By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    20 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    19 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    19 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    20 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    20 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    7 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
TALK OF THE TOWNરાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

Khaskhabar Editor
Last updated: 2026/06/30 at 2:31 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
7 Min Read
SHARE

ડિમોલિશન કટકીકાંડની તપાસમાં બિલાડીને દૂધના રખોપા!

નાસ્તા, ભોજન, મિનરલ વોટર અને અન્ય ખર્ચના લાખો રૂપિયાના બિલોને લઈને સવાલો : કોંગ્રેસે સ્વતંત્ર તપાસની ઉઠાવી માંગ

- Advertisement -

SIT અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને તપાસ સમિતિ રચવાની રજૂઆત

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

કોઇપણ કૌભાંડ થાય એટલે ‘સીટ’ની રચના, તપાસ કમિટીનો અહેવાલ આવે ત્યા સુધીમાં બધુ ટાઢુ પડી જાય અને બાદમાં ‘વહીવટ’ને ભારે સિફતપૂર્વક અંજામ આપી દેવામા આવે છે. આ મોડેસ ઓપરેન્ડી દેશવ્યાપી ચાલી રહી છે જેમા રાજકોટ મનપા પણ કંઇ ઉણી ઉતરે તેમ નથી. હાલ માત્ર રાજકોટ જ નહીં પણ રાજ્ય આખામાં વિવાદના ચકડોળે ચડેલા જંગલેશ્વર ડિમોલિશન વખતે થયેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારમાં મેયર ડો.નેહલ શુક્લે ‘સીટ’ની રચના કરવા કમિશનરને આદેશ કર્યો છે. જોકે આ તપાસ બિલાડીને દૂધના રખોપા આપવા સમાન છે. તેથી આજરોજ જંગલેશ્વરમાં ડિમોલેશનમાં થયેલ ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલી મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં કથિત ભ્રષ્ટાચાર અને જાહેર નાણાંના સંભવિત દુરુપયોગના આક્ષેપો વચ્ચે શહેર કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા માનનીય કમિશનરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ખર્ચની પારદર્શક તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા તેમજ અન્ય વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસના નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન આટલો મોટો ખર્ચ શા માટે કરવામાં આવ્યો અને તે ખર્ચ કયા ધોરણે મંજૂર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના મતે આ મુદ્દો માત્ર ખર્ચનો નથી, પરંતુ જનતાના પરસેવાના પૈસાના સંભવિત દુરુપયોગ અને કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે નહીં તેમજ તે કામગીરી માટે ખરેખર જરૂરી હતા કે નહીં તેની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. આવેદનપત્રમાં રજૂ થયેલા તમામ બિલો, વાઉચરો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, ચુકવણીઓ તથા સંબંધિત દસ્તાવેજોની તપાસ કરીને કેટલાં બિલો સાચાં છે અને કેટલાં ખોટાં અથવા બનાવટી છે તેની હકીકત જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. સાથે જ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની સંભવિત મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ થયો હોય તો તેની સંપૂર્ણ વિગતો પણ જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસે ચાર મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી છે. જેમાં સમગ્ર મામલાની તપાસ મહાનગરપાલિકાના અધિકારીઓ અથવા શાસક પક્ષના પ્રતિનિધિઓની સમિતિને બદલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચાયેલી સ્વતંત્ર સમિતિ દ્વારા કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત ડિમોલિશન દરમિયાન થયેલા દરેક ખર્ચ, બિલ, ચુકવણી, ટેન્ડર અને કોન્ટ્રાક્ટની વિગતો જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે જો તપાસ દરમિયાન કોઈ અધિકારી, કર્મચારી, કોન્ટ્રાક્ટર અથવા અન્ય વ્યક્તિની સંડોવણી સામે આવે તો તેમની સામે તાત્કાલિક ગુનો નોંધાવી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર તપાસનો અહેવાલ જાહેર કરીને જનતા તથા મીડિયાને માહિતગાર કરવામાં આવે.
આવેદનપત્રના અંતમાં જણાવાયું છે કે જાહેર નાણાં જનતાની અમાનત છે અને જનતાના પરસેવાના પૈસાનો એક-એક રૂપિયો માત્ર જનહિતમાં અને કાયદેસર રીતે ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. આથી સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું ઢાંકપીછોડું કર્યા વગર પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે સ્પષ્ટ માંગ વ્યક્ત કરી છે. આ આવેદનપત્ર પર ડૉ. રાજદીપસિંહ જાડેજા સહિત મહેશભાઈ રાજપૂત, વશરામભાઈ સાગઠિયા, ગોપાલ અનડકડ, અર્જુનભાઈ ચૌહાણ, મકબુલ દાઉદાણી, મનીષા રોજાસરા, મેહુલ મકવાણા, હેમાંગભાઈ વસાવડા, ડી.પી. મકવાણા, અતુલભાઈ રાજાણી, ઇબ્રાહિમભાઈ સોરા, રસીલાબેન ગેરૈયા, સુધાબા વાધેલા, તુષાર નંદાણી, જસવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, સંજયભાઈ અજુડિયા, દીપ્તિ સોલંકી, નીતિન ભંડારી અને વૈશાલી શિદે સહિતના આગેવાનોએ હસ્તાક્ષર કર્યા હતા.

- Advertisement -

જાહેર નાણાં એ જનતાની અમાનત છે તેનો ઉપયોગ જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મનપાની જવાબદારી છે : ડૉ.રાજદીપસિંહ જાડેજા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંગલેશ્વર મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં સામે આવેલા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા તેમજ પ્રદેશના આગેવાનોના નેતૃત્વમાં આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા સહિતના વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ખર્ચને લઈને શહેરભરમાં અનેક સવાલો ઉભા થયા છે અને જનતાના પરસેવાના પૈસાનો આ પ્રકારનો ખર્ચ ખરેખર જરૂરી હતો કે નહીં તે અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે બનાવટી, તેમજ ખર્ચની પ્રક્રિયા નિયમો અનુસાર કરવામાં આવી હતી કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે. જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા જળવાય અને જનતાનો વિશ્વાસ અખંડિત રહે તે માટે સમગ્ર મામલાની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ તપાસ માત્ર મહાનગરપાલિકાની આંતરિક સમિતિ સુધી મર્યાદિત ન રાખવી જોઈએ, પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચાયેલી સ્વતંત્ર તપાસ સમિતિ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આવેદનમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે ડિમોલિશન દરમિયાન થયેલા તમામ ખર્ચ, બિલો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, કોન્ટ્રાક્ટ અને ચુકવણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે જેથી સમગ્ર પ્રક્રિયા અંગે જનતાને વાસ્તવિક માહિતી મળી શકે. કોંગ્રેસે ચેતવણીરૂપે જણાવ્યું છે કે જો તપાસ દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અથવા અન્ય કોઈ વ્યક્તિની મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ અથવા ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવે તો તેમની સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ સરકારી તિજોરીને થયેલા નુકસાનની વસૂલાત જવાબદાર વ્યક્તિઓ પાસેથી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જાહેર નાણાં એ જનતાની અમાનત છે અને તેનો એક-એક રૂપિયો માત્ર જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે.

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
Next Article ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?