સાસણ ગિરથી સિંહ વસતી ગણતરીનો પ્રારંભ
આજથી 11 જિલ્લામાં ચાર દીવસ 3 હજાર લોકો સિંહ ગણતરી કરશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.10
જૂનાગઢ સાસણ ગીર સેન્ચુરી સહીત 11 જિલ્લામાં 53 તાલુકના 53 હજાર સ્કવેર કિમિમાં ફેલાયેલ એંશીયટિક સિંહો મુક્ત મને વસવાટ કરતા સિંહોની આજથી વસ્તી ગણતરીનો પ્રારંભ વન્ય પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને વન કધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. 1936 માં શરુ થયેલ સિંહ વસતી ગણતરી દર પાંચ વર્ષે સિંહ ગણતરી કરવામાં આવે છે. આ 2025ની સિંહ વસ્તી ગણતરીનો આજથી સાસણ ગીર સિંહ સદન ખાતેથી વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને વન અધિકારી એ. પી. સિંહ, સીસીએફ રામરતન નાલા, સાસણ ડીએફોઓ ડો. મોહન રામ સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહી સિંહ ગણતરીમાં ભાગ લેનાર વનકર્મી, સામાજીક સંસ્થાઓ, એનજીઓ સહીતની હાજરીમાં બાઈક રેલીને હરિ ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું અને આજથી 11માં ગણતરીમાં રોકાયેલ તમામ લોકો હાઈ ટેકનોલોજી સાથે ગણતરી કરવામાં આવશે જયારે ગત 2020 માં સિંહ ગણતરીનું અવલોકનમાં 674 સિંહની ગણતરી થઇ હતી પણ જે રીતે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાઈન પ્રોજેક્ટ થકી સિંહોની સંખ્યમાં વધારો થશે અને સિંહ પ્રેમીના સૂત્રો માંથી મળતી વિગત મુજબ સિંહોની સંખ્યા 800 પાર થશે આ ચાર દીવસ સુધી સિંહ વસતી ગણતરી ચાલશે.