ફ્રિડમ યુવા ગ્રુપ પ્રેરીત ગાંધી વિચાર યાત્રા સમીતી દ્વારા કોરોના સામે જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ
“ ભૂલકાઓ ગાંધીજી અને કસ્તુરબાના પાત્રો દ્વારા ” મેં પણ ટેસ્ટ કરાવ્યો અને તમે……..? નો સંદેશ પાઠવ્યો
સમગ્ર ભારતમાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસે છેલ્લા ૧૬ વર્ષો થી ગાંધી વિચારના પ્રચાર પ્રસારના હેતુ સાથે ગાંધીજીના જીવન કવન આધારીત બે ડઝન થી વધારે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ જીવંત ફ્લોટ્સ જયુબેલી ચોક ગાંધીજીની પ્રતિમા થી પ્રારંભ કરી રાજકોટના રાજમાર્ગો પર ગાંધી વિચાર રેલાવી વાતાવરણને ગાંધીમય કરતા રાષ્ટ્રીય શાળા ખાતે વિરામ પામી પ્રાર્થના સભા બાદ વિસજૅન થતુ.અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૧૫ વર્ષોની યાત્રા દરમ્યાન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી , કર્ણાટકના ગવનૅર શ્રી વજુભાઈ વાળા , ગાંધીજી ના પ્રપૌત્ર શ્રી તુષારભાઈ ગાંધી , તારક મહેતા ના ઉલટા ચશમાંની ટીમ સહીતનાઓ સહભાગી બન્યા
પરંતુ આ વર્ષે સમગ્ર વિશ્વ અને ભારતમા કોરોના મહામારીનો હાહાકાર છે , રાજકોટમાં પણ કોરોના બેકાબુ બન્યો છે અને રોજે રોજ પોઝીટીવ કેઈસ વધી રહ્યા છે તેમજ સરકાર શ્રી ની માર્ગદર્શિકા મુજબ સામાજીક મેળાવડાની મનાઈ હોવાથી ચાલુ વર્ષેઠે ગાંધી વિચાર યાત્રાનું આયોજન મુલત્વી રાખેલ હોય પરંતુ ગાંધી વિચાર યાત્રા સમીતી દ્વારા કોરોના સામે જન જાગૃતિ લાવવાના હેતુ સાથે વિહાન વોરા,ગીત,અને ચંચલ આ બાળકો દ્વારા ગાંધી કસ્તુરબા અને ડોકટરના પાત્રો ભજવી,ગાંધીજી અને કસ્તુરબા પ્રજાને અપીલ કરે છે કે મેં પણ ટેસ્ટ કરાવ્યો અને તમે ? ” તેમજ સોશીયલ ડિસ્ટન્સનું પાલન હાથ ધોવા માસ્ક પહેરવુ સહીતના સંદેશા અગપી રહ્યા છે.તેમજ આ સમગ્ર સોશીયલ મીડીયા,પ્રીન્ટ તેમજ ઈલેક્ટ્રોનીક મીડીયા ના માધ્યમ થી છેવાડા ના નાગરીક સુધી આ જનજાગૃતિ ફેલાવવાનું બીડુ ફિડમ યુવા ગ્રુપ અને ગાંધી વિચાર યાત્રા સમીતી દ્વારા ઉપાડવા માં આવેલ છે.
ગાંધી જયંતિના દિવસ થી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.આ સમગ્ર આયોજન સંસ્થાના સ્થાપક અને ગાંધી વિચાર યાત્રાના પ્રણેતા ભાગ્યેશ વોરાના માર્ગદર્શન હેઠળ મનોજ ડોડીયા,પ્રવીણ ચાવડા,સંજય પારેખ,કિરીટ ગોહેલ,રીતેશ ચોકસી,સુરેશ રાજપૂરોહીત,નીમેષ કેસરીયા,અલ્પેશ ગોહેલ, અલ્પેશ પલાણ,જયપ્રકાશ ફૂલારા,રસીક મોરપરા,અજીત ડોડીયા,સંજય ચૌહાણ,જય દૂપૈયા,જય આહીર,રોહીત નીમાવત,ધવલ પડીઆ,મીલન વોરા, ધ્રુમીલ પારેખ,ચંદ્રેશ પરમાર,દિલજીત ચૌહાણ,રાજન સૂરુ સહીતનાઓ જહેમત ઉઠાવી હતી.