By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    23 hours ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    4 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    19 minutes ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    26 minutes ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    23 hours ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    23 hours ago
    રામ મંદિર દાન ચોરી : ટિન્નુ યાદવ નીકળ્યો મોટો ખેલાડી, ચેટમાં ખુલાસો
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામાયણની રામાયણ: ચંદ્રકેતુ, સુબાહુ, શત્રુઘાતી અને શાંતા કોણ હતા?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > રામાયણની રામાયણ: ચંદ્રકેતુ, સુબાહુ, શત્રુઘાતી અને શાંતા કોણ હતા?
AuthorKinnar Acharyaધર્મ

રામાયણની રામાયણ: ચંદ્રકેતુ, સુબાહુ, શત્રુઘાતી અને શાંતા કોણ હતા?

Khaskhabar Editor
Last updated: 2024/01/22 at 5:23 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

આપણે રામાયણની રામાયણ માંડી છે. કમનસીબે આપણાં આ મહાન ગ્રંથની થોડી ઉપરછલ્લી વાતો જ આપણે જાણીએ છીએ. વાસ્તવમાં રામાયણમાં અનેક પાત્રો, સ્થળો અને અસ્ત્ર-શસ્ત્રનાં વર્ણનો છે. પરંતુ આપણે આ ગ્રંથ ક્યારેય ધ્યાનપૂર્વક કે રસપૂર્વક વાંચવાનો પ્રયત્ન જ નથી કર્યો. એક સીધોસાદો પ્રશ્ર્ન છે: રામ-સીતાને વનવાસ માટે મોકલાયા ત્યારે અગણિત અયોધ્યાવાસીઓ પણ તેમની સાથે વન તરફ ચાલતાં થયા. એક નગરમાં રાત્રી વિશ્રામ કરવાનું બન્યું, અહીંથી જ રામ-સીતા અને લક્ષ્મણે બાકીનાં અયોધ્યાવાસીઓને ઊંઘતા મૂકીને વન ભણી પ્રયાણ કર્યું. હવે કહો, એ નગર ક્યું- જ્યાં રાત્રી વિશ્રામ તેમણે કર્યો હતો? એ નગર એટલે: શૃંગવેરપુર. શ્રીરામનાં પરમ મિત્ર હતા એ કાશીનાં રાજાનું નામ શું? એમનું નામ : પ્રતર્દન.
એક આખું પ્રકરણ રામાયણનાં વિવિધ પાત્રોનાં સંબંધો પર પણ લખી શકાય. શ્રીરામની માતાનું નામ કૌશલ્યા, રાવણની માતાનું નામ હતું કૈક્સી. પણ જટાયુની માતાનું નામ? શ્યેની. મંદોદરીની માતાનું નામ હેમા. ખર અને દૂષણ નામનાં રાક્ષસોની આમ તો જોડી હતી. પરંતુ બેઉની માતા અલગ. ખરની માતાનું નામ, પુષ્પોત્કટા અને દૂષણની માતાનું નામ વાકા. અંગદની માતાનું નામ તારા અને લવણાસૂરની માતાનું નામ કુંભિનસી. રાવણનાં પુત્ર અતિકાયની માતાનું નામ ધાન્યમાલિન, કુબેરના મમ્મીનું નામ દેવવર્ણિની. નાગોની માતા એટલે સુરસા. દુંદુભીની માતા હતી અપ્સરા હેમા. રાહુની માતા, સિંહિકા.
