By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
    16 hours ago
    ‘પાવર પ્લાન્ટની આસપાસ ઊભા રહી જાઓ’, ટ્રમ્પની ડેડલાઈન સમાપ્ત થાય તે પહેલા ઈરાનની યુક્તિ!
    16 hours ago
    મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા? અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા
    16 hours ago
    ઈરાનમાં સત્તા કોના હાથમાં? સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ બેભાન, નિર્ણય લેવા સક્ષમ નથી
    17 hours ago
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ
    14 hours ago
    મિઝોરમ: ભારતનું ‘લવ મેરેજ કેપિટલ’ 55%થી વધુ કપલ્સ પોતાની પસંદગીથી કરે છે લગ્ન
    14 hours ago
    આજે કતલની રાત: ઈરાન માટે મંગળવાર બનશે ‘અમંગળ’: ટ્રમ્પની ધમકી- આજે રાતે 8 વાગ્યે અમે ઈરાનને નરકમાં બદલી શકીએ છીએ
    14 hours ago
    શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ
    16 hours ago
    હવાઈ મુસાફરી થઈ મોંઘી: એર ઈન્ડિયાએ ફ્યુલ સરચાર્જના નામે ભાડું વધાર્યું, જાણો કયા રૂટ પર કેટલો વધારો
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    16 hours ago
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    16 hours ago
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    2 days ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    2 days ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ
AuthorRajesh Bhatt

ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ

Khaskhabar Editor
Last updated: 2022/08/06 at 5:34 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

આપનો પાસપોર્ટ અને વિદેશ માટેના યોગ્ય ડોક્યુમેન્ટસ વાયવ્ય ખૂણામાં રાખશો તો ઝડપથી વિદેશ જવાના યોગ બનશે

પ્રશ્ર્ન 1: વાસ્તુશાસ્ત્ર અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ સમજાવશો અને અમારા ઘરમાં ડોગ રાખેલ છે તો તેના માટે ડોગ હાઉસ કઈ દિશામાં બનાવવું?
ઉત્તર: મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે સદીઓથી એકબીજા પ્રત્યે આત્મીય વર્તન રહ્યું છે અને મનુષ્ય પોતાની પાસે રહેલ જગ્યાના અનુસંધાનમાં પ્રાણીઓ કે પક્ષીઓને ઘરની અંદર પાળતો આવ્યો છે. શાસ્ત્રોમાંની વાત કરીએ તો દરેક દેવી-દેવતાએ કોઈ ને કોઈ પ્રાણી કે પંખીને પોતાના વાહન તરીકે પોતાની પાસે સ્થાન આપેલ છે. આપણે શરૂઆતના અંકોમાં પણ વાત કરી હતી તેમ પશુ-પંખી પાસે શુભ કે અશુભ ઊર્જા પારખવાની ઉત્તમ શક્તિઓ રહેલી છે. આપણી સંસ્કૃતિમાં ઘરની અંદર પાળવામાં આવતાં મોટાભાગના પ્રાણીઓ માલીકો પ્રત્યે વફાદારીનો અદ્ભુત ગુણ ધરાવે છે. હિન્દુ પુરાણોમાં ગાયનું સર્વોચ્ચ મૂલ્ય છે. ‘માતા’ તરીકે ઓળખાતી ગાય એક પવિત્ર પ્રાણી છે, એટલે જ વર્ષોથી નાના ગામોની અંદર જ્યારે ઘરોની અંદર વિશાળ જગ્યાઓ હતી ત્યારે ગાયને ઘરની અંદર અચૂક રાખવામાં આવતી હતી અને માલીક પોતે ગાયને પોતાના હાથથી રોટલી ખવડાવતાં હતાં. શાસ્ત્રોની અંદર પણ જમતાં પહેલાં ગૌગ્રાસ અલગથી રાખવાની પ્રથા રહી છે. ગાયના દૂધ ઉપરાંત ગૌમૂત્ર અને ગોબર પણ મનુષ્યને અનેકવિધ લાભ આપનારાં છે. આ સિવાય જ્યારે ટેકનોલોજીની શોધ થઈ ન હતી ત્યારે ખેતીની અંદર બળદ અને વાહન વ્યવહાર માટે ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજના સમયની અંદર ગાય કે ઘોડા જેવા મોટા પ્રાણીઓને તો ઘરની અંદર રાખવા સંભવ નથી, કેમકે હવે જગ્યાઓ એટલી બધી મોટી રહી નથી પરંતુ વાસ્તુ પ્રમાણે પ્રાણીઓને રાખવા માટેનો ખૂણો વાયવ્ય એટલે કે ઉત્તર દિશા અને પશ્ર્ચિમ દિશા વચ્ચેનો નોર્થવેસ્ટ કોર્નર છે તેથી આપનું ડોગ હાઉસ ત્યાં બનાવવું. મનુષ્ય સાથે શ્રેષ્ઠ મિત્રતા ધરાવનાર પ્રાણી એટલે શ્ર્વાન. આજના સમયની અંદર અન્ય પ્રાણીઓ કરતાં કૂતરાઓને પાળવાનું ચલણ ઘણું વધારે છે. તેનું મુખ્ય કારણ તેની વફાદારી તથા માલીક કે જગ્યાની સલામતીમાં પણ ડોગ ઘણાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં ગ્રહદોષ નિવારણ માટે પણ કાળા કૂતરાઓની સેવા કે તેને ભોજન કરાવવાના ઉપાયો આપવામાં આવતાં હોય છે, પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જો ઘરની અંદર જગ્યા ન હોય તો કૂતરાઓને ઘરમાં ન રાખતાં ઘરના વાયવ્ય ખૂણામાં બહાર તેમની રહેવાની વ્યવસ્થા કરવી. પશુ-પંખીની વાત કરીએ તો ચાઈનીઝ ફેંગસુઈમાં માછલીઘર એટલે કે એક્વેરિયમ દ્વારા આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિના ઉપાયો કરવામાં આવતાં હોય છે અને શારીરિક તંદુરસ્તી માટે અલગ-અલગ મેટલ કે ક્રિસ્ટલના કાચબાના પ્રતીકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ તો પક્ષીઓ મુક્તપણે આકાશમાં વિહરવા માટે છે. તેમના માટે પાંજરૂ તેમની ઉડવાની ક્ષમતાને સિમિત કરે છે છતાં ઘણાં લોકો શોખથી ઘરમાં પક્ષીઓ રાખતાં હોય છે તો તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળે તેની ખાસ કાળજી રાખશો.

- Advertisement -

પ્રશ્ર્ન 2: વિદેશમાં સેટલ થવા માટે અને તેના વિઝા ઝડપથી મળી જાય તે માટે કોઈ વાસ્તુ ટિપ્સ આપશો?
ઉત્તર: ઘણાં લોકો અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવા ઉત્સુક હોય છે, પરંતુ તેમને સમયસર વિઝા ન મળવા કે કારણ વગરના વિલંબ માટે તેમની ગ્રહદશા કે તેમની રહેવાની જગ્યા ચોક્કસપણે ભાગ ભજવતી હોય છે. વિદેશ જવા માટે સૌપ્રથમ આપના ભાગ્યની અંદર વિદેશ યોગ હોવો જોઈએ જેથી કરીને વાસ્તુમાં સૂચવેલા ઉપાયો કર્યા બાદ તેનો ત્વરિત લાભ મેળવી શકાય. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુવમેન્ટ માટેનો ખૂણો ઉત્તર અને પશ્ર્ચિમ વચ્ચેનો ખૂણો એટલે કે વાયવ્ય કોણ છે. વાયુતત્ત્વ સાથે સંકળાયેલો આ ખૂણો તમોને સ્થાન પરિવર્તનમાં ચોક્કસપણે સહાયરૂપ થઈ શકે છે, જેવી રીતે હવા કોઈ જગ્યાએ સ્થિર રહેતી નથી અને સતત ગતિશીલ રહે છે. તેવી જ રીતે આ ખૂણામાં રાખવામાં આવેલી વસ્તુઓમાં બધી પ્રક્રિયાઓ ઝડપથી થશે માટે આપ આપનો પાસપોર્ટ અને વિદેશ માટેના યોગ્ય ડોક્યુમેન્ટસ વાયવ્ય ખૂણામાં રાખશો. આ ઉપરાંત વાયવ્ય ખૂણાની અંદર કોઈ અવરોધરૂપ વસ્તુઓ નથી, તેની ખાતરી કરી લેશો. ઘણાં કિસ્સાઓની અંદર ખૂણો કટ થયો હોય એટલે કે મિસિંગ હોય તો પણ પ્રવાસ-પર્યટનને લગતાં કામોમાં વિલંબ થતો હોય છે. વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓ સૂવા માટે નોર્થ વેસ્ટ રૂમનો ઉપયોગ કરે તે વધારે યોગ્ય રહેશે અને જો આપ નૈઋત્ય ખૂણાના રૂમનો ઉપયોગ કરતાં હોય તો થોડા સમય માટે ત્યાં સૂવાનું ટાળી વાયવ્ય ખૂણાના રૂમમાં શિફ્ટ થઈ જવું જોઈએ. જો આપના વાયવ્ય ખૂણાની અંદર બારી એટલે કે વિન્ડો ન હોય અને આપ ત્યાં સિવિલ ચેન્જીસ કરીને વિન્ડો બનાવી શકો તેમ હો તો અચૂકપણે ત્યાં બારી બનાવશો, તે આપના પ્રવાસ-પર્યટનને ખૂબ જ વેગ આપી શકે છે. ધાર્મિક ઉપાયોની વાત કરીએ તો વાયુપુત્ર હનુમાનજીની ઉપાસના પ્રવાસ-પર્યટન આડેના વિઘ્નો દૂર કરવામાં ખૂબ ફળદાયી બને છે.

