By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    10 hours ago
    તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે
    12 hours ago
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    12 hours ago
    રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
    13 hours ago
    જાપાન/ સાને તાકાઇચી એલડીપીના નવા નેતા તરીકે ચૂંટાયા, ઇતિહાસમાં પ્રથમ વખત મહિલા પીએમ બનશે
    13 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
    10 hours ago
    પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
    10 hours ago
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    12 hours ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    12 hours ago
    ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    10 hours ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    5 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    5 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    6 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    3 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    3 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    6 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    4 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    1 week ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    1 week ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સારું લખવું હોય તો શું કરવું?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સારું લખવું હોય તો શું કરવું?
Author

સારું લખવું હોય તો શું કરવું?

Khaskhabar Editor
Last updated: 2023/08/14 at 5:11 PM
Khaskhabar Editor 2 years ago
Share
11 Min Read
SHARE

ગુજરાતી પ્રજા વાંચતી નથી એવી મારી ફરિયાદ નથી. ગુજરાતીઓ આખો વખત મોબાઈલમાં અને સોશ્યલ મીડિયામાં રચ્યા-પચ્યા રહે છે એવી પણ મારી ફરિયાદ નથી. મારી ફરિયાદ એ છે કે મોટાભાગના ગુજરાતીઓ મોબાઈલ પર, ફેસબુક-ટ્વિટર વગેરે પર કે ઈવન છાપાં-મેગેઝિનોમાં, ડિજિટલ મીડિયા પર તેમજ છાપેલાં પુસ્તકોમાં કચરપટ્ટી લખાણો વાંચતા રહે છે. કચરપટ્ટી એટલે કેવી કચરપટ્ટી? જે વાંચીને ન તો તમારી અક્કલમાં ઉમેરો થાય, ન તમારી આંતરિક સમૃદ્ધિ વધે, ન તમારા અજ્ઞાનનાં અંધારાં દૂર થાય, ન તમને નિર્ભેળ સાત્ત્વિક આનંદ મળે, ન તમને સાચો પર્સપેક્રિટવ મળે. પુસ્તકો લખનારા, છાપાં-મેગેઝિનોમાં કલમ ઘસડનારા અને સોશ્યલ મીડિયામાં અધકચરી જાણકારી સાથે ફેકમફેંક કરનારાઓ પોતાની જાતને મહાકવિ, મૂર્ધન્ય લેખક અને બેસ્ટ સેલર નવલકથાકાર-ચિંતન-ફિંતક મોટિવેટર-ફોટિવેટર કહેવડાવતા ફરે છે. એમની આસપાસ ગરબે ઘૂમતું પાંચ-પચાસનું વર્તુળ હોય છે જેમને પેલા લખનારાઓ પંપાળ્યા કરે છે અને વાંચનારાઓ બજારમાં ચાર જણાને કહેતાં ફરે છે કે અમારે તો ફલાણા મહાકવિ, મહાનવલકથાકાર, મહા ટૂંકી વાર્તા લેખક, મહાચિંતક, મહામોટિવેટર, મહા-મહા-મહા સાથે ઘર જેવો સંબંધ છે.
જેમને સારું લખવું છે, નક્કર લખવું છે એવા નવોદિતો આ વાતાવરણમાં મૂંઝાઈ મરે છે અને આ જ સ્ટાન્ડર્ડ નોર્મ છે એમ માનીને આ ગાડરિયા પ્રવાહમાં તણાઈને પોતાને મળેલા મા સરસ્વતીના આશીર્વાદને વેડફી નાખે છે.
વાંચનારાઓની પણ આ જ દશા થાય છે. જેમને મમરાની ગુણમાં નહીં પણ બદામની પોટલીમાં રસ છે એવા વાચકો આ ઉકરડામાં છુપાયેલી કોઈ સારી ચીજ હશે એમ માનીને ધૂળધોયા જેવું કામ કરવા જાય છે પણ છેવટે એમને ઘોર નિરાશા જ સાંપડે છે.
જૂનું એટલું સોનું અને નવું એટલું કથીર એવું કહેવાનો આશય નથી, પણ જૂનામાં રહેલું સોનું ક્યાં છે એવું માર્ગદર્શન મળે એટલા એવન્યુઝ કેટલા છે અત્યારે? નવામાં આવતાં કથીરને દૂર કરીને જેન્યુઈન માલ ક્યો છે એ વિશે દિશાસૂચન કરનારા કેટલા છે અત્યારે? મારે હિસાબે કોઈ નહીં. પુસ્તકોના પ્રકાશકોને પોતે છાપેલો માલ વેચવામાં રસ છે. આ પ્રકાશકોમાંથી કોણે કેટલી ચોપડીઓ ગુણવત્તાના ધોરણે છાપી છે અને કેટલી ચોપડીઓ લેખક-કવિ પાસેથી છાપકામના પૈસા લઈને છાપી છે એની ભોળા વાચકોને ખબર નથી હોતી. પ્રકાશકોની એક ટ્રેઈટ પહેલેથી રહેલી છે. તેઓ ટોચના પચ્ચીસ લેખકોની ચોપડીઓની હજારો નકલ છાપવાને બદલે બી-સી-ડી-ઈથી લઈને ઝેડ કક્ષાના લેખકોની ચોપડીઓની અમુક સો ચોપડીઓ છાપીને બજારમાં માલનો ભરાવો કરી દે છે. અનુસંધાન પાના નં. 4 પર

