By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    5 hours ago
    USના વિઝા હવે ફટાફટ!
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 hours ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    2 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    2 hours ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    1 day ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    3 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    4 hours ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    4 hours ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    4 hours ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    1 day ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદી હૈ તો મુમકીન હૈ: કેન્દ્રીય પ્રધાનમંડળમાં ગુજરાતનો ગજબનાક ઠાઠ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > મોદી હૈ તો મુમકીન હૈ: કેન્દ્રીય પ્રધાનમંડળમાં ગુજરાતનો ગજબનાક ઠાઠ!
અમદાવાદગુજરાતરાજકોટ

મોદી હૈ તો મુમકીન હૈ: કેન્દ્રીય પ્રધાનમંડળમાં ગુજરાતનો ગજબનાક ઠાઠ!

Khaskhabar Editor
Last updated: 2021/07/08 at 4:57 PM
Khaskhabar Editor 5 years ago
Share
8 Min Read
SHARE

કોેંગ્રેસકાળમાં ગુજરાતને વધારાની એક ટ્રેમ મેળવવાનાં પણ ફાંફા હતા, હવે એઈમ્સ, નર્મદા, રેલવે યુનિવર્સિટીથી લઈને અગણિત પ્રકલ્પો મળી રહ્યા છે

ભારતીય રાજનીતિના ઈતિહાસમાં સૌ પ્રથમવાર કેન્દ્ર સરકારમાં ગુજરાતના 7 મંત્રીઓને સ્થાન મળ્યું છે જેની પાછળનું મુખ્ય કારણ એક ગુજરાતી પ્રધાનમંત્રી છે. જ્યારે ભૂતકાળની અંદર કેન્દ્ર સરકારમાં ગુજરાતના મંત્રીઓ તો ઠીક રાજ્યસભા અને લોકસભામાં પણ ગુજરાતના નેતાઓ જોવા મળતા ન હતા. કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવવું ગુજરાતના નેતાઓ માટે કઠીન હતું. ત્યારે વર્તમાનની અંદર કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ગુજરાતના અડધો ડઝન મંત્રીઓ બિરાજમાન થઈ ચૂક્યા છે જેનો તમામ શ્રેય ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે. નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બનવાથી ગુજરાત કે ગુજરાતીઓ જ નહીં પરંતુ ગુજરાતના રાજકારણને પણ ઘણો મોટો ફાયદો થયો છે. અલબત્ત મોદી સરકારના નવા મંત્રીમંડળ બાદ ગુજરાતને પણ વધુને વધુ ફાયદો થતો જશે.

Contents
કોેંગ્રેસકાળમાં ગુજરાતને વધારાની એક ટ્રેમ મેળવવાનાં પણ ફાંફા હતા, હવે એઈમ્સ, નર્મદા, રેલવે યુનિવર્સિટીથી લઈને અગણિત પ્રકલ્પો મળી રહ્યા છેરાજ્યમાં અને કેન્દ્રમાં એમ બેઉ જગ્યાએ એક જ પાર્ટીની સરકાર હોવાનો બેશુમાર ફાયદોભારતીય લોકશાહીનાં ઈતિહાસમાં પ્રથમ વખત કેન્દ્રીય મંત્રીમંડળમાં 7-7 ગુજરાતી મંત્રી!કેન્દ્રમાં ગુજરાતી નેતાઓ હોવાથી ગુજરાતની જનવાણીને વાચા મળી છે, ગુજરાતનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છેઅગાઉ આઝાદીના સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ગુજરાતી જોડીએ દેશના રાજકરણમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું અને આજના આધુનિક સમયમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની ગુજરાતી જોડીએ દેશના રાજકરણમાં ગુજરાતનું નામ રોશન કર્યું છેરાજકોટ-અમદાવાદ વચ્ચે આવેલા હીરાસર ગામે બસ પણ ઉભી ન રહેતી હતી અને આજે હીરાસર ગામે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે, એ જ રીતે રાજકોટ-જામનગર હાઈવે પર આવેલા ખંઢેરી ગામે રેલ્વે સ્ટેશન હોવા છતાં ટ્રેન ઉભી રહેતી ન હતી અને આજે ખંઢેરી ગામે એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકારની બીજી ટર્મના મંત્રીમંડળ વિસ્તરણમાં ગુજરાતના ચારેય ઝોનને મંત્રીપદ મળ્યું છે. ગુજરાતની તમામ 26 સંસદની બેઠકો પર ભાજપનો વિજય થયો છે, ત્યારે ગુજરાતના 26માંથી 4 સાંસદો અને રાજ્યસભાના 3 સભ્યોને મંત્રીપદ મળ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી પદ અમિતભાઈ શાહને આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાંથી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા અને ડો. મહેન્દ્ર મુંજપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાંથી મહિલા સાંસદ દર્શનાબેન જરદોશ તથા મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણને કેન્દ્રીય મંત્રીપદ આપવામાં આવ્યું છે.

