By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓ, કલ્ચરલ એક્સચેન્જ વિઝિટર્સ અને પત્રકારોના વિઝાની મુદ્દત ઘટશે
    16 minutes ago
    અમેરિકાની મિનેસોટા કેથોલિક સ્કૂલમાં થયેલા હુમલામાં 2 બાળકોના મોત, 17 પીડિતો ઘાયલ
    5 hours ago
    હુથી વિદ્રોહીઓના હુમલા બાદ યમનના સનામાં ઇઝરાયલી બોમ્બમારાથી છ લોકોના મોત
    3 days ago
    ભારત દ્વારા પાણી છોડવામાં આવતાં પંજાબની નદીઓમાં પાણી ભરાયા
    3 days ago
    શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની રાજ્ય ભંડોળના દુરુપયોગ કેસમાં ધરપકડ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ટેલે નેપાળ થઈને બિહારમાં જૈશના 3 આતંકવાદીઓ ઘૂસ્યા, રાજ્ય હાઈ એલર્ટ પર
    2 hours ago
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે, સંરક્ષણ, વ્યાપાર, અર્થવ્યવસ્થા સાહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે
    3 hours ago
    વેપાર હવે હથિયાર બની ગયો છે: રઘુરામ રાજન અમેરિકાના ટેરિફને ભારત માટે ચેતવણીનો ઘંટ ગણાવ્યો
    3 hours ago
    મિઝોરમ વિધાનસભામાં ભિક્ષાવૃત્તિ પર પ્રતિબંધ મૂકતો બિલ પસાર
    3 hours ago
    જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં ભારતીય સેનાએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓને ઠાર માર્યા
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રવિચંદ્રન અશ્ર્વિને IPLમાંથી નિવૃત્તિ લીધી: ટુર્નામેન્ટમાં 221 મેચ રમી
    23 hours ago
    ભારત FIDE વર્લ્ડ કપનું આયોજન કરીને ખુશ છે : પ્રધાનમંત્રી મોદી
    1 day ago
    ચેતેશ્ર્વર પુજારાની ક્રિકેટમાંથી નિવૃત્તિ : ‘યંગ ક્રિકેટરોને તક મળે તે માટે લીધો નિર્ણય’
    3 days ago
    ડ્રીમ11 એ BCCI ને કહ્યું કે તે હવે ભારતીય ક્રિકેટ ટીમને સ્પોન્સર કરશે નહીં; બોર્ડે સત્તાવાર રીતે કરાર સમાપ્ત કર્યો
    3 days ago
    એશિયા કપમાં ભારત – પાકિસ્તાન મેચ યોજાશે : સરકારે મંજૂરી આપી
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર અપહરણ અને મારપીટ કર્યાનો આરોપ
    2 hours ago
    પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાની ઘરે બંધાશે પારણું
    3 days ago
    સાઉથ ઈન્ડિયાની એ ફિલ્મ જેમાં બોબી દેઓલ થલાપતિ વિજયની સામે એક વિલનનો રોલ પ્લે કરશે
    3 days ago
    એઆઈ નવી ઊભરતી પ્રતિભા અને મ્યુઝિકની ક્રિએટિવિટીને ગળે ટુંપો દઈ દેશે: આશા ભોસલે
    6 days ago
    શ્રીમતી કોમલ હાથી પણ તારક મહેતા શો છોડશે?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    24 hours ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    1 day ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    2 days ago
    Ganesh Chaturthi 2025: ક્યારે ગણપતિજીનું સ્થાપન અને વિસર્જનનું કરવું?
    3 days ago
    પર્યુષણ પર્વ નિમિત્તે : તીર્થંકરની માતાને આવેલા ચૌદ મહા સ્વપ્નોનું મહાત્મ્ય
    5 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    30 કમ્પ્યુટર ટીચરની ભરતીમાં વિક્રમ પુજારાએ મલાઈ તારવી લીધાની ચોમેર ચર્ચા
    23 hours ago
    વાઈસ ચાન્સેલર ઉત્પલ જોશીએ 5 ભવનમાં માનીતાં HOD ગોઠવી દીધાં
    24 hours ago
    દત્તોપંત ઠેંગડી લાયબ્રેરીની આરદેશણાનાં પાપે અવદશા: સુનિલ દેત્રોજાએ પાળ પીટી નાંખી
    3 days ago
    કરોડોના કૌભાંડનાં તાર પોરબંદર સુધી પહોંચે છે
    7 days ago
    દિનેશ સદાદિયાને બચાવવા કિરીટ પરમાર, આરદેશણા, પૂજારા અને દિક્ષિત પટેલનાં ધમપછાડા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સારું લખવું હોય તો શું કરવું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સારું લખવું હોય તો શું કરવું?
Author

સારું લખવું હોય તો શું કરવું?

