By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    19 hours ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    19 hours ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    2 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    3 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    19 hours ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    23 hours ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    2 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    2 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    3 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    4 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    20 hours ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    22 hours ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    22 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    22 hours ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    2 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    4 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ: વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ અને કવિ શ્રી નર્મદની જન્મ જયંતીનો સુભગ સમન્વય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ: વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ અને કવિ શ્રી નર્મદની જન્મ જયંતીનો સુભગ સમન્વય
AuthorBhavy Ravalખાસ-ખબર

ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ: વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ અને કવિ શ્રી નર્મદની જન્મ જયંતીનો સુભગ સમન્વય

Khaskhabar Editor
Last updated: 2022/08/24 at 12:49 PM
Khaskhabar Editor 4 years ago
Share
9 Min Read
SHARE
  • નર્મદ અને ડાંડિયો: ગુજરાતી પત્રકારત્વના બે સદીના ઈતિહાસમાં
  • સુધારાવાદી પત્રકારત્વનાં પાયામાં નર્મદ અને તેમનું પત્ર ડાંડિયો

નર્મદાશંકર લાભશંકર દવે એટલે કે નર્મદ અને તેમના મિત્રો ગિરધરલાલ દયાળદાસ કોઠારી, નગીનદાસ તુલસીદાસ મારફતિયા, કેશવરામ ધીરજરામ, શ્રીધર નારાયણ અને ઠાકોરદાસ આત્મારામે સાથે મળીને એડિસનના સ્પેક્ટેટર જેવું સામયિક કાઢવાનો વિચાર કરેલો, જેના પરિણામેસ્વરૂપે ડાંડિયો પત્ર શરૂ થયું એમ કહી શકાય અથવા મુંબઈથી સુરત આવેલા નર્મદે પાંચેક મિત્રો સાથે સાક્ષર મંડળની સ્થાપના કરી, ગિરધરલાલ દયાળદાસે મંડળનું મુખપત્ર પ્રગટ કરવાનો વિચાર મૂક્યો, નગીનદાસ મારફતિયાએ આ પત્રનું નામ ડાંડિયો રાખવાનું સૂચવ્યું અને નર્મદે તેનો સ્વીકાર કર્યો, આમ ડાંડિયો પત્ર શરૂ થયેલું એમ પણ કહી શકાય. મોટેભાગે મુંબઈમાં નર્મદનું નિવાસસ્થાન ડાંડિયોનું કાર્યાલય રહેતું. 1, સપ્ટેમ્બર 1864માં સુરતથી પ્રારંભ થયેલું ડાંડિયો પત્ર માંડ પાંચ વર્ષ ચાલ્યું અને પાંચ વર્ષમાં ત્રણ વાર તો બંધ પડ્યું. આ સમયગાળો એટલે ગુજરાતી પત્રકારત્વમાં સુધારાવાદી પત્રકારત્વના ઉદયનો સમયગાળો. ગુજરાતી પત્રકારત્વના બે સદીના ઈતિહાસમાં સુધારાવાદી પત્રકારત્વનાં પાયામાં નર્મદ અને તેમનું પત્ર ડાંડિયો છે. નર્મદ અને તેમના પાંચ સાથીઓએ કાઢેલું સામાજિક સુધારણાનું સામાચારિક-સાહિત્યિક પત્ર પ્રથમ પખવાડિક-પાક્ષિક અને પછીથી સાપ્તાહિક થયેલું હતું.

