By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એલોન મસ્કે X પર લખેલી પોસ્ટ અંગે ટ્રમ્પ પાસે માફી માગી
    3 hours ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    4 hours ago
    કેન્યામાં રજાઓ ગાળવા ગયેલા મલયાલી પ્રવાસીઓનું બસ અકસ્માત: પાંચ લોકોના મોત, અનેક ઘાયલ
    5 hours ago
    રાત્રિના સમયે વધતી હિંસાને પગલે લોસ એન્જલસના મેયરે શહેરમાં કર્ફ્યુ લાદ્યો
    5 hours ago
    ઑસ્ટ્રિયાની શાળામાં થયેલા ગોળીબારમાં પીડિતાના હોસ્પિટલમાં મૃત્યુ બાદ મૃત્યુઆંક 11 થયો
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    48.4% ગ્રામીણ મહિલાઓ પાસે મોબાઇલ ફોન નથી, ફક્ત 57.6% મહિલાઓ પાસે ઇન્ટરનેટની ઍક્સેસ છે : NSO ડેટા
    59 minutes ago
    શુક્રવારથી ચોમાસું ફરી સક્રિય થશે
    1 hour ago
    હવે રેલવેમાં 24 કલાક પહેલાં જ બનશે વેઇટિંગ લિસ્ટ ચાર્ટ
    1 hour ago
    આંતરધર્મી જોડાણ માટે કોઈને જેલમાં નાખી શકાય નહીં: મુસ્લિમ વ્યક્તિને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા
    4 hours ago
    ધર્મમાં પરિવર્તન: મુસ્લિમો સૌથી ઝડપથી વધી રહ્યા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુઓમાં ઘટાડો
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    2 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    2 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    4 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    5 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    4 hours ago
    ’ધ કપિલ શર્મા શો’માં નવજોતસિંહ સિધુની 6 વર્ષ બાદ ફરી વાપસી
    1 day ago
    અક્ષયની ફિલ્મ ‘હાઉસફૂલ 5’ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન
    1 day ago
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    2 days ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    5 hours ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 day ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    5 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ
AuthorRajesh Bhatt

ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ

Khaskhabar Editor
Last updated: 2022/08/06 at 5:34 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

આપનો પાસપોર્ટ અને વિદેશ માટેના યોગ્ય ડોક્યુમેન્ટસ વાયવ્ય ખૂણામાં રાખશો તો ઝડપથી વિદેશ જવાના યોગ બનશે

