By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    16 minutes ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 hours ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    3 hours ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    1 hour ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    1 hour ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    3 hours ago
    બોટલ બાબાની પાપલીલાનો પર્દાફાશ
    3 hours ago
    મુંબઈમાં મેઘરાજાની ધડબડાટી, ટ્રાફિક ઠપ, સબ-વે બંધ, જનજીવન ખોરવાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 day ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 day ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 day ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    4 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    5 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    1 day ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    1 day ago
    માલીયાસણ પાસે ટોલનાકાનું ૭૫ ટકા કામ પૂર્ણ : થોડા મહિનામાં જ સૌરાષ્ટ્રના લાખો વાહનચાલકો પર વધારાનો બોજ
    1 day ago
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    5 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
TALK OF THE TOWNરાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

Khaskhabar Editor
Last updated: 2026/06/30 at 2:31 PM
Khaskhabar Editor 60 minutes ago
Share
7 Min Read
SHARE

ડિમોલિશન કટકીકાંડની તપાસમાં બિલાડીને દૂધના રખોપા!

નાસ્તા, ભોજન, મિનરલ વોટર અને અન્ય ખર્ચના લાખો રૂપિયાના બિલોને લઈને સવાલો : કોંગ્રેસે સ્વતંત્ર તપાસની ઉઠાવી માંગ

- Advertisement -

SIT અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને તપાસ સમિતિ રચવાની રજૂઆત

ખાસ ખબર ન્યૂઝ રાજકોટ

કોઇપણ કૌભાંડ થાય એટલે ‘સીટ’ની રચના, તપાસ કમિટીનો અહેવાલ આવે ત્યા સુધીમાં બધુ ટાઢુ પડી જાય અને બાદમાં ‘વહીવટ’ને ભારે સિફતપૂર્વક અંજામ આપી દેવામા આવે છે. આ મોડેસ ઓપરેન્ડી દેશવ્યાપી ચાલી રહી છે જેમા રાજકોટ મનપા પણ કંઇ ઉણી ઉતરે તેમ નથી. હાલ માત્ર રાજકોટ જ નહીં પણ રાજ્ય આખામાં વિવાદના ચકડોળે ચડેલા જંગલેશ્વર ડિમોલિશન વખતે થયેલા કરોડો રૂપિયાના કથિત ભ્રષ્ટાચારમાં મેયર ડો.નેહલ શુક્લે ‘સીટ’ની રચના કરવા કમિશનરને આદેશ કર્યો છે. જોકે આ તપાસ બિલાડીને દૂધના રખોપા આપવા સમાન છે. તેથી આજરોજ જંગલેશ્વરમાં ડિમોલેશનમાં થયેલ ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલી મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં કથિત ભ્રષ્ટાચાર અને જાહેર નાણાંના સંભવિત દુરુપયોગના આક્ષેપો વચ્ચે શહેર કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે. આ અંગે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા માનનીય કમિશનરને આવેદનપત્ર પાઠવી સમગ્ર ખર્ચની પારદર્શક તપાસ કરાવવા રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા તેમજ અન્ય વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો રજૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને શહેરમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. કોંગ્રેસના નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન આટલો મોટો ખર્ચ શા માટે કરવામાં આવ્યો અને તે ખર્ચ કયા ધોરણે મંજૂર કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના મતે આ મુદ્દો માત્ર ખર્ચનો નથી, પરંતુ જનતાના પરસેવાના પૈસાના સંભવિત દુરુપયોગ અને કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે નહીં તેમજ તે કામગીરી માટે ખરેખર જરૂરી હતા કે નહીં તેની ઝીણવટભરી તપાસ થવી જોઈએ. આવેદનપત્રમાં રજૂ થયેલા તમામ બિલો, વાઉચરો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, ચુકવણીઓ તથા સંબંધિત દસ્તાવેજોની તપાસ કરીને કેટલાં બિલો સાચાં છે અને કેટલાં ખોટાં અથવા બનાવટી છે તેની હકીકત જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. સાથે જ અધિકારીઓ, કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોની સંભવિત મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ થયો હોય તો તેની સંપૂર્ણ વિગતો પણ જાહેર કરવાની રજૂઆત કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસે ચાર મુખ્ય માંગણીઓ સાથે રજૂઆત કરી છે. જેમાં સમગ્ર મામલાની તપાસ મહાનગરપાલિકાના અધિકારીઓ અથવા શાસક પક્ષના પ્રતિનિધિઓની સમિતિને બદલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચાયેલી સ્વતંત્ર સમિતિ દ્વારા કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત ડિમોલિશન દરમિયાન થયેલા દરેક ખર્ચ, બિલ, ચુકવણી, ટેન્ડર અને કોન્ટ્રાક્ટની વિગતો જાહેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું છે કે જો તપાસ દરમિયાન કોઈ અધિકારી, કર્મચારી, કોન્ટ્રાક્ટર અથવા અન્ય વ્યક્તિની સંડોવણી સામે આવે તો તેમની સામે તાત્કાલિક ગુનો નોંધાવી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર તપાસનો અહેવાલ જાહેર કરીને જનતા તથા મીડિયાને માહિતગાર કરવામાં આવે.
આવેદનપત્રના અંતમાં જણાવાયું છે કે જાહેર નાણાં જનતાની અમાનત છે અને જનતાના પરસેવાના પૈસાનો એક-એક રૂપિયો માત્ર જનહિતમાં અને કાયદેસર રીતે ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે. આથી સમગ્ર મામલે કોઈપણ પ્રકારનું ઢાંકપીછોડું કર્યા વગર પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરીને દોષિતો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે સ્પષ્ટ માંગ વ્યક્ત કરી છે. આ આવેદનપત્ર પર ડૉ. રાજદીપસિંહ જાડેજા સહિત મહેશભાઈ રાજપૂત, વશરામભાઈ સાગઠિયા, ગોપાલ અનડકડ, અર્જુનભાઈ ચૌહાણ, મકબુલ દાઉદાણી, મનીષા રોજાસરા, મેહુલ મકવાણા, હેમાંગભાઈ વસાવડા, ડી.પી. મકવાણા, અતુલભાઈ રાજાણી, ઇબ્રાહિમભાઈ સોરા, રસીલાબેન ગેરૈયા, સુધાબા વાધેલા, તુષાર નંદાણી, જસવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, સંજયભાઈ અજુડિયા, દીપ્તિ સોલંકી, નીતિન ભંડારી અને વૈશાલી શિદે સહિતના આગેવાનોએ હસ્તાક્ષર કર્યા હતા.

