રામભાઈ મોકરીયાએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.2
- Advertisement -
બુંદેલા સમાજના સિનિયર સીટીઝનો માટે હરિદ્વાર યાત્રાનું નિ:શૂલ્ક આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ગઈકાલે રાત્રે 2 વાગ્યે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. બુંદેલા સમાજના 80 જેટલા સિનિયર સીટીઝનો ગઈકાલે હરિદ્વાર ખાતે જવા રવાના થયા હતા. ગઈકાલે રાત્રે રામભાઈ મોકરીયાએ તમામ વડીલોને ફૂલ-પડાથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. આ યાત્રાનું આયોજન મુખ્ય યજમાન રામભાઈ મોકરીયા, રમેશ ટીલાળા, દેવાંગ માંકડ, મુકેશ બુંદેલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે રામભાઈ મોકરીયાનું અને જીગર રૂપાલાનું મુકેશ બુંદેલાએ સ્વાગત કર્યું હતું અને જ્ઞાતિના આગેવાનો કમલેશ બુંદેલા, કિરીટ ગોહેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.