ડાંડિયો ડેમી કદના 8થી 12 પાનાઓમાં પ્રકટ થતું હતું. તેની વાચનસામગ્રીમાં પ્રથમ પાને પ્રાસંગિક વિષય પરનો લેખ છપાતો હતો. આ ઉપરાંત સમાજ, ઈતિહાસ, ભાષા, ધર્મ, સંસ્કૃતિ, શેરસટ્ટા, વ્યંગચિત્રો, સ્થાનિક વહીવટદારોના ભ્રષ્ટાચાર, સામાજીક બદીઓ સંદર્ભે નીતિબોધ, વિખ્યાત વ્યક્તિઓના સંક્ષિપ્ત જીવનચરિત્રો જેવા વૈવિધ્યસભર વિષયોને તેમાં આવરી લેવામાં આવતા હતા. ડાંડિયોની કુલ ત્રણ શ્રેણીઓ પ્રકટ થઈ હતી. પ્રથમ શ્રેણીમાં 32 અંકો, દ્વિતીય શ્રેણીમાં 27 અંકો અને તૃતીય શ્રેણીમાં 58 અંકો પ્રકાશિત થયા હતા. 1969ની આખરમાં આ ચોપાનિયું સન્ડે રિવ્યુ સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. શરૂઆતમાં નર્મદ ડાંડિયોના તંત્રી હતા, પ્રથમ ત્રેવીસ અંક બાદ ગિરધારલાલ કોઠારીએ ડાંડિયોનું સંચાલન સંભાળ્યું હતું. નર્મદના તંત્રીપદેથી દૂર થતા ડાંડિયોનું લોકપ્રિયતા ઘટી હતી અને ફરી નર્મદે તેનું સંચાલન સંભાળી ડાંડિયોને બેઠું કર્યું હતું. ડાંડિયો 1864માં શરૂ થયું હતું ત્યારબાદ 1865 તથા 1866માં અનુક્રમે સૌરાષ્ટ્રના ભાવનગરમાંથી મનોરંજક રત્નમાળ અને જૂનાગઢમાંથી સૌરાષ્ટ્ર દર્પણ નામના પત્રોની શરૂઆત થઈ જેની પર ડાંડિયોની ઘેરી અસર હતી. આ બંને પત્રો સૌરાષ્ટ્રના સૌપ્રથમ પત્રો હતા. 1864માં ડાંડિયો બહાર પાડતા પહેલા નર્મદે 1851માં જ્ઞાનસાગર નામનું સાપ્તાહિક બહાર પાડેલું હતું. કોલેજકાળમાં નર્મદે પાંચેક મિત્રો સાથે મળી પુસ્તકાલય પણ શરૂ કર્યું હતું.

- Advertisement -

ડાંડિયો તર્કનિષ્ઠ બૌદ્ધિક ચર્ચાઓનું પત્ર હતું. તેનાં સમકાલીન પત્રો બુદ્ધિવર્ધક, બુદ્ધિપ્રકાશ, ગુજરાત શાળાપત્ર, સત્યપ્રકાશ, રાસ્ત ગોફતાર, ચંદ્રોદય વગેરે હતાં. ડાંડિયો પત્રની ભાષા અને જોડણી ચોક્કસ હતા. ડાંડિયોના લખાણો અત્યંત જલદ હતા. બહુ જ કડવા કહી શકાય તેવા હતા. ડાંડિયોમાં નર્મદ પુ, લ, અને ત સંજ્ઞાથી લખતા હતા. એમાં આવતા લેખોની નોંધ અંગ્રેજ સરકાર પણ ગંભીરતાથી લેતી, લખાણોના ભાષાંતર થતાં અને સેક્રેટરિયેટમાં એની ચર્ચા થતી. ડાંડિયોમાં છપાયેલા સમાચારોથી અંગ્રેજી અમલદારો પણ ડરતા હતા. ડાંડિયો પોતાના જમાનાનું સૌથી વધુ વંચાતું પત્ર હતું. આમ છતાં ડાંડિયોના અંકો વહેંચાતા ન હતા એટલે મફતમાં વહેંચવા પડતા હતા. ડાંડિયોના અંકો ઘણીવખત અનિયમિત બહાર પડતા હતા. ચોકાવનારી બાબત એ છે કે, ડાંડિયોનું લવાજમ વર્ષે એક રૂપિયો હતું છતાં તે ખોટમાં ચાલતું હતું અને એ જ મુખ્ય કારણ હતું કે, ડાંડિયો પાંચ વર્ષમાં ત્રણ વાર બંધ થયું અને પાંચ વર્ષ પછી સાવ બંધ થઈ ગયું.

રાજા-રજવાડાંઓના આંતરિક સંઘર્ષ અને બ્રિટીશ સત્તાના વધતા જતા વર્ચસ્વ વચ્ચે ડાંડિયોએ ગુજરાતી પત્રકારત્વમાં સમાજ સુધારણાની એક અલગ ભાત પાડેલી. સુધારાવાદી પત્રકારત્વની એક જ્યોત પ્રગટાવેલી. નર્મદના ડાંડિયોમાં સત્યની સનસનાટી હતી. સુધારાવાદની સોડમ હતી. સાક્ષરતા જગાડવાની શક્તિ હતી. ઘણાને ખ્યાલ નથી કે, સટ્ટાખોરીથી લઈ જમીન મકાનના કૌભાંડો બહાર પાડનાર પહેલું પત્ર એટલે ડાંડિયો. કુરિવારજો, અંધશ્રદ્ધા અને વહેમો સાથે ભ્રષ્ટાચાર સામે પણ મોરચો માંડનાર પ્રથમ પત્ર એટલે ડાંડિયો. આદિવાસીઓને પણ ભણાવવા જોઈએ તેવી વાત ડાંડિયો મારફત કરનાર સૌથી પહેલા નર્મદ હતા. ગુજરાતી પત્રકારત્વમાં ડાંડિયોએ ભાષાશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિ પર સૌપ્રથમ સવિશેષ ભાર મૂક્યો હતો. વળી, એમાં સમાચારોની સાથે સાહિત્યને પણ સ્થાન હોતું. વિવિધ પ્રકલ્પોમાં ડાંડિયો ગુજરાતી પત્રકારત્વમાં અવ્વલ સ્થાને રહ્યો છે.