પ્રશ્ર્ન 1: વાસ્તુશાસ્ત્ર અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ સમજાવશો અને અમારા ઘરમાં ડોગ રાખેલ છે તો તેના માટે ડોગ હાઉસ કઈ દિશામાં બનાવવું?
ઉત્તર: મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે સદીઓથી એકબીજા પ્રત્યે આત્મીય વર્તન રહ્યું છે અને મનુષ્ય પોતાની પાસે રહેલ જગ્યાના અનુસંધાનમાં પ્રાણીઓ કે પક્ષીઓને ઘરની અંદર પાળતો આવ્યો છે. શાસ્ત્રોમાંની વાત કરીએ તો દરેક દેવી-દેવતાએ કોઈ ને કોઈ પ્રાણી કે પંખીને પોતાના વાહન તરીકે પોતાની પાસે સ્થાન આપેલ છે. આપણે શરૂઆતના અંકોમાં પણ વાત કરી હતી તેમ પશુ-પંખી પાસે શુભ કે અશુભ ઊર્જા પારખવાની ઉત્તમ શક્તિઓ રહેલી છે. આપણી સંસ્કૃતિમાં ઘરની અંદર પાળવામાં આવતાં મોટાભાગના પ્રાણીઓ માલીકો પ્રત્યે વફાદારીનો અદ્ભુત ગુણ ધરાવે છે. હિન્દુ પુરાણોમાં ગાયનું સર્વોચ્ચ મૂલ્ય છે. ‘માતા’ તરીકે ઓળખાતી ગાય એક પવિત્ર પ્રાણી છે, એટલે જ વર્ષોથી નાના ગામોની અંદર જ્યારે ઘરોની અંદર વિશાળ જગ્યાઓ હતી ત્યારે ગાયને ઘરની અંદર અચૂક રાખવામાં આવતી હતી અને માલીક પોતે ગાયને પોતાના હાથથી રોટલી ખવડાવતાં હતાં. શાસ્ત્રોની અંદર પણ જમતાં પહેલાં ગૌગ્રાસ અલગથી રાખવાની પ્રથા રહી છે. ગાયના દૂધ ઉપરાંત ગૌમૂત્ર અને ગોબર પણ મનુષ્યને અનેકવિધ લાભ આપનારાં છે. આ સિવાય જ્યારે ટેકનોલોજીની શોધ થઈ ન હતી ત્યારે ખેતીની અંદર બળદ અને વાહન વ્યવહાર માટે ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજના સમયની અંદર ગાય કે ઘોડા જેવા મોટા પ્રાણીઓને તો ઘરની અંદર રાખવા સંભવ નથી, કેમકે હવે જગ્યાઓ એટલી બધી મોટી રહી નથી પરંતુ વાસ્તુ પ્રમાણે પ્રાણીઓને રાખવા માટેનો ખૂણો વાયવ્ય એટલે કે ઉત્તર દિશા અને પશ્ર્ચિમ દિશા વચ્ચેનો નોર્થવેસ્ટ કોર્નર છે તેથી આપનું ડોગ હાઉસ ત્યાં બનાવવું. મનુષ્ય સાથે શ્રેષ્ઠ મિત્રતા ધરાવનાર પ્રાણી એટલે શ્ર્વાન. આજના સમયની અંદર અન્ય પ્રાણીઓ કરતાં કૂતરાઓને પાળવાનું ચલણ ઘણું વધારે છે. તેનું મુખ્ય કારણ તેની વફાદારી તથા માલીક કે જગ્યાની સલામતીમાં પણ ડોગ ઘણાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં ગ્રહદોષ નિવારણ માટે પણ કાળા કૂતરાઓની સેવા કે તેને ભોજન કરાવવાના ઉપાયો આપવામાં આવતાં હોય છે, પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જો ઘરની અંદર જગ્યા ન હોય તો કૂતરાઓને ઘરમાં ન રાખતાં ઘરના વાયવ્ય ખૂણામાં બહાર તેમની રહેવાની વ્યવસ્થા કરવી. પશુ-પંખીની વાત કરીએ તો ચાઈનીઝ ફેંગસુઈમાં માછલીઘર એટલે કે એક્વેરિયમ દ્વારા આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિના ઉપાયો કરવામાં આવતાં હોય છે અને શારીરિક તંદુરસ્તી માટે અલગ-અલગ મેટલ કે ક્રિસ્ટલના કાચબાના પ્રતીકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ તો પક્ષીઓ મુક્તપણે આકાશમાં વિહરવા માટે છે. તેમના માટે પાંજરૂ તેમની ઉડવાની ક્ષમતાને સિમિત કરે છે છતાં ઘણાં લોકો શોખથી ઘરમાં પક્ષીઓ રાખતાં હોય છે તો તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળે તેની ખાસ કાળજી રાખશો.

- Advertisement -

પ્રશ્ર્ન 2: વિદેશમાં સેટલ થવા માટે અને તેના વિઝા ઝડપથી મળી જાય તે માટે કોઈ વાસ્તુ ટિપ્સ આપશો?
ઉત્તર: ઘણાં લોકો અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવા ઉત્સુક હોય છે, પરંતુ તેમને સમયસર વિઝા ન મળવા કે કારણ વગરના વિલંબ માટે તેમની ગ્રહદશા કે તેમની રહેવાની જગ્યા ચોક્કસપણે ભાગ ભજવતી હોય છે. વિદેશ જવા માટે સૌપ્રથમ આપના ભાગ્યની અંદર વિદેશ યોગ હોવો જોઈએ જેથી કરીને વાસ્તુમાં સૂચવેલા ઉપાયો કર્યા બાદ તેનો ત્વરિત લાભ મેળવી શકાય. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુવમેન્ટ માટેનો ખૂણો ઉત્તર અને પશ્ર્ચિમ વચ્ચેનો ખૂણો એટલે કે વાયવ્ય કોણ છે. વાયુતત્ત્વ સાથે સંકળાયેલો આ ખૂણો તમોને સ્થાન પરિવર્તનમાં ચોક્કસપણે સહાયરૂપ થઈ શકે છે, જેવી રીતે હવા કોઈ જગ્યાએ સ્થિર રહેતી નથી અને સતત ગતિશીલ રહે છે. તેવી જ રીતે આ ખૂણામાં રાખવામાં આવેલી વસ્તુઓમાં બધી પ્રક્રિયાઓ ઝડપથી થશે માટે આપ આપનો પાસપોર્ટ અને વિદેશ માટેના યોગ્ય ડોક્યુમેન્ટસ વાયવ્ય ખૂણામાં રાખશો. આ ઉપરાંત વાયવ્ય ખૂણાની અંદર કોઈ અવરોધરૂપ વસ્તુઓ નથી, તેની ખાતરી કરી લેશો. ઘણાં કિસ્સાઓની અંદર ખૂણો કટ થયો હોય એટલે કે મિસિંગ હોય તો પણ પ્રવાસ-પર્યટનને લગતાં કામોમાં વિલંબ થતો હોય છે. વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓ સૂવા માટે નોર્થ વેસ્ટ રૂમનો ઉપયોગ કરે તે વધારે યોગ્ય રહેશે અને જો આપ નૈઋત્ય ખૂણાના રૂમનો ઉપયોગ કરતાં હોય તો થોડા સમય માટે ત્યાં સૂવાનું ટાળી વાયવ્ય ખૂણાના રૂમમાં શિફ્ટ થઈ જવું જોઈએ. જો આપના વાયવ્ય ખૂણાની અંદર બારી એટલે કે વિન્ડો ન હોય અને આપ ત્યાં સિવિલ ચેન્જીસ કરીને વિન્ડો બનાવી શકો તેમ હો તો અચૂકપણે ત્યાં બારી બનાવશો, તે આપના પ્રવાસ-પર્યટનને ખૂબ જ વેગ આપી શકે છે. ધાર્મિક ઉપાયોની વાત કરીએ તો વાયુપુત્ર હનુમાનજીની ઉપાસના પ્રવાસ-પર્યટન આડેના વિઘ્નો દૂર કરવામાં ખૂબ ફળદાયી બને છે.

