વહીવટી તંત્રની બેદરકારીથી બહુમાળી ભવને શેકાતા લોકો
સ્ટાફના અભાવે લોકો હેરાન-પરેશાન
- Advertisement -
42 ડિગ્રી તાપમાન
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.15
આજરોજ રાજકોટના બહુમાળી ભવન ખાતે નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ મેળવવા માટે યુવાનોની લાંબી લાઈન લાગી છે. ધોમધખતા તાપમાં આજે વિદ્યાર્થીઓને નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ મેળવવા માટે લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. તંત્રની બેદરકારી અને તો પૂરતા સ્ટાફના અભાવે લાંબી લાઈનો લાગી હોવાનું વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે. અહીં માત્ર બે જ કોમ્પ્યુટર હોય અને સ્ટાફની પણ ઘટ હોવાનું વિદ્યાર્થીઓએ રોષ વ્યકત કર્યો હતો. લોકોને માત્ર 1 વાગ્યા સુધી જ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે. બાકી રહી ગયેલા લોકોએ બીજા દિવસે ફરી સર્ટિફિકેટ કઢાવવા લાઇનમાં ઉભા રહેવું પડે છે. ગઇકાલે 3 થી 4 વિદ્યાર્થીઓ આ તડકાના કારણે બેભાન થઇને ઢળી પડી હતી. તેમ પણ લાઇનમાં ઉભા રહેલા વિદ્યાર્થીઓએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, દરમિયાન બહુમાળી ભવનના સ્ટાફ દ્વારા એવી પણ ધમકી આપવામાં આવી રહી છે કે, જો ગેરવર્તુણના નામે પોલીસને બોલાવીને અંદર કરી દેશું. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ દ્વારા વહીવટીતંત્રને પુરતા પગલાં લઇને સારી વ્યવસ્થા કરવા માગણી કરી હતી.
- Advertisement -
વિદ્યાર્થીઓને સરકારી ભરતીની જાહેરાત કરતા અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોમાં નોન-ક્રીમીલેયર સર્ટિફિકેટ જોડવું આવશ્યક હોય છે જેથી તે સર્ટિફિકેટ કઢાવવા માટે લોકોની લાંબી લાઈન લાગી છે. જો કે વહેલી સવારથી જ લાઈનમાં લોકો ઉભા રહેતા હોય છે પરંતુ તંત્રની અવ્યવસ્થાના કારણે લોકો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.