એક નોંધવા જેવી અનોખી બાબત છે કે, કદાચ આ એવું પ્રથમ પત્ર હતું કે, પૈસા ખર્ચી, લવાજમ ભરી ડાંડિયો વાંચનારા કરતા મફતમાં ડાંડિયો વાંચનારા વધુ હતા! એ સમયે એક વર્ગ એવો હતો જે મફતમાં કે ઉછીમાં ક્યાય પણથી ડાંડિયો મેળવી તેમાં શું છપાયું છે તે છાનેખૂણે તપાસી લેતો.

- Advertisement -

નર્મદના ડાંડિયોનું ધ્યેય વિવિધ સામાજિક અને રાજકીય ભ્રષ્ટાચાર, પાખંડો, કુરિવાજો, વહેમ, અંધશ્રદ્ધા, આડંબર, દંભડોળ, ઈજારાશાહી વગેરે દૂષણોને પ્રગટ કરી પ્રજામાં ચેતનનો સંચાર કરવાનું હતું. એ પત્ર એટલું પ્રામાણિક હતું કે પોતાની ભૂલનો એકરાર કરતું. તેમાં વ્યક્તિગત ટીકા, સામૂહિક વર્ગ કે સમાજ માટે ચેતવણીરૂપ રહેતી. ફક્ત વૈષ્ણવ મહારાજોના કામાચારો નહીં પરંતુ બીજી જ્ઞાતિ-જાતિની પાપલીલા અને શેઠિયા-શ્રીમંતોના પાખંડો પર ડાંડિયો ફટકાર વરસાવતો. ભદ્ર સમાજની વિકૃત વાસ્તવિકતાનું વરવું ચિત્રણ ડાંડિયોમાં બખૂબી થતું. ડાંડિયોએ સમાજ સુધારાની ઝુંબેશ ઉપાડવા ઉપરાંત માનવો સાથે પશુપક્ષીઓ પર થતા અત્યાચારનો વિરોધ પ્રગટ કર્યો હતો. ડાંડિયોની ધાકથી અનેક પ્રકારનાં કુકર્મો અને કુરિવાજો પર નિયંત્રણ આવ્યું હતું એ દૃષ્ટિએ આ પત્રે કરેલી સેવા ગુજરાતી સમાજસુધારાના ઈતિહાસ ઉપરાંત ગુજરાતી પત્રકારત્વના બે સદીના ઈતિહાસમાં નોંધપાત્ર બની છે.

એવું કહેવાય છે કે, શેરસટ્ટાખોરીથી કંટાળી નર્મદ સુરત આવ્યા હતા. નર્મદ સુરત સિવાય સૌરાષ્ટ્રમાં પણ આવેલા હતા. એક સમયે વકીલ અને મામલતદાર ત્યારબાદ કથાકાર બનવાની ઈચ્છા ધરાવનાર નર્મદને કિસ્મતે કવિ બનાવ્યા. કવિમાંથીએ સુધારક અને સુધારકમાંથી તેઓ પત્રકાર બન્યા હતા. નર્મદે વેપાર-ધંધો અને નોકરી છોડી કલમ હવે તારે ખોળે છ‍ઉંનો સંકલ્પ કર્યો. આ સંકલ્પે નર્મદની આકરી કસોટી પણ કરી. મારી હકીકત નામે ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા આપનાર નર્મદ સુધારકયુગના અગ્રણી સર્જક હતા. આ સર્જક શિક્ષક પણ હતા. કદાચ જગતની કોઈ ભાષામાં કોઈ કવિના નામની આગળ વીર વિશેષણ નહીં હોય. નર્મદના નામ આગળ વીરનું વિશેષણ છે. વીર નર્મદને ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનોમાં આદ્ય તરીકે ઓળખવામાં આવે છે. સાહિત્યકારો નર્મદને અર્વાચીન યુગનો અરૃણ, અર્વાચીનોમાં આદ્ય, નવયુગનો પ્રહરી વગેરે નામે પણ નવાજે છે. નર્મદ કવિ પણ હતા, લેખક પણ હતા અને એથી પણ વિશેષ પત્રકાર હતા. નર્મદે ​ડાંડિયો નામના સામયિક દ્વારા પોતાની નિર્ભકતા અને સર્જકતા સાથે સામાજિક સુધારણાના પત્રકારત્વનો પરિચય આપ્યો હતો.

