By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ: ટ્રમ્પના સૂર બદલાયા!
    6 hours ago
    જ્યોર્જિયામાં ટેકઓફ પછી તુર્કીનું C-130 લશ્કરી વિમાન ક્રેશ થતાં 20નાં મોતની આશંકા
    8 hours ago
    પાકિસ્તાન તાલિબાન દ્વારા ઈસ્લામાબાદ હુમલાનો દાવો કર્યા બાદ કાબુલ માટે ખ્વાજા આસિફની “યુદ્ધ”ની ધમકી
    8 hours ago
    હાફિઝ સઈદ બાંગ્લાદેશ મારફતે ભારત પર હુમલાની યોજના બનાવી રહ્યો છે: રિપોર્ટ
    1 day ago
    મુનીરને મળ્યા વધુ અધિકાર: પરમાણુ હથિયાર અને ત્રણેય સેનાઓ પર કંટ્રોલ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓપરેશન સિંદૂર 2.0?: PM મોદીની બેઠક, પાકિસ્તાનમાં હડકંપ
    6 hours ago
    દિલ્હી લાલ કિલ્લાના વિસ્ફોટ પર અલ ફલાહ યુનિવર્સિટીની પ્રથમ પ્રતિક્રિયા
    8 hours ago
    તુર્કી ટ્રિપ, ટેલિગ્રામ ચેટ્સ, જૈશ હેન્ડલર: કેવી રીતે ડૉક્ટર્સ મોડ્યુલને કટ્ટરપંથી બનાવવામાં આવ્યું
    9 hours ago
    દિલ્હી સરકારે લાલ કિલ્લા બ્લાસ્ટના પીડિતો માટે વળતરની જાહેરાત કરી
    9 hours ago
    UPSC મેન્સ 2025નું પરિણામ જાહેર – 2736 ઉમેદવારો પર્સનાલિટી ટેસ્ટ (ઇન્ટરવ્યૂ) માટે શોર્ટલિસ્ટ થયા
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    BCCIની કોહલી અને રોહિતને કડક સૂચના: ભારત માટે રમવું હોય તો ઘરેલું ક્રિકેટ ફરજિયાત
    6 hours ago
    હોમકમિંગ? જાડેજાની પહેલી લવ સ્ટોરી: રાજસ્થાન રોયલ્સ!
    2 days ago
    પ્રાધાનમંત્રી બાદ ભારતીય મહિલા ટીમ મળી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને
    5 days ago
    RCB વેચાવાની તૈયારીમાં: 2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે
    6 days ago
    લીગ ક્રિકેટમાં દરેક દેશના ખેલાડીઓને રમવાની તક મળવી જોઈએ..’ વસીમ અકરમ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગોવિંદાને હોસ્પિટલમાંથી મળી રજા, ગઈ કાલે બેહોશ થયા હતા
    7 hours ago
    મારા પિતા ધર્મેન્દ્ર હજુ જીવિત છે અને તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે
    1 day ago
    2027માં બાપ-બેટા સાથે મળીને ફિલ્મ બનાવશે
    4 days ago
    ભૂતપૂર્વ અભિનેત્રી ઝરીન ખાનનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન
    5 days ago
    વિક્કી- કેટરીનાના ઘરે નાના રાજકુમારની કિલકારી ગુંજી
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 weeks ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 weeks ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 weeks ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    4 weeks ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    4 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 days ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 weeks ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ
AuthorRajesh Bhatt

ડોગ હાઉસને ઘરના વાયવ્ય ખૂણામાં બહાર બનાવવું હિતાવહ

Khaskhabar Editor
Last updated: 2022/08/06 at 5:34 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

આપનો પાસપોર્ટ અને વિદેશ માટેના યોગ્ય ડોક્યુમેન્ટસ વાયવ્ય ખૂણામાં રાખશો તો ઝડપથી વિદેશ જવાના યોગ બનશે

