By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    5 hours ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    7 hours ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    8 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    6 hours ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    7 hours ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    8 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    8 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    6 hours ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    1 day ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    1 day ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 day ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેતલસરના વેપારીએ 70 લાખ સામે 1.57 કરોડ ચૂકવ્યાં છતાં જમીન પચાવી પાડવા વ્યાજખોરોની ધમકી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જેતલસરના વેપારીએ 70 લાખ સામે 1.57 કરોડ ચૂકવ્યાં છતાં જમીન પચાવી પાડવા વ્યાજખોરોની ધમકી
રાજકોટ

જેતલસરના વેપારીએ 70 લાખ સામે 1.57 કરોડ ચૂકવ્યાં છતાં જમીન પચાવી પાડવા વ્યાજખોરોની ધમકી

Khaskhabar Editor
Last updated: 2025/04/15 at 4:44 PM
Khaskhabar Editor 1 year ago
Share
7 Min Read
SHARE

જેતપુરના બે ભાઈઓએ 40 લાખના 96.55 લાખ વસુલયા: કેશોદના વ્યાજખોરોએ 30 લાખના 60 લાખ લીધાં પછી કરોડોની જમીન વેંચી નાખવાની ધમકી આપી
જેતપુર તાલુકા પોલીસે સાત શખ્સો સામે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

જેતલસરના વેપારીએ 70 લાખના 1.57 કરોડ ચૂકવ્યાં છતાં વ્યાજખોરોએ જમીન પચાવી પાડવા ધમકી આપતાં જેતપુર તાલુકા પોલીસે સાત શખ્સો સામે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેતપુરના ટીલાળા બંધુએ 40 લાખના 96.55 લાખ પડાવી લીધાં, બાદ કેશોદના વ્યાજખોરોએ 30 લાખના ડબલ રૂપીયા લીધાં બાદ પણ કરોડોની જમીન વેંચી નાંખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે અમદાવાદમાં આવેલ આંબાવડી વિસ્તારમાં રહેતાં મૂળ જેતપુરના જેતલસર ગામના વતની વિકેશભાઈ પરસોતમભાઈ ભુવા ઉ.48એ જેતપુરના રૂપાવટી ગામના મગન ચોવટીયા, જેતપુરના નિલેશ દામજી ટીલાળા, ભાવેશ દામજી ટીલાળા, કેશોદના રામ લખમણ કેશવાલા, મશરી દેવશી બારીયા, મહેશ જોશી, યશ મશરી બારીયા સામે જેતપુર તાલુકા પોલીસમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ દિતી એન્જીનીયરીંગ નામની કંપની ચલાવે છે. તેઓ છેલ્લા 32 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને માતા-પિતા જેતલસર ગામે રહે છે. તેમના પિતા પરસોતમભાઈ ભુવાના નામે જેતલસર ગામે ત્રણેક એકર જમીન આવેલ છે 2015માં ધંધા માટે ચાલીસ લાખની જરૂરીયાત ઉભી થયેલ, જેથી જમીનની લે-વેચની દલાલી કરતા મગન ચોવટીયાને તેઓની જમીન વેચાણની વાત કરેલ હતી.

મગન ચોવટીયાએ કહેલ કે, તમારી જમીનની પાસે બાયપાસ રોડ નીકળે છે, જેથી તેના ભાવ વધશે, તમને હું શરાફી વ્યાજે રૂપીયા અપાવી દઇશ, પરંતુ તમારે તમારી જમીનનો જામીનગીરી પેટે દસ્તાવેજ કરી આપવો પડશે, તમે જે રૂપીયા લો તેનું વ્યાજ તમારે દર મહીને ભરવાનું રહેશે, તમારી જમીનનો દસ્તાવેજ થઇ ગયા બાદ પણ જમીનનો કબ્જો તમારી પાસે રહેશે અને ખેતી કરી શકશો, મુળ રકમ તથા વ્યાજ પરત કરશો એટલે પરત દસ્તાવેજ કરી આપશે તેમ વાત કરેલ હતી તે બાદ મગન ચોવટીયા તથા ભાવેશ ટીલાળા જેતલસર તેઓના ઘરે આવેલ અને તેને જમીન બતાવેલ હતી. તે બાદ નીલેશ ટીલાળા તથા ભાવેશ ટીલાળા પાસેથી રૂ. 40 લાખ માસીક 3 ટકા વ્યાજે મગન ચોવટીયાએ અપાવેલ અને રૂપીયાની જામીનગીરી પેટે જમીનનો દસ્તાવેજ પિતાએ ગઈ તા.21/01/2015 ના જેતપુર સબ રજીસ્ટ્રારની ઓફીસે કરી આપેલ હતો. તેઓને વ્યાજ દર માસે રૂ.1.20 લાખ આપવાના હતા જેમાં પ્રથમ ચાર મહિનાનું અલગ અલગ આંગડીયા મારફતે દર માસે કુલ રૂ. 4.80 લાખ વ્યાજ ભાવેશ ટીલાળાને મોકલેલ હતા. તે બાદ ધંધામાં મંદી આવતા પાંચેક મહીના સુધી વ્યાજ મોકલેલ નહી, જેથી આરોપીઓ જેતલસર તેમના ઘરે ગયેલ અને પિતા પરસોતમભાઇ ભુવા પાસે વ્યાજની ઉઘરાણી કરી ગાળો દીધેલ અને કહેલ કે, જો તું કે તારો દીકરો વ્યાજ નહી આપો તો બંનેને ખોઈ નાખવા પડશે તેમજ જમીનનો કબજો લઇ લેવાની ધમકી આપેલ હતી તે વખતે કૌટુંબીક ભાઈ હરસુખભાઈ ભુવાએ ભાવેશ ટીલાળાને કહેલ કે, તમે અહીંયા માથાકુટ ન કરો અહીંયાથી જતા રહો તમારી પૈસા બાબતની મેટર છે તે તમે તેનો દીકરો આવે ત્યારે મળી લેજો તેમ કહી તેને રવાના કરી દીધેલ. તે બાદ તેઓને ભાવેશ ટીલાળાએ તેની જેતપુરની ઓફીસે બોલાવેલ, તે વખતે હાજર અન્ય આરોપીએ કહેલ કે, તમે વ્યાજ સમયસર આપતા નથી એટલે વ્યાજ તથા પેનલ્ટી રૂ.15 લાખ, મુળ રકમ રૂ.40 લાખ મળી કુલ રૂ.55 લાખ થાય છે તેનું વ્યાજ તમારે હવે 3 ટકાને બદલે હવે 5 ટકા લેખે આપવાનું રહેશે અને જો વ્યાજ નહી આપો તો જમીન બીજાને વેચી નાખીશું અમારૂ કોઈ કાંઇ બગાડી નહી લે તમે વહેમમાં ન રહેતા તેમ કહી માનસિક ત્રાસ આપી ગાળો આપેલ હતી.

