By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    24 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    3 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    21 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    21 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    21 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    21 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    21 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    24 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    6 minutes ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    22 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    22 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    22 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ: મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ: મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થાય
ગુજરાત

યાત્રાધામ અંબાજીના મોહનથાળ પ્રસાદનો વિવાદ: મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહીં થાય

Khaskhabar Editor
Last updated: 2023/10/04 at 4:50 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

વ્યવસ્થાના ભાગરૂપે હવેથી મંદિરના કર્મચારીઓ પ્રસાદ બનાવશે

ખાસ-ખબર સંવાદદાતા
અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે. આ મોહનથાળના પ્રસાદ માટે વાપરવામાં આવતા ઘીમાં મોટા પ્રમાણમાં ભેળસેળ થઇ હોવાનું સામે આવ્યું હતું અને તંત્ર દ્વારા 180થી વધુ ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. એવી આશંકા હતી કે ભાદરવી પૂનમના મેળા દરમિયાન આ પ્રસાદમાં ભેળેસળયુક્ત ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા એ બાબતે સ્પષ્ટતા કરવામાં આવી છે અને ઘી શંકાસ્પદ જણાતા બનાસ ડેરીમાંથી ઘી મંગાવીને પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ બનાવનાર મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એવી માહિતી સાંપડી રહી છે કે હવેથી મંદિરના કર્મચારીઓ દ્વારા પ્રસાદ બનાવવામાં આવશે.

- Advertisement -

યાત્રાધામ અંબાજીમાં આપવામાં આવતા મોહનથાળના પ્રસાદ માટે વપરાતા ઘીના નમૂના ફેઇલ ગયા બાદ તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ઘીનું સેમ્પલ ફેઇલ થવાથી મોહનથાળનો પ્રસાદ બનાવવાનું ટેન્ડર મોહિની કેટરર્સ સાથે રિન્યુ ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ સાથેજ જ્યાં સુધી નવી યોગ્ય સંસ્થાને વહિવટી તંત્ર દ્વારા ટેન્ડર આપવામાં ન આવે ત્યાં સુધી મંદિરના કર્મચારીઓ દ્વારા માઇભક્તો માટે મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવશે.મોહિની કેટરર્સ સામે આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. મોહિની કેટરર્સ દ્વારા પ્રસાદની માગને પહોંચી વળવા માટે અમદાવાદના માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને ઘીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેને લઇને ફૂડ એન્ડ હેલ્થ વિભાગ દ્વારા નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું હતું. નોંધનીય છેકે, મોહિની કેટરર્સ દ્વારા મોહનથાળ બનાવવામાં વપરાશમાં લેવાતા ઘીના નમૂના 28 ઓગસ્ટના રોજ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ 15 સપ્ટેમ્બરના રોજ આવતા ઘીના જથ્થાને સીલ મારવામાં આવ્યું હતું.

નકલી ઘીનો રેલો અમદાવાદમાં, માધુપુરાના દુકાનદારે વેચ્યું હતું ઘી પોલીસ ટીમ તપાસ કરવા માટે માધુપુરા પહોંચી: દુકાનનો માલિક ફરાર થઈ ગયો

ખાસ-ખબર સંવાદદાતા
અંબાજીના મેળામાં લાખો લોકોએ મોહનથાળનો પ્રસાદ લીધો હતો, ત્યારે હવે ખુલાસો થયો છે કે આ મોહનથાળમાં જે મોહિની કેટરર્સ દ્વારા ઘી આપવામાં આવ્યુ હતું, તેના સેમ્પલ ટેસ્ટમાં ફેઈલ થયા છે અને આ નકલી ઘી હોવાનું સામે આવ્યું છે. વધુમાં તપાસ કરતા આ તપાસનો રેલો અમદાવાદમાં હોવાનું સામે આવ્યું છે. માધુપુરામાંથી નીલકંઠ ટ્રેડર્સમાંથી આ ઘી ખરીદાયું હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ તપાસમાં બહાર આવ્યું છે કે નકલી ઘીનો પુરવઠો અમદાવાદના માધુપુરામાં આવેલા નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યો હતો. જે મોહિની કેટરર્સ દ્વારા બાદમાં અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ બનાવવામાં વાપરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ માટે નીલકંઠ ટ્રેડર્સ પહોંચી છે, જેમાંથી 15 કિલોના 3 ઘીના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે. હાલમાં જો કે તપાસમાં નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકનમાંથી મળી આવ્યા નથી અને દુકાનના કારીગરો તપાસમાં સહકાર ન આપી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે વધુ તપાસ માટે અમદાવાદ મનપાની ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની ટીમ પણ માધુપુરામાં આવેલી નીલકંઠ ટ્રેડર્સની દુકાને પહોંચી હતી અને વિસ્તૃત તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને નકલી ઘીનો હજુ વધુ કેટલો જથ્થો નીલકંઠ ટ્રેડર્સ પાસે હાજર છે અથવા આ જથ્થો અંબાજી સિવાય અન્યા કઈ કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવ્યો છે.

- Advertisement -

તેની પણ તપાસ થઈ રહી છે. માલિક ફરાર જો કે છેલ્લી માહિતી અનુસાર પોલીસ અને મનપાની ટીમ માધુપુરા પહોંચે તે પહેલા જ નીલકંઠ ટ્રેડર્સના માલિક દુકાનથી ગાયબ થઈ ગયા હતા. આ ઉપરાંત દુકાનના કારીગરો પણ ચાવી લઈને બહાર નીકળી ગયા હતા અને તપાસમાં સહયોગ આપી રહ્યા ન હતા.

You Might Also Like

રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી

TAGGED: AMBAJI, MohanthalPrasad, MohiniCaterers, Yatradham
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા સિવિલમાં ખાસ વોર્ડ ઉભો કરાશે
Next Article આજે ભારતને મળ્યો 5મો મેડલ: લવલીનાએ બોક્સિંગમાં જીત્યો સિલ્વર મેડલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?