પેશન્ટને એક્સપર્ટ ઓપિનિયનનો લાભ મળશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના જરૂરિયાતમંદ નાગરિકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજિક વિકાસ ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા એન્કોલોજી એસોસિએટસ હેલ્થ કેર ગ્લોબલના સંયુક્ત ઉપક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્ર્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે. શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ અગાઉથી રજિસ્ટ્રેશન કરાવી લાભ લઈ શકશે.
- Advertisement -
જે અંતર્ગત તા. 11-1 શનિવારના રોજ કેન્સર નિષ્ણાત ડો. પરીન પટેલ, પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, ‘કિલ્લોલ’ 1-મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ રાજકોટ (ફોન નં. 2704545) ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન સવારે 9થી 10 વાગ્યા સુધી કરી આપશે. રજિસ્ટ્રેશન રૂબરૂ અથવા ફોનથી પણ કરાવી શકાશે. આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત તબીબ ડો. પરીન પટેલ સેવાઓ આપશે જે અંતર્ગત મોં, ગળુ, જડબાના કેન્સરનું નિદાન કરી અપાશે, જેનો વિનામૂલ્યે લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીએ અનુરોધ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આરોગ્ય ક્ષેત્રે જરૂરિયાતમંદ પ્રજાજનોની સેવાઓ માટે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટના મુખ્ય બિલ્ડિંગમાં ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર દસ રૂપિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરના નિષ્ણાત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે. દર બુધવારે સવારે 9થી 12 વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહતદરે લેબોરેટરી, એક્સ-રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે.
ટ્રસ્ટના મેડિકલ સેન્ટરમાં ચેરમેન વિજયભાઈ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવિણભાઈ રૂપાણી, અંજલિબેન રૂપાી, રંજનબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, મેહલભાઈ રૂપાણી, રાજેશભાઈ રૂપાણી તથા અમીનેશભાઈ રૂપાણી સહિતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેક્ટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડિકલ કમિટીના મેમ્બર્સ અંજલિબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. નયનભાઈ શાહ, ડો. વિભાકરભાઈ વચ્છરાજાની, દિવ્યેશભાઈ પટેલ તથા બિપીનભાઈ વસા કાર્યરત છે. વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં. 0281-2704545 દ્વારા સંપર્ક કરી શકાશે.