પ્રશ્ર્ન 1: વાસ્તુશાસ્ત્ર અને પ્રાણીઓ વચ્ચેનો સંબંધ સમજાવશો અને અમારા ઘરમાં ડોગ રાખેલ છે તો તેના માટે ડોગ હાઉસ કઈ દિશામાં બનાવવું?
ઉત્તર: મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચે સદીઓથી એકબીજા પ્રત્યે આત્મીય વર્તન રહ્યું છે અને મનુષ્ય પોતાની પાસે રહેલ જગ્યાના અનુસંધાનમાં પ્રાણીઓ કે પક્ષીઓને ઘરની અંદર પાળતો આવ્યો છે. શાસ્ત્રોમાંની વાત કરીએ તો દરેક દેવી-દેવતાએ કોઈ ને કોઈ પ્રાણી કે પંખીને પોતાના વાહન તરીકે પોતાની પાસે સ્થાન આપેલ છે. આપણે શરૂઆતના અંકોમાં પણ વાત કરી હતી તેમ પશુ-પંખી પાસે શુભ કે અશુભ ઊર્જા પારખવાની ઉત્તમ શક્તિઓ રહેલી છે. આપણી સંસ્કૃતિમાં ઘરની અંદર પાળવામાં આવતાં મોટાભાગના પ્રાણીઓ માલીકો પ્રત્યે વફાદારીનો અદ્ભુત ગુણ ધરાવે છે. હિન્દુ પુરાણોમાં ગાયનું સર્વોચ્ચ મૂલ્ય છે. ‘માતા’ તરીકે ઓળખાતી ગાય એક પવિત્ર પ્રાણી છે, એટલે જ વર્ષોથી નાના ગામોની અંદર જ્યારે ઘરોની અંદર વિશાળ જગ્યાઓ હતી ત્યારે ગાયને ઘરની અંદર અચૂક રાખવામાં આવતી હતી અને માલીક પોતે ગાયને પોતાના હાથથી રોટલી ખવડાવતાં હતાં. શાસ્ત્રોની અંદર પણ જમતાં પહેલાં ગૌગ્રાસ અલગથી રાખવાની પ્રથા રહી છે. ગાયના દૂધ ઉપરાંત ગૌમૂત્ર અને ગોબર પણ મનુષ્યને અનેકવિધ લાભ આપનારાં છે. આ સિવાય જ્યારે ટેકનોલોજીની શોધ થઈ ન હતી ત્યારે ખેતીની અંદર બળદ અને વાહન વ્યવહાર માટે ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજના સમયની અંદર ગાય કે ઘોડા જેવા મોટા પ્રાણીઓને તો ઘરની અંદર રાખવા સંભવ નથી, કેમકે હવે જગ્યાઓ એટલી બધી મોટી રહી નથી પરંતુ વાસ્તુ પ્રમાણે પ્રાણીઓને રાખવા માટેનો ખૂણો વાયવ્ય એટલે કે ઉત્તર દિશા અને પશ્ર્ચિમ દિશા વચ્ચેનો નોર્થવેસ્ટ કોર્નર છે તેથી આપનું ડોગ હાઉસ ત્યાં બનાવવું. મનુષ્ય સાથે શ્રેષ્ઠ મિત્રતા ધરાવનાર પ્રાણી એટલે શ્ર્વાન. આજના સમયની અંદર અન્ય પ્રાણીઓ કરતાં કૂતરાઓને પાળવાનું ચલણ ઘણું વધારે છે. તેનું મુખ્ય કારણ તેની વફાદારી તથા માલીક કે જગ્યાની સલામતીમાં પણ ડોગ ઘણાં મદદરૂપ થઈ શકે છે. આ ઉપરાંત ઘણાં ગ્રહદોષ નિવારણ માટે પણ કાળા કૂતરાઓની સેવા કે તેને ભોજન કરાવવાના ઉપાયો આપવામાં આવતાં હોય છે, પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જો ઘરની અંદર જગ્યા ન હોય તો કૂતરાઓને ઘરમાં ન રાખતાં ઘરના વાયવ્ય ખૂણામાં બહાર તેમની રહેવાની વ્યવસ્થા કરવી. પશુ-પંખીની વાત કરીએ તો ચાઈનીઝ ફેંગસુઈમાં માછલીઘર એટલે કે એક્વેરિયમ દ્વારા આર્થિક ઉન્નતિ અને સમૃદ્ધિના ઉપાયો કરવામાં આવતાં હોય છે અને શારીરિક તંદુરસ્તી માટે અલગ-અલગ મેટલ કે ક્રિસ્ટલના કાચબાના પ્રતીકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આમ તો પક્ષીઓ મુક્તપણે આકાશમાં વિહરવા માટે છે. તેમના માટે પાંજરૂ તેમની ઉડવાની ક્ષમતાને સિમિત કરે છે છતાં ઘણાં લોકો શોખથી ઘરમાં પક્ષીઓ રાખતાં હોય છે તો તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળે તેની ખાસ કાળજી રાખશો.

