10થી વધુ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ 7 કિલો વાનગીઓ બનાવી
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ કઈક કરવું હોઈ તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી. આ વાક્યને વેરાવળના અંધ અપંગ કલ્યાણ કેન્દ્રની બહેનોએ સાચા શબ્દોમાં સાર્થક કર્યું હતું. વેરાવળ ચોપાટી ખાતે અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ઓપન ગુજરાત પ્રજ્ઞાચક્ષુ સ્વાદ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 10 થી વધુ બહેનોએ વિવિધ વાનગીઓ બનાવી અને શહેરીજનોને ખવડાવી હતી.
વેરાવળ ચોપાટી ખાતે યોજાયેલ આ ઉત્સવમાં 10 થી વધુ બહેનોએ પાવભાજી, વેજ પુલાવ, પનીર ટિક્કા મસાલા, રીંગણાનો ઓળો, રોટલા, મંચુરિયન, ભેળ, બટર રોટી સહિતની વાનગીઓ બનાવી અને શહેરના લોકોને ખવડાવી હતી. આ તકે સંસ્થાના મંત્રી ભીખુભાઈએ જણાવ્યું હતું.