ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનાં TRPઅગ્નિકાંડ બાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ મોટા બિલ્ડીંગોમાં ફાયર NOC અને BU પરમિશન અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે તો સાથે જ કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના ફાયર NOC કે BU પરમિશન ન હોય એવી મિલકતોને ધડાધડ સીલ કરવામાં આવી રહી છે. મનપાની ટીમો દ્વારા પેલેસ રોડ પર આવેલા વર્ષો જૂના રાજશ્રી સિનેમામાં ફાયર NOC અને BU પરમિશન મુદ્દે તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાયરના સાધનો ચાલુ ન જણાતા અને ફાયરની ગઘઈ પણ એક્સપાયર હોવાનું સામે આવ્યું હતું. આ કારણે મનપાની ટીમો દ્વારા રાજેશ્રી સિનેમા સીલ કરી દેવામાં આવ્યું હતું. મનપા દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવતા લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા.