By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 hours ago
    USના વિઝા હવે ફટાફટ!
    23 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    23 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    23 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    23 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    23 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    23 minutes ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 hour ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 hour ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 hour ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    1 day ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેટલાક હિન્દુ સંપ્રદાયો જ વિધર્મીઓની ભૂમિકામાં?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > કેટલાક હિન્દુ સંપ્રદાયો જ વિધર્મીઓની ભૂમિકામાં?
AuthorKinnar Acharyaખાસ-ખબર

કેટલાક હિન્દુ સંપ્રદાયો જ વિધર્મીઓની ભૂમિકામાં?

Khaskhabar Editor
Last updated: 2022/09/10 at 5:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો તથા બીજાં અગણિત ગ્રંથોમાં એવું ક્યું જ્ઞાન નથી-
જે આ લોકોનાં બાલીશ અને ગપ્પાગ્રંથોમાં છે!

હિન્દુ દેવી-દેવતાઓને ઉતારી પાડતાં વિડીયોઝથી આજકાલ સોશિયલ મીડિયા ઉભરાઈ રહ્યું છે. અને શિવ, વિષ્ણુ, બ્રહ્મા કે દુર્ગાનું અપમાન કરતાં આ વિડીયોઝ કોઈ વિધર્મીઓ નથી મૂકતાં, હિન્દુ ધર્મનાં અમુક સંપ્રદાયોનાં કહેવાતાં સંતો જ મૂકી રહ્યાં છે. કહો કે, તેમનાં આ વિડીયોઝ લીક થઈ રહ્યાં છે. સંપ્રદાયનાં વિવિધ ફિરકાઓ બાખડે છે અને પછી એકબીજાનાં આવા ભૂંડા વિડીયોઝ વાઈરલ કરે છે. આ લોકો સતત-સખત-અવિરત બાખડતાં રહે તે જરૂરી છે. એટલીસ્ટ આપણને જાણવા મળે કે હરિભક્તોનું બ્રેઈન વૉશિંગ કેવી રીતે થઈ રહ્યું છે. આ કોઈ અજાણતાં મુખમાંથી સરી પડેલાં શબ્દો નથી, સ્લીપ ઑફ ટન્ગ નથી.

- Advertisement -

કહેવાતાં સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતાં દેખાડવાની આ ચેષ્ઠા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે !

જો જીભ લપસી હોય તો આવી લાંબી-લાંબી બેવકુફીભરી કથાઓ કોઈ ન કરી શકે.

એક ટીલાં-ટપકાંધારી પોતાનાં પ્રવચનમાં કહે છે કે, “સ્વામીબાપાને એક વખત પેશાબ લાગી, પેશાબ કરીને પછી તેઓ જોરજોરથી હસવા લાગ્યા. બધાંએ કારણ પૂછયું તે મહારાજે કહ્યું કે, પેશાબમાં મકોડો તણાઈ ગયો! બધાએ પૂછયું તે એમાં શું થઈ ગયું? મહારાજે કહ્યું કે, એ મંકોડો નહોતો, બ્રહ્મા હતો, ગયા જન્મમાં તો એ ઈન્દ્ર હતો!” બીજો એક ભગવાધારી કહે છે કે, એક વખત સ્વામીજીને કેટલાંક હરિભક્તોએ કહ્યું કે, તેઓ ડાકોર રણછોડરાયનાં દર્શને જવા માંગે છે. સ્વામિજીએ હસતાં-હસતાં જવાબ આપ્યો, ‘જઈ આવો અને દર્શન આપી (રણછોડરાયને) આવો!’ આટલું કહ્યાં પછી એ કહે છે કે, ‘તમે આપણું સ્તર તો જુઓ, આપણું મહાત્મ્ય જુઓ!’ ભગવાધારી બિટ્વીન ધ લાઈન્સ કહે છે કે, સ્વામિનારાયણ પંથનો હરિભક્ત તો શ્રીકૃષ્ણ અને દેવી-દેવતાઓ કરતાં પણ મહાન છે.

- Advertisement -

આવા વિડીયોઝનો વરસાદ થયો છે. જો હિન્દુ સંપ્રદાયો જ આવા હોય તો હિન્દુ વિરોધી વિધર્મીઓની શી જરૂર! હરિધામ-સોખડાનાં આનંદસ્વરૂપ સ્વામીએ અજબગજબ તર્ક રજૂ કર્યો. તેમણે કહ્યું કે, ‘તપશ્ર્ચર્યાથી ભીતર અહંકાર જન્મે છે. તમે જુઓ શંકર તપ કરે છે અને નાની-નાની વાતમાં એને અપમાન જેવું લાગે છે અને બધું ધનોતપનોત કાઢી નાંખે છે!’ સંત સ્વામીએ રામને એક પ્રવચનમાં સત્ત્વગુણી કહ્યાં તો મહાદેવને ધમાલીયા કહ્યાં.