Khaskhabar Editor
Last updated: 2023/08/14 at 5:11 PM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

ગુજરાતી પ્રજા વાંચતી નથી એવી મારી ફરિયાદ નથી. ગુજરાતીઓ આખો વખત મોબાઈલમાં અને સોશ્યલ મીડિયામાં રચ્યા-પચ્યા રહે છે એવી પણ મારી ફરિયાદ નથી. મારી ફરિયાદ એ છે કે મોટાભાગના ગુજરાતીઓ મોબાઈલ પર, ફેસબુક-ટ્વિટર વગેરે પર કે ઈવન છાપાં-મેગેઝિનોમાં, ડિજિટલ મીડિયા પર તેમજ છાપેલાં પુસ્તકોમાં કચરપટ્ટી લખાણો વાંચતા રહે છે. કચરપટ્ટી એટલે કેવી કચરપટ્ટી? જે વાંચીને ન તો તમારી અક્કલમાં ઉમેરો થાય, ન તમારી આંતરિક સમૃદ્ધિ વધે, ન તમારા અજ્ઞાનનાં અંધારાં દૂર થાય, ન તમને નિર્ભેળ સાત્ત્વિક આનંદ મળે, ન તમને સાચો પર્સપેક્રિટવ મળે. પુસ્તકો લખનારા, છાપાં-મેગેઝિનોમાં કલમ ઘસડનારા અને સોશ્યલ મીડિયામાં અધકચરી જાણકારી સાથે ફેકમફેંક કરનારાઓ પોતાની જાતને મહાકવિ, મૂર્ધન્ય લેખક અને બેસ્ટ સેલર નવલકથાકાર-ચિંતન-ફિંતક મોટિવેટર-ફોટિવેટર કહેવડાવતા ફરે છે. એમની આસપાસ ગરબે ઘૂમતું પાંચ-પચાસનું વર્તુળ હોય છે જેમને પેલા લખનારાઓ પંપાળ્યા કરે છે અને વાંચનારાઓ બજારમાં ચાર જણાને કહેતાં ફરે છે કે અમારે તો ફલાણા મહાકવિ, મહાનવલકથાકાર, મહા ટૂંકી વાર્તા લેખક, મહાચિંતક, મહામોટિવેટર, મહા-મહા-મહા સાથે ઘર જેવો સંબંધ છે.
જેમને સારું લખવું છે, નક્કર લખવું છે એવા નવોદિતો આ વાતાવરણમાં મૂંઝાઈ મરે છે અને આ જ સ્ટાન્ડર્ડ નોર્મ છે એમ માનીને આ ગાડરિયા પ્રવાહમાં તણાઈને પોતાને મળેલા મા સરસ્વતીના આશીર્વાદને વેડફી નાખે છે.
વાંચનારાઓની પણ આ જ દશા થાય છે. જેમને મમરાની ગુણમાં નહીં પણ બદામની પોટલીમાં રસ છે એવા વાચકો આ ઉકરડામાં છુપાયેલી કોઈ સારી ચીજ હશે એમ માનીને ધૂળધોયા જેવું કામ કરવા જાય છે પણ છેવટે એમને ઘોર નિરાશા જ સાંપડે છે.
જૂનું એટલું સોનું અને નવું એટલું કથીર એવું કહેવાનો આશય નથી, પણ જૂનામાં રહેલું સોનું ક્યાં છે એવું માર્ગદર્શન મળે એટલા એવન્યુઝ કેટલા છે અત્યારે? નવામાં આવતાં કથીરને દૂર કરીને જેન્યુઈન માલ ક્યો છે એ વિશે દિશાસૂચન કરનારા કેટલા છે અત્યારે? મારે હિસાબે કોઈ નહીં. પુસ્તકોના પ્રકાશકોને પોતે છાપેલો માલ વેચવામાં રસ છે. આ પ્રકાશકોમાંથી કોણે કેટલી ચોપડીઓ ગુણવત્તાના ધોરણે છાપી છે અને કેટલી ચોપડીઓ લેખક-કવિ પાસેથી છાપકામના પૈસા લઈને છાપી છે એની ભોળા વાચકોને ખબર નથી હોતી. પ્રકાશકોની એક ટ્રેઈટ પહેલેથી રહેલી છે. તેઓ ટોચના પચ્ચીસ લેખકોની ચોપડીઓની હજારો નકલ છાપવાને બદલે બી-સી-ડી-ઈથી લઈને ઝેડ કક્ષાના લેખકોની ચોપડીઓની અમુક સો ચોપડીઓ છાપીને બજારમાં માલનો ભરાવો કરી દે છે. અનુસંધાન પાના નં. 4 પર

