By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    3 hours ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    3 hours ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    1 day ago
    યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય, 12 કરોડ ડૉલર લાગેલા છે દાવ પર
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    36 seconds ago
    ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
    2 minutes ago
    મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
    4 minutes ago
    EDની મોટી કાર્યવાહી: રહેજા ડેવલપર્સના 7 ઠેકાણા પર દરોડા, ઘર ખરીદનારાઓ સાથે છેતરપિંડીનો આરોપ
    2 hours ago
    સાવધાન : મોંઘા ઇન્જેકશનની સસ્તી નકલ, જીવ સાથેનો ખતરનાક ખેલ બહાર આવ્યો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    1 day ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    2 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    2 days ago
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    3 days ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    1 week ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેટલાક હિન્દુ સંપ્રદાયો જ વિધર્મીઓની ભૂમિકામાં?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > કેટલાક હિન્દુ સંપ્રદાયો જ વિધર્મીઓની ભૂમિકામાં?
AuthorKinnar Acharyaખાસ-ખબર

કેટલાક હિન્દુ સંપ્રદાયો જ વિધર્મીઓની ભૂમિકામાં?

Khaskhabar Editor
Last updated: 2022/09/10 at 5:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો તથા બીજાં અગણિત ગ્રંથોમાં એવું ક્યું જ્ઞાન નથી-
જે આ લોકોનાં બાલીશ અને ગપ્પાગ્રંથોમાં છે!

હિન્દુ દેવી-દેવતાઓને ઉતારી પાડતાં વિડીયોઝથી આજકાલ સોશિયલ મીડિયા ઉભરાઈ રહ્યું છે. અને શિવ, વિષ્ણુ, બ્રહ્મા કે દુર્ગાનું અપમાન કરતાં આ વિડીયોઝ કોઈ વિધર્મીઓ નથી મૂકતાં, હિન્દુ ધર્મનાં અમુક સંપ્રદાયોનાં કહેવાતાં સંતો જ મૂકી રહ્યાં છે. કહો કે, તેમનાં આ વિડીયોઝ લીક થઈ રહ્યાં છે. સંપ્રદાયનાં વિવિધ ફિરકાઓ બાખડે છે અને પછી એકબીજાનાં આવા ભૂંડા વિડીયોઝ વાઈરલ કરે છે. આ લોકો સતત-સખત-અવિરત બાખડતાં રહે તે જરૂરી છે. એટલીસ્ટ આપણને જાણવા મળે કે હરિભક્તોનું બ્રેઈન વૉશિંગ કેવી રીતે થઈ રહ્યું છે. આ કોઈ અજાણતાં મુખમાંથી સરી પડેલાં શબ્દો નથી, સ્લીપ ઑફ ટન્ગ નથી.

- Advertisement -

કહેવાતાં સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતાં દેખાડવાની આ ચેષ્ઠા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે !

જો જીભ લપસી હોય તો આવી લાંબી-લાંબી બેવકુફીભરી કથાઓ કોઈ ન કરી શકે.

એક ટીલાં-ટપકાંધારી પોતાનાં પ્રવચનમાં કહે છે કે, “સ્વામીબાપાને એક વખત પેશાબ લાગી, પેશાબ કરીને પછી તેઓ જોરજોરથી હસવા લાગ્યા. બધાંએ કારણ પૂછયું તે મહારાજે કહ્યું કે, પેશાબમાં મકોડો તણાઈ ગયો! બધાએ પૂછયું તે એમાં શું થઈ ગયું? મહારાજે કહ્યું કે, એ મંકોડો નહોતો, બ્રહ્મા હતો, ગયા જન્મમાં તો એ ઈન્દ્ર હતો!” બીજો એક ભગવાધારી કહે છે કે, એક વખત સ્વામીજીને કેટલાંક હરિભક્તોએ કહ્યું કે, તેઓ ડાકોર રણછોડરાયનાં દર્શને જવા માંગે છે. સ્વામિજીએ હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘જઈ આવો અને દર્શન આપી (રણછોડરાયને) આવો!’ આટલું કહ્યાં પછી એ કહે છે કે, ‘તમે આપણું સ્તર તો જુઓ, આપણું મહાત્મ્ય જુઓ!’ ભગવાધારી બિટ્વીન ધ લાઈન્સ કહે છે કે, સ્વામિનારાયણ પંથનો હરિભક્ત તો શ્રીકૃષ્ણ અને દેવી-દેવતાઓ કરતાં પણ મહાન છે.

- Advertisement -

આવા વિડીયોઝનો વરસાદ થયો છે. જો હિન્દુ સંપ્રદાયો જ આવા હોય તો હિન્દુ વિરોધી વિધર્મીઓની શી જરૂર! હરિધામ-સોખડાનાં આનંદસ્વરૂપ સ્વામીએ અજબગજબ તર્ક રજૂ કર્યો. તેમણે કહ્યું કે, ‘તપશ્ર્ચર્યાથી ભીતર અહંકાર જન્મે છે. તમે જુઓ શંકર તપ કરે છે અને નાની-નાની વાતમાં એને અપમાન જેવું લાગે છે અને બધું ધનોતપનોત કાઢી નાંખે છે!’ સંત સ્વામીએ રામને એક પ્રવચનમાં સત્ત્વગુણી કહ્યાં તો મહાદેવને ધમાલીયા કહ્યાં.

