ બોલાવવામાં આવશે અને તેનો મેમો સંદર્ભે પોતાની વાત-બચાવ રજૂ કરવાની તક મળશે અને અદાલત કેસની હકીકત અને કાયદાની જોગવાઈઓ મુજબ દંડ કરશે આમ ટ્રાફીક પોલીસની એકતરફી કાર્યવાહીનો અંત આવશે. ટ્રાફીક પોલીસ દ્વારા રૂબરૂ અપાતા મેમોમાં સ્પષ્ટ જણાવેલ છે કે વાહનચાલકે પોતે કરેલ ગુન્હા બાબતે ટ્રાફીક પોલીસ પાસે માંડવાળ કરવું એટલે કે સમાધાન શુલ્ક ભરવું કે કોર્ટમાં જવું તે નક્કી કરવાનો અધિકાર વાહનચાલકને છે અને ઈ-મેમોમાં આવી કોઈ જાણકારી આપવામાં આવેલ નથી અને રકમ પરાણે ભરવા માટે દબાણ કરી શકાય નહીં આમ સમાધાન શુલ્કના નામે ટ્રાફીક પોલીસ પોતે જજ બની ગયેલ છે અને લોકોને દબાણ કરી ખોટી કાર્યવાહીની ધમકી આપી મોટી રકમો સમાધાન શુલ્કના નામે આવી રહેલ હતી જેની સામે યુવા લોયર્સ એસો. દ્વારા કોર્ટમાં દીવાની તથા ફોજદારી રાહે કાનુની કાર્યવાહી કરવામાં આવેલ છે.
અરજદારો દ્વારા અદાલતમાં માગણી કરવામાં આવેલ છે કે, સીસી ટીવી સર્વેલન્સ કેમેરા દ્વારા ટ્રાફીક નિયમનના ભંગ બદલ ઈ-ચલણ કે ઈ-મેમો ઈસ્યુ કરવાની કે તેના દ્વારા દંડ વસુલ કરવાની કોઈ સત્તા કે અધિકાર નથી તથા આજ દિવસ સુધીમાં ઈસ્યુ કરવામાં આવેલ આવા ઈ-મેમો કે ઈ-ચલણ કાયદાકીય જોગવાઈ વગરના ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે તથા આ કામના પ્રતિવાદીઓને ટ્રાફીક નિયમન ભંગ બદલનો ગુન્હો સાબિત થયા વગર કોઈપણ પ્રકારના ઈ-મેમો કે ઈ-ચલણ ઈસ્યુ કરવા કોઈ સત્તા કે અધિકાર નથી તેવી રજૂઆત અદાલતમાં કરવામાં આવેલ હતી.
આગામી સમયમાં ઈ-મેમા પ્રશ્ર્ને વધુ કાર્યક્રમો-રજૂઆતો પણ કરવામાં આવનાર છે.આમ ઉપરોક્ત વિગતે કાયદાઓની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતની કાયદાકીય સમજણ આપ્યા વગર ખોટી કાયદાકીય વાતો કરીને સમાધાન શુલ્કના નામે પ્રજાજનો પાસેથી મોટી રકમો વસુલ કરવામાં આવે છે. તેની સામે યુવા લોયર્સ એસો. નામદાર કોર્ટમાં ફરિયાદો દાખલ કરવાની તૈયારી કરી રહેલ છે.
સમાધાન શુલ્કની મોટી રકમો ન હોવી જોઈએ અને માનવતા અભિગમ દાખવી અને પ્રજાજનોને ઓછી રકમમાં સમાધાન શુલ્ક સ્વીકારવું જોઈએ તેવી અનેક રજૂઆતો લોકો દ્વારા કરવામાં આવી રહેલ છે.ટ્રાફીક વાયોલન્સની ખોટી નોટીસ એટલે કે ઈ-મેમો મોકલી હેરાન પરેશાન કરી ખર્ચના ખાડામાં પ્રજાજનોને ઉતારવાનો ઈરાદો તંત્ર દ્વારા કરવામાં આવે છે જે કાયદા વિરૂદ્ધ અને ખોટા ઈ-મેમો સામે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી ફરિયાદ કરનારને સી.આર.પી.સી. કલમ 250 હેઠળ વળતર મળે તેવી પણ કાયદામાં જોગવાઈ છે. આ કામગીરી માટે યુવા લોયર્સની સિનિયર-જુનિયર એડવોકેટની વિશાળ ટીમ સતત કાર્યશીલ છે. યુવા લોયર્સ એસોસીએશનના પ્રમુખ કિરીટ નકુમના માર્ગદર્શન હેઠળ ક્ધવીનર હેમાંશુ પારેખ તથા ગીરીરાજસિંહ જાડેજા, સિનિયર એડવોકેટ કે. ડી. શાહ, સંજય શાહ ઉપરાંત અજય પીપળીયા, વિરેન રાણીંગા, આનંદ પરમાર, નિવીદ પારેખ, જગદીશ કુવાડીયા, નીશાંત જોશી, ઘનશ્યામભાઈ વાંક, ચીત્રાંક વ્યાસ, યશપાલ ચૌહાણ વિગેરે એડવોકેટની વિશાળ ટીમ સક્રિય છે.
કાયદાના આધારો
1 નામદાર સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેંચ દ્વારા માર્ગદર્શક ચુકાદાઓ આપેલ છે, જે ચુકાદાઓ મુજબ સુપ્રીમ કોર્ટ દ્વારા 1995 (1) એસ.સી.સી. 304ના ચુકાદમાં એવું જણાવેલ છે કે દંડ કરવાની સત્તા માત્ર સેકશન 116 દ્વારા ક્રિમીનલ કોર્ટને જ છે. કોઈપણ ઓફીસર કોઈ દંડ જાતે કરી શકતા નથી અને નામદાર કોર્ટ પણ આવી ફરિયાદ આવે ત્યારે જ તેને સ્વીકારી શકે છે.
2 એ.આઈ.આર. 2000 (બોમ્બે) 246 બોમ્બે હાઈકોર્ટના ચુકાદા મુજબ જે કેસમાં દંડની જોગવાઈ હોય તે દંડ ફોજદારી કાર્યવાહી કર્યા બાદ જ થઈ શકે, અધિકારીઓને દંડ કરવાની કોઈ સત્તા નથી. તે પ્રકારનો દંડ સિદ્ધાંત ઉપરોક્ત ચુકાદામાં પ્રતિપાદિત કરેલ છે.
3 સી.આર.પી.સી. 468 મુજબ કોઈપણ સરકારી લેણું વસુલવા માટે જે કલમમાં દંડની જોગવાઈ હોય તેમાં વધુમાં વધુ 6 માસમાં તંત્ર દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવો પડે, જો આ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવે તો તે સરકારી લેણું (દંડ) આપોઆપ લિમિટેશન એક્ટ મુજબ રદ થવાને પાત્ર છે.