જૂનું એટલું સોનું અને નવું એટલું કથીર એવું કહેવાનો આશય નથી, પણ જૂનામાં રહેલું સોનું ક્યાં છે એવું માર્ગદર્શન મળે એટલા એવન્યુઝ કેટલા છે અત્યારે? નવામાં આવતાં કથીરને દૂર કરીને જેન્યુઈન માલ ક્યો છે એ વિશે દિશાસૂચન કરનારા કેટલા છે અત્યારે? મારે હિસાબે કોઈ નહીં

- Advertisement -

નવોદિત લેખકો-લેખિકાઓ કે કવિઓ-કવયિત્રીઓમાંથી કોઈનીય પાસે ન તો ઊંડાણ છે, ન વિષયની પૂરતી સમજ, ન અભિવ્યક્તિ કે શૈલીની સજ્જતા છે: પુસ્તકો છાપવાનું-છપાવવાનું સહેલું થઈ ગયું છે એટલે છાપી મારો-છપાવી મારો

સોશ્યલ મીડિયામાં લખવા જેમ કોઈ ધારાધોરણ નથી, કોઈ સંપાદક-એડિટરની આંખ તળેથી તમારું લખાણ પસાર થાય તેની જરૂર નથી એવું જ છાપાં-મેગેઝિનોનું છે

