ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
સ્વચ્છતાની આ પ્રવૃતિને વધુ આગળ વધારવા, રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજય સરકારશ્રી દ્વારા નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કરવામાં આવેલ છે. નિર્મળ ગુજરાત 2.0 ના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.01/06/2024 થી તા.15/06/2024 દરમ્યાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.10/06/2024 ના રોજ રાજકોટ શહેરનાં 75 રેસીડેન્સીયલ વેલ્ફેર એસોસિએશન (છઠઅ) અને હાઉસિંગ કોલોનીમાં સ્વ-સહાય જૂથના બહેનો દ્રારા કચરાના વર્ગીકરણ અંગે તાલીમ આપવામાં આવી. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપરવિઝનમાં આસી. 5ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસરહાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
શહેરના RWA અને હાઉસિંગ કોલોનીમાં સ્વ-સહાય જૂથના બહેનો દ્વારા કચરાના વર્ગિકરણ અંગે તાલીમ અપાઇ
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/06/23-8.jpg)