વિદ્યાર્થીઓને ધો.11 અને 12 માટે કુલ રૂ.25 હજારની સ્કોલરશિપ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશમાં શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન લાવવા સમગ્ર રાજ્યમાં ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. શિક્ષણને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા જુદી-જુદી યોજનાઓ પણ અમલમાં છે. જેમાંની એક ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’નો ગીર સોમનાથના વિદ્યાર્થીઓ પણ લાભ લઈ રહ્યાં છે.
- Advertisement -
“નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની શાળાઓમાં આ યોજનાનો લાભ લેવા માટે 2237 જેટલા વિદ્યાર્થીઓએ આ યોજના અંતર્ગત પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને ફોર્મ સબમીટ કરાવ્યું છે.