પ્રિન્ટ-ઓન-ડિમાન્ડ નામની નવી પ્રિન્ટીંગ ટેકનોલોજીને કારણે પચાસ-સો-બસો નકલોની આવૃત્તિ પ્રગટ થાય છે. ઓફસેટના જમાનામાં હજાર- બે હજાર નકલો છપાતી. નવાં નવાં કચરપટ્ટી ટાઈટલો રોજ બજારમાં ઠલવાતાં રહે છે એટલે આપણને લાગે છે કે આ ગુજરાતી પુસ્તકોની દુનિયામાં તો વસંત ખીલી છે.
છ-બાર મહિના પહેલાં મેં નહીં નહીં તોય કુલ પચ્ચીસેક હજાર રૂપિયાનાં નવાં ગુજરાતી પુસ્તકો ખરીદીને જોયાં. નવાં એટલે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં પ્રગટ થયેલાં અને એમાં મોટાભાગનાં પુસ્તકો એવાં જે ‘જાણીતા’ થયેલાં. મેં એ પુસ્તકો ‘જોયાં’, ‘વાંચ્યાં’ નહીં. મોટાભાગનાં વાંચવા જેવા લાગ્યાં નહીં. કોઈ પણ પુસ્તક પાછળ પંદરેક મિનિટ ગાળું એટલે નક્કી થઈ જાય કે આ વાંચવા જેવું છે કે નહીં, જે વાંચવા જેવાં પુસ્તકો હતાં એ બધામાંથી નવોદિતનું એકેય નહોતું- એ બધાં અગાઉ સારું કામ કરી ચૂકેલાં વેલ એસ્ટાબ્લિશ્ડ લેખકો- લેખિકાઓનાં હતાં. નવોદિત લેખકો-લેખિકાઓ કે કવિઓ-કવયિત્રીઓમાંથી કોઈનીય પાસે ન તો ઊંડાણ છે, ન વિષયની પૂરતી સમજ, ન અભિવ્યક્તિ કે શૈલીની સજ્જતા છે. પુસ્તકો છાપવાનું – છપાવવાનું સહેલું થઈ ગયું છે એટલે છાપી મારો – છપાવી મારો.
સોશ્યલ મીડિયામાં લખવા જેમ કોઈ ધારાધોરણ નથી, કોઈ સંપાદક-એડિટરની આંખ તળેથી તમારું લખાણ પસાર થાય તેની જરૂર નથી એવું જ છાપાં-મેગેઝિનોનું છે. હાલાંકિ એમની પાસે તો સંપાદકો-ઉપસંપાદકો- સહાયકોની ફોજ હોય છે. છતાં તેઓ જે આવ્યું તે છાપી મારે છે, છાપી નાખવું પડે છે એમને. શું કરે બિચારા? સારું લખનારાઓ શોધવા જાય તો એમણે છાપાંની પૂર્તિઓ અને મેગેઝિનોનાં પાનાં કોરાં રાખવા પડે.
પુસ્તકોની દુનિયામાં ગુજરાતીમાં પ્રકાશકોએ ક્યારેય પ્રોફેશનલ એડિટરો રાખ્યા નથી. બહુ બહુ તો કોઈ મૂર્ધન્ય લેખકની અવેતન સેવા લઈને એમને રિકવેસ્ટ કરે કે આ હસ્તપ્રત જોઈને કંઈ અભિપ્રાય આપો કે છાપીએ કે નહીં, મોટાભાગે તો આવા મૂર્ધન્યો પોતાના લાગતાવળગતા ચમચા-ચમચીઓને જ રેકમેન્ડ કરે અને પુસ્તક છપાઈ ગયા પછી એમને જ અવોર્ડ-પારિતોષિક અપાવે. પબ્લિશરને લાગે કે જોયું, આપણે ધુબાકો મારીને સમંદરમાંથી મોતી ગોતી લાઈવા.
