By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    15 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    16 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    19 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    20 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    19 hours ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    20 hours ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    20 hours ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    20 hours ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    21 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    19 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    7 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેટલાક હિન્દુ સંપ્રદાયો જ વિધર્મીઓની ભૂમિકામાં?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > કેટલાક હિન્દુ સંપ્રદાયો જ વિધર્મીઓની ભૂમિકામાં?
AuthorKinnar Acharyaખાસ-ખબર

કેટલાક હિન્દુ સંપ્રદાયો જ વિધર્મીઓની ભૂમિકામાં?

Khaskhabar Editor
Last updated: 2022/09/10 at 5:32 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો તથા બીજાં અગણિત ગ્રંથોમાં એવું ક્યું જ્ઞાન નથી-
જે આ લોકોનાં બાલીશ અને ગપ્પાગ્રંથોમાં છે!

હિન્દુ દેવી-દેવતાઓને ઉતારી પાડતાં વિડીયોઝથી આજકાલ સોશિયલ મીડિયા ઉભરાઈ રહ્યું છે. અને શિવ, વિષ્ણુ, બ્રહ્મા કે દુર્ગાનું અપમાન કરતાં આ વિડીયોઝ કોઈ વિધર્મીઓ નથી મૂકતાં, હિન્દુ ધર્મનાં અમુક સંપ્રદાયોનાં કહેવાતાં સંતો જ મૂકી રહ્યાં છે. કહો કે, તેમનાં આ વિડીયોઝ લીક થઈ રહ્યાં છે. સંપ્રદાયનાં વિવિધ ફિરકાઓ બાખડે છે અને પછી એકબીજાનાં આવા ભૂંડા વિડીયોઝ વાઈરલ કરે છે. આ લોકો સતત-સખત-અવિરત બાખડતાં રહે તે જરૂરી છે. એટલીસ્ટ આપણને જાણવા મળે કે હરિભક્તોનું બ્રેઈન વૉશિંગ કેવી રીતે થઈ રહ્યું છે. આ કોઈ અજાણતાં મુખમાંથી સરી પડેલાં શબ્દો નથી, સ્લીપ ઑફ ટન્ગ નથી.

- Advertisement -

કહેવાતાં સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતાં દેખાડવાની આ ચેષ્ઠા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે !

જો જીભ લપસી હોય તો આવી લાંબી-લાંબી બેવકુફીભરી કથાઓ કોઈ ન કરી શકે.

એક ટીલાં-ટપકાંધારી પોતાનાં પ્રવચનમાં કહે છે કે, “સ્વામીબાપાને એક વખત પેશાબ લાગી, પેશાબ કરીને પછી તેઓ જોરજોરથી હસવા લાગ્યા. બધાંએ કારણ પૂછયું તે મહારાજે કહ્યું કે, પેશાબમાં મકોડો તણાઈ ગયો! બધાએ પૂછયું તે એમાં શું થઈ ગયું? મહારાજે કહ્યું કે, એ મંકોડો નહોતો, બ્રહ્મા હતો, ગયા જન્મમાં તો એ ઈન્દ્ર હતો!” બીજો એક ભગવાધારી કહે છે કે, એક વખત સ્વામીજીને કેટલાંક હરિભક્તોએ કહ્યું કે, તેઓ ડાકોર રણછોડરાયનાં દર્શને જવા માંગે છે. સ્વામિજીએ હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘જઈ આવો અને દર્શન આપી (રણછોડરાયને) આવો!’ આટલું કહ્યાં પછી એ કહે છે કે, ‘તમે આપણું સ્તર તો જુઓ, આપણું મહાત્મ્ય જુઓ!’ ભગવાધારી બિટ્વીન ધ લાઈન્સ કહે છે કે, સ્વામિનારાયણ પંથનો હરિભક્ત તો શ્રીકૃષ્ણ અને દેવી-દેવતાઓ કરતાં પણ મહાન છે.

- Advertisement -

આવા વિડીયોઝનો વરસાદ થયો છે. જો હિન્દુ સંપ્રદાયો જ આવા હોય તો હિન્દુ વિરોધી વિધર્મીઓની શી જરૂર! હરિધામ-સોખડાનાં આનંદસ્વરૂપ સ્વામીએ અજબગજબ તર્ક રજૂ કર્યો. તેમણે કહ્યું કે, ‘તપશ્ર્ચર્યાથી ભીતર અહંકાર જન્મે છે. તમે જુઓ શંકર તપ કરે છે અને નાની-નાની વાતમાં એને અપમાન જેવું લાગે છે અને બધું ધનોતપનોત કાઢી નાંખે છે!’ સંત સ્વામીએ રામને એક પ્રવચનમાં સત્ત્વગુણી કહ્યાં તો મહાદેવને ધમાલીયા કહ્યાં.

મોરારિબાપુ બહુ વ્હેલાં સમજી ગયા હતાં. નીલકંઠવર્ણીનો અભિષેક કરવાનું બંધ કરવાની વાત કહી ત્યારે સનાતનીઓ જાગ્યા ન હતાં. બાપુનાં શેટલિયાંઓ પણ ડરનાં માર્યા શરૂઆતમાં ચૂપ રહ્યાં હતાં અને પછી સાવ દબાતા સ્વરે ચૂં-ચૂં કરવાનું શરૂ કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સૌથી નાનાં ફિરકા એવા સરધાર પંથને કેટલાકે એવોર્ડ વાપસી કરી હતી. જો કે, બી.એ.પી.એસ. કે સોખડા વિરૂદ્ધ કોઈએ મ્યાંઉ કરવાની હિંમત પણ નહોતી કરી, ગર્જના તો બહુ દૂરની વાત છે.