- Advertisement -

પ્રશ્ર્ન 2: વિદેશમાં સેટલ થવા માટે અને તેના વિઝા ઝડપથી મળી જાય તે માટે કોઈ વાસ્તુ ટિપ્સ આપશો?
ઉત્તર: ઘણાં લોકો અભ્યાસ કે નોકરી માટે વિદેશ જવા ઉત્સુક હોય છે, પરંતુ તેમને સમયસર વિઝા ન મળવા કે કારણ વગરના વિલંબ માટે તેમની ગ્રહદશા કે તેમની રહેવાની જગ્યા ચોક્કસપણે ભાગ ભજવતી હોય છે. વિદેશ જવા માટે સૌપ્રથમ આપના ભાગ્યની અંદર વિદેશ યોગ હોવો જોઈએ જેથી કરીને વાસ્તુમાં સૂચવેલા ઉપાયો કર્યા બાદ તેનો ત્વરિત લાભ મેળવી શકાય. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મુવમેન્ટ માટેનો ખૂણો ઉત્તર અને પશ્ર્ચિમ વચ્ચેનો ખૂણો એટલે કે વાયવ્ય કોણ છે. વાયુતત્ત્વ સાથે સંકળાયેલો આ ખૂણો તમોને સ્થાન પરિવર્તનમાં ચોક્કસપણે સહાયરૂપ થઈ શકે છે, જેવી રીતે હવા કોઈ જગ્યાએ સ્થિર રહેતી નથી અને સતત ગતિશીલ રહે છે. તેવી જ રીતે આ ખૂણામાં રાખવામાં આવેલી વસ્તુઓમાં બધી પ્રક્રિયાઓ ઝડપથી થશે માટે આપ આપનો પાસપોર્ટ અને વિદેશ માટેના યોગ્ય ડોક્યુમેન્ટસ વાયવ્ય ખૂણામાં રાખશો. આ ઉપરાંત વાયવ્ય ખૂણાની અંદર કોઈ અવરોધરૂપ વસ્તુઓ નથી, તેની ખાતરી કરી લેશો. ઘણાં કિસ્સાઓની અંદર ખૂણો કટ થયો હોય એટલે કે મિસિંગ હોય તો પણ પ્રવાસ-પર્યટનને લગતાં કામોમાં વિલંબ થતો હોય છે. વિદેશ જવા ઈચ્છુક વ્યક્તિઓ સૂવા માટે નોર્થ વેસ્ટ રૂમનો ઉપયોગ કરે તે વધારે યોગ્ય રહેશે અને જો આપ નૈઋત્ય ખૂણાના રૂમનો ઉપયોગ કરતાં હોય તો થોડા સમય માટે ત્યાં સૂવાનું ટાળી વાયવ્ય ખૂણાના રૂમમાં શિફ્ટ થઈ જવું જોઈએ. જો આપના વાયવ્ય ખૂણાની અંદર બારી એટલે કે વિન્ડો ન હોય અને આપ ત્યાં સિવિલ ચેન્જીસ કરીને વિન્ડો બનાવી શકો તેમ હો તો અચૂકપણે ત્યાં બારી બનાવશો, તે આપના પ્રવાસ-પર્યટનને ખૂબ જ વેગ આપી શકે છે. ધાર્મિક ઉપાયોની વાત કરીએ તો વાયુપુત્ર હનુમાનજીની ઉપાસના પ્રવાસ-પર્યટન આડેના વિઘ્નો દૂર કરવામાં ખૂબ ફળદાયી બને છે.