પ્રશ્ર્ન 3: અમારા ઘરની અંદર એક ભગવાનની મૂર્તિ ખંડિત થયેલ છે તો શું તે ઘરની અંદર રાખી શકાય?
ઉત્તર: વાસ્તુ વિષયમાં ઘણીવાર પૂછાતા પ્રશ્ર્નોમાંનો આ એક પ્રશ્ર્ન છે. વાસ્તુ પ્રમાણે ઘરની અંદર ખંડિત મૂર્તિ રાખવી જોઈએ નહીં તથા વિધિવત રીતે બ્રાહ્મણ પાસે નવી મૂર્તિની સ્થાપના કરી ખંડિત મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ. મૂર્તિ સિવાય ઘરની અંદર ઘણી વખત ભગવાનના ફાટી ગયેલા ફોટો, તૂટી ગયેલી ઘડિયાળો કે ફ્લાવરવાઝ વગેરેને પણ ઘરની અંદર ન રાખવા અને નવા લાવી તેને રિપ્લેસ કરવા.

પ્રશ્ર્ન 4: ઓફિસની અંદર મિટીંગ રૂમમાં ગોળ આકારનું મિટીંગ ટેબલ રાખી શકાય?
ઉત્તર: બહુ જ સારો પ્રશ્ર્ન. વાસ્તુશાસ્ત્રમાં પ્રવૃત્તિ અને પંચતત્ત્વોને આધારે દરેક વસ્તુઓના આકાર નક્કી કરવામાં આવતાં હોય છે. સામાન્ય રીતે જો લંબાણપૂર્વક ચર્ચા કરવાની હોય કે વિસ્તૃત સમજણ આપવાની હોય કે ખૂબ જ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો ચોરસ કે લંબચોરસ મિટીંગ ટેબલ રાખવું જોઈએ. પરંતુ ટૂંકાણમાં ચર્ચા કરી વાત ઝડપથી સમજાવવાની હોય, ઓછી અગત્યની મિટીંગ હોય તો ગોળ ટેબલ પણ ચાલશે.

- Advertisement -

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

You Might Also Like

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

TAGGED: astro, doghouse
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીવને શિવ બનવા માટે ત્રીજા નેત્રની સાધના આવશ્યક
Next Article અનેક માતા-પિતાની સેવા કરતો કળયુગી શ્રવણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પોરબંદર

પોરબંદરમાં રામદેવપીરનો મંડપ ધરાશાયી થતાં એક દર્શનાર્થીનું મોત, ચોપાટી ગ્રાઉન્ડ પર નાસભાગ

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળતા પહેલા મંત્રીઓ માટે RT-PCR ટેસ્ટ કરાવવો ફરજિયાત
બીચ ક્લીનિંગ અભિયાન: તટસ્થળો પર ત્રણ દિવસમાં 121 સ્વયંસેવકોએ 242 કલાક શ્રમદાન કરી પ્લાસ્ટિકનો કચરો દૂર કર્યો
વિજયનગર ગામ ખાતે પેવર બ્લોક નાખવાનું કામ મંજૂર, ખાતમુહૂર્ત કરાયું
રેવન્યુ તલાટીની 2389 જગ્યા માટે 5 લાખથી વધુ ફોર્મ ભરાયા
આટકોટ પાસે ટ્રકમાંથી 100 લિટર ડીઝલ કાઢી બારોબાર વેંચી નાખતો ડ્રાઇવર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?