- Advertisement -

ઈતિહાસ તપાસીએ તો ભૂતકાળમાં ક્યારેય એક સાથે 7 જેટલા ગુજરાતીઓને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. આ સૌ પ્રથમ વખત છે જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત 7 ગુજરાતીઓ થઈ ગયા છે. નવા મંત્રીઓના શપથ સાથે કેન્દ્રીય મંત્રીમંડળની સંખ્યા 81 થઈ છે જે મુજબ મંત્રીમંડળમાં ગુજરાતીઓનો હિસ્સો 9 ટકા છે. ગુજરાતીઓની મંત્રી તરીકેની સભ્ય સંખ્યા પણ પહેલીવાર જ આટલી થઈ છે. ભૂતકાળમાં એક સાથે 7 ગુજરાતીઓ મંત્રીમંડળમાં હોય એવું ક્યારેય બન્યું નથી.

એક સમય હતો જ્યારે દેશના રાજકારણને ગુજરાત રાહ ચિંધનાર હતું. સમગ્ર દેશ માટે પથદૃષ્ટા હતું. આમ છતાં કેન્દ્રમાં કોંગ્રેસની સરકારો દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યે ઓરમાયું વર્તન દાખવવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર પાસેથી એક નવી ટ્રેન કે ફ્લાઈટ શરૂ કરવાની મંજૂરી મેળવવાની હોય તો પણ વર્ષોના વર્ષો નીકળી જતા હતા. નર્મદા બંધ જેવા અનેકો કિસ્સા છે જ્યાં ખુદ રાજ્યના મુખ્યમંત્રીને કેન્દ્ર સરકાર પાસેથી કેટલીક મંજૂરીઓ મેળવવા ઉપવાસ પર ઉતરવું પડતું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં સ્વાસ્થ્ય, સુરક્ષા, સ્વચ્છતા કે અન્ય માળખાકીય સુવિધાઓ વધારતા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવતી નહતી. કેન્દ્ર સરકાર ગુજરાતને વિકાસ કામો માટેની ગ્રાન્ટ ફાળવતી નહતી. ગુજરાતમાં કોઈ નવા પ્રોજેક્ટને ઝડપી મંજૂરી ન મળતી એટલું જ નહીં પરંતુ ગુજરાતના નેતાઓ ગુજરાતની વાત, ગુજરાતના પ્રશ્ર્નો, ગુજરાતની સમસ્યાઓ કેન્દ્ર સુધી પહોંચાડી ન શકે એવો એક તખ્તો ગોઠવવામાં આવ્યો હતો.

રાજ્યમાં અને કેન્દ્રમાં એમ બેઉ જગ્યાએ એક જ પાર્ટીની સરકાર હોવાનો બેશુમાર ફાયદો

ભારતીય લોકશાહીનાં ઈતિહાસમાં પ્રથમ વખત કેન્દ્રીય મંત્રીમંડળમાં 7-7 ગુજરાતી મંત્રી!

