ફાર્મા-ડિફેન્સ સેકટરમાં મહત્વના કરાર
હૈદરાબાદ હાઉસમાં મહત્વની બેઠક અને સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના સાને તાકાઈચી સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ તાકાઈચીને પોતાની ‘નાની બહેન’ કહ્યા હતા. તેમણે કહ્યું કે તાકાઈચીની આ ભારતની પ્રથમ મુલાકાત છે અને જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાનનું સ્વાગત કરવું એ ખુશીની વાત છે.
મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાને આર્થિક સુરક્ષા માટે સંયુક્ત રોડમેપ તૈયાર કર્યો છે. આ પહેલ હેઠળ, સેમિકન્ડક્ટર, ક્વોન્ટમ ટેકનોલોજી, અદ્યતન સામગ્રી અને સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોને મજબૂત બનાવવામાં આવશે. વધુમાં, ભારત-જાપાન બાયોગેસ પહેલ હેઠળ દેશમાં 1,000 બાયોગેસ અને ઓર્ગેનિક ખાતર પ્લાન્ટ બનાવવામાં આવશે, જેનાથી ગોબર-ધન યોજના અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂતી મળશે.
બંને નેતાઓ બેટરી, ગ્રીન હાઇડ્રોજન, પરમાણુ ઊર્જા, રોકાણ, સંરક્ષણ, સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ અને ઈન્ડો-પેસિફિક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે પણ સંમત થયા હતા. મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે આવતા વર્ષે ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ છે, જેની ઉજવણી બંને દેશો વિશેષ રીતે કરશે.
- Advertisement -
બંને નેતાઓ રોકાણ, સંરક્ષણ, સેમિકન્ડક્ટર્સ, ક્રિટિકલ મિનરલ્સ, સપ્લાય ચેઈન, દરિયાઈ સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક બાબતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થઈ. બેઠક દરમિયાન, ભારત અને જાપાન વચ્ચે સહયોગ વધારવા માટે ‘મેમોરેન્ડમ ઓફ કો-ઓપરેશન’ (MoC) પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.




