ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટ જિલ્લામાં મોરબી રોડ પર રતનપર પાસે શ્રી રામચરિતમાનસ મંદિરમાં રવિવાર તા. 16ના રોજ સવારે 9-30થી 12 સુધી નિ:શુલ્ક ફિઝિયોથેરાપી નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ ડો. દેવકી મહેતા, ડો. રાગિણી રાય, ડો. સારંગ અગ્રહરી, ડો. પ્રિયંકા સુરી સેવા આપશે. હાર્ટ પેશન્ટને તથા સગર્ભા મહિલાઓને ડોકટરની સલાહ મુજબની ફિઝિયોથેરાપી આપવામાં આવશે ઉપરાંત ફિટનેસ, વેઈટલોસ, ડાયેટ ચાર્ટ અંગે વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે. આડઅસરરહિત આ નિ:શુલ્ક ફિઝિયોથેરાપી નિદાન-સારવાર કેમ્પનો લાભ લેવા ઈચ્છતા સર્વેને રવિવાર તા. 16ના રોજ સવારે 9-30 કલાકે રામચરિતમાનસ મંદિરે ઉપસ્થિત રહેવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.
રામચરિતમાનસ મંદિરે ફિઝિયોથેરાપીનો નિ:શુલ્ક નિદાન-સારવાર કેમ્પ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/06/24-7.jpg)