જૂનું એટલું સોનું અને નવું એટલું કથીર એવું કહેવાનો આશય નથી, પણ જૂનામાં રહેલું સોનું ક્યાં છે એવું માર્ગદર્શન મળે એટલા એવન્યુઝ કેટલા છે અત્યારે? નવામાં આવતાં કથીરને દૂર કરીને જેન્યુઈન માલ ક્યો છે એ વિશે દિશાસૂચન કરનારા કેટલા છે અત્યારે? મારે હિસાબે કોઈ નહીં

- Advertisement -

નવોદિત લેખકો-લેખિકાઓ કે કવિઓ-કવયિત્રીઓમાંથી કોઈનીય પાસે ન તો ઊંડાણ છે, ન વિષયની પૂરતી સમજ, ન અભિવ્યક્તિ કે શૈલીની સજ્જતા છે: પુસ્તકો છાપવાનું-છપાવવાનું સહેલું થઈ ગયું છે એટલે છાપી મારો-છપાવી મારો

સોશ્યલ મીડિયામાં લખવા જેમ કોઈ ધારાધોરણ નથી, કોઈ સંપાદક-એડિટરની આંખ તળેથી તમારું લખાણ પસાર થાય તેની જરૂર નથી એવું જ છાપાં-મેગેઝિનોનું છે