વ્યાજખોરના ડરથી અને જમીન બીજાને વેચી નાખશે તેમ ડર લાગતા રૂ. 2.75 લાખની વ્યવસ્થા કરી ઓકટોબર 2015 માં આંગડીયા મારફતે ભાવેશ ટીલાળાને મોકલેલ હતા. ત્યારબાદ આરોપીઓ અવાર નવાર ફોન કરી વ્યાજની માંગણી કરતા હતા. તેઓનો જમીનની કિંમત બે કરોડ જેવી થતી હોય, તે જમીન અડધી કિમંતમાં વેચી નાખવાની ધમકી આપતા હતા. તેમણે રૂ.40 લાખના વ્યાજ, પેનલ્ટી તથા મુળ રકમ સહિત રૂ.,90 લાખની માંગણી કરી કહેલ કે, રૂ.90 લાખ આપશો તો તમને તમારી જમીનનો દસ્તાવેજ કરી આપશું તે બાદ જમીન દલાલ ભુપતભાઈ ભુવાનો ફોન આવેલ અને તેમણે મને કહેલ કે, તમારી જમીન ભાવેશભાઇ ટીલાળાને ત્યાં ગીરવે પડેલ છે તો તમારે તે જમીન વેચી દેવાની છે તેમ વાત કરતા તેને તમામ વાત કરેલ હતી. બાદમાં આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર જેતપુરના નાથાભાઈ માવાણીને ની ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજથી વેચી નાખેલ હતી. જે જમીન રૂ.67 લાખમાં વેચાણ કરેલ હતી. જે બાદ પણ ભાવેશ ટીલાળાએ વ્યાજના રૂ.22 લાખ આપવાની વાત કરેલ હતી. તે બાદ વ્યાજના રૂપીયા આપવા તેઓએ કેશોદ રહેતાં મિત્ર વિઠલભાઇ પીપળીયાનો સંપર્ક કરતાં તેમણે હું બીજાને જમીન જોવા માટે ત્યા લઈને આવું છું, જે બાદ તે રામ કેશવાલા, મશરી બારીયા અને મહેશ જોષી જમીન જોવા આવેલ હતા. તે બાદ રૂ.30 લાખ વ્યાજે આપવાનો વાત થયા બાદ તેની મુલાકાત ભાવેશ ટીલાળા સહિતના આરોપી સાથે કરાવેલ હતી. ત્યારબાદ ત્રણેય દસ-દસ લાખ કરી રૂ.30 લાખ રોકડા માસીક 3 ટકા વ્યાજે આપેલ હતા. જે બાદ જમીનનો દસ્તાવેજ કેશોદના ત્રણેય શખ્સોના નામનો ગઇ તા.06/04/2016 ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપેલ હતો રૂ. 30 લાખમાંથી ભાવેશ ટીલાળાએ તેના વ્યાજના રૂ. 22 લાખ લીધેલ અને રૂ. 8 લાખ તેઓને આપેલ હતા. જમીનનો કબ્જો ફરીયાદી પાસે છે. રૂા.30 લાખનું માસિક વ્યાજમાં રામ કેશવાલાલાને 14 મહીનાનું વ્યાજના રૂા.4.20 લાખ રોકડા, રૂ.10 લાખ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુળ રકમ પણ આપી દીધેલ હતી. તેમ છતા હજું પણ રૂ.3 લાખની માંગણી કરેલ છે. તેમજ મશરી બારીયાને કુલ રૂ.28.60 લાખ વ્યાજ ચુકવેલ છે. તેમજ મહેશ જોષીને કુલ રૂ.17.55 લાખ ચુકવેલ છે તે બાદ પણ મશરી બારીયા તથા તેનો દીકરો યશ સહિત ચારેય લ અવાર નવાર ફોનમાં તથા રૂબરૂ કહેતા કે વ્યાજ તથા રૂપીયા આપી દો નહી તો તમારી જમીન બીજાને વેચી નાખશું અને તેના રૂપીયા જે આવશે તેમાંથી તને કાંઈ આપશું નહી. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

- Advertisement -

You Might Also Like

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરી ધમકી આપવાના વ્યાજંકવાદના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો
Next Article રામનાથપરામાં પિતાએ પોલીસ મથકમાં પુત્રને મારકૂટ કરતાં પુત્રએ આપઘાત કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
નહેરૂનગરમાં ગાળો બોલવા પ્રશ્ને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : જાહેરમાં છરીઓ ઉડી
જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?