- Advertisement -

જાહેર નાણાં એ જનતાની અમાનત છે તેનો ઉપયોગ જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મનપાની જવાબદારી છે : ડૉ.રાજદીપસિંહ જાડેજા
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંગલેશ્વર મેગા ડિમોલિશનની કામગીરી દરમિયાન થયેલા ખર્ચમાં સામે આવેલા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા તેમજ પ્રદેશના આગેવાનોના નેતૃત્વમાં આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું છે કે ડિમોલિશનની કામગીરી દરમિયાન નાસ્તા, ભોજન, મીઠાઈ, મિનરલ વોટર, કેમેરા સહિતના વિવિધ ખર્ચના લાખો રૂપિયાના બિલો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ખર્ચને લઈને શહેરભરમાં અનેક સવાલો ઉભા થયા છે અને જનતાના પરસેવાના પૈસાનો આ પ્રકારનો ખર્ચ ખરેખર જરૂરી હતો કે નહીં તે અંગે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રજૂ થયેલા બિલો વાસ્તવિક છે કે બનાવટી, તેમજ ખર્ચની પ્રક્રિયા નિયમો અનુસાર કરવામાં આવી હતી કે કેમ તેની નિષ્પક્ષ તપાસ થવી અત્યંત જરૂરી છે. જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા જળવાય અને જનતાનો વિશ્વાસ અખંડિત રહે તે માટે સમગ્ર મામલાની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ તપાસ માત્ર મહાનગરપાલિકાની આંતરિક સમિતિ સુધી મર્યાદિત ન રાખવી જોઈએ, પરંતુ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અથવા નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને રચાયેલી સ્વતંત્ર તપાસ સમિતિ દ્વારા સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આવેદનમાં વધુમાં માંગ કરવામાં આવી છે કે ડિમોલિશન દરમિયાન થયેલા તમામ ખર્ચ, બિલો, ટેન્ડરો, વર્ક ઓર્ડરો, કોન્ટ્રાક્ટ અને ચુકવણીઓની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે જેથી સમગ્ર પ્રક્રિયા અંગે જનતાને વાસ્તવિક માહિતી મળી શકે. કોંગ્રેસે ચેતવણીરૂપે જણાવ્યું છે કે જો તપાસ દરમિયાન અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અથવા અન્ય કોઈ વ્યક્તિની મિલીભગતથી જાહેર નાણાંનો દુરુપયોગ અથવા ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવે તો તેમની સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સાથે જ સરકારી તિજોરીને થયેલા નુકસાનની વસૂલાત જવાબદાર વ્યક્તિઓ પાસેથી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. આ પ્રસંગે ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જાહેર નાણાં એ જનતાની અમાનત છે અને તેનો એક-એક રૂપિયો માત્ર જનહિતમાં જ ખર્ચાય તે સુનિશ્ચિત કરવું મહાનગરપાલિકાની નૈતિક અને કાનૂની જવાબદારી છે.

You Might Also Like

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

રાજકોટ મનપાની 15 સમિતિના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો

રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
Next Article ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
નહેરૂનગરમાં ગાળો બોલવા પ્રશ્ને બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ : જાહેરમાં છરીઓ ઉડી
બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિનો દેવસ્થાન સમિતિ સામે મોરચો : ચાર વર્ષથી ન્યાયની રાહ
દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગુજરાતરાજકોટ

જેતપરના આગેવાને હાકલ કરી ‘અદાણીનું મરચું, ધાણાજીરું કે અથાણાંનો બહિષ્કાર કરો’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટ મનપાની વેરા વળતર યોજનાનો કાલે છેલ્લો દિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?