પ્રિન્ટ-ઓન-ડિમાન્ડ નામની નવી પ્રિન્ટીંગ ટેકનોલોજીને કારણે પચાસ-સો-બસો નકલોની આવૃત્તિ પ્રગટ થાય છે. ઓફસેટના જમાનામાં હજાર- બે હજાર નકલો છપાતી. નવાં નવાં કચરપટ્ટી ટાઈટલો રોજ બજારમાં ઠલવાતાં રહે છે એટલે આપણને લાગે છે કે આ ગુજરાતી પુસ્તકોની દુનિયામાં તો વસંત ખીલી છે.
છ-બાર મહિના પહેલાં મેં નહીં નહીં તોય કુલ પચ્ચીસેક હજાર રૂપિયાનાં નવાં ગુજરાતી પુસ્તકો ખરીદીને જોયાં. નવાં એટલે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં પ્રગટ થયેલાં અને એમાં મોટાભાગનાં પુસ્તકો એવાં જે ‘જાણીતા’ થયેલાં. મેં એ પુસ્તકો ‘જોયાં’, ‘વાંચ્યાં’ નહીં. મોટાભાગનાં વાંચવા જેવા લાગ્યાં નહીં. કોઈ પણ પુસ્તક પાછળ પંદરેક મિનિટ ગાળું એટલે નક્કી થઈ જાય કે આ વાંચવા જેવું છે કે નહીં, જે વાંચવા જેવાં પુસ્તકો હતાં એ બધામાંથી નવોદિતનું એકેય નહોતું- એ બધાં અગાઉ સારું કામ કરી ચૂકેલાં વેલ એસ્ટાબ્લિશ્ડ લેખકો- લેખિકાઓનાં હતાં. નવોદિત લેખકો-લેખિકાઓ કે કવિઓ-કવયિત્રીઓમાંથી કોઈનીય પાસે ન તો ઊંડાણ છે, ન વિષયની પૂરતી સમજ, ન અભિવ્યક્તિ કે શૈલીની સજ્જતા છે. પુસ્તકો છાપવાનું – છપાવવાનું સહેલું થઈ ગયું છે એટલે છાપી મારો – છપાવી મારો.
સોશ્યલ મીડિયામાં લખવા જેમ કોઈ ધારાધોરણ નથી, કોઈ સંપાદક-એડિટરની આંખ તળેથી તમારું લખાણ પસાર થાય તેની જરૂર નથી એવું જ છાપાં-મેગેઝિનોનું છે. હાલાંકિ એમની પાસે તો સંપાદકો-ઉપસંપાદકો- સહાયકોની ફોજ હોય છે. છતાં તેઓ જે આવ્યું તે છાપી મારે છે, છાપી નાખવું પડે છે એમને. શું કરે બિચારા? સારું લખનારાઓ શોધવા જાય તો એમણે છાપાંની પૂર્તિઓ અને મેગેઝિનોનાં પાનાં કોરાં રાખવા પડે.
પુસ્તકોની દુનિયામાં ગુજરાતીમાં પ્રકાશકોએ ક્યારેય પ્રોફેશનલ એડિટરો રાખ્યા નથી. બહુ બહુ તો કોઈ મૂર્ધન્ય લેખકની અવેતન સેવા લઈને એમને રિકવેસ્ટ કરે કે આ હસ્તપ્રત જોઈને કંઈ અભિપ્રાય આપો કે છાપીએ કે નહીં, મોટાભાગે તો આવા મૂર્ધન્યો પોતાના લાગતાવળગતા ચમચા-ચમચીઓને જ રેકમેન્ડ કરે અને પુસ્તક છપાઈ ગયા પછી એમને જ અવોર્ડ-પારિતોષિક અપાવે. પબ્લિશરને લાગે કે જોયું, આપણે ધુબાકો મારીને સમંદરમાંથી મોતી ગોતી લાઈવા.
બીજું એક ન્યુસન્સ અંગ્રેજી બેસ્ટ સેલરોના અનુવાદોનું ઘૂસી ગયું છે. આડેધડ ગુજરાતી અનુવાદો થતાં રહે છે. અંગ્રેજીમાં ખૂબ વેચાય છે? ચાલો, ગુજરાતીમાં છાપી મારીએ. મોટેભાગે મોટિવેશનલ કચરપટ્ટી હોય છે. ક્યારેક તદ્દન ખોટા નરેટિવ્સનો પ્રચાર કરનારાં પુસ્તકો પબ્લિશરો છાપી નાખે છે. ભારતીય સંસ્કૃતિની ઘોર ખોદવા માગતા ડાબેરી વિદેશી લેખકોનાં પુસ્તકોનો અનુવાદ થવો જોઈએ એવું સૂચન ડાબેરી ગુજરાતી અનુવાદકો પ્રકાશકો સમક્ષ મૂકે અને પ્રકાશકો લક્ષ્મીના વૃક્ષની ડાળખી હાથમાં આવી જશે એ લાલચે કેટલાંક ઝેરીલાં પુસ્તકો વાંચવા માટે વાચકોને લલચાવતા થઈ જાય છે. વાચકો પણ ચીકણીચૂપી શૈલીએ લખાયેલાં આવાં પુસ્તકોને મારી જાય છે, એમને ખબર પણ નથી રહેતી કે પોતે જ પોતાના હાથે પોતાના પગ પર કુહાડો મારી રહ્યા છે.
સારું મૌલિક પુસ્તક ગુજરાતીમાં છપાય ત્યારે એનો ઉત્સવ મનાવવો જોઈએ. પણ કચરપટ્ટી પ્રકાશનો એટલાં બધાં થતાં રહે છે કે એના ગોકીરામાં સારું પુસ્તક ખોવાઈ જાય છે. આટલો કકળાટ તો કર્યો પણ આ સમસ્યાનો ઉકેલ શું? મારા હિસાબે આ:-
(1) એક તો, જેઓ ખરેખર સારું લખે છે અને વાચકોમાં વંચાય પણ છે એવા લેખકોએ નવોદિતોને પ્રોત્સાહન આપવાના બહાને એમની કાચીકોરી-અધકચરી કૃતિઓને પોંખવાનું બંધ કરવું જોઈએ.
(2) ગુજરાતીનાં ઉત્તમોત્તમ પુસ્તકો ક્યા એની યાદી બનાવીને સૌથી પહેલાં તો સ્થાપિત લેખકોએ પોતે એને વાંચવાં, એક જમાનામાં વાંચી લીધાં હોય તો ફરીથી વાંચવાં અને એનો રસાસ્વાદ કહીને, એના વિશે લખીને, યુ-ટયૂબ બનાવીને ગુજરાતી વાચકો સુધી પહોંચાડવાં.
(3) જે પુસ્તકો વાંચવાં જેવાં નથી એની ચર્ચા કરવાથી દૂર રહેવું, એના વિશે ટીકા-ટિપ્પણ કરીને સમય બગાડવો નહીં. પણ જે પુસ્તકો ટોક્સિક છે અને પ્રકાશોના માર્કેટિંગ પ્રિમિક્સથી વાચકો એને ખરીદવા માટે પ્રેરાય છે એવાં પુસ્તકોનો તો ઉધડો લઈ નાખવો-એમાંનું ઝેર સમાજમાં ફેલાય અને વધુ નુકસાન કરે તે પહેલાં એ જંતુઓ-પ્રાણીઓ-પિશાચોનો ખાત્મો બોલાવી દેવો.
વાચકો તો સારું વાંચન મળે એ માટે રાહ જોઈને જ બેઠાં હોય છે: બે જ વાતની જરૂર છે – સારું લખવાની અને જે સારું લખાય તેને ગાઈ-બજાવીને વાચકો સુધી પહોંચાડવાની