મોરારિબાપુ બહુ વ્હેલાં સમજી ગયા હતાં. નીલકંઠવર્ણીનો અભિષેક કરવાનું બંધ કરવાની વાત કહી ત્યારે સનાતનીઓ જાગ્યા ન હતાં. બાપુનાં શેટલિયાંઓ પણ ડરનાં માર્યા શરૂઆતમાં ચૂપ રહ્યાં હતાં અને પછી સાવ દબાતા સ્વરે ચૂં-ચૂં કરવાનું શરૂ કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયનાં સૌથી નાનાં ફિરકા એવા સરધાર પંથને કેટલાકે એવોર્ડ વાપસી કરી હતી. જો કે, બી.એ.પી.એસ. કે સોખડા વિરૂદ્ધ કોઈએ મ્યાંઉ કરવાની હિંમત પણ નહોતી કરી, ગર્જના તો બહુ દૂરની વાત છે.

વાસ્તવિકતા એ છે કે, આ આખું ષડયંત્ર બહુ આયોજનપૂર્વક ચાલી રહ્યું છે. આવું જ ચાલતું રહ્યું તો પચાસ-સો વર્ષ પછી આપણાં બાળકો એનું માનતા થઈ જશે કે સૃષ્ટિની રચના સ્વામિનારાયણે કરી હતી અને કૈલાસનાં અધિપતિ યોગીજી મહારાજ છે તથા ક્ષીરસાગરમાં પ્રમુખ સ્વામી નિવાસ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય પેલાં સ્વામિનારાયણ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, હરિપ્રસાદ સ્વામીનાં ભક્તો છે. આ લોકોનું સાહિત્ય પણ આવી વિકૃત વાતોથી છલોછલ હોય છે. એમાં પણ આવી વાહિયાત, કપોળકલ્પિત વાતોનો ભંડાર હોય છે.

પોતાનાં બે કોડીનાં, કહેવાતાં સંતોને સનાતન ધર્મનાં દેવી-દેવતાઓ, ત્રિદેવથી ચડિયાતાં દેખાડવાની આ ચેષ્ઠા પાછળ બહુ ઊંડું પ્લાનિંગ છે. આ લોકોનું ટાર્ગેટ ઑડિયન્સ સમાજનો નીચલો વર્ગ છે. જો તેમને સનાતન ધર્મનાં દેવતા કરતાં ચડિયાતાં દર્શાવવામાં આવે તો જ આ વર્ગ પછી સંપ્રદાય તરફ આકર્ષાય. આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ કરે છે- એવું જ કંઈક. પરંતુ મિશનરીઓ ઓછાં જોખમી છે, કમસેકમ તેમનાં બદઈરાદાઓ વિશે આપણને ખ્યાલ તો છે. દુશ્મનોથી આપણે એટલિસ્ટ સાવધાન રહીએ. આ લોકો પેટમાં ઘુસી ને પગ પહોળાં કરે.

સવાલ એ છે કે, હિન્દુ ધર્મને આવા સંપ્રદાયોની જરૂર શી છે? આમની પાસેથી એવું શું મેળવી લેવાનું છે- જે સનાતન ધર્મ આપણને નથી આપતો? આપણી ગીતા, આપણાં વેદ-પુરાણો અને ઉપનિષદો અને બીજાં અગણિત ગ્રંથોમાં એવું ક્યું જ્ઞાન નથી- જે આ લોકોનાં બાલીશ અને ગપ્પાગ્રંથોમાં છે! એક મૂઢ અને મંદમત્તિ વર્ગ છે- જેમને આવી માથામેળ વગરની વાતોથી ભારે આકર્ષણ થાય છે. આ વર્ગ જ આવા સંપ્રદાયોનું પોષણ કરે છે.

છેવટે આ સંપ્રદાયોનું પ્રદાન શું છે? એ ન હોય તો શું સમાજ પછાત રહી જાય? ના. બિલકુલ નહીં. આ લોકોએ મહેલ જેવાં મંદિરો બનાવ્યા, કમર્શિયલ શિક્ષણધામ બનાવ્યા, તગડા ચાર્જ લેતી હોસ્પિટલો બનાવી. તેમની કોર્પોરેટ જેવું મેનેજમેન્ટ ભલભલાને આંજી દેવા સક્ષમ છે. પણ, સવાલ એ છે કે, શું આપણી ભીતરનો પ્રકાશ, આપણી માંહેનો દીવો સાવ ઓલવાઈ ગયો છે કે, આપણને આવી ઝાકઝમાળ આંજી નાંખે!

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: devotees, hindu
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શૈક્ષણિક સંકુલને કરો ઊર્જાથી લથપથ
Next Article લઘુ અખબારો.. નાનાં કદનાં છાપાઓ..: નાના પત્રોનાં અસ્તિત્વ સામે ઉભા થયેલાં મોટાં પડકારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત
મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?