By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    5 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    6 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    3 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    3 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    3 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    3 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    5 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    4 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    5 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    6 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    6 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચલે ભી નહીં, ઔર પહુંચ ગએ…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Naresh Shah > ચલે ભી નહીં, ઔર પહુંચ ગએ…
AuthorNaresh Shah

ચલે ભી નહીં, ઔર પહુંચ ગએ…

Khaskhabar Editor
Last updated: 2022/02/04 at 1:22 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

મારી જિંદગીની આ કેવી રાહ છે ? જેના દરેક માઈલસ્ટોન હાદસાઓથી જ સર્જાયા છે. તુમ થે, તો ઘર નહીં થા. આજ ઘર હૈ તો તુમ નહીં હો

શાહનામા
– નરેશ શાહ

અમૃતા પ્રિતમજીએ જીતી ઈમરોઝને 196રમાં આ પત્ર લખ્યો ત્યારે તેઓ ઈમરોઝથી જરા નારાજ હતા. અલબત્ત, આ નારાજગી ત્રણેક વરસ ચાલી હતી. નવેમ્બર 1960થી ડિસેમ્બર 1963 સુધી. અમૃતાજીના નારાજ હોવાનું કારણ એ હતું કે આ સમયગાળામાં ઈમરોઝ અલગ રહેતા હતા. બન્ને મળતાં દરરોજ પણ અલગ થવાની ક્ષ્ાણો અમૃતાજી માટે ભારેખમ બની જતી. ઉમા ત્રિલોકજીએ સંપાદિત કરેલાં અમૃતા-ઈમરોઝના પત્રોમાંથી પસાર થઈએ ત્યારે આપણને એ પણ જાણવા મળે છે કે ઈમરોઝ કરતાં પોતે ઊંમરમાં મોટા હોવાનો રંજ પણ અમૃતા પ્રિતમને હતો. કારણો બે. એક, ઈમરોઝ તેમને મોડાં મળ્યાં. બીજું કારણ, ઈમરોઝનો સાથ (મોટી ઉંમરને લીધે) ઓછા વરસોની સોગાત હોવાનું અમૃતાજી માનતા. કેટલાંય પત્રોમાં પોતાની વાત લખીને અમૃતાજી પૂછી લેતાં કે હું એંસી વરસની બુઢૃી સ્ત્રી જેવી વાત કરતી હોઊં એવું લાગે છે ને તને જીતી.

Contents
મારી જિંદગીની આ કેવી રાહ છે ? જેના દરેક માઈલસ્ટોન હાદસાઓથી જ સર્જાયા છે. તુમ થે, તો ઘર નહીં થા. આજ ઘર હૈ તો તુમ નહીં હોશાહનામા – નરેશ શાહ

અમૃતા પ્રિતમ ઈમરોઝ માટે મોટાભાગે જીતી અને ઈમવા નું સંબોધન કરતાં પણ ઈમરોઝ તેને આશી, જોરબી, મેરી જાન, મેરી પ્યાર, મેરી કિસ્મત, મેરી મલ્લિકા, મેરી બરક્ત અને માજા તરીકે સંબોધતા. જોકે સ્પેનિશ નોવેલ ધ નેકેડ માજા વાંચ્યા પછી તેઓએ અમૃતાજીને માજા કહેવાનું શરૂ ર્ક્યું. પછીથી તેમને માજા (મારું) નો મરાઠી અર્થ ખબર પડી એટલે માજા સંબોધન વધુ ગમવા માંડેલું. જોકે રસોઈમાં કામ કરતાં અમૃતાજીને તેઓ હંમેશ બરક્તેં કહીને જ બોલાવતાં : તુમ મેરી કિસ્મત બની રહેના, ફિર ક્સિી બદકિસ્મતી કી મુઝે પરવાહ નહીં