ખર-દૂષણ અને રાવણનાં પિતા: વિશ્રવા. તાડકાનાં પિતા સુકેતુ. જટાયુના પિતા એટલે અરુણ. જાંબુવંતના પિતાનું નામ ગદ્દ. વાનર નલ-નીલની જોડીનું નામ રામાયણથી પરિચિત હોય તેવા બધા લોકો જાણતા હશે- નલનાં પિતા, વિશ્ર્વકર્મા અને નીલનાં પિતા- અગ્નિદેવ. મંદોદરીના પિતાનું નામ : મય. મહર્ષિ વિશ્ર્વામિત્રનાં પિતાનું નામ: ગાધિ. લવણાસૂરનો પિતા હતો, દૈત્ય મધુ. કૈક્યીના પિતાનું નામ, અશ્ર્વપતિ. ત્રિશંકૂના પિતા, અત્રિ. સ્વયંપ્રભાના પિતા, મેરુસાવર્ણી. ભરતની પત્નીનું નામ હતું, માંડવી. શત્રુઘ્નની પત્ની: શ્રૃતકીર્તિ. મેઘનાદની પત્ની, સુલોચના. વિભિષણની પત્ની એટલે, સરમા. કુંભકર્ણની પત્નીનું નામ: વજ્રજ્વાલા. કુશની પત્નીનું નામ: ચંપકા, લવની બે પત્નીઓ. નામ: સુમતિ અને કંજાનના.
રામનાં પુત્રો હતાં: લવ-કુશ. પરંતુ લક્ષ્મણનાં પુત્રનું નામ? જવાબ છે અંગુદ અને ચંદ્રકેતુ. ભરતનાં પુત્રનું નામ: તક્ષ. ભરતનો પુત્ર: પુષ્કલ, શત્રુઘ્નનાં પુત્રનું નામ શત્રુઘાતી અને ગીસુબાહુ. રામની બહેન અને દશરથની પુત્રીનું નામ, શાંતા. અચ્છા, રાવણનાં નાનાનું નામ પુલત્સ્ય. ભરતના મામા યુધાજિત. શ્રીરામનાં નાના, ભાનુમાન. હનુમાનજીના નાનાનું નામ હતું કુંજર.
સગા-સંબંધીઓ ઉપરાંત પણ રામાયણની ઘણી એવી બાબતો છે, જે રોચક પણ છે અને ઓછી જાણીતી પણ છે. ઉદાહરણ તરીકે: અશોક વાટિકામાં હનુમાનજીનાં હાથે રાવણનાં ક્યા પુત્રનો વધ થયો હતો? એનું નામ: અક્ષકુમાર. રામનાં માતા કૌશલ્યાએ અશ્ર્વમેધ યજ્ઞ બાદ દેહત્યાગ કર્યો હતો. રાક્ષસ લવણાસૂરે અયોધ્યાનાં રાજા માંધાતાની હત્યા કરી હતી. અને એ જ લવણાસૂરનો વધ પછી શત્રુઘ્નએ કર્યો હતો. મહર્ષિ જમદગ્નીની હત્યા સહસ્ત્રાર્જુને કરી હતી. લંકિની રાક્ષસીનો વધ હનુમાનજીએ માત્ર મુક્કાનાં પ્રહાર કરીને કર્યો હતો. સુંદ દૈત્યનું મૃત્યુ ઋષિ અગસ્ત્યએ શ્રાપ આપવાથી થયું હતું. રાવણનાં સેનાપતિ પ્રધસનો વધ સુગ્રિવે કર્યો હતો. અન્ય સેનાપતિ દુર્ધરનો અને યુપાશ્રનો તથા ભાસકર્ણનો વધ હનુમાનજીએ કર્યો હતો.

