બ્યુરોક્રસીમાં ‘લોકલ લોબી’ મજબૂત, તમારા પર શું અસર થશે સમજો….
રિના બ્રહ્મભટ્ટ : વિશેષ
- Advertisement -
હાલમાં જ એક પ્રશાસનિક નિર્ણય લેતા ભારત સરકારે ગુજરાતના વહીવટી તંત્રમાં મોટો બદલાવ આણ્યો છે. ભારત સરકારે રાજ્યના 18 અનુભવી GAS ઓફિસરને IAS માં પ્રમોટ કર્યા છે. આ બધા અધિકારીઓ પાસે 20 થી 25 વર્ષનો અનુભવ છે. તાલુકા વિકાસ અધિકારી એટલે TDO થી લઈને કલેક્ટર કચેરી સુધી એ લોકો કામ કરી ચૂક્યા છે.હવે એ લોકો IAS બનતા ગુજરાતમાં પ્રમોટી IAS ની સંખ્યા 55 થી વધીને 73 થઈ ગઈ છે. રાજ્યમાં કુલ 34 જિલ્લા છે, એની સામે હવે ‘ત્રણગણા’ પ્રમોટી IAS થયા છે. તેવામાં જાણકારો તેવું મનાતા હતા કે, વિધાનસભા 2027 અને “લોકસભા 2029 ની ચૂંટણી સુધીમાં પ્રમોટી IAS ની સંખ્યામાં મોટાપાયે વધારો નિશ્ચિત જ હતો.આ અગાઉ પણ પોલીસ બેદાથી લઇ IAS ઓફિસર્સની બદલીઓ થોડા સૌ ગૌ જ થઇ હતી.એટલે આ પ્રક્રિયાઓ સતત ક્યાંક ચાલુ જ છે.પરંતુ GAS ના અધિકારીઓને આટલું મોટું પ્રમોશન આપી એક ઝાટકે મોટો પ્રશાશનિક નિર્ણય લઇ અતિ મહત્વનું પગલું રાજ્ય સ્તરે લીધું છે.
જો કે, લોકોને તેમાં આ એક સામાન્ય વહીવટી પ્રક્રીયા જણાતી હોય છે.પરંતુ તેવું નથી આ નિર્ણયની અસર વહીવટ અને રાજકીય રીતે બહુ જોરદાર પડતી હોય છે.જે સામાન્ય લોકોને કદાચ ખ્યાલ હોતો નથી.પરંતુ એટલું તો સમજી શકો છો ને કાયદાઓ દેશ લેવલે સંસદ બનાવે અને કેટલાક રાજ્ય લેવલે વિધાનસભાના ફ્લોર પર બને.બાકી વધ્યું જે અતિ મહત્વનું કામ છે તે છે કે, આ કાયદાઓને વહીવટમાં અમલમાં મુકવા અને આ આયોજનો અને વહીવટ સુપેરે ચાલે તો તે અધિકારીઓ દ્વારા જ તેમ થાય તેથી તે તેઓ અતિ મહત્વના છેએટલું સમજી લો.ત્યારે આ ફેરફારો પર આપણી પર અને રાજકીય રીતે શું અસર પડેશે તે અહીં થોડું જોઈએ તો,
આ 20-25 વર્ષના અનુભવી 18 GAS ઓફિસર IAS બનતા ગુજરાતની બ્યૂરોક્રેસીમાં મોટો બદલાવ આવ્યો છે. લોકલ કનેક્શનવાળા અધિકારીઓની સંખ્યા વધતા રાજકીય સમીકરણો પર પણ અસર થશે.તેમજ વિધાનસભા 2027 ચૂંટણીઓ અને લોકસભા 2029 પહેલા આ નિર્ણય ગેમચેન્જર પણ બની શકે છે. તેવામાં ગુજરાત GAS to IAS પ્રમોશન પોલિટિકલ ઇમ્પેક્ટ 2026, સીધો સવાલ: GAS માંથી IAS બનવાથી રાજકારણ પર શું ફરક પડે?
- Advertisement -
ગુજરાતમાં 18 GAS ઓફિસરોને IAS બનાવ્યાએ ફક્ત વહીવટી નિર્ણય નથી, રાજકીય ગણતરી પણ છે. કેમ? સમજો 3 એંગલથી:
એંગલ 1 – ‘લોકલ લોબી’ vs ‘ડાયરેક્ટ IAS લોબી’
1. ડાયરેક્ટ IAS: UPSC પાસ કરીને આવે. શરૂઆતથી દિલ્હી કેડરની ટ્રેનિંગ. ગુજરાત સાથે ભાવનાત્મક જોડાણ ઓછું.
2. પ્રમોટી IAS: 20-25 વર્ષ GAS તરીકે ગુજરાતમાં નોકરી. તાલુકા-જિલ્લાનું ગ્રાઉન્ડ જાણે. સ્થાનિક MLA, નેતાઓ, કાર્યકરો સાથે સીધો સંપર્ક.