પ્રશ્ર્ન 3: અમારા ઘરની અંદર એક ભગવાનની મૂર્તિ ખંડિત થયેલ છે તો શું તે ઘરની અંદર રાખી શકાય?
ઉત્તર: વાસ્તુ વિષયમાં ઘણીવાર પૂછાતા પ્રશ્ર્નોમાંનો આ એક પ્રશ્ર્ન છે. વાસ્તુ પ્રમાણે ઘરની અંદર ખંડિત મૂર્તિ રાખવી જોઈએ નહીં તથા વિધિવત રીતે બ્રાહ્મણ પાસે નવી મૂર્તિની સ્થાપના કરી ખંડિત મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ. મૂર્તિ સિવાય ઘરની અંદર ઘણી વખત ભગવાનના ફાટી ગયેલા ફોટો, તૂટી ગયેલી ઘડિયાળો કે ફ્લાવરવાઝ વગેરેને પણ ઘરની અંદર ન રાખવા અને નવા લાવી તેને રિપ્લેસ કરવા.

પ્રશ્ર્ન 4: ઓફિસની અંદર મિટીંગ રૂમમાં ગોળ આકારનું મિટીંગ ટેબલ રાખી શકાય?
ઉત્તર: બહુ જ સારો પ્રશ્ર્ન. વાસ્તુશાસ્ત્રમાં પ્રવૃત્તિ અને પંચતત્ત્વોને આધારે દરેક વસ્તુઓના આકાર નક્કી કરવામાં આવતાં હોય છે. સામાન્ય રીતે જો લંબાણપૂર્વક ચર્ચા કરવાની હોય કે વિસ્તૃત સમજણ આપવાની હોય કે ખૂબ જ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો ચોરસ કે લંબચોરસ મિટીંગ ટેબલ રાખવું જોઈએ. પરંતુ ટૂંકાણમાં ચર્ચા કરી વાત ઝડપથી સમજાવવાની હોય, ઓછી અગત્યની મિટીંગ હોય તો ગોળ ટેબલ પણ ચાલશે.

- Advertisement -

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

You Might Also Like

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

એક સ્ટીલનો ડબ્બો જેણે દુનિયા બદલી નાખી !

TAGGED: astro, doghouse
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીવને શિવ બનવા માટે ત્રીજા નેત્રની સાધના આવશ્યક
Next Article અનેક માતા-પિતાની સેવા કરતો કળયુગી શ્રવણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

‘ચૂંટણી જંગ’: 8.25 લાખ મતદાર, 1010 મતદાન મથક અને 2138 EVM સાથે તંત્ર તૈયાર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટમાં 24 એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
ગુજરાતી પ્રવાસીઓ સ્થાનિક અને એશિયન ડેસ્ટિનેશન તરફ વળ્યા!
મહાપાલિકામાં 9, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે
9000 LRD અને વન વિભાગ સ્ટાફને બંદોબસ્તમાં જોડાશે : રાજ્યના પોલીસ વડા રાવ
આયુષ્યમાન યોજના : 7 વર્ષમાં ગુજરાતના 65.05 લાખ દર્દીની સારવાર માટે 15 હજાર કરોડનો ખર્ચ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
Author

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?