વાસ્તવિકતા એ છે કે, આ આખું ષડયંત્ર બહુ આયોજનપૂર્વક ચાલી રહ્યું છે. આવું જ ચાલતું રહ્યું તો પચાસ-સો વર્ષ પછી આપણાં બાળકો એનું માનતા થઈ જશે કે સૃષ્ટિની રચના સ્વામિનારાયણે કરી હતી અને કૈલાસનાં અધિપતિ યોગીજી મહારાજ છે તથા ક્ષીરસાગરમાં પ્રમુખ સ્વામી નિવાસ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય પેલાં સ્વામિનારાયણ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, હરિપ્રસાદ સ્વામીનાં ભક્તો છે. આ લોકોનું સાહિત્ય પણ આવી વિકૃત વાતોથી છલોછલ હોય છે. એમાં પણ આવી વાહિયાત, કપોળકલ્પિત વાતોનો ભંડાર હોય છે.

પોતાનાં બે કોડીનાં, કહેવાતાં સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતાં દેખાડવાની આ ચેષ્ઠા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે. આ લોકોનું ટાર્ગેટ ઑડિયન્સ સમાજનો નીચલો વર્ગ છે. જો તેમને સનાતન ધર્મનાં દેવતા કરતાં ચડિયાતાં દર્શાવવામાં આવે તો જ આ વર્ગ પછી સંપ્રદાય તરફ આકર્ષાય. આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ કરે છે- એવું જ કંઈક. પરંતુ મિશનરીઓ ઓછાં જોખમી છે, કમસેકમ તેમનાં બદઈરાદાઓ વિશે આપણને ખ્યાલ તો છે. દુશ્મનોથી આપણે એટલિસ્ટ સાવધાન રહીએ. આ લોકો પેટમાં ઘુસી ને પગ પહોળાં કરે.

સવાલ એ છે કે, હિન્દુ ધર્મને આવા સંપ્રદાયોની જરૂર શી છે? આમની પાસેથી એવું શું મેળવી લેવાનું છે- જે સનાતન ધર્મ આપણને નથી આપતો? આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો અને બીજાં અગણિત ગ્રંથોમાં એવું ક્યું જ્ઞાન નથી- જે આ લોકોનાં બાલીશ અને ગપ્પાગ્રંથોમાં છે! એક મૂઢ અને મંદમત્તિ વર્ગ છે- જેમને આવી માથામેળ વગરની વાતોથી ભારે આકર્ષણ થાય છે. આ વર્ગ જ આવા સંપ્રદાયોનું પોષણ કરે છે.

છેવટે આ સંપ્રદાયોનું પ્રદાન શું છે? એ ન હોય તો શું સમાજ પછાત રહી જાય? ના. બિલકુલ નહીં. આ લોકોએ મહેલ જેવાં મંદિરો બનાવ્યા, કમર્શિયલ શિક્ષણધામ બનાવ્યા, તગડા ચાર્જ લેતી હોસ્પિટલો બનાવી. તેમની કોર્પોરેટ જેવું મેનેજમેન્ટ ભલભલાને આંજી દેવા સક્ષમ છે. પણ, સવાલ એ છે કે, શું આપણી ભીતરનો પ્રકાશ, આપણી માંહેનો દીવો સાવ ઓલવાઈ ગયો છે કે, આપણને આવી ઝાકઝમાળ આંજી નાંખે!

You Might Also Like

હવાઇ સફર, સૌથી સલામત સફર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માન અપાયું

ભારતમાં વીજળી પડવા અને વરસાદની ઘટનાઓમાં 36 લોકોના મોત

આપણી જાતને ઓળખીએ

જેમને ખરેખર લોકોની સેવા કરવી છે તેમના માટે પણ સત્તા તો જરૂરી જ છે

TAGGED: devotees, hindu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શૈક્ષણિક સંકુલને કરો ઊર્જાથી લથપથ
Next Article લઘુ અખબારો.. નાનાં કદનાં છાપાઓ..: નાના પત્રોનાં અસ્તિત્વ સામે ઉભા થયેલાં મોટાં પડકારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
વિજયભાઇની અંતિમ સફરમાં પૂજારા ટેલિકોમના યોગેશ પૂજારા અને તેમની ટીમે જોડાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો
ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
બોટાદમાં ઇકો તણાતાં 5 લાપતા, અમરેલીમાં બેનાં મોત: બગડ નદીમાં ઘોડાપૂર, 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી
સોનાની બંગડી, બ્રેસલેટ, ચેઇન, સહિતનાં 4.5 લાખની રકમના દાગીના પરિવારજનોને સોંપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

હવાઇ સફર, સૌથી સલામત સફર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ-ખબરરાજકોટ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માન અપાયું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

ભારતમાં વીજળી પડવા અને વરસાદની ઘટનાઓમાં 36 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?