પ્રશ્ર્ન 3: અમારા ઘરની અંદર એક ભગવાનની મૂર્તિ ખંડિત થયેલ છે તો શું તે ઘરની અંદર રાખી શકાય?
ઉત્તર: વાસ્તુ વિષયમાં ઘણીવાર પૂછાતા પ્રશ્ર્નોમાંનો આ એક પ્રશ્ર્ન છે. વાસ્તુ પ્રમાણે ઘરની અંદર ખંડિત મૂર્તિ રાખવી જોઈએ નહીં તથા વિધિવત રીતે બ્રાહ્મણ પાસે નવી મૂર્તિની સ્થાપના કરી ખંડિત મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ. મૂર્તિ સિવાય ઘરની અંદર ઘણી વખત ભગવાનના ફાટી ગયેલા ફોટો, તૂટી ગયેલી ઘડિયાળો કે ફ્લાવરવાઝ વગેરેને પણ ઘરની અંદર ન રાખવા અને નવા લાવી તેને રિપ્લેસ કરવા.

પ્રશ્ર્ન 4: ઓફિસની અંદર મિટીંગ રૂમમાં ગોળ આકારનું મિટીંગ ટેબલ રાખી શકાય?
ઉત્તર: બહુ જ સારો પ્રશ્ર્ન. વાસ્તુશાસ્ત્રમાં પ્રવૃત્તિ અને પંચતત્ત્વોને આધારે દરેક વસ્તુઓના આકાર નક્કી કરવામાં આવતાં હોય છે. સામાન્ય રીતે જો લંબાણપૂર્વક ચર્ચા કરવાની હોય કે વિસ્તૃત સમજણ આપવાની હોય કે ખૂબ જ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય તો ચોરસ કે લંબચોરસ મિટીંગ ટેબલ રાખવું જોઈએ. પરંતુ ટૂંકાણમાં ચર્ચા કરી વાત ઝડપથી સમજાવવાની હોય, ઓછી અગત્યની મિટીંગ હોય તો ગોળ ટેબલ પણ ચાલશે.

- Advertisement -

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

You Might Also Like

આતંકવાદનો મોટિવ શું છે?

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

બસની સીટ – એક કટાક્ષકથા

ટેક્નોલોજીએ આપણી માનસિક ક્ષમતાઓને પણ નિર્ભર બનાવી દીધી છે, હજુ દોઢ દાયકા પહેલાં આપણે મોટા મોટા સરવાળા-બાદબાકી, ગાણિતિક ગણતરીઓ મોઢે કરી નાખતા હતા અને હજારો ફોન નંબર યાદ રાખતા હતા પરંતુ હવે, બે-ચાર સંખ્યાઓનો સરળ સરવાળો પણ આપણાથી થતો નથી….

આધુનિક સુવિધાઓની અદૃશ્ય ગુલામી…

TAGGED: astro, doghouse
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીવને શિવ બનવા માટે ત્રીજા નેત્રની સાધના આવશ્યક
Next Article અનેક માતા-પિતાની સેવા કરતો કળયુગી શ્રવણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત, 24 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
પરસાણાનગરમાં રેલ્વે ટ્રેક નીચે ગટરના ગંદા પાણીથી ફેલાય છે રોગચાળો : ગાયત્રીબા વાઘેલા
મવડીનો શખ્સ થાર અને અર્ટિગા સેલ્ફમાં ભાડે લઇ ગયા બાદ ગાયબ
રાજકોટ-ભાવનગર હાઈ-વે પર ડામર રોડ રીપેરિંગ કામગીરી પ્રગતિમાં
નિ:શુલ્ક સર્જરીથી જીવનદાન : ડૉ. પારસ મોટવાણીએ સર્જરીથી દર્દીને કર્યો પગભર
સરધારમાં પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા ઝીંકી પોતાને પણ ઘા ઝીકી દેતા ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

આતંકવાદનો મોટિવ શું છે?

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Kinnar Acharya

અભણ આતંકી, શિક્ષિત આતંકી: જગતનું ઊચ્ચત્તમ શિક્ષણ પણ જેહાદનાં કીડાને મારી શકતું નથી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
Author

બસની સીટ – એક કટાક્ષકથા

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?