By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    6 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    9 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    5 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    6 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    9 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ
AuthorRajesh Bhatt

ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ

Khaskhabar Editor
Last updated: 2022/08/06 at 5:34 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

આપનો પાસપોર્ટ અને વિદેશ માટેના યોગ્ય ડોક્યુમેન્ટસ વાયવ્ય ખૂણામાં રાખશો તો ઝડપથી વિદેશ જવાના યોગ બનશે

પ્રશ્ર્ન 1: વાસ્તુશાસ્ત્ર અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ સમજાવશો અને અમારા ઘરમાં ડોગ રાખેલ છે તો તેના માટે ડોગ હાઉસ કઈ દિશામાં બનાવવું?
ઉત્તર: મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે સદીઓથી એકબીજા પ્રત્યે આત્મીય વર્તન રહ્યું છે અને મનુષ્ય પોતાની પાસે રહેલ જગ્યાના અનુસંધાનમાં પ્રાણીઓ કે પક્ષીઓને ઘરની અંદર પાળતો આવ્યો છે. શાસ્ત્રોમાંની વાત કરીએ તો દરેક દેવી-દેવતાએ કોઈ ને કોઈ પ્રાણી કે પંખીને પોતાના વાહન તરીકે પોતાની પાસે સ્થાન આપેલ છે. આપણે શરૂઆતના અંકોમાં પણ વાત કરી હતી તેમ પશુ-પંખી પાસે શુભ કે અશુભ ઊર્જા પારખવાની ઉત્તમ શક્તિઓ રહેલી છે. આપણી સંસ્કૃતિમાં ઘરની અંદર પાળવામાં આવતાં મોટાભાગના પ્રાણીઓ માલીકો પ્રત્યે વફાદારીનો અદ્ભુત ગુણ ધરાવે છે. હિન્દુ પુરાણોમાં ગાયનું સર્વોચ્ચ મૂલ્ય છે. ‘માતા’ તરીકે ઓળખાતી ગાય એક પવિત્ર પ્રાણી છે, એટલે જ વર્ષોથી નાના ગામોની અંદર જ્યારે ઘરોની અંદર વિશાળ જગ્યાઓ હતી ત્યારે ગાયને ઘરની અંદર અચૂક રાખવામાં આવતી હતી અને માલીક પોતે ગાયને પોતાના હાથથી રોટલી ખવડાવતાં હતાં. શાસ્ત્રોની અંદર પણ જમતાં પહેલાં ગૌગ્રાસ અલગથી રાખવાની પ્રથા રહી છે. ગાયના દૂધ ઉપરાંત ગૌમૂત્ર અને ગોબર પણ મનુષ્યને અનેકવિધ લાભ આપનારાં છે. આ સિવાય જ્યારે ટેકનોલોજીની શોધ થઈ ન હતી ત્યારે ખેતીની અંદર બળદ અને વાહન વ્યવહાર માટે ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજના સમયની અંદર ગાય કે ઘોડા જેવા મોટા પ્રાણીઓને તો ઘરની અંદર રાખવા સંભવ નથી, કેમકે હવે જગ્યાઓ એટલી બધી મોટી રહી નથી પરંતુ વાસ્તુ પ્રમાણે પ્રાણીઓને રાખવા માટેનો ખૂણો વાયવ્ય એટલે કે ઉત્તર દિશા અને પશ્ર્ચિમ દિશા વચ્ચેનો નોર્થવેસ્ટ કોર્નર છે તેથી આપનું ડોગ હાઉસ ત્યાં બનાવવું. મનુષ્ય સાથે શ્રેષ્ઠ મિત્રતા ધરાવનાર પ્રાણી એટલે શ્ર્વાન. આજના સમયની અંદર અન્ય પ્રાણીઓ કરતાં કૂતરાઓને પાળવાનું ચલણ ઘણું વધારે છે. તેનું મુખ્ય કારણ તેની વફાદારી તથા માલીક કે જગ્યાની સલામતીમાં પણ ડોગ ઘણાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં ગ્રહદોષ નિવારણ માટે પણ કાળા કૂતરાઓની સેવા કે તેને ભોજન કરાવવાના ઉપાયો આપવામાં આવતાં હોય છે, પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જો ઘરની અંદર જગ્યા ન હોય તો કૂતરાઓને ઘરમાં ન રાખતાં ઘરના વાયવ્ય ખૂણામાં બહાર તેમની રહેવાની વ્યવસ્થા કરવી. પશુ-પંખીની વાત કરીએ તો ચાઈનીઝ ફેંગસુઈમાં માછલીઘર એટલે કે એક્વેરિયમ દ્વારા આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિના ઉપાયો કરવામાં આવતાં હોય છે અને શારીરિક તંદુરસ્તી માટે અલગ-અલગ મેટલ કે ક્રિસ્ટલના કાચબાના પ્રતીકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ તો પક્ષીઓ મુક્તપણે આકાશમાં વિહરવા માટે છે. તેમના માટે પાંજરૂ તેમની ઉડવાની ક્ષમતાને સિમિત કરે છે છતાં ઘણાં લોકો શોખથી ઘરમાં પક્ષીઓ રાખતાં હોય છે તો તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળે તેની ખાસ કાળજી રાખશો.

