જો આમ ચાલ્યું તો વેપાર-ધંધા, સ્કૂલો બધુ બંધ થઈ જશે : સીલ માટે ગાઈડલાઈન જાહેર કરો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ મનપા દ્વારા ધડાધડ મિલકતો સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મનપા તંત્ર દ્વારા આડેધડ મરાતા સીલને લઈને વેપારીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાના આગેવાનોમાં ભારે રોષ પણ છે. ત્યારે આજે જુદાં-જુદાં 50થી વધુ એસોસિએશનના હોદ્દેદારોએ મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી. જેમાં દુકાનો, શોરૂમ, ઔદ્યોગિક એકમો, શાળાઓને આડેધડ સીલ કરવાની સામે વિરોધ પ્રગટ કર્યો હતો અને ફાયર ગઘઈ ઉપરાંત ઇઞ પરમિશન મુદ્દે વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાનો આરોપ લગાવી આ પ્રક્રિયા માટે સમય આપવા માંગ કરવામાં આવી હતી. જેમાં મ્યુ. કમિશનરે નિયમો અનુસાર શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી.
- Advertisement -
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં સેક્રેટરી નૌતમ બારસિયાનાં જણાવ્યા અનુસાર આજે રાજકોટનાં તમામ વેપારી એસોસિએશનો દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં સીલિંગની કાર્યવાહી ચાલી રહી છે તે કરતા પહેલા વેપારીઓને થોડો સમય આપવાની માંગ કરવામાં આવી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, સરકાર અને કોર્પોરેશન દ્વારા જે રીતે તાત્કાલિક ફાયર ગઘઈ લેવામાં નહીં આવે તો સીલ મારી દેવામાં આવશે તેવું વલણ અપનાવવામાં આવ્યું છે. છેલ્લા સપ્તાહમાં અનેક એકમોને સીલ કરી દીધા છે. આ પ્રકારની કામગીરી સામે વેપારીઓમાં વિરોધ છે. 10-15 વર્ષ જુના બિલ્ડીંગોમાં તંત્રએ અત્યાર સુધી કોઈ ચેકિંગ કેમ ન કર્યું? હાલ અચાનક સીલ કરી દેવામાં આવી રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર અને તંત્ર આવો જ અભિગમ ચાલુ રાખશે. તો અત્યારે 1000 લોકો આવ્યા છે. આગળ જતાં સપ્તાહમાં 10,000 લોકો આવશે. આ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. તો વેપાર-ધંધા અને સ્કૂલો પણ બંધ થઈ જશે. શા માટે સીલ લાગે છે? કઈ રીતે ખોલી શકાય છે તેની પણ કોઈ ગાઈડલાઈન નથી. તો આ બાબતોથી સામાન્ય વેપારી અવગત થાય તેવી ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ. ફાયર ગઘઈ અંગેની ગાઈડલાઈનનો પ્રચાર થવો જોઈએ.
મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈનાં જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણેક દિવસથી ફાયર NOCઅને BU પરમિશન માટે સમય આપવાની રજૂઆતો મળી રહી છે. કેટલાક લોકો પાસે ફાયર NOC છે BUનથી, તો કેટલાક લોકોની પાસે ઇઞ છે પણ ફાયર ગઘઈ નથી. અને અમુક એવા એકમો છે જેની પાસે બન્નેમાંથી કંઈપણ નથી. ત્યારે રાજ્ય સરકાર અને અન્ય મહાનગરપાલિકાઓ સાથે સંકલન સાધી આગામી બે દિવસમાં આ માટેની ખાસ એસઓપી બનાવવામાં આવશે અને ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.
- Advertisement -
વેપારીઓ દ્વારા શું માંગણી કરાઈ?
યુનિટની વિઝીટ કરી ઈન્સ્પેકશન કરી ક્ષતિ નોંધ- ક્વેરી આપવી જોઈએ.
ક્ષતિ નોંધ- ક્વેરી આપ્યા બાદ ક્ષતિપૂર્તિ- કોમ્પ્લાયન્સ કરવા માટે વ્યાજબી સમય આપવો જોઈએ.
કોમ્પલાયન્સ આવ્યા બાદ જો અસંતોષ લાગે તો જે તે મુદ્દાની ક્ષતિપૂર્તિ કરવા માટે આખરી નોટીસ આપવી જોઈએ.
ઉપરોક્ત કાર્યવાહી ઓનલાઈન માધ્યમથી કરવામાં આવે તો ભ્રષ્ટાચારને પણ નિવારી શકાય.
કોઈપણ સરક્યુલર કે નોટીફીકેશન કે કાયદા-કાનુન દ્વારા સુધારા-વધારા થાય તો તેની જાણકારી માટે- અવેરનેશ માટે યોગ્ય મિકેનીઝમ ગોઠવવું જોઈએ.
કોર્પોરેશન દ્વારા ડિઝાસ્ટરના પ્લાનીંગ માટે યુનિફોર્મ એસ.ઓ.પી. જાહેર કરવી જોઈએ અને સાથોસાથ પોલીસી જાહેર કરવી જોઈએ.
જૂના બિલ્ડિંગના વપરાશકારોની હાર્ડશીપ ધ્યાને લઈ કેશ ટુ કેશ નિકાલ માટે અધિકારીની અને પદાધિકારીની લવાદ તરીકે કમિટી બનાવી નિકાલ કરવો જોઈએ.
તમામ ડિઝાસ્ટર માટે ડેજીગ્નેટેડ ઓફિસરની નિમણુંક કરવી જોઈએ.
ઈન્સ્પેકશન સહિતની ફિલ્ડની તમામ કાર્યવાહી ઓનલાઈન થવી જોઈએ અને ક્વેરી રીપોર્ટ પણ ઓનલાઈન આપવો જોઈએ જેથી કરીને અનએથીકલ પ્રવૃત્તિને નિવારી શકાય.