- Advertisement -

આ દુનિયામાં સાત કરોડ ગુજરાતીઓ વસે છે: જગતમાં સૌથી વધુ વપરાતી 25 ભાષાઓમાં ગુજરાતીનો નંબર આવે છે, આ કંઈ નાની-સૂની વાત નથી

ગુજરાતી વાચકોનો પ્રેમ મેળવવો હશે તો સતત સારું લખવું પડશે એવી પ્રતીતિ થતાં સ્થાપિત – નવોદિત લેખકોએ પોતાના લેખનની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો કરવો પડશે

(4) સારું ગુજરાતી પુસ્તક લાગે તેને બીજાઓની સહાય વડે, ભરપૂર માર્કેટિંગ કરીને ગુજરાતી કુટુંબોમાં એને સ્થાન અપાવવું. ધ્યાન રાખો, માર્કેટિંગ કંઈ બૂરી ચીજ નથી, પણ બૂરી ચીજોનાં (ચાહે એ પુસ્તક હો યા કંઈ) ખોટે-ખોટાં વખાણ કરીને થતું માર્કેટિંગ બૂરી ચીજ છે, હું તો કહીશ કે મહાપાપ છે.
(5) પાંચમી અને છેલ્લી વાત એ કે જેઓ ખરેખર સારું લખે છે અને વાચકોમાં પણ વખણાય છે એવા તમામ લેખકોએ સારું લખતાં રહેવું, વિપુલ પ્રમાણમાં લખતાં રહેવું.
આ દુનિયામાં સાત કરોડ ગુજરાતીઓ વસે છે. જગતમાં સૌથી વધુ વપરાતી 25 ભાષાઓમાં ગુજરાતીનો નંબર આવે છે. આ કંઈ નાની-સૂની વાત નથી. એઈટીઝના ગાળામાં હિન્દી ફિલ્મોની દશા બેઠી હતી એવી હાલત અત્યારે ગુજરાતી લેખન-વાંચનની છે. એકબાજુ જેન્યુઈન પ્રોડ્યુસરોને હાંસિયામાં ધકેલી દઈને ભળતાસળતા લોકો ઈન્ડસ્ટ્રીમાં ઘૂસી ગયેલા તો બીજીબાજુ વીડિયો અને વીસીઆરને લીધે પાયરસી એવી વધી ગઈ કે થિયેટરોનો ધંધો
પડી ભાંગ્યો અને સારા ઘરના લોકો તો થિયેટરોમાં જતાં જ બંધ થઈ ગયા. પણ થોડો વખત ગયા પછી મલ્ટીપ્લેક્સ આવ્યા, તરુણ-તેજસ્વી ડિરેકટરો આવ્યા, સારું સંગીત પાછું આવ્યું.
ગુજરાતીમાં પણ આવું થશે. આજે નહીં તો કાલે, સારા લેખકોના દરેક પુસ્તકની પ્રથમ આવૃત્તિની 10,000 નકલ વેચાતી હશે- પ્રિન્ટ એડિશન કે પછી ક્ધિડલ એડિશન. અંગ્રેજીમાં જેને વેનિટી પબ્લિકેશન કહે છે તે, પોતાના પૈસે ચોપડી છપાવીને પોતાને લેખકમાં ખપાવવાની હોંશ રાખતા લોકોને વાચકો ‘લેખકો’ તરીકે ઓળખતા બંધ થશે. ગુજરાતી વાચકોનો પ્રેમ મેળવવો હશે તો સતત સારું લખવું પડશે એવી પ્રતીતિ થતાં સ્થાપિત – નવોદિત લેખકોએ પોતાના લેખનની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો કરવો પડશે, પોતાના દિમાગની ક્ષિતિજો વિસ્તારવી પડશે અને લેખન સિવાયની પ્રવૃત્તિઓમાં ઓછું ધ્યાન આપીને લેખનનાં ઓજારોને ધારદાર કરતાં રહેવા માટે વધુને વધુ રિયાઝ કરવો પડશે.
વાચકો તો સારું વાંચન મળે એ માટે રાહ જોઈને જ બેઠાં હોય છે. બે જ વાતની જરૂર છે – સારું લખવાની અને જે સારું લખાય તેને ગાઈ-બજાવીને વાચકો સુધી પહોંચાડવાની.
સારું લખાય ક્યારે? સારું વાંચ્યું હોય ત્યારે. વાંચીને પચાવ્યું હોય ત્યારે, પચાવીને એ વિશે મનમાં દિવસ-રાત ગડમથલ ચાલતી રહે ત્યારે, આમાં સારું શું હતું? આ સારું લખવાની પ્રેરણા લેખકને કેવી રીતે મળી હશે? એ માટે લેખકે પોતાના જીવનમાંથી શેની બાદબાકી કરી હશે? શેનો ઉમેરો કર્યો હશે? મારે જો આના કરતાં પણ સારું લખવું હોય તો શું કરવું?
આ અને આવા કેટલાય સવાલો થશે તો જૂનાં-નવા લખનારાઓ કચરપટ્ટી પુસ્તકોને વખાણવાનું બંધ કરશે, સોશ્યલ મીડિયા પર પોસ્ટ થતી અને છાપાં-મેગેઝિનોમાં છપાતી કચરપટ્ટી ચીજોથી દૂર રહેવાનું નક્કી કરશે અને એક ધ્યાનસ્થ યોગીની જેમ રોજેરોજ ભરપૂર વાંચીને, પચાવીને,
મનન કરીને, નવા વિચારોને અને નવી કથનશૈલીને જન્મ આપીને હાથમાં પેન
ઉપાડશે કે કી-બોર્ડ પર આંગળીઓ ફેરવશે
અને લખવાનું શરૂ કરશે : સારું લખવું હોય તો
શું કરવું….

You Might Also Like

સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અથવા અધકચરી માહિતી

લગ્નમાં છેતરપિંડી

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

કાયદો અને કરુણાનો સંગમ જજ કેપ્રિઓનું ન્યાયદર્શન

બ્રોકોલી એ કુદરતી રીતે આવિર્ભાવ પામેલું નહી પણ માનવી દ્વારા વિકસાવવામાં આવેલું શાક છે

TAGGED: GUJARTI, WRITING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમારી દીકરીને માસુમ નહીં, મજબૂત બનાવો
Next Article ટ્રાન્સલુનાર ઇન્જેક્શન શું છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

હળવદ નજીક કારમાંથી રૂપિયા 1.44 લાખનો દારૂ ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
માળીયા (મીં) તાલુકામાં દેશીદારૂની ભઠ્ઠી પર રેઇડ
હળવદ પોલીસે દેશી તમંચા સાથે 1 શખ્સને ઝડપી લીધો
વૃધ્ધાના ગળામાંથી ચેઈનની ચિલઝડપ કરનાર બેલડીને ઝડપી લેતી ક્રાઈમ બ્રાંચ
શાપર-વેરાવળ એસોના પૂર્વ પ્રમુખ સ્વ. કિશોરભાઈ ટીલારાની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ
રાજકોટમાં રૂ. 21.43 કરોડના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટસનું ખાતમુહૂર્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અથવા અધકચરી માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
Author

લગ્નમાં છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

અનંત અંબાણીનું ‘વનતારા’: ધન અને સંવેદનશીલતાનું અજોડ સંયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?