By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    8 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    8 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    8 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    8 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ: મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ: મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થાય
ગુજરાત

યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ: મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થાય

Khaskhabar Editor
Last updated: 2023/10/04 at 4:50 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

વ્યવસ્થાના ભાગરૂપે હવેથી મંદિરના કર્મચારીઓ પ્રસાદ બનાવશે

ખાસ-ખબર સંવાદદાતા
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે. આ મોહનથાળના પ્રસાદ માટે વાપરવામાં આવતા ઘીમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થઇ હોવાનું સામે આવ્યું હતું અને તંત્ર દ્વારા 180થી વધુ ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. એવી આશંકા હતી કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ પ્રસાદમાં ભેળેસળયુક્ત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા એ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે અને ઘી શંકાસ્પદ જણાતા બનાસ ડેરીમાંથી ઘી મંગાવીને પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એવી માહિતી સાંપડી રહી છે કે હવેથી મંદિરના કર્મચારીઓ દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે.

- Advertisement -

યાત્રાધામ અંબાજીમાં આપવામાં આવતા મોહનથાળના પ્રસાદ માટે વપરાતા ઘીના નમૂના ફેઇલ ગયા બાદ તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ઘીનું સેમ્પલ ફેઇલ થવાથી મોહનથાળનો પ્રસાદ બનાવવાનું ટેન્ડર મોહિની કેટરર્સ સાથે રિન્યુ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ સાથેજ જ્યાં સુધી નવી યોગ્ય સંસ્થાને વહિવટી તંત્ર દ્વારા ટેન્ડર આપવામાં ન આવે ત્યાં સુધી મંદિરના કર્મચારીઓ દ્વારા માઇભક્તો માટે મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે.મોહિની કેટરર્સ સામે આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. મોહિની કેટરર્સ દ્વારા પ્રસાદની માગને પહોંચી વળવા માટે અમદાવાદના માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને ઘીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેને લઇને ફૂડ એન્ડ હેલ્થ વિભાગ દ્વારા નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું હતું. નોંધનીય છેકે, મોહિની કેટરર્સ દ્વારા મોહનથાળ બનાવવામાં વપરાશમાં લેવાતા ઘીના નમૂના 28 ઓગસ્ટના રોજ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ 15 સપ્ટેમ્બરના રોજ આવતા ઘીના જથ્થાને સીલ મારવામાં આવ્યું હતું.

નકલી ઘીનો રેલો અમદાવાદમાં, માધુપુરાના દુકાનદારે વેચ્યું હતું ઘી પોલીસ ટીમ તપાસ કરવા માટે માધુપુરા પહોંચી: દુકાનનો માલિક ફરાર થઈ ગયો

ખાસ-ખબર સંવાદદાતા
અંબાજીના મેળામાં લાખો લોકોએ મોહનથાળનો પ્રસાદ લીધો હતો, ત્યારે હવે ખુલાસો થયો છે કે આ મોહનથાળમાં જે મોહિની કેટરર્સ દ્વારા ઘી આપવામાં આવ્યુ હતું, તેના સેમ્પલ ટેસ્ટમાં ફેઈલ થયા છે અને આ નકલી ઘી હોવાનું સામે આવ્યું છે. વધુમાં તપાસ કરતા આ તપાસનો રેલો અમદાવાદમાં હોવાનું સામે આવ્યું છે. માધુપુરામાંથી નીલકંઠ ટ્રેડર્સમાંથી આ ઘી ખરીદાયું હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ તપાસમાં બહાર આવ્યું છે કે નકલી ઘીનો પુરવઠો અમદાવાદના માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યો હતો. જે મોહિની કેટરર્સ દ્વારા બાદમાં અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ બનાવવામાં વાપરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ માટે નીલકંઠ ટ્રેડર્સ પહોંચી છે, જેમાંથી 15 કિલોના 3 ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં જો કે તપાસમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકનમાંથી મળી આવ્યા નથી અને દુકાનના કારીગરો તપાસમાં સહકાર ન આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ તપાસ માટે અમદાવાદ મનપાની ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ પણ માધુપુરામાં આવેલી નીલકંઠ ટ્રેડર્સની દુકાને પહોંચી હતી અને વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને નકલી ઘીનો હજુ વધુ કેટલો જથ્થો નીલકંઠ ટ્રેડર્સ પાસે હાજર છે અથવા આ જથ્થો અંબાજી સિવાય અન્યા કઈ કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવ્યો છે.

- Advertisement -

તેની પણ તપાસ થઈ રહી છે. માલિક ફરાર જો કે છેલ્લી માહિતી અનુસાર પોલીસ અને મનપાની ટીમ માધુપુરા પહોંચે તે પહેલા જ નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનથી ગાયબ થઈ ગયા હતા. આ ઉપરાંત દુકાનના કારીગરો પણ ચાવી લઈને બહાર નીકળી ગયા હતા અને તપાસમાં સહયોગ આપી રહ્યા ન હતા.

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

TAGGED: AMBAJI, MohanthalPrasad, MohiniCaterers, Yatradham
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા સિવિલમાં ખાસ વોર્ડ ઉભો કરાશે
Next Article આજે ભારતને મળ્યો 5મો મેડલ: લવલીનાએ બોક્સિંગમાં જીત્યો સિલ્વર મેડલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ગુજરાત

આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?