રૈયાધાર વિસ્તારમાં કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ડીમોલીશન
ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રૈયાધાર વિસ્તારની અંદાજે રૂ. 18 કરોડની કિંમતી સરકારી જમીન પરનુ દબાણ દૂર કરાયુ હતુ. મામલતદાર (પશ્ચિમ) આર. બી. ગઢવી, સર્કલ ઓફિસર તથા સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રૈયાધારની સરકારી ખરાબાની સર્વે નં 318 / 1 પૈકી 1 ની કુલ અંદાજિત 3500 ચો.મી. જમીન સંદર્ભે ડિમોલીશન કામગીરી હાથ ધરાઈ હતી અને આ જમીન પરનું દબાણ દૂર કરાયું હતું, જેમાં જેટકોના રૈયાધાર 66 કે.વી. સબ સ્ટેશનને ફાળવવાની થતી 1850 ચો.મી. જમીનનો સમાવેશ થાય છે. આ જમીનની અંદાજિત બજાર કિંમત 18 કરોડ રૂપિયા થાય છે, આ જમીન આજરોજ દબાણમુક્ત કરવામાં આવેલ છે તથા તેનો ખુલ્લો કબજો જેટકોને સોંપવામાં આવેલ છે, તેમ મામલતદાર રુદ્ર ગઢવીની યાદીમાં જણાવાયું છે.