યુદ્ધ વગેરેનાં ટેન્શનમાં રાત-દિવસ ડુબેલાં રહેતા શ્રીરામે પોતાનાં મનોરંજન માટે- હળવા થવા સુરાજિ નામનો હાસ્યકાર રાખ્યો હતો

- Advertisement -

શ્રીરામ અયોધ્યાનાં રાજા બન્યા હતાં એ જાણીતી વાત છે પણ અયોધ્યાનાં પ્રથમ રાજા કોણ હતા? એ હતા ઈશ્ર્વાકુ. આગળ જઈને લવ ક્યાંનો રાજા બન્યો? જવાબ: શ્રાવસ્તી. જ્યારે કુશસ્થલીનો રાજા બન્યો કુશ. સહસ્ત્રાર્જુન માહિષ્મતિ (‘બાહુબલી’ ફિલ્મ યાદ આવી ગઈ?)નો રાજા હતો. કુબેરનાં રાજ્યનું નામ: અલ્કાપુરી. લવણાસૂર મધુપુરનો રાજા હતો એ પછી શત્રુઘ્ન ત્યાંનો રાજા બન્યો. અંગદ હતો કારૂપથનો રાજા. રામનાં નાના ભાનુમાન કોશલનાં રાજા હતા. રામ બાદ અયોધ્યાનો રાજા કુશ બન્યો હતો પણ તેનું અલગ રાજ્ય પણ તેણે વસાવ્યું હતું.
શ્રીરામ વિષ્ણુનાં અવતાર હતા, એ જાણીતી વાત છે. પરંતુ તેમનામાં વિષ્ણુનો કેટલો અંશ હતો? જવાબ છે: અર્ધાંશ. લક્ષ્મણમાં અષ્ટમાંશ હતો, શત્રુઘ્નમાં પણ અષ્ટમાંશ જ્યારે ભરતમાં ચતુર્થાંશ. વાનર વીર અંગદનો જન્મ બૃહસ્પતિ (ગુરુ)ના અંશમાંથી થયો હતો. રાજા દશરથને ઘેર પારણું બંધાય તે માટે તેમનાં માટે પુત્રેષ્ટિ યજ્ઞ ઋષ્યશૃંગએ કરાવ્યો હતો. જો કે, રાજા દશરથનાં ગુરુ તથા મંત્રી ઋષિ જાબાલી હતા. લ્યો! આ એક સાવ અજાણી માહિતી: યુદ્ધ વગેરેનાં ટેન્શનમાં રાત-દિવસ ડુબેલાં રહેતા શ્રીરામે પોતાનાં મનોરંજન માટે- હળવા થવા એક હાસ્યકાર રાખ્યો હતો. હાસ્યકારનું નામ: સુરાજિ. તે રામ સહિત સમગ્ર સેનાને મનોરંજન પીરસતા. એક રાક્ષસી હતી- જેણે સ્વપ્ન નિહાળ્યું હતું કે રાક્ષસોનો વિનાશ થશે અને શ્રીરામનો વિજય થશે. એ રાક્ષસી એટલે: ત્રિજટા. મેઘનાદ જ્યારે યુદ્ધ કરતો ત્યારે એ અવશ્ર્ય ચંદન ઘોનાં ચામડામાંથી બનેલા હાથમોજાં પહેરતો. કુબેરનું એક નામ એકાક્ષપિંગલી પણ હતું. રાવણ પૂર્વજન્મમાં હિરણ્યકશિપુ હતો અને સૌથી આદિ રાક્ષસ હતો, હેતી. શ્રીરામ યિવિદ નામનાં વાનરને વરદાન આપ્યું છે કે એ કળિયુગનાં અંત સુધી જીવિત રહેશે. વિશ્ર્વામિત્ર પાસે સૃષ્ટિની સામે પ્રતિસૃષ્ટિનાં સર્જનની ક્ષમતા પણ હતી. એ ક્યા રાજા છે- જે નક્ષત્ર બનીને આજે પણ આકાશમાં પ્રકાશિત ગણાય છે? એમનું નામ: ત્રિશંકૂ. રામાયણનાં યુદ્ધમાં એક એવી વનસ્પતિનું વર્ણન આવે છે- જે બાણ-ભાલાના જખ્મ રૂઝાવીને શરીરનાં એ ભાગને પૂર્વવત કરવાનું કામ કરે છે, એ વનસ્પતિ એટલે, વિશલ્યકરણી. એવી જ રીતે યુદ્ધમાં ઘાયલ થયેલા બેશુદ્ધ યોદ્ધાના ચહેરા પર પણ રંગત લાવી દે એ ઔષધિનું નામ, સાવર્ણ્યકરણી. લવ અને કુશ સંગીત વિદ્યામાં પણ પારંગત હતા.
રામ-સીતાએ વનવાસગમન સમયે પોતાનાં તમામ કિંમતી આભૂષણો કોને આપ્યા હતા? જવાબ છે: સુયજ્ઞને. રાવણ સાથે યુદ્ધ સમયે શ્રીરામ ઈન્દ્રરથ પર સવાર હતા અને તેમનાં સારથિ હતાં માતાલી. સીતાને શોધવા નીકળેલા હનુમાનજી જ્યારે લંકા પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત મૈનાક પર્વતે કર્યું હતું. આખી રામાયણ જેને લીધે સર્જાઈ- એ સીતાહરણ માટે રાવણને સલાહ આપનાર કોણ હતું? નામ છે: અકંપન. રાવણનાં દરબારમાં અનેક અમાત્ય હતાં- જેમાં મહોદર, પ્રહસ્ત, ધૂમ્રાક્ષ, મારિચ, શૂક અને સારણ મુખ્ય હતા. રાવણનો એક ખાસ રાક્ષસ હતો જેણે માયા રચીને શ્રીરામનું કપાયેલું શિર દેખાડીને સીતાને વિચલિત કરવા પ્રયત્ન કર્યો હતો. એ રાક્ષસ એટલે: વિદ્યુજ્જીહવ. અચ્છા, દેવતાઓના વૈદ્ય- ચિકિત્સક કોણ હતા? અશ્ર્વિનિકુમાર. શ્રીરામ-સીતા જ્યારે વનવાસથી પરત આવ્યા ત્યારે તેમનું સ્વાગત કરવા ભરતનાં એક મંત્રી ગયા હતા. તેમનું નામ: અર્થસાધક. પંચવટીમાં રામ-લક્ષ્મણ અને સીતાએ પ્રવેશ કર્યો ત્યારે ચોથું પાત્ર પણ ત્યાં હાજર હતું. એ પાત્ર એટલે: જટાયુ. વિભિષણ પાસે પણ અનેક મંત્રીઓ હતા, જેમાંના કેટલાક મંત્રીઓ એટલે અનલ, અનિલ, હર અને સંપાતિ. રાજા દશરથની પુત્રીનાં લગ્ન કોની સાથે થયા હતા? ઋષ્યશૃંગ સાથે. રાજા દશરથનું અવસાન થયું ત્યારે તેમની અંતિમવિધિ માટે એકપણ પુત્ર હાજર નહોતો. તેથી તેમનાં મૃતદેહને તેલમાં ડૂબાડીને સાચવવામાં આવ્યો હતો. વિશ્ર્વામિત્રને ‘મહર્ષિ’ની ઉપાધિ સ્વયં બ્રહ્માએ આપી હતી. લંકાના રાજા તરીકે વિભિષણનો રાજ્યાભિષેક લક્ષ્મણે કર્યો હતો. વનવાસ કાળમાં સીતાને દિવ્ય હાર, વસ્ત્રાભૂષણ, ઘરેણાંઓ અનસૂયાએ આપ્યા હતા. ઋષિઓનું એ જૂથ ક્યા નામે ઓળખાય છે- જેમનો જન્મ બ્રહ્માનાં નખમાંથી થયો હતો? જવાબ છે: વૈખાનસ. એવી જ રીતે બ્રહ્માજીની રૂંવાટીમાંથી ઉત્પન્ન થયેલા ઋષિઓના સમુહને બાલખિલ્ય કહેવાય છે. માત્ર વૃક્ષોનાં પાંદડા ખાઈને તપ કરતા ઋષિઓને કહેવાય: પત્રાહાર. ગળા સુધી પાણીમાં ડૂબીને તપ કરતાં ઋષિઓ કહેવાય છે, ઉન્મજ્જક. માત્ર જળ પીને સાધના કરતા ઋષિઓ એટલે, સલિલાહાર. હવા પર જ જીવતા ઋષિઓને કહેવાય છે: વાયુભક્ષ. ગરમીની મોસમમાં ઉપરથી સૂર્યની ગરમી અને ચોતરફથી અગ્નિની ગરમી સહન કરી સાધના કરતા ઋષિઓને કહેવાય: પંચાગ્નિસેવી. વસિષ્ઠ ઉપરાંત એક અન્ય ઋષિ પણ હતા જે રાજા દશરથનાં પુરોહિત હતાં. નામ: વામદેવ. રાવણ સામે યુદ્ધ પહેલાં ઋષિ અગસ્ત્યએ રામને એક ચમત્કારીક પાઠ કરવાની સલાહ આપી હતી. એ પાઠ એટલે, આદિત્યહૃદય. દ્વારપાળ- ચોકિદારોનાં અધ્યક્ષને કહેવાય છે: પ્રદેષ્ટા.
પ્રશ્ર્નો અને જવાબો હજુ અગણિત છે. સવાલ એ છે કે, આપણે આપણાં મહાન વૈભવી વારસા વિશે કેટલું જાણીએ છીએ! આપણે એ તો જાણીએ છીએ કે, અકબરનાં નવ રત્નો કોણ હતાં. પરંતુ રામાયણ અંગે આપણું જ્ઞાન એટલુ અલ્પ છે કે, દસ-વીસ પાત્રોમાં એ સમેટાઈ ગયું છે. આ લેખમાળા રામાયણ અંગેના આપણાં જ્ઞાનમાં થોડી વૃદ્ધિ કરે તેવી શ્રીરામને પ્રાર્થના.

You Might Also Like

વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

TAGGED: Chandraketu, RAMAYANA, Shanta, Shatrughati, Subahu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રામ નામ જ સત્ય: રામાયણનું એક-એક પાત્ર આદર્શ, રામાયણની પ્રત્યેક ઘટના આદર્શ..
Next Article રશિયાના કબજા હેઠળના યુક્રેન પર હુમલો: બે બાળકો સહિત 25ના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorDr. Sharad Thakar

વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટ મનપાએ 12 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 79 હજારનો દંડ વસૂલ્યો
રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
વાહન સ્ક્રેપિંગમાં પારદર્શિતા: રાજકોટ મનપા હસ્તકના વાહનોનું ઈ ઓક્શન દ્વારા વેચાણ
MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
ગુજરાતમાં હજુ ૪ દિવસ અતિભારે વરસાદની આગાહી : આજે ૭ જિલ્લામાં એલર્ટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorDr. Sharad Thakar

વૈભવ અને વૈરાગ્યનો સમન્વય…..

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?