પોલિટિકલ અસર: પ્રમોટી IAS ની સંખ્યા 55 થી 73 થઈ એટલે લોકલ નેટવર્ક’ વાળા અધિકારીઓનું વજન વધ્યું. 34 જિલ્લા કરતા ‘ત્રણગણા’ પ્રમોટી IAS એટલે હવે દરેક જિલ્લામાં સરેરાશ 2 થી વધુ પ્રમોટી IAS હશે. ત્યારે રાજકોટવાસીઓ અને ગ્રામ્ય સ્તરના લોકો અહીં જાણી લે કે, આ 18 અધિકારીઓની યાદીમાં રાજકોટનું નામ પણ છે. આજની પ્રસિદ્ધ વિગત મુજબ એ.કે.વસ્તાની હાલ DRDA, રાજકોટ માં કાર્યરત છે. એટલે હવે તેમને પ્રમોટ કરાતાં રાજકોટ જિલ્લાના ગામડાના વિકાસની ફાઈલ સીધી IAS લેવલના અધિકારી પાસે જશે. એ ઉપરાંત કુલદિપસિંહ ઝાલા જો. MD, ટુરિઝમ કોર્પો. અને ઇન્દ્રજીતસિંહ વાળા સચિવ, સ્પોર્ટ્સ ઓથો. છે. આમ સૌરાષ્ટ્રના ત્રણ મોટા અધિકારી હવે IAS ની યાદીમાં આવી ગયા છે.જેનો રાજકોટને અને આસપાસના ગામડાઓને પણ કોઈકને કોઈક રીતે સીધો ફાયદો થશે.ફાઈલો ઝડપી ક્લીઅર થાય કે અહીંના લોકલ પ્રશ્નો પર વધુ ફોક્સ કરે તેમ પણ બને.
બીજા જિલ્લાની વાત કરીએ તો રાજેશ ફુચારા – DRDA, અરવલ્લી. મહિપાલસિંહ ચુડાસમા – એડી. સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ. રિંકેશ પટેલ – એડી.કલેક્ટર, ચૂંટણી – GAD. સીધો ગાંધીનગર સચિવાલય સાથે સંબંધ ધરાવે છે.
આનાથી રાજકારણ પર શું અસર થશે? પહેલી વાત, લોકલ અધિકારીનું વજન વધ્યું. 25 વર્ષ ગ્રાઉન્ડ પર કામ કરેલ અધિકારી હવે હવે IAS છે. ફાઈલ દબાવવાને બદલે કામ ઝડપથી થશે. બીજી વાત, સામાન્ય વહીવટ વિભાગ એટલે GAD હવે આ પ્રમોટી IAS સાથે મોટાપાયે ફેરબદલ કરશે. એટલે આ બદલી-પોસ્ટિંગ બાદ ઘણા કામો હવે ગાંધીનગરની મરજીથી ચાલશે.
એંગલ 2 – વિધાનસભા-2027 અને લોકસભા 2029 ની ચૂંટણીઓમાં પણ ફાયદો.
1. 2026-2027 માં 50 પ્રમોટી IAS નિવૃત્ત થશે→ એટલે વધુ 50 GAS ને IAS બનાવી શકે
2. કુલ અસર: 2029 સુધીમાં 100+ પ્રમોટી IAS. એટલે કે ગુજરાતની બ્યૂરોક્રેસીમાં ‘સ્ટેટ કેડર’ નું પ્રભુત્વ.
3. ફાયદો કોને: રાજ્ય સરકારને. કેમ કે GAS માંથી પ્રમોટ થયેલા IAS રાજ્યના પોલિટિકલ સેટઅપને બરાબર સમજે અને ઝડપથી નિર્ણય લઈ શકે.
એંગલ 3 – GAD ની તાકાત વધી
“ગુજરાત સરકારનો સામાન્ય વહીવટ વિભાગ- GAD પ્રમોટી IAS સાથે વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરબદલ કરશે” – આ લાઈન અહીં મહત્વની છે.
અર્થ શું?
1. GAD તે રાજ્ય સરકારનો સૌથી પાવરફુલ વિભાગ ગણાય છે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે સીધો આ વિભાગ સંકળાયેલો હોય છે.
2. GAD માં પ્રમોટી IAS વધ્યા એટલે પોસ્ટિંગ, બદલી, નીતિના અમલમાં રાજ્ય સરકારનો કંટ્રોલ વધશે.
3. TDO થી સેક્રેટરી સુધી: આ 18 અધિકારીઓ TDO, પ્રાંત ઓફિસર, કલેક્ટર થઈને આવ્યા છે. દરેક વિસ્તાર કે શહેર કે ગ્રામ્ય વિસ્તારની ગ્રાઉન્ડ રિયાલિટી ખબર છે. ફાઈલ દબાવવાને બદલે ફિલ્ડમાં કામની સ્પીડ વધી શકે.
તેવામાં અહીં આ બાબત વિપક્ષ માટે ચિંતાનો વિષય કેમ?
1. લોકલ કનેક્શન: પ્રમોટી IAS ને સ્થાનિક રાજકારણની ખબર. કયા ગામમાં કયો પ્રશ્ન છે, કયા નેતાનું વજન કેટલું – બધી ખબર.
2. લાંબો કાર્યકાળ: પહેલા 3-5 વર્ષ મળતા, હવે 6-7 વર્ષ મળશે એટલે એક જ અધિકારી લાંબા સમય સુધી જિલ્લામાં રહી શકે.
3. વહીવટ + રાજકારણ: ડાયરેક્ટ IAS ‘રૂલ બુક’ થી ચાલતું હોય છે. પ્રમોટી IAS ‘ગ્રાઉન્ડ રિયાલિટી + રૂલ બુક’ બંને બેલેન્સ કરી શકે.
ત્યારે આખરે અહીં સત્તાનું બેલેન્સ પણ થોડું બદલાશે .
આ 18 પ્રમોશન ફક્ત નોકરીઓનુ પ્રમોશન નથી. ગુજરાતની બ્યૂરોક્રેસીમાં ‘દિલ્હી લોબી’ કરતા ‘ગાંધીનગર લોબી’ મજબૂત થઈ વિધાનસભા -2027 પહેલા વહીવટી તંત્ર પર રાજ્યની પકડ મજબૂત કરવાનો આ માસ્ટરસ્ટ્રોક છે.




