રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ માહિતી આપી
24 જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈનાત: કલેક્ટર
સિવિલ સહિત 114 કોવિડ હોસ્પિટલ, બેડ અને ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા
રાજકોટમાં 1517 એક્ટિવ કેસમાંથી સિવિલમાં માત્ર 5 અને ખાનગી હોસ્પિટલમાં 4 દર્દી દાખલ
- Advertisement -
વેક્સિન લેનારા દર્દીઓમાં માઈલ્ડ લક્ષણો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવનો આંક વધતો જાય છે. પરંતુ પહેલી અને બીજી લહેર કરતા રાહતના સમાચાર એ છે કે, આ લહેરમાં દર્દીઓ ઘરે રહીને જ સાજા થઈ જાય છે. રાજકોટની વાત કરીએ તો હાલ 1571 એક્ટિવ કેસ છે. પરંતુ સિવિલમાં માત્ર 5 જ દર્દી અને ખાનગી હોસ્પિટલમાં માત્ર 4 દર્દી સારવાર લઇ રહ્યા છે. જેમાં પણ મોટાભાગના દર્દીઓને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર પડતી નથી. કારણ કે ત્રીજી લહેરમાં કોરોનાના લક્ષણો સાવ માઇલ્ડ છે. માત્ર દવાથી જ ફેર પડી જાય છે અને હોમ આઇસોલેશન પણ માત્ર સાત જ દિવસ રહેવું પડે છે.
- Advertisement -
વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓના લક્ષણો માઈલ્ડ છે. આપણને વેક્સિનેશન ખૂબ મદદ કરી રહ્યું છે. બંને ડોઝ લીધા હોય તેવા દર્દીઓમાં બહુ જ માઈલ્ડ સિમ્પ્ટમ્સ જોવા મળે છે. હોમ આઇસોલેશન હેઠળ છે તેવા દર્દીઓને આપણે ઇ-સંજીવની મારફત સંપર્ક કરી રહ્યા છીએ. ધન્વંતરિ રથ દ્વારા ઘરે ઘરે કીટ આપી રહ્યા છીએ. સંજીવની રથ પણ દોડાવવામાં આવી રહ્યા છે. આ રથ વન ટુ વન દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરે છે. હોમ આઇસોલેશન હેઠળ છે તેઓ ઠંડી વસ્તુ ન લે, તાજો ખોરાક લે. ત્રીજી લહેર પીક પર આવશે તો પણ આપણે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધા તૈયાર કરી રાખી છે.