ગિરનાર રોપ-વે ભારે પવનનાં કારણે બંધ કરવો પડયો: રાજકોટ સહિત અનેક સ્થળે સવારથી હવામાન પલ્ટાથી અસર
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે ફરી ધાબડીયા વાતાવરણ વચ્ચે ઠંડો પવન ફુંકાયો હતો. જો કે લઘુતમ તાપમાન સામાન્ય રહેવા પામ્યું હતું. આ ઉપરાંત ભારે પવનનાં જોરથી ગિરનારનો રોપ-વે પણ બંધ રાખવો પડયો હતો. ગિરનાર રોપવે ગઈકાલે બપોરના 3-30 કલાકે ભારે પવનની ગતિના કારણે બંધ કરી દેવાની ફરજ પડી હોવાનું મેનેજરે જણાવ્યું છે. જે આજે સવારે પણ પવનની ગતી સતત ચાલુ રહેતા ગિરનાર પર્વત ઉપર રોપવે શરૂ કરી શકાયો નથી. આકાશમાં વાતાવરણમાં કસ જેવા વાદળો જોવા મળી રહ્યા છે. જયાં સુધી પવનની ગતી નહી ઘટે ત્યાં સુધી ગિરનાર રોપવે આજે પણ શરૂ થાય તેનો સમય નકકી નથી બપોર બાદ દરરોજ નવનની ગતીમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે છાસવારે ગીરનાર રોપવે બંધ કરવો પડી રહ્યાનું જણાવાયું છે. દરમ્યાન આજે સવારે રાજકોટમાં પણ ઠંડા પવન સાથે ધાબડીયુ વાતાવરણ રહેવા પામ્યું હતું. અને 17.8 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું હતું. તેમજ અમદાવાદમાં આજે સવારે 18.8 ડિગ્રી, વડોદરામાં 18.2, ભાવનગરમાં 18.2, ભુજમાં 17.1, ડિસામાં 16.3, દિવમાં 16.4, દ્વારકામાં 19.6, ગાંધીનગરમાં 18, કંડલામાં 18, નલીયામાં 14, ઓખામાં 22.3, પોરબંદરમાં 20, સુરતમાં 17.4, સુરેન્દ્રનગરમાં 18.2 અને વેરાવળ ખાતે 19.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.