સુધારાના સેનાનાયક નર્મદ પત્રકાર ઉપરાંત કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, કોશકાર, પિંગળકાર, વિવેચક, સંપાદક અને સંશોધક હતા. ઈ.સ. ૧૮૭૫ પછી સામાજિક અને ધાર્મિક સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં ઉત્તરવયે એમના વિચાર પરિવર્તન થયેલા. સુધારાવાદી પત્રકારત્વ દરમિયાન નર્મદે પોતાની આસપાસ રહેલી નજીકની વ્યક્તિઓના જ વ્યવહાર અને વિચારમાં ભેદ જોયા અને આમ તેનો ભ્રમ ભાંગ્યો હતો. કહેવતો ડાહ્યો સમાજ કેટલો દંભી હોય છે એ નર્મદને સમય જતા સમજાય ચૂક્યું હતું. સુધારક જીવનના પ્રારંભે ડગલું ભર્યું તે ના હઠવું, હઠવું, સમજીને તો પગલું ભરવું, મૂકીને ના બ્હીવું જેવી પંક્તિઓ લલકારનાર નર્મદ પાછલી અવસ્થામાં પશ્રિમના ભૌતિકવાદ કરતા ભારતીય અધ્યાત્મવાદ ચઢિયાતો છે એવું સ્વીકારતા થયા હતા. કદાચ આ જ કારણોસર નર્મદે પત્રકારત્વને ટૂકાવ્યું પણ જ્યાં સુધી પત્રકારત્વ કર્યું ત્યાં સુધી કોઈપણ કિંમતે માત્રને માત્ર સત્યને જ વળગી રહ્યા. નર્મદ જીવનના અંત સુધી કલમના ખોળે રહ્યા એ સાચું પણ નર્મદે પત્રકારત્વ જીવનના અંત સુધી કર્યું નહતું. આમ છતાં એક નાની અમથી કલમની તાકાત કેટલી? કલમથી શું-શું થઈ શકે? કલમ ક્યાં પ્રકારે તલવારથી પણ વધુ ધારદાર અને બંદૂકથી પણ વધુ ખતરનાક હથિયાર છે? સૌ પ્રથમવાર નર્મદે ગુજરાતી પત્રકારત્વનાં માધ્યમથી કલમની તાકાતને સૌ સમક્ષ ઉજાગર કરી હતી.

વધારો : નર્મદની આત્મકથામાં છે કે, પોતે નાનો છોકરો હતો ત્યારે ડાકણથી ડરતો. તે મોડી રાત્રે એક સ્ત્રીને જોતા એ ડાકણ હતી, બાળપણમાં તે ડાકણને જોઈ ગભરાઈ જતા હતા. એ જ નર્મદ પુખ્તવયે છડેચોક વિધવા સ્ત્રી જોડે હિંમતપૂર્વક લગ્ન કરે છે, સમાજ સુધારક તરીકે સામાજિક બદીઓ અને ખાનાખરાબીઓ વિરુદ્ધ શુરવીરતાથી બંડ પોકારે છે. પત્રકાર તરીકે પોતાની કલમ વાટે ડાંડિયો પીટી ભલભલા ચમરબંધીઓને ભો ભેગા કરી દે છે. કલમવીર તરીકે કોઈની પણ સાડી બાર રાખ્યા વિના કઈપણ કહી આપે છે, છપ્પનની છાતી રાખી બહાદુરીપૂર્વક ખોટાને ખોટું અને સાચાને સાચું કહેવામાં પાછી પાની ન કરે.. એ પણ ક્યાં સમયે, કોની સામે અને કેવા સંજોગોમાં? કવિ તરીકે નર્મદ જય! જય! ગરવી ગુજરાત! જેવી ગુજરાતી ભાષાની અમર કવિતા રચે અને નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક જેવી રચના દ્વારા વીરતાપૂર્વક મૃત્યુને પણ ભેટી પડે એટલે અનેક કારણોસર નર્મદને વીર કહેવા જ પડે. નર્મદ ખરા અર્થમાં વીર હતા. નર્મદ અને ખાસ કરીને નર્મદનું પત્રકારત્વ એ વીરતાનું પ્રતિક છે.

ભવ્ય રાવલ
(લેખક-પત્રકાર)

– ગુજરાતી પત્રકારત્વ
(બે સદીની લેખનયાત્રા)

 

You Might Also Like

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

TAGGED: BirthAnniversary, poet, SriNarmad, World GujaratiMotherLanguageDay
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડિમાર્ટના દામાણી કરશે રાકેશ ઝુનઝુનવાલાની અબજોની સંપત્તિની દેખરેખ
Next Article નીતિશ કુમારની મહાગઠબંધન સરકારની કસોટી: વિધાનસભાનું સત્ર શરૂ, તેજસ્વી યાદવે જાહેર કર્યુ વ્હીપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Author

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?