29મી એપ્રિલે ટ્રસ્ટી સમીર પટેલે ગુગળી બ્રાહ્મણ સમાજનાં લોકોને ‘ચોર’ કહેતાં વિરોધ
દ્વારકા અને બેટ દ્વારકાનાં 505 ગુગળી બ્રાહ્મણ સમાજનાં લોકોએ કલેક્ટરને આવેદન આપી કાર્યવાહી કરવા કરી માંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકા મંદિરના ટ્રસ્ટી સમીર પટેલ દ્વારા પુજારી બ્રાહમણો વિશે ઓશોભનીય વાણી વિલાસ કર્યો હોવાના મુદ્દે દ્વારકા અને બેટ દ્વારકા 505 ગુગળી બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ જાગ્યો હતો. અને આ બાબતે જિલ્લા કલેક્ટરને આવેદન પણ પાઠવવામાં આવ્યુ છે. યાત્રાધામ બેટ દ્વારકામાં બેટ દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટી સાથે અમુક મહેમાનો દર્શનાર્થે આવ્યા હતા જે સમયે ટ્રસ્ટી સમીરભાઇ પટેલે પુજારી બ્રાહ્મણો વિશે અશોભનીય વાણી વિલાસ કરતા અયોગ્ય શબ્દ પ્રયોગ કરતા બ્રહ્મ સમાજના આગેવાનો એકત્ર થયા હતા. અશોભનીય વાણી વિલાસ સામે બ્રહ્મ સમાજમાં ભારે આક્રોશ છવાયો હતો. જયારે દ્વારકા અને બેટ ગુગળી 505 બ્રાહ્મણ સમાજમાં ભારે રોષ ભભૂકયો હતો.
આ અંગે બેટ દ્વારકાનાં વેપારી અગ્રણીએ સરકાર અને જવાબદાર તંત્રને સ્થિતિનો ચિતાર આપતો પત્ર લખીને ઘટતું કરવા રજુઆત કરી હોવાનુ સામે આવ્યુ છે.
ગત તા.29મી એપ્રિલના બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સમીર પટેલ તથા અન્ય એક દ્વારા બેટ 505 ગૂગળી બ્રાહ્મણ સમાજના લોકોને ચોર કહ્યા હોવાના મુદ્દે શનિવારે ભૂદેવો દ્વારા વિરોધ દર્શાવી તેનુ રાજીનામુ તથા સમાજની માફી માગવા જણાવ્યું હતુ. જયારે મંદિરમાં નિત્યક્રમ અને ગોરપદુ કરતા ભૂદેવોને ચોર કહેતા વાત વણસી હતી.