- Advertisement -

ઈમરોઝ અમૃતા પ્રિતમથી સાત વરસ નાના હતા. અમૃતા પતિ અને પ્રેમી છોડીને બે સંતાનો સાથે એકલા રહેતા હતા. 19પ6માં પ્રથમ વખત મળેલાં ઈમરોઝ સાથેની આત્મીયતા 19પ9 સુધીમાં ઘેઘુર બની ગઈ હતી. એ જ અરસામાં ઈમરોઝ એક પત્રમાં લખે છે : એક મકાન, બહુ સુંદર જગ્યા પર લીધું છે. આવીને તેને ઘર બનાવી દો. આપણું અને આપણા સપનાંનું ઘર… જિંદગીમાં પહેલી વખત મેં ઘર (હોય એવું) ઈચ્છયું છે… મારા પર ભરોસો કરો. મારા લગાવ પર વિશ્ર્વાસ મૂકો… ઈમરોઝ ઈચ્છતાં કે અમૃતા તેમની પાસે આવી જાય, અમૃતા ઈચ્છતાં કે ઈમરોઝ તેમની પાસે આવી જાય. શક્ય છે કે આ જ ઝંખનાઓના કારણે 1960 થી 1963 વચ્ચે તેમની દરમિયાન મીઠી નારાજગી જન્મી હોઈ શકે પણ એ લાંબી ટકી નહીં. 1964થી ઈમરોઝ અમૃતાજીની સાથે રહેવા આવી ગયા હતા. ઈમરોઝ ચિત્રકાર હતા તેમ સરસ લખી પણ શક્તા (તેમના લખાણોના પુસ્તક પ્રગટ થયા છે ) એક પત્રમાં ઈમરોઝનું આ સ્ટેટમેન્ટ જૂઓ : ટૂ લવ સમબડી ઈઝ નોટ જસ્ટ એ સ્ટ્રોંગ ફિલિંગ઼ ઈટ ઈઝ એ ડિસિઝન, એ જજમેન્ટ. કોઈને ચાહ્યું એ માત્ર આવેશમય લાગણી નથી હોતી પણ (ખરેખર તો એ) એક નિર્ણય હોય છે

ઈમરોઝ માટે અમૃતા પ્રિતમ શું હતા, એ પત્રોમાંથી તો સતત છલકાઈ છે પણ કવિતામાં ઢાળીને એ વાતને ઈમરોઝ આ રીતે મૂકે છે : ના ક્સિી સે બાત કર કે બાત બની, ના ક્સિી કે સાથ ચલ કર કહીં પહૂંચે, ના ક્સિી કે સાથ સો કર જાગે… વહ મીલી, ઉસને મુઝે દેખા પતા નહીં ક્યા દેખા, મૈંને ઉસે દેખા પતા નહીં ક્યા દેખા… બોલે ભી નહીં પર બાત બન ગઈ, ચલે ભી નહીં ઔર પહુંચ ગએ, સોયેં ભી નહીં ઔર જાગ ગએ

આ જ પ્રેમ છે, જેમાં સરાબોર ડૂબવાની ઝંખના દરેકને હોય છે પણ ઈમરોઝ-અમૃતાજી જેવું સમર્પણ ન હોય તો એ સંઘર્ષમાં પરિવર્તિત થઈ જાય છે. એમાં સમજણ ન હોય તો એ સોફટ નથી રહેતું પણ બરછટ થઈને બટકી જાય છે. ઈમરોઝ-અમૃતાને મન ભરીને વાંચ્યા-મહેસુસ ર્ક્યા પછી સમજાઈ છે કે, કશુંય પામવું ન હોય ત્યારે ઘણુંબધું આપી શકાતું હોય છે અને આપતા રહીએ ત્યારે અનુભવાય છે કે કશુંય ખાલીખમ થતું હોતું નથી. ઈમરોઝ અને અમૃતા પ્રિતમજીના ભૂતકાળ, ઘટના, તૂટન અને કદાચ, સોચ-સમજ અલગ હતા પણ ઈમરોઝને તેનાથી મતલબ નહોતો. અમૃતાજી તો અનેક વખત પોતાના જૂના જખમ પત્રમાં ખોતરતાં. એક પત્રમાં તેઓ ઈમરોઝને લખે છે : તારા અને મારા નસીબમાં બહુ ફરક છે. તમે એ ખુશનસીબ છો (કે) જેને પ્રેમ કરો (તે) તમારા એક ઈશારા પર આખી દુનિયા ઓવારી દે… પણ હું એ બદનસીબ છું(કે) જેને મહૌબ્બત કરી, તેણે મારા માટે પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા.