કેન્દ્રમાં ગુજરાતી નેતાઓ હોવાથી ગુજરાતની જનવાણીને વાચા મળી છે, ગુજરાતનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે

- Advertisement -

કેન્દ્રમાં ગુજરાતી નેતાઓ હોવાથી ગુજરાતની જનવાણીને વાચા મળી છે, ગુજરાતનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે
વિચાર કરો એક સમયે રાજકોટ-અમદાવાદ વચ્ચે આવેલા હીરાસર ગામે બસ પણ ઉભી ન રહેતી હતી અને આજે હીરાસર ગામે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે. જ્યાંથી પ્લેનમાં બેસી દુનિયાના કોઈપણ છેડે જઈ શકાશે એ રીતે રાજકોટ-જામનગર હાઈવે પર આવેલા ખંડેરી ગામે રેલ્વે સ્ટેશન હોવા છતાં ટ્રેન ઉભી રહેતી ન હતી અને આજે ખંડેરી ગામે એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે. ખંડેરી રેલ્વે સ્ટેશને સીધા ઉતરી એઈમ્સમાં પહોંચી શકાશે. કોઈએ વિચાર્યું પણ ન હતું કે કેન્દ્રમાં બેઠેલા ગુજરાતી મંત્રીઓ દ્વારા ગુજરાતના જુદાજુદા બંદરોને એકબીજા સાથે જોડવામાં આવશે. આજે રોરોફેરી સર્વિસ શરૂ થઈ ચૂકી છે. હવે દરિયાઈ માર્ગે પણ વાહનવ્યવહાર થઈ રહ્યો છે. દરિયાઈ બીચને વિકસાવવામાં આવી રહ્યા છે. કૃષિ અને રેલ યુનિવર્સિટી અહીં સ્થપાઈ છે. બુલેટટ્રેનનું કામ પણ ગતિમાન છે. ગુજરાત પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. ગુજરાત પાસે ગાંધી-સરદાર જેવા મોદી-શાહ છે. છેલ્લા સાત વર્ષથી કેન્દ્ર સરકાર ગુજરાત પર સવિશેષ વ્હાલ દર્શાવી રહી છે જેનું એકમાત્ર કારણ છે – નરેન્દ્રભાઈ મોદી. દેશમાં સૌ પ્રથમ અને સૌથી વધુ કોઈપણ યોજનાઓનો લાભ ગુજરાતને મળતો થયો છે કારણ કે આપણો ગુજરાતી કેન્દ્રમાં બેઠો છે.

અગાઉ આઝાદીના સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ગુજરાતી જોડીએ દેશના રાજકરણમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું અને આજના આધુનિક સમયમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની ગુજરાતી જોડીએ દેશના રાજકરણમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે

વિદેશી નેતાઓ ભારત આવીને ગુજરાત આવવા ઈચ્છે છે. વિદેશી લોકો ગુજરાતી વાનગીઓ અને ગુજરાતના ફરવાલાયક સ્થળોના દીવાના છે. પ્રવાસ, પર્યટન સાથે ગુજરાતની પ્રાચિન, ધાર્મિક અને આધ્યાત્મિક જગ્યાઓ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં.. સૂત્ર સાથે દેશ-દુનિયાના લોકોને અહીં આવવાનું આમંત્રણ આપ્યું. ગુજરાતની ભવ્ય વિરાસતને વિકસાવી અને પ્રચાર-પ્રસાર કર્યો. એમણે ગુજરાત સમીટનું આયોજન કર્યું અને દેશ-દુનિયા વ્યાપારીઓ- ઉદ્યોગકારોને ગુજરાતમાં કારખાનાઓ સ્થાપવા નિમંત્રણ આપ્યું. વાઈબ્રન્ટ ગુજરાતના નારા સાથે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતનો વિકાસ કર્યો પરંતુ હજુ આ વિકાસ જોઈએ તેટલો ન હતો, અધૂરો હતો. તેમણે જનતાને આહવાનનું કર્યું કે ભાજપ સરકારને પૂર્ણ બહુમતી સાથે બેઠકો જીતાડે. જનતાએ નરેન્દ્રભાઈ મોદીનું આહવાન સહર્ષ સ્વીકાર્યું. લોકસભા અને રાજ્યસભામાં વધુ બેઠકો મેળવાથી સરકારી યોજનાઓની મંજૂરી સરળ બની. ગુજરાતની સમસ્યાઓ, પ્રશ્નોને લઈ ગુજરાતી નેતાઓ લોકસભા અને રાજ્યસભાના દરબાર સુધી પહોંચ્યા. કેન્દ્રમાં ગુજરાતી નેતાઓ હોવાથી ગુજરાતની જનવાણીને વાચા મળી છે, ગુજરાતનો સર્વાંગી વિકાસ શક્ય બન્યો છે.