બીજું એક ન્યુસન્સ અંગ્રેજી બેસ્ટ સેલરોના અનુવાદોનું ઘૂસી ગયું છે. આડેધડ ગુજરાતી અનુવાદો થતાં રહે છે. અંગ્રેજીમાં ખૂબ વેચાય છે? ચાલો, ગુજરાતીમાં છાપી મારીએ. મોટેભાગે મોટિવેશનલ કચરપટ્ટી હોય છે. ક્યારેક તદ્દન ખોટા નરેટિવ્સનો પ્રચાર કરનારાં પુસ્તકો પબ્લિશરો છાપી નાખે છે. ભારતીય સંસ્કૃતિની ઘોર ખોદવા માગતા ડાબેરી વિદેશી લેખકોનાં પુસ્તકોનો અનુવાદ થવો જોઈએ એવું સૂચન ડાબેરી ગુજરાતી અનુવાદકો પ્રકાશકો સમક્ષ મૂકે અને પ્રકાશકો લક્ષ્મીના વૃક્ષની ડાળખી હાથમાં આવી જશે એ લાલચે કેટલાંક ઝેરીલાં પુસ્તકો વાંચવા માટે વાચકોને લલચાવતા થઈ જાય છે. વાચકો પણ ચીકણીચૂપી શૈલીએ લખાયેલાં આવાં પુસ્તકોને મારી જાય છે, એમને ખબર પણ નથી રહેતી કે પોતે જ પોતાના હાથે પોતાના પગ પર કુહાડો મારી રહ્યા છે.
સારું મૌલિક પુસ્તક ગુજરાતીમાં છપાય ત્યારે એનો ઉત્સવ મનાવવો જોઈએ. પણ કચરપટ્ટી પ્રકાશનો એટલાં બધાં થતાં રહે છે કે એના ગોકીરામાં સારું પુસ્તક ખોવાઈ જાય છે. આટલો કકળાટ તો કર્યો પણ આ સમસ્યાનો ઉકેલ શું? મારા હિસાબે આ:-
(1) એક તો, જેઓ ખરેખર સારું લખે છે અને વાચકોમાં વંચાય પણ છે એવા લેખકોએ નવોદિતોને પ્રોત્સાહન આપવાના બહાને એમની કાચીકોરી-અધકચરી કૃતિઓને પોંખવાનું બંધ કરવું જોઈએ.
(2) ગુજરાતીનાં ઉત્તમોત્તમ પુસ્તકો ક્યા એની યાદી બનાવીને સૌથી પહેલાં તો સ્થાપિત લેખકોએ પોતે એને વાંચવાં, એક જમાનામાં વાંચી લીધાં હોય તો ફરીથી વાંચવાં અને એનો રસાસ્વાદ કહીને, એના વિશે લખીને, યુ-ટયૂબ બનાવીને ગુજરાતી વાચકો સુધી પહોંચાડવાં.
(3) જે પુસ્તકો વાંચવાં જેવાં નથી એની ચર્ચા કરવાથી દૂર રહેવું, એના વિશે ટીકા-ટિપ્પણ કરીને સમય બગાડવો નહીં. પણ જે પુસ્તકો ટોક્સિક છે અને પ્રકાશોના માર્કેટિંગ પ્રિમિક્સથી વાચકો એને ખરીદવા માટે પ્રેરાય છે એવાં પુસ્તકોનો તો ઉધડો લઈ નાખવો-એમાંનું ઝેર સમાજમાં ફેલાય અને વધુ નુકસાન કરે તે પહેલાં એ જંતુઓ-પ્રાણીઓ-પિશાચોનો ખાત્મો બોલાવી દેવો.
વાચકો તો સારું વાંચન મળે એ માટે રાહ જોઈને જ બેઠાં હોય છે: બે જ વાતની જરૂર છે – સારું લખવાની અને જે સારું લખાય તેને ગાઈ-બજાવીને વાચકો સુધી પહોંચાડવાની

- Advertisement -

આ દુનિયામાં સાત કરોડ ગુજરાતીઓ વસે છે: જગતમાં સૌથી વધુ વપરાતી 25 ભાષાઓમાં ગુજરાતીનો નંબર આવે છે, આ કંઈ નાની-સૂની વાત નથી

ગુજરાતી વાચકોનો પ્રેમ મેળવવો હશે તો સતત સારું લખવું પડશે એવી પ્રતીતિ થતાં સ્થાપિત – નવોદિત લેખકોએ પોતાના લેખનની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો કરવો પડશે

(4) સારું ગુજરાતી પુસ્તક લાગે તેને બીજાઓની સહાય વડે, ભરપૂર માર્કેટિંગ કરીને ગુજરાતી કુટુંબોમાં એને સ્થાન અપાવવું. ધ્યાન રાખો, માર્કેટિંગ કંઈ બૂરી ચીજ નથી, પણ બૂરી ચીજોનાં (ચાહે એ પુસ્તક હો યા કંઈ) ખોટે-ખોટાં વખાણ કરીને થતું માર્કેટિંગ બૂરી ચીજ છે, હું તો કહીશ કે મહાપાપ છે.
(5) પાંચમી અને છેલ્લી વાત એ કે જેઓ ખરેખર સારું લખે છે અને વાચકોમાં પણ વખણાય છે એવા તમામ લેખકોએ સારું લખતાં રહેવું, વિપુલ પ્રમાણમાં લખતાં રહેવું.
આ દુનિયામાં સાત કરોડ ગુજરાતીઓ વસે છે. જગતમાં સૌથી વધુ વપરાતી 25 ભાષાઓમાં ગુજરાતીનો નંબર આવે છે. આ કંઈ નાની-સૂની વાત નથી. એઈટીઝના ગાળામાં હિન્દી ફિલ્મોની દશા બેઠી હતી એવી હાલત અત્યારે ગુજરાતી લેખન-વાંચનની છે. એકબાજુ જેન્યુઈન પ્રોડ્યુસરોને હાંસિયામાં ધકેલી દઈને ભળતાસળતા લોકો ઈન્ડસ્ટ્રીમાં ઘૂસી ગયેલા તો બીજીબાજુ વીડિયો અને વીસીઆરને લીધે પાયરસી એવી વધી ગઈ કે થિયેટરોનો ધંધો
પડી ભાંગ્યો અને સારા ઘરના લોકો તો થિયેટરોમાં જતાં જ બંધ થઈ ગયા. પણ થોડો વખત ગયા પછી મલ્ટીપ્લેક્સ આવ્યા, તરુણ-તેજસ્વી ડિરેકટરો આવ્યા, સારું સંગીત પાછું આવ્યું.
ગુજરાતીમાં પણ આવું થશે. આજે નહીં તો કાલે, સારા લેખકોના દરેક પુસ્તકની પ્રથમ આવૃત્તિની 10,000 નકલ વેચાતી હશે- પ્રિન્ટ એડિશન કે પછી ક્ધિડલ એડિશન. અંગ્રેજીમાં જેને વેનિટી પબ્લિકેશન કહે છે તે, પોતાના પૈસે ચોપડી છપાવીને પોતાને લેખકમાં ખપાવવાની હોંશ રાખતા લોકોને વાચકો ‘લેખકો’ તરીકે ઓળખતા બંધ થશે. ગુજરાતી વાચકોનો પ્રેમ મેળવવો હશે તો સતત સારું લખવું પડશે એવી પ્રતીતિ થતાં સ્થાપિત – નવોદિત લેખકોએ પોતાના લેખનની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો કરવો પડશે, પોતાના દિમાગની ક્ષિતિજો વિસ્તારવી પડશે અને લેખન સિવાયની પ્રવૃત્તિઓમાં ઓછું ધ્યાન આપીને લેખનનાં ઓજારોને ધારદાર કરતાં રહેવા માટે વધુને વધુ રિયાઝ કરવો પડશે.
વાચકો તો સારું વાંચન મળે એ માટે રાહ જોઈને જ બેઠાં હોય છે. બે જ વાતની જરૂર છે – સારું લખવાની અને જે સારું લખાય તેને ગાઈ-બજાવીને વાચકો સુધી પહોંચાડવાની.
સારું લખાય ક્યારે? સારું વાંચ્યું હોય ત્યારે. વાંચીને પચાવ્યું હોય ત્યારે, પચાવીને એ વિશે મનમાં દિવસ-રાત ગડમથલ ચાલતી રહે ત્યારે, આમાં સારું શું હતું? આ સારું લખવાની પ્રેરણા લેખકને કેવી રીતે મળી હશે? એ માટે લેખકે પોતાના જીવનમાંથી શેની બાદબાકી કરી હશે? શેનો ઉમેરો કર્યો હશે? મારે જો આના કરતાં પણ સારું લખવું હોય તો શું કરવું?
આ અને આવા કેટલાય સવાલો થશે તો જૂનાં-નવા લખનારાઓ કચરપટ્ટી પુસ્તકોને વખાણવાનું બંધ કરશે, સોશ્યલ મીડિયા પર પોસ્ટ થતી અને છાપાં-મેગેઝિનોમાં છપાતી કચરપટ્ટી ચીજોથી દૂર રહેવાનું નક્કી કરશે અને એક ધ્યાનસ્થ યોગીની જેમ રોજેરોજ ભરપૂર વાંચીને, પચાવીને,
મનન કરીને, નવા વિચારોને અને નવી કથનશૈલીને જન્મ આપીને હાથમાં પેન
ઉપાડશે કે કી-બોર્ડ પર આંગળીઓ ફેરવશે
અને લખવાનું શરૂ કરશે : સારું લખવું હોય તો
શું કરવું….

You Might Also Like

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

ઇંગ્લેન્ડમાં બનશે મધમાખીઓ માટે ખાસ આવાસ

ચાલો માણસ માણસ રમીએ

TAGGED: GUJARTI, WRITING
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમારી દીકરીને માસુમ નહીં, મજબૂત બનાવો
Next Article ટ્રાન્સલુનાર ઇન્જેક્શન શું છે?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
ગ્રીનકાર્ડ કેમ મેળવશો?
અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ગ્રીનકાર્ડ કેમ મેળવશો?

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
Author

લગ્નજીવનના ઉત્તરાર્ધમાં દંપતીને લાગે કે એકબીજાથી દુર જઈ રહ્યા છે…

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Author

ખાદીથી આબાદીનું ગાંધીછાપ સિક્રેટ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?