- Advertisement -

દુ:ખોએ હવે મારા હૃદયની ઊંમર બહુ મોટી કરી નાખી છે : અમૃતા પ્રિતમ-ઈમરોઝના પત્રો માત્ર તેમના મનોજગત કે મનોઈચ્છા કે મનોતરંગોને જ વ્યક્ત નથી કરતાં પણ શાંતચિત્તે એ વાંચો તો તમને એ ઓરામાં તાણી જાય છે. જયાં મળે છે નિર્મળ સંવેદનોની શાંત ધારા, જેમાં ભીંજાવું ગમે કારણ કે પ્રદૂષિત સોચના આ વિશ્ર્વમાં આવી નિર્ભેળ લાગણીઓ જોવા-અનુભવવા મળતી નથી. અમૃતા-ઈમરોઝના ખતોં કા સફરનામા ખરેખર તો પ્રેમમંદિર પર બિલિપત્રના અભિષેક સમાન છે. અહીં પ્રેમ છે .પીડા છે. સૌહાર્દ છે. સચ્ચાઈ છે. આશંકા છે. આશા છે તો ક્યાંક દુનિયાદારી પણ છે. એક પત્રમાં ઈમરોઝ લખે છે : એક સમય હતો કે આપણે કોઈ સંબંધ બનાવતી વખતે કે કોઈ કામ કરતી વખતે કે કોઈ વ્યાપાર શરૂ કરતી વખતે કે કોઈ કામ કરતી વખતે કે કોઈ વ્યાપાર શરૂ કરતી વખતે કે કંઈપણ કરતી વખતે બિસ્મિલ્લાહ બોલતા હતા. પરંતુ હવે કોમ્પ્રોમાઈઝ શબ્દ સંભળાય છે. એ જાણવા છતાં કે કોમ્પ્રોમાઈઝ કમજોરી અને ડરમાંથી જન્મે છે…

એક મકાન, બહુ સુંદર જગ્યા પર લીધું છે, આવીને તેને ઘર બનાવી દો, આપણું અને આપણા સપનાંનું ઘર…

ઈમરોઝ-અમૃતાજીના સંબંધમાં ક્યાંય કોમ્પ્રોમાઈઝ હતા કે નહીં, એ આપણે જાણતાં નથી. જાણવામાં રસ પણ નથી કારણકે, એમાંથી ચળાઈને આવતી પ્રાર્થના કે સજદા જેવી સુરખી એ સાબિત કરે છે કે બિસ્મિલ્લાહથી આ સંબંધની નીંવ નંખાઈ હોવી જોઈએ. સાહિરે ભલે લખ્યું, પણ ઈમરોઝ-અમૃતના અફસાનાને ભૂલવું વાજબી લાગતુંનથી. હા, આ જ ગીતની પંક્તિઓ પર વિચારવા જેવું ખરું: ના મૈં તુમ્સે કોઈ ઉમ્મીદ રખું, દિલ નવાઝી કી, ના તુમ મેરી તરફ દેખો – ગલત અંદાઝ નજરોં સે.

You Might Also Like

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેડિટેશન એટલે કે ધ્યાન વિશે જે.કૃષ્ણમૂર્તિ
Next Article દ્રઢ સંકલ્પથી પ્રચંડ પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો કશું જ અશક્ય નથી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
Shailesh Sagpariya

વાણી અને વર્તન દ્વારા પરિચય

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?