શૌર્ય, સંસ્કાર અને રાષ્ટ્રભાવનાના સંદેશ સાથે 14 ઓગસ્ટે નાગર બોર્ડિંગ ખાતે આયોજન
સંતો-મહંતો, આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે
- Advertisement -
જે યુવાનોને ફોર્મ ભરવાના બાકી છે તેઓ સ્થળ પર વહેલા આવીને ફોર્મ ભરી શકશે
ત્રિશુલ એ શક્તિ, શૌર્ય અને ધર્મનું પ્રતીક : વનરાજભાઈ ગરૈયા
જામનગરના અમિતભાઈ જાદવાણી કાર્યકર્તાઓમાં રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેનો જોશ તથા જુસ્સો વધારશે
- Advertisement -
હિન્દુ સમાજમાં શૌર્ય, સંસ્કાર, સંગઠન અને રાષ્ટ્રભાવનાની જાગૃતિના સંદેશ સાથે આગામી 14 ઓગસ્ટ, શુક્રવારે રાજકોટમાં અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બજરંગ
દળ અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોના જણાવ્યા મુજબ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો તથા હિન્દુ સમાજના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ લેશે. આ
કાર્યક્રમ સાંજે 7 વાગ્યે નાગર બોર્ડિંગ, વિરાણી ચોક, ટાગોર રોડ, રાજકોટ ખાતે યોજાશે. કાર્યક્રમ દરમિયાન ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરનાર દીક્ષાર્થીઓને ધાર્મિક અને રાષ્ટ્રભાવનાના સંસ્કારો સાથે સમાજ તથા સનાતન સંસ્કૃતિ
પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કરાવવામાં આવશે.
વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગરના અધ્યક્ષ વનરાજભાઈ ગરૈયાએ જણાવ્યું હતું કે ભારતીય સનાતન પરંપરામાં ત્રિશુલને શક્તિ, શૌર્ય અને ધર્મના પ્રતીક તરીકે વિશેષ સ્થાન પ્રાપ્ત છે. ત્રિશુલ દીક્ષા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ
યુવાનોમાં શિસ્ત, સાહસ, સામાજિક જવાબદારી તથા સનાતન સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. વિહિપ રાજકોટ વિભાગના મંત્રી પરેશભાઈ રૂપારેલિયાએ સંતો-મહંતો, આગેવાનો, કાર્યકર્તાઓ તથા મોટી
સંખ્યામાં સમાજબાંધવોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ પ્રસંગના સાક્ષી બનવા માટે આહ્વાન કર્યું છે.
કાર્યક્રમમાં બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંત સહસંયોજક અમિતભાઈ જાદવાણી ખાસ જામનગરથી ઉપસ્થિત રહેશે. તેઓ કાર્યકર્તાઓમાં રાષ્ટ્ર અને ધર્મ પ્રત્યેનો જોશ તથા જુસ્સો વધારવા સાથે અખંડ ભારત સંકલ્પ દિવસનું મહત્વ,
બજરંગ દળની આગામી યોજનાઓ અને નીતિઓ અંગે માર્ગદર્શન આપશે. તેમના મુખ્ય વક્તવ્યમાં ‘હિન્દુ રાષ્ટ્ર ભારત’, ‘નશામુક્ત ભારત’, બલોપાસના દિવસ અને શૌર્ય દિવસ જેવા વિવિધ વિષયો પણ આવરી લેવામાં
આવશે. આ ઉપરાંત બજરંગ દળના બલોપાસના કેન્દ્ર (અખાડા કેન્દ્ર)ના અનુભવી કાર્યકર્તા વિપુલભાઈ અગ્રાવત, મૂળ પાલીતાણા, પણ ઉપસ્થિત રહેશે. હનુમાન મઢી મંદિરના યુવા સંત પૂજ્ય શ્રી કશ્યપ મહારાજ પણ ખાસ
ઉપસ્થિત રહી યુવાનોને ‘ધર્મો રક્ષતી રક્ષીતઃ’ના અર્થ અને ભાવાર્થ અંગે આશીર્વચન આપશે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે વ્યવસ્થા, સુરક્ષા, શિસ્ત અને કાર્યક્રમના સુચારુ સંચાલન માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી રહી છે. હર્ષ મુથ્રેજા, મનોજ કદમ, વિનિત જાયસ્વાલ, સંજયરાજ સોલંકી, જીતુભાઈ કેશુર,
અલ્પેશભાઈ મોરડીયા, યોગેશભાઈ ચોટલીયા, રાજુભાઈ રાજપુત, ગુરુભાઈ રાવલ, નવીન વાઘેલા, હેનિલસિંહ પરમાર, માધવ માનસેતા અને જિતેન્દ્ર વેગડા સહિતના કાર્યકર્તાઓ કાર્યક્રમની તૈયારીઓનું સતત નિરીક્ષણ કરી
રહ્યા છે. વિહિપ પ્રાંત અધિકારી કૌશીકભાઈ સરધારાએ જણાવ્યું હતું કે ધર્મ માટે સંકલ્પ, સંસ્કૃતિ માટે સમર્પણ અને રાષ્ટ્ર માટે સંગઠનના સંદેશ સાથે યોજાનારા આ ત્રિશુલ દીક્ષા કાર્યક્રમને લઈને સમાજમાં વિશેષ ઉત્સાહ જોવા
મળી રહ્યો છે.
ત્રિશુલ દીક્ષા માટે પહોંચ ફરજિયાત
કાર્યક્રમની વ્યવસ્થા અંગે જીતુભાઈ કેશુર અને સંજયરાજ સોલંકીએ જણાવ્યું હતું કે ત્રિશુલ દીક્ષા લેવા ઇચ્છતા યુવાનોએ પોતાની દીક્ષાની પહોંચ કાર્યક્રમમાં સાથે લાવવી ફરજિયાત રહેશે. પહોંચ વગર ત્રિશુલ દીક્ષા આપવામાં
આવશે નહીં અને જેના નામે પહોંચ હશે તેમને જ દીક્ષા આપવામાં આવશે. દીક્ષાર્થીઓએ આધાર કાર્ડની નકલ પણ સાથે લાવવાની રહેશે. કોઈ કાર્યકર્તા કાર્યક્રમમાં હાજર રહી ન શકે તો આગામી વખત કાર્યક્રમ યોજાય ત્યારે
પોતાની પહોંચ રજૂ કરીને દીક્ષા લઈ શકશે. કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા અને શિસ્ત જળવાઈ રહે તે માટે યુવાનોને સહકાર આપવા હર્ષ મુથ્રેજા અને વિનિત જાયસ્વાલે અપીલ કરી છે.