- Advertisement -

પ્રશ્ર્ન 2: વિદેશમાં સેટલ થવા માટે અને તેના વિઝા ઝડપથી મળી જાય તે માટે કોઈ વાસ્તુ ટિપ્સ આપશો?
ઉત્તર: ઘણાં લોકો અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવા ઉત્સુક હોય છે, પરંતુ તેમને સમયસર વિઝા ન મળવા કે કારણ વગરના વિલંબ માટે તેમની ગ્રહદશા કે તેમની રહેવાની જગ્યા ચોક્કસપણે ભાગ ભજવતી હોય છે. વિદેશ જવા માટે સૌપ્રથમ આપના ભાગ્યની અંદર વિદેશ યોગ હોવો જોઈએ જેથી કરીને વાસ્તુમાં સૂચવેલા ઉપાયો કર્યા બાદ તેનો ત્વરિત લાભ મેળવી શકાય. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુવમેન્ટ માટેનો ખૂણો ઉત્તર અને પશ્ર્ચિમ વચ્ચેનો ખૂણો એટલે કે વાયવ્ય કોણ છે. વાયુતત્ત્વ સાથે સંકળાયેલો આ ખૂણો તમોને સ્થાન પરિવર્તનમાં ચોક્કસપણે સહાયરૂપ થઈ શકે છે, જેવી રીતે હવા કોઈ જગ્યાએ સ્થિર રહેતી નથી અને સતત ગતિશીલ રહે છે. તેવી જ રીતે આ ખૂણામાં રાખવામાં આવેલી વસ્તુઓમાં બધી પ્રક્રિયાઓ ઝડપથી થશે માટે આપ આપનો પાસપોર્ટ અને વિદેશ માટેના યોગ્ય ડોક્યુમેન્ટસ વાયવ્ય ખૂણામાં રાખશો. આ ઉપરાંત વાયવ્ય ખૂણાની અંદર કોઈ અવરોધરૂપ વસ્તુઓ નથી, તેની ખાતરી કરી લેશો. ઘણાં કિસ્સાઓની અંદર ખૂણો કટ થયો હોય એટલે કે મિસિંગ હોય તો પણ પ્રવાસ-પર્યટનને લગતાં કામોમાં વિલંબ થતો હોય છે. વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓ સૂવા માટે નોર્થ વેસ્ટ રૂમનો ઉપયોગ કરે તે વધારે યોગ્ય રહેશે અને જો આપ નૈઋત્ય ખૂણાના રૂમનો ઉપયોગ કરતાં હોય તો થોડા સમય માટે ત્યાં સૂવાનું ટાળી વાયવ્ય ખૂણાના રૂમમાં શિફ્ટ થઈ જવું જોઈએ. જો આપના વાયવ્ય ખૂણાની અંદર બારી એટલે કે વિન્ડો ન હોય અને આપ ત્યાં સિવિલ ચેન્જીસ કરીને વિન્ડો બનાવી શકો તેમ હો તો અચૂકપણે ત્યાં બારી બનાવશો, તે આપના પ્રવાસ-પર્યટનને ખૂબ જ વેગ આપી શકે છે. ધાર્મિક ઉપાયોની વાત કરીએ તો વાયુપુત્ર હનુમાનજીની ઉપાસના પ્રવાસ-પર્યટન આડેના વિઘ્નો દૂર કરવામાં ખૂબ ફળદાયી બને છે.

પ્રશ્ર્ન 3: અમારા ઘરની અંદર એક ભગવાનની મૂર્તિ ખંડિત થયેલ છે તો શું તે ઘરની અંદર રાખી શકાય?
ઉત્તર: વાસ્તુ વિષયમાં ઘણીવાર પૂછાતા પ્રશ્ર્નોમાંનો આ એક પ્રશ્ર્ન છે. વાસ્તુ પ્રમાણે ઘરની અંદર ખંડિત મૂર્તિ રાખવી જોઈએ નહીં તથા વિધિવત રીતે બ્રાહ્મણ પાસે નવી મૂર્તિની સ્થાપના કરી ખંડિત મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ. મૂર્તિ સિવાય ઘરની અંદર ઘણી વખત ભગવાનના ફાટી ગયેલા ફોટો, તૂટી ગયેલી ઘડિયાળો કે ફ્લાવરવાઝ વગેરેને પણ ઘરની અંદર ન રાખવા અને નવા લાવી તેને રિપ્લેસ કરવા.

પ્રશ્ર્ન 4: ઓફિસની અંદર મિટીંગ રૂમમાં ગોળ આકારનું મિટીંગ ટેબલ રાખી શકાય?
ઉત્તર: બહુ જ સારો પ્રશ્ર્ન. વાસ્તુશાસ્ત્રમાં પ્રવૃત્તિ અને પંચતત્ત્વોને આધારે દરેક વસ્તુઓના આકાર નક્કી કરવામાં આવતાં હોય છે. સામાન્ય રીતે જો લંબાણપૂર્વક ચર્ચા કરવાની હોય કે વિસ્તૃત સમજણ આપવાની હોય કે ખૂબ જ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો ચોરસ કે લંબચોરસ મિટીંગ ટેબલ રાખવું જોઈએ. પરંતુ ટૂંકાણમાં ચર્ચા કરી વાત ઝડપથી સમજાવવાની હોય, ઓછી અગત્યની મિટીંગ હોય તો ગોળ ટેબલ પણ ચાલશે.

- Advertisement -

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: astro, doghouse
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીવને શિવ બનવા માટે ત્રીજા નેત્રની સાધના આવશ્યક
Next Article અનેક માતા-પિતાની સેવા કરતો કળયુગી શ્રવણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?