મોરારિબાપુ બહુ વ્હેલાં સમજી ગયા હતાં. નીલકંઠવર્ણીનો અભિષેક કરવાનું બંધ કરવાની વાત કહી ત્યારે સનાતનીઓ જાગ્યા ન હતાં. બાપુનાં શેટલિયાંઓ પણ ડરનાં માર્યા શરૂઆતમાં ચૂપ રહ્યાં હતાં અને પછી સાવ દબાતા સ્વરે ચૂં-ચૂં કરવાનું શરૂ કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સૌથી નાનાં ફિરકા એવા સરધાર પંથને કેટલાકે એવોર્ડ વાપસી કરી હતી. જો કે, બી.એ.પી.એસ. કે સોખડા વિરૂદ્ધ કોઈએ મ્યાંઉ કરવાની હિંમત પણ નહોતી કરી, ગર્જના તો બહુ દૂરની વાત છે.

વાસ્તવિકતા એ છે કે, આ આખું ષડયંત્ર બહુ આયોજનપૂર્વક ચાલી રહ્યું છે. આવું જ ચાલતું રહ્યું તો પચાસ-સો વર્ષ પછી આપણાં બાળકો એનું માનતા થઈ જશે કે સૃષ્ટિની રચના સ્વામિનારાયણે કરી હતી અને કૈલાસનાં અધિપતિ યોગીજી મહારાજ છે તથા ક્ષીરસાગરમાં પ્રમુખ સ્વામી નિવાસ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય પેલાં સ્વામિનારાયણ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, હરિપ્રસાદ સ્વામીનાં ભક્તો છે. આ લોકોનું સાહિત્ય પણ આવી વિકૃત વાતોથી છલોછલ હોય છે. એમાં પણ આવી વાહિયાત, કપોળકલ્પિત વાતોનો ભંડાર હોય છે.

પોતાનાં બે કોડીનાં, કહેવાતાં સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતાં દેખાડવાની આ ચેષ્ઠા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે. આ લોકોનું ટાર્ગેટ ઑડિયન્સ સમાજનો નીચલો વર્ગ છે. જો તેમને સનાતન ધર્મનાં દેવતા કરતાં ચડિયાતાં દર્શાવવામાં આવે તો જ આ વર્ગ પછી સંપ્રદાય તરફ આકર્ષાય. આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ કરે છે- એવું જ કંઈક. પરંતુ મિશનરીઓ ઓછાં જોખમી છે, કમસેકમ તેમનાં બદઈરાદાઓ વિશે આપણને ખ્યાલ તો છે. દુશ્મનોથી આપણે એટલિસ્ટ સાવધાન રહીએ. આ લોકો પેટમાં ઘુસી ને પગ પહોળાં કરે.

સવાલ એ છે કે, હિન્દુ ધર્મને આવા સંપ્રદાયોની જરૂર શી છે? આમની પાસેથી એવું શું મેળવી લેવાનું છે- જે સનાતન ધર્મ આપણને નથી આપતો? આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો અને બીજાં અગણિત ગ્રંથોમાં એવું ક્યું જ્ઞાન નથી- જે આ લોકોનાં બાલીશ અને ગપ્પાગ્રંથોમાં છે! એક મૂઢ અને મંદમત્તિ વર્ગ છે- જેમને આવી માથામેળ વગરની વાતોથી ભારે આકર્ષણ થાય છે. આ વર્ગ જ આવા સંપ્રદાયોનું પોષણ કરે છે.

છેવટે આ સંપ્રદાયોનું પ્રદાન શું છે? એ ન હોય તો શું સમાજ પછાત રહી જાય? ના. બિલકુલ નહીં. આ લોકોએ મહેલ જેવાં મંદિરો બનાવ્યા, કમર્શિયલ શિક્ષણધામ બનાવ્યા, તગડા ચાર્જ લેતી હોસ્પિટલો બનાવી. તેમની કોર્પોરેટ જેવું મેનેજમેન્ટ ભલભલાને આંજી દેવા સક્ષમ છે. પણ, સવાલ એ છે કે, શું આપણી ભીતરનો પ્રકાશ, આપણી માંહેનો દીવો સાવ ઓલવાઈ ગયો છે કે, આપણને આવી ઝાકઝમાળ આંજી નાંખે!

You Might Also Like

આવતીકાલે ઉમેદવારોની નહીં મતદારોની પરીક્ષા

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

જનાર્દનથી જોર્ડનની સફર

શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર

અમેરિકા હાર્યું! ખરેખર ?

TAGGED: devotees, hindu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શૈક્ષણિક સંકુલને કરો ઊર્જાથી લથપથ
Next Article લઘુ અખબારો.. નાનાં કદનાં છાપાઓ..: નાના પત્રોનાં અસ્તિત્વ સામે ઉભા થયેલાં મોટાં પડકારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી

Khaskhabar Editor Khaskhabar Editor 36 seconds ago
ભારત વિશ્ર્વગુરુ ચોક્કસ બનશે, કોઈ શંકા નથી: મોહન ભાગવત
મે-જૂનથી જ ચોમાસા પર અલ નીનોનો પ્રભાવ રહેશે
આવતીકાલે ઉમેદવારોની નહીં મતદારોની પરીક્ષા
કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
શું તમારા પૈસા સુરક્ષિત છે? : ભારત સહિત વિશ્વ એલર્ટ! ક્લોડ મિથોસ AIથી બેંક ડેટા ખતરામાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આવતીકાલે ઉમેદવારોની નહીં મતદારોની પરીક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
Hemadri Acharya Dave

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?