ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટવાસીઓની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી દાદા, રાજકોટનું સૌથી વધારે ભીડ વાળું આ મંદીર છે. અહીં આજે શનિવારના દિવસે 50 હજાર થી પણ વધારે ભક્તો દાદાના દર્શને આવે છે ,અહીં દાદા સાક્ષાત બિરાજમાન છે અને ભક્તોની મનોકામના દાદા પૂર્ણ કરી રહયા છે ત્યારે આજના શનિવારના પવિત્ર દિવસે મહાપ્રતાપી બાલાજી હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે તેમજ મંદિરના મહંત પૂ.વિવેકસાગર દાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું , દર શનિવારે અહીં દાદાને વિવિધ શણગારો કરવામાં આવે છે સાથે રાજોપચાર પધ્ધતિથી થતી સંધ્યા આરતીનું પણ વિશેષ મહત્વ રહેલું છે , આપ પણ પરિવાર સાથે દાદાના દર્શન કરી, દાદાની રાજોપચાર પદ્ધતિથી થતી સંધ્યા આરતીનો અલભ્ય લાભ લો તેમ શ્રી બાલાજી હનુમાનજી મંદિરની યાદીમાં જણાવાયું છે .