રાજકોટ-અમદાવાદ વચ્ચે આવેલા હીરાસર ગામે બસ પણ ઉભી ન રહેતી હતી અને આજે હીરાસર ગામે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બની રહ્યું છે, એ જ રીતે રાજકોટ-જામનગર હાઈવે પર આવેલા ખંઢેરી ગામે રેલ્વે સ્ટેશન હોવા છતાં ટ્રેન ઉભી રહેતી ન હતી અને આજે ખંઢેરી ગામે એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે

2014ની લોકસભા ચૂંટણી જીતી નરેન્દ્રભાઈ મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા બાદ કેન્દ્રમાં ગુજરાતનો દબદબો વધ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા અને અમિતભાઈ શાહ ગૃહમંત્રી બન્યા ત્યારે ગુજરાતનો દબદબો વધુ મજબૂત થયો હતો. અગાઉ આઝાદીના સમયમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ગુજરાતી જોડીએ દેશના રાજકરણમાં ગુજરાતનું નામ રોશન કર્યું હતું અને આજના આધુનિક સમયમાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની ગુજરાતી જોડીએ દેશના રાજકરણમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. મોદી-શાહની જોડીએ મળીને દેશના રાજકરણમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. દુનિયાના નકશા પર ગુજરાતને માનભર્યું સ્થાન હાંસલ થયું છે. એક ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી દેશના પ્રધાનમંત્રી બને અને ત્યારબાદ અન્ય એક ગુજરાતી અમિતભાઈ શાહ દેશના ગૃહમંત્રી બને એમાં વળી તેમના મંત્રીમંડળમાં પણ અડધો ડઝન ગુજરાતીઓ મંત્રીઓ બને એટલે સ્વાભાવિકપણે ગુજરાત માટે મોસાળે જમણ અને મા પીરસનાર જેવો ઘાટ સર્જાયો છે તેમ કહી શકાય. હાલ ગુજરાતની પાંચેય આંગળીઓ જ નહીં આખેઆખું અંગ ઘીમાં છે.

You Might Also Like

દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન

પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ

ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ

રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે

સ્વદેશી ડ્રોન મોટર્સ : વિદેશી ડ્રોન 45 મિનિટ જ્યારે રાજકોટમાં તૈયાર કરેલી ડ્રોન મોટર એક કલાકથી વધુ સમય ઉડાન ભરવા સક્ષમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article AIIMSને જોડતા રોડની રાજકોટ મહાનગરપાલિકાની બાઉન્ડ્રીમાં બનતા રોડની વિઝિટ કરતા રૂડા ચેરમેન અને કમિશનર અમિત અરોરા
Next Article ‘મૈં તુલસી તેરે બાથરૂમ કી…’ ‘ગૌરક્ષકો વાસ્તવમાં ગૌરાક્ષસો છે!’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી
દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન
પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ
ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ
રાજકોટ-અમદાવાદ હાઈવેની કામગીરી 8 વર્ષે પણ અધૂરી, હવે જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

દ્વારકામાં તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સાધારણ સભા યોજાઈ: નિવૃત્ત અધિકારીઓએ આપ્યું જરૂરી માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

પી.ડી.યુ. હૉસ્પિટલના પેથોલોજી લેબ ટેન્ડર પ્રક્રિયામાં અનિયમિતતાનો આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગુજરાત

ભરૂચની જામા